21 July 2010

ભાવનગર : રિસાયેલા મેઘાને મનાવવાના પ્રયાસો :ઠેર-ઠેર રામધૂન-યજ્ઞ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભાવનગર : રિસાયેલા મેઘાને મનાવવાના પ્રયાસો :ઠેર-ઠેર રામધૂન-યજ્ઞ

પ્રાચીનકાળમાં ઋષિમુનીઓ રાજાને આર્શીવાદ આપતી વખતે એમ કહેતા કે, કાલે વર્ષતુપર્જન્ય: એટલે કે તમારા રાજ્યમાં યોગ્ય સમયે વરસાદ વરસે. આખુ વર્ષ સુરજની અગનવર્ષા બાદ ચોમાસમાં અનરાધાર વરસાદ વરસે તેવી આશા સૌ કોઈને હોઈ છે અને જો અષાઢમાંજ મેઘરાજા રીસાઈ જાય તો પાણી અને ધાન્યનો અકાળ પડે છે. આથી જ વરસાદની આસા ઠગારી નિવડે ત્યારે તેને મનાવવા અનેક પરંપરાગત વિધીઓ કરવામાં આવે છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢ માસનો મધ્ય ભાગ આવી ગયો છતાં મેઘો મન મૂકીને નહીં વરસતા પ્રજાજનોમાં આ વર્ષે પણ ચોમાસા અંગે અનિશ્ચિતતાની ચિંતા પેસી જતાં રૂઢી ગયેલા મેઘરાજાને મનાવવા પ્રજાજનો, જ્ઞાતિ સમૂહ અને સંસ્થાઓએ ઠેર-ઠેર રામધૂન, પર્જન્ય યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજી વરૂણ દેવને મનાવવાના પ્રયત્નો અને પ્રાર્થના શરૂ કરી દીધી છે. તો ખેડૂતોના હૈયે ચિંતા પ્રસરતા તેઓએ પણ મેઘાને મનાવવા પરંપરાગત પૂજન-અર્ચન શરૂ કરી દીધા છે.અત્યારે ચોમાસાના ધોરી માસ ગણાતા અષાઢના એક પછી એક દિવસ ધોધમાર વરસાદ વગરની વિતી રહ્યાં છે. તેથી પ્રજાજનોના હૈયા ઉંચા થઈ ગયા છે. ગત વર્ષે ભાવનગરમાં વરસાદની ૪૦ ટકા ખાદ્ય રહેલી ત્યારે આ વર્ષે ગત વર્ષની ખાદ્ય પૂરી કરે તેવા વરસાદની આશા બંધાઈ હતી પરંતુ અષાઢમાં મેઘાનું જોર નબળું પડી જતાં ધોધમારને બદલે ઝરમર કે હળવા ઝાપટા વરસી રહ્યાં છે.આ સંજોગોમાં પરંપરાવાદીઓએ રૂઠેલા વરૂણદેવને મનાવવા સતત ૨૪ કે ૪૮ કલાકની રામધૂન, શાસ્ત્રોકત વિધિ સાથે પર્જન્ય યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો શરૂ કરી દીધા છે. મેઘો આજે વરસે અને ધોધમાર સ્વરૂપે વરસે તેવી પ્રાર્થના પ્રજાજનો કરી રહ્યાં છે.ભાવનગરનાં ગ્રામ્ય પંથકમાં ખેડૂતો પણ વરસાદને મનાવા માટે આકાશ ભણી મીટ માંડી પ્રભુને પ્રાર્થના કરી રહ્યાં છે. વિજ્ઞાન જ્યારે વરસાદ માટે કૃત્રિમ વર્ષાના પ્રયોગ કરે છે ત્યારે આપણી શ્રધ્ધાળુ જનતા મેઘરાજાને મનાવવા પ્રાર્થના અને યજ્ઞોનો સહારો લે છે. તે કોઈ અંધશ્રધ્ધાનો વિષય નથી પરંતુ કુદરતી સંકટ ટાળવા માટે વર્ષોથી ચાલી આવતી આપણી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરે છે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત વગેરે સ્થળોએ પણ ભર અષાઢે રીસાયેલા મેઘાને મનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.


લ્યો કરો અમારી ધરપકડ

શહેરમાં લદાયેલા પાણીકાપના વિરોધમાં કોંગ્રેસે ગુરૂવારે મ્યુનિસપિલ કમિશનરના બંગલામાં જઇ નળ કાપી વિરોધ દર્શાવવાના પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદમાં શુક્રવારની રાત્રિના શહેર કોંગ્રેસ પ્રમુખ ભટ્ટી સહિતના આરોપીઓ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શશીધરનના બંગલે દોડી ગયા હતા અને ધરપકડ કરી લેવા હોબાળો મચાવ્યો હતો. જો કે કમિશનરે બંગલેથી ધરપકડ નહીં કરાવવા અડગ રહેતાં અંતે કોંગ્રેસીઓ એ.ડિવિઝને ગયા હતા જ્યાં ભટ્ટી સહિત છની ધરપકડની વિધિ કરવામાં આવી હતી.
મ્યુનિસપિલ કમિશનરના બંગલામા નળ કાપવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી તથા અજાણ્યા ૨૦ લોકોના આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. પોલીસે શુક્રવારે બે કોંગ્રેસી કાર્યકર બળવંતભાઇ છાંટબાર અને રમેશભાઇ તલાટીયાની ધરપકડ કરી હતી. જ્યારે ભટ્ટી તથા વિજય ચૌહાણને ઝડપી લેવા તેના ઘરે દરોડા પાડ્યા હતા.રાજકીય કાર્યકરો સામે નોંધાયેલી ફરિયાદ મોટા ગુના હેઠળની હોય તેમ પોલીસે દોડધામ કરતાં કોંગ્રેસીઓમાં રોષ ફેલાયો હતો અને રાત્રિના જશવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, નરેન્દ્રસિંહ જાડેજા, શાંતબેન ચાવડા સહિતના આગેવાનો અને ૨૦૦ જેટલાં કાર્યકરો ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ શશીધરનના બંગલે દોડી ગયા હતા. ભટ્ટીએ પોતાના સહિતના આરોપીઓની ધરપકડ કરી લેવા મથામણ કરી હતી. જો કે શશીધરને ધરપકડ તપાસનીશ અધિકારી જ કરશે તેમ કહી બંગલેથી ધરપકડ કરવાનું ટાળ્યું હતું.ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ શશીધરને જણાવ્યું હતું કે લોકશાહીમાં વિરોધ કરવાનો બધાને અધિકારી છે પરંતુ જાહેર મિલકતને નુકસાન કરવાની કે સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાની પ્રવૃતિને કોઇ સંજોગોમાં ચલાવી શકાય નહીં.



રેડ ટીશર્ટ પહેરેલો જાડો માણસ બાઇક ચલાવતો હતો

અમિત જેઠવાનું મર્ડર કરવા માટે આવેલા બે શખ્સો પૈકી બાઇક ચલાવનાર શખ્સ જાડો હતો અને તેણે રેડ કલરનું ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યાં હતા.જ્યારે તેની પાછળ બેસેલો શખ્સ પાતળો હતો અને તેણે બ્લેક ટીશર્ટ પહેયું હતું. તેમ અમિત જેઠવાના મર્ડર સ્થળ પાસેના એટીએમના સિકયોરિટીએ પોલીસને જણાવ્યું હતું. હત્યારાઓ હાઇકોર્ટની સામેની બાજુ પહેલાથી જ રાહ જોઇને ઊભા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.તેમણે અમિત જેઠવા પર ફાયરિંગ કર્યા બાદ અમિત જેઠવાની જીપ્સી જ્યાં ઊભી હતી તે જ દિશામા પંદર ફૂટ સુધી દોડ્યા બાદ ખેતરોમાં નાસી છૂટયા હતા. હત્યારાઓ જે બાઇક લઇને આવ્યા હતા તેનું ચેચીઝ નંબર ડીએસવીબીએલએમ ૫૩૪૭૪ હતું અને બાઇક રિઝર્વમાં હતી.


મેક્સિકો : આવો ચોર નહીં જોયો હોય!

મેક્સિકો એરપોર્ટ ખાતેથી એક વ્યક્તિની તીતી વાંદરાની દાણચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વ્યક્તિએ પોતાના ટી-શર્ટ નીચે કમપના પટ્ટા સાથે 18 નાના વાંદરાઓને બાંધી રાખ્યા હતાં. વ્યક્તિએ પહેરેલા કપડામાં ઉપસી આવેલા ભાગને જોઈને પોલીસને શંકા ગઈ હતી.પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 38 વર્ષીય રોબેર્ટો કેબર્રેરા શુક્રવારે પેરુના લીમાથી મેક્સિકો શહેરના આતંરરાષ્ટ્રીય હવાઈ મથકે આવી પહોંચ્યો હતો. અરપોર્ટ પર હાજર અધિકારીઓને વ્યક્તિએ પોતાના કપડામાં કંઈક છૂપાવ્યું હોવાની શંકા જતાં તેની તપાસ કરવામાં આવી હતી.તપાસમાં માલુમ પડ્યું હતું કે તેણે છ ઈંચ નાના 18 જેટલા તીતી વાંદરાઓને પોતાના કમરના બેલ્ટ સાથે બાંધેલા એક પાઉંચ રાખ્યા છે. જેમાંથી બેના મોત થઈ ગયા હતાં. કેબર્રેરાની પ્રાણીઓની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.કેબર્રેરાએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે બધા વાંદરાઓને સુટકેસમાં લઈને જવાનું વિચાર્યું હતું, પરંતુ એક્સ-રે ચેકિંગ દરમિયાન કદાચ તેમને ઈજા થશે એવું માનીને તેને શર્ટ નીચે છૂપાવીને લઈ જવાનું નક્કી કર્યું હતું.


ખારામાં દારૂડિયો નહીં જામીનદાર પણ દંડાશે

મહેસાણા જિલ્લાના અનેક ગામોએ દારૂબંધી અમલી બનાવી દારૂ પીનારને દંડ ફટકારવાનો આગવો પ્રયાસ હાથ ધર્યો છે ત્યારે ખારા ગામે દારૂ પીનારને નહીં પરંતુ તેના જામીન કરાવનારને રૂ. ૫હજારનો દંડ ફટકારવાનો નિયમ બનાવ્યો છે. અને ગામને દારૂથી મુક્ત બનાવવા હાથ ધરેલા અભિયાન અંતગર્ત દંડમાં આવનારી રકમ હરસિદ્ધ માતાના મંદિર માટે ખર્ચાશે.મહેસાણા તાલુકાના ખારા ગામને દારૂના દૂષણથી મુક્ત કરવા ખારા ગામના સરપંચ મોહનજી કુબેરજી દરબાર સહિત ગામના આગેવાનોએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં દારૂના ગુનામાં પોલીસના હાથમાં આવનાર વ્યક્તિના જે જામીન કરાવે તેને રૂ. ૫હજારનો દંડ ફટકારાય છે. ગ્રામજનોના મત મુજબ દારૂનું સેવન કરનાર વ્યક્તિના જામીન ન કરાવવામાં આવે તો તેને વધુ સમય જેલમાં રહેવાનો વારો આવતો હોઈ તે દારૂના દુષણથી મુક્ત થઈ શકે છે.દારૂડીયાઓના જામીન કરાવનારને દંડ કરવામાં આવતી રકમ ગામના હરસિદ્ધ માતાના મંદિરમાં ખર્ચ કરવામાં આવે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં જામીનદારને પકડી લાવવા વાહન સહિતનો ખર્ચ પણ આ દંડની રકમમાંથી જ ભોગવવામાં આવે છે.


રશિયાની સેક્સી જાસૂસને પોર્ન ફિલ્મની ઓફર

રશિયાની સેક્સી જાસૂસ એન્ના કેમ્પમેનને દુનિયાના સૌથી મોટા પોર્ન ફિલ્મના પ્રોડક્શન હાઉસ તરફથી અશ્લીલ ફિલ્મમાં કામ કરવાની ઓફર કરવામાં આવી છે. હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટી માટે પોર્ન ફિલ્મ બનાવવાનો દાવો કરનાર અમેરિકાના એક પ્રોડક્શન હાઉસે આ માટે એન્નાનો સંપર્ક કર્યો છે.એન્નાના અમેરિકન વકીલને મોકલવામાં આવેલા એક પત્રમાં પ્રોડક્શન હાઉસના પ્રમુખે લખ્યું છે કે હું એન્ના સાથે એક ફિલ્મ બનાવવા માગું છું. એન્ના અત્યાર સુધીની સૌથી હોટ જાસૂસ છે. તેમજ તે મીડિયાની પણ ફેવરિટ બની ગઈ હતી.પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે એન્ના જાસૂસ તરીકે સફળ રહી નથી. પરંતુ અમને લાગે છે કે તે અમારી આગામી ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનેત્રી સાબિત થઈ શકશે.


બ્લેકબેરી અને આઇફોનથી પણ આગળ હવે સોનાના અને ક્રિસ્ટલ મોબાઇલ

બ્લેકબેરી, આઇફોનથી પણ આગળ લકઝુરિયસ મોબાઇલ ફોન બજારમાં આવી ગયા છે, અને તે ગ્રાહકોને લોભાવી રહ્યા છે. જી હા, હવે જમાનો ડિઝાઇનર મોબાઇલ ફોનનો છે જેમાં સોનાની કિનારીઓ અથવા તો સ્વારોસ્કીના ક્રિસ્ટલ જોડાયેલ હોય છે. કેટલાંક એવા મોબાઇલ પણ છે જેમાં નાના-નાના હીરાઓ પણ જડવામાં આવેલા હોય છે.દુનિયાની પ્રખ્યાત ડિઝાઇનર જોર્જિયો અરમાનીએ ડિઝાઇન કરેલ હેન્ડ સેટે 2007માં તો વિદેશી બજારમાં સારી એવી ધૂમ મચાવી હતી. ત્યારબાદ લુઇ વિંતો, મોઅટ હેનેસી વગેરે જેવી લકઝરી વસ્તુઓ બનાવતી નિર્માતાઓ હવે ભારતમાં ડિઝાઇનર ફોન લાવી રહ્યા છે. પ્રખ્યાત ડિઝાઇનર વર્સાચીએ ડિઝાઇન કરેલ હેન્ડસેટ ભારતમાં એલજી ઇન્ડિયા વેચી રહી છે અને તેની કિંમત રૂપિયા 2 લાખથી પણ વધુ છે. મોબાઇલ ફોન ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ લોકો માની રહ્યા છે કે ભારતમાં લકઝરી ફોનનું બજાર રૂપિયા સો કરોડથી પણ વધુ છે. આ લકઝરી ફોન ટેકનોલોજીની દ્રષ્ટિથી નવા નથી પરંતુ જોવામાં ખૂબસૂરત અને નવીન લાગે છે.ભારતમાં એલજી સિવાય સેમસંગે પણ એક આવો લકઝરી ફોન રજૂ કર્યો છે. જોર્જિયો અરમાનીએ ડિઝાઇન કરેલ આ ફોનની કિંમત અંદાજે રૂપિયા 40,000 છે. ભારતમાં લકઝરી હેન્ડસેટ ક્રિશ્ચિયન ડાયર અને ટૈગ હ્યૂરર જેવી કંપનીઓ પણ વેચી રહી છે.


મલાઈકા અરોરા આજે પણ એટલી જ સેક્સી

મલાઈકા અરોરા હંમેશા પોતાના દેખાવનું ઘણું જ ધ્યાન રાખે છે. મલાઈકા આ ઉંમરે પણ એકદમ સેક્સી દેખાઈ રહી છે. તેણે પોતાના વ્યક્તિગત જીવન અને પ્રોફેશનલ જીવન વચ્ચે સમતુલા જાળવી રાખી છે.મલાઈકા એકદમ શોર્ટ કપડાંમાં પણ સારી લાગે છે. મલાઈકા સારી ડાન્સર છે. છૈયા છૈયા ગીત હજી સુધી લોકોને યાદ છે. હવે, મલાઈકા પોતાના પતિની હોમ પ્રોડક્શન ફિલ્મ દેબાંગમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં મલાઈકાએ આઈટમ ડાન્સ કર્યો છે. માનવામાં આવે છે કે, આ આઈટમ ડાન્સ પણ છૈયા છૈયા જેટલો જ લોકપ્રિય થશે. દેબાંગમાં સલમાન ખાન અને શત્રુધ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહા કામ કરી રહ્યા છે.


નાંગલ ખેડી ગામના લોકોને કિશોરીઓની ચોરીનો ભય

પાણીપતના નાંગલ ખેડી ગામના લોકોને આજકાલ એવી ગેંગનો ભય સતાવી રહ્યો છે જે કિશોરીઓની ચોરી કરે છે. તેઓ એટલી હદે ભયભીત છેકે, પોલીસના ભરોસે રહ્યા વગર તેઓએ તેમની ખુદની ટીમ બનાવીને સંદિગ્ધો તથા ગામમાં આવનારા વાહનો પર નજર રાખી રહ્યા છે. કિશોરીઓની ચોરી કરતી ગેંગે અત્યારસુધીમાં ત્રણ કિશોરીઓનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ગ્રામજનોની સતર્કતાના કારણે તેઓ સફળ નથી થઇ શક્યા. આ તમામ કિશોરીઓ દસથી લઇને ચૌદ વર્ષની છે. આ શખ્સો સફેદ રંગની ઇન્ડિકા ગાડીમાં આવે છે જ્યારે બીજો શખ્સ બાઇક ઉપર નજર રાખે છે.ગામના સરપંચના કહેવા પ્રમાણે, તેઓ જાતે આ અંગે નજર રાખી રહ્યાં છે. જેમાં સંદિગ્ધો પર પણ નજર રાખવામાં આવી રહી છે. જોકે, પોલીસના કહેવા પ્રમાણે તેમને કોઇ ઔપચારિક ફરિયાદ નથી મળી. જો આવું બનશે તો તેઓ સાદા વેશમાં પોલીસને ફરજ પર મુકશે.


ન્યૂયોર્કમાં વંશીય ભેદભાવ રાખી ભારતીયની આંખો ફોડી નાખી

ન્યૂયોર્કમાં ભારતીયો સાથે વંશીય ભેદભાવ રાખી એક વ્યક્તિએ પોતાના રૂમમાં સાથે રહેતા એક ભારતીયની આંખો ફોડી નાખી હતી, તેમજ તેની હત્યા કરી નાખવાની ધમકી પણ આપી હતી. લેચમેન રામનરીને અહીંના એક એપોર્ટમેન્ટમાં રહીને પોતાના ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો. તેની સાથે રહેતા જેસન વોલેસે તેની આંખો ફોડી નાખી હતી. ‘ન્યૂયોર્ક પોસ્ટના’ જણાવ્યા પ્રમાણે વોલેસને પોતાના કર્યા પર કોઈ પસ્તાવો નથી. વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે વોલેસને ભારતીયોથી નફરત છે, તેમજ તે અવાર નવાર ભારતીયોને ધમકાવતો રહે છે.ભોગ બનનાર વ્યક્તિના વકીલે જણાવ્યું હતું કે, લેચમેન અને વોલેસ એક રૂમમાં રહેતા હતાં. તેમજ વોલેસ અવાર નવાર ગુસ્સે થઈ જતો હતો, તેમજ લેચમેનને અવાર નવાર ધમકી પણ આપતો હતો. ‘હું તારી હત્યા કરી નાખીશ’, ‘હું તારા હાડકા ભાંગી નાખીશ’, ‘હું ભારતીયોને ધિક્કારું છું’ એવું કહીને વોલેસ તેને અવાર નવાર ધમકાવતો હતો.નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં પણ સોમવારે રાત્રે વધુ એક ભારતીય પર હુમલો થયો હતો. મેલબોર્નમાં એક ભારતીયની મદદ કરી રહેલા 24 વર્ષીય ભરત થાપર પર છ યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.


બિહાર વિધાનસભામાં બીજા દિવસે પણ લોકશાહીના ચિર તાર-તાર

બિહાર વિધાનસભામાં સતત બીજા દિવસે પણ ગેરસંસદીય દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં બિહાર વિધાનસભાના સ્પીકર ઉદય નારાયણ ચૌધરી દ્વારા વિપક્ષના સોળ ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે બરખાસ્ત કરવામાં આવ્યા છે. હાલ વિધાનસભાને બપોરે અઢી વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવી છે. આજે વિધાનસભાના સ્પીકર પર વિધાનસભ્ય દ્વારા સ્લીપર ફેકવામાં આવ્યું હતું. આ પહેલા કર્ણાટક વિધાનસભાના ધારાસભ્યોની જેમ બિહાર વિધાનસભાના વિપક્ષના લગભગ એંસી જેટલા ધારાસભ્યોએ વિધાનભવનમાં જ રાત વિતાવી હતી. તેમણે નીતિશ કુમાર ચોર હોવાના નારા લગાવ્યા હતા.સ્પીકર દ્વારા જે વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં રાજ્ય આરજેડીના અધ્યક્ષ અબ્દુલ બરી સિદ્દકી અને ગૃહમાં રાજદના ઉપાધ્યક્ષ શકીલ અહેમદ ખાનનો પણ સમાવેશ થાય છે. આરજેડીના દસ, સીપીઆઇ-એમ, સીપીઆઇએમએલના બે અને લોજપના બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ થયા છે. આ તમામ ધારાસભ્યોને માર્શલ દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસની ધારાસભ્ય કુમારી જ્યોતિ દ્વારા બિહાર વિધાનસભાની બહાર કૂંડાઓ તોડ્યા હતા. ઉલ્લેખનીય છેકે, કેગ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં રૂપિયા 11,442 કરોડના કૌભાંડની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. જેની પટના હાઇકોર્ટે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાના આદેશ આપ્યા છે.


કોલ ગર્લ સાથે રંગરેલિયા મનાવતા ટીમના વીડિયોગ્રાફર!

ભારતીય હોકી અને વિવાદ એકબીજાનો સાથ છોડતું નથી. મંગળવારે ભારતીય હોકીમાં ફરી ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહિલા ટીમની એક ખેલાડીએ કોચિંગ સ્ટાફ પર યૌન ઉત્પીડનનો આરોપ મુક્યો છે. આ મહિલા ખેલાડીએ હોકી ઇન્ડિયાને એક પત્ર પણ મોકલ્યો છે. જેમાં કોચિંગ સ્ટાફની કરતૂતોની સાથે ટીમના વીડિયોગ્રાફરની વેશ્યાઓ સાથે રંગરેલિયા મનાવતી તસવીરો પણ મોકલી છેઆ મહિલા ખેલાડીનો આરોપ છે કે વીડિયોગ્રાફર બસવરાજ વિદેશ પ્રવાસ દરમિયાન હોટેલમાં કોલ ગર્લ્સને બોલવતો હતો. તેણે વીડિયોગ્રાફરની કોલ ગર્લ્સ સાથે અંતરંગ પળોની પાંચ તસવીરો પણ મોકલાવી છે. જે એ વાતની મજબૂત પુરાવો છે કે આ અધિકારી રાષ્ટ્રીય ટીમના પ્રવાસ દરમિયાન કેવી રીતે રંગરેલિયા મનાવવામાં વ્યસ્ત હતો.આ આખો મામલો સામે આવતા હોકી ઇન્ડિયાએ એક તપાસ સમિતિની રચના કરી છે. જે ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે. બીજી તરફ ટીમના વીડિયોગ્રાફર બસવરાજને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.


ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોના થીબા આજથી ટીવી પરદે

ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોના થીબા પ્રથમવાર ટીવી પરદે આગમન કરી રહી છે. ઇ-ટીવીના એક અલગ જ ગેઇમ શો ‘સવાલ એક લાખનો’માં મોના થીબા હોસ્ટ તરીકેની ભૂમિકા ભજવશે.હિન્દી ટીવી સિરિયલની જેમ કૌન બનેગા કરોડપતિને મળેલી ભવ્ય સફળતા બાદ ઇ-ટીવી ગુજરાતી આ પ્રકારની થીમ સાથે બુધવારથી ‘સવાલ એક લાખનો’ ગેઇમ શો શરૂ કરી રહી છે. આ કાર્યક્રમ બુધવાર અને ગુરુવારે રાત્રે ૯.૩૦ કલાકે આવશે. ગુજરાતી ફિલ્મની અભિનેત્રીનું પ્રથમવાર નાના પરદા પર આગમન થશે.મોના થીબાએ જણાવ્યું હતું. અમિતાભ અને શાહરૂખખાન જેવા સુપરસ્ટાર પણ હોલિવૂડમાં છવાઇ ગયા છે. ત્યારે મને પણ આ રસપ્રદ અને રોમાંચભર્યો કાર્યક્રમનું એન્કરિંગ કરવાનો મોકો મળ્યો છે. આ કાર્યક્રમાં હું હોસ્ટ કરીશ.


મુંબઈના પ્રોજેક્ટો માટે વિદેશી બેંકો પાસેથી ૨૦ હજાર કરોડની લોન

જુદા જુદા પ્રોજેક્ટો માટે વર્લ્ડ બેંક અને જાપાનીઝ બેંક ઓફ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન પાસે ધા નાખવાનો એમએમઆરડીનો વિચાર આવતા પાંચ વર્ષમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ઓથોરિટીના વિસ્તારોમાં વિવિધ વિકાસાત્મક પ્રકલ્પો હાથ ધરાતા હોઈને તે માટે ઓથોરિટી વર્લ્ડ બેંક અને જાપાનીઝ બેંક ઓફ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન (જેબીઆઈસી) પાસેથી લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાની લોન લેશે. વર્લ્ડ બેંકના સિનિયર અધિકારી હાલમાં મુંબઈ નાગરી પરિવહન પ્રકલ્પનું નિરીક્ષણ કરવા મુંબઈની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન જ એમએમઆરડીએના સિનિયર અધિકારીઓની આ મામલે તેમની સાથે ચર્ચા થઈ હતી.એમએમઆરડીએ તરફથી મેટ્રોપોલિટન ઓથોરિટીનાં ક્ષેત્રોમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી મોટા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. એમાં ખાસ તો મોનો અને મેટ્રો રેલવે જેવા વિશાળ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ સિવાય ટ્રાફિક સંબંધે પણ અનેક પ્રોજેક્ટો હાથ ધરાયા છે. આ માટે વર્લ્ડ બેંક પાસેથી ૧૦ હજાર કરોડ તેમ જ જેબીઆઈસી પાસેથી પણ ૧૦ હજાર કરોડ રૂપિયાનું ધિરાણ લેવાનો ઓથોરિટીનો વિચાર હોવાનું જાણવા મળ્યું હતું.ઓથોરિટી કોલાબા- બાંદરા મેટ્રો માર્ગ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. તેને માટે પણ ત્રણ હજાર કરોડ રૂપિયાનું ધિરાણ લેવાનો પણ વિચાર કરે છે. સાથે જ આવતા પાંચ વર્ષમાં મોનો અને મેટ્રો રેલવેનું નેટવર્ક તૈયાર કરવામાં આવશે. તેને માટે ઓથોરિટી વર્લ્ડ બેંક અને જાપાનીઝ બેંક ઓફ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન પાસેથી મોટા પ્રમાણમાં લોન લેવાનો વિચાર કરે છે. વર્લ્ડ બેંક પાસેથી સાતથી આઠ ટકાના વ્યાજ દરે ધિરાણ મળવાની ધારણા છે તો જેબીઆઈસી પાસેથી ફક્ત દોઢથી બેટકાના વ્યાજ દરે લોન મળે છે. આ મામલે સંબંધિત અધિકારીઓ સાથે એમએમઆરડીએના અધિકારીઓએ ચર્ચા કરી હતી. જેબીઆઈસી બેંક તરફથી આપવામાં આવતું ધિરાણ દોઢથી બે ટકાના વ્યાજ દરે મળે છે.ખાસ બાબત એવી છે કે જે પ્રોજેક્ટ માટે આ લોન લેવામાં આવે છે તે પ્રોજેક્ટમાં જાપાનીઝ ટેકનિક-ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો આ જ લોન ફક્ત એક ટકાના વ્યાજ દરે મળી શકે છે. દેવાની પરતચુકવણી કરવા માટે ૩૦થી ૪૦ વર્ષનો સમયગાળો મળી શકે છે.


મુંબઈ : નાળામાં પડેલું દફ્તર કાઢવા જતાં બે ભાઈઓના મોત

મુંબઈમાં છેલ્લા બે દિવસમાં પાણીમાં ડૂબી જવાને કારણે કુલ પાંચ યુવકોનાં કરુણ મૃત્યુ થયાં હતાં ત્યારે મંગળવારે બપોરે ઔરંગાબાદ વિસ્તારમાં સગીર વયના બે ભાઈઓનાં નાળામાં પડી જવાથી ગૂંગળાવાને કારણે મોત થયાં હતાં. બંનેના મૃતદેહો પોલીસને હાથ લાગ્યા હતા. આ પ્રકરણમાં જવાહરનગર પોલીસે અકસ્માતથી મૃત્યુ થયાની નોંધ કરી હતી.જવાહરનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર શહાનુરમિયાં દરગાહ નજીક આવેલી મહાપાલિકાની શાળામાં ભણતા શેખ ફઈદ શેખ શાકીર (ઉ. વ. ૮) અને શેખ દારોશા શેખ શાકીર (ઉ. વ. ૬) બંને શાળામાંથી છુટયા બાદ ભંગુરનગર સ્થિત આવેલા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં આવતા એક નાળામાં તેમનું દફ્તર પડી ગયું હતું.દફ્તર કાઢવા માટે બંને નાળામાં ઊતર્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. આ બંનેના મૃતદેહોને બહાર કાઢીને પોલીસે ઘાટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. બાદમાં તે કુટુંબીઓમાં સોંપવામાં આવ્યા હતાં. આ દુર્ઘટનાને કારણે શાકીર કુટુંબ ભારે આઘાતની લાગણી ફેલાઈ હતી, જ્યારે વિસ્તારમાં સોપો પડી ગયો હતો.


ખંભાતના ૧૩ ગામમાં વીજ તંત્રના દરોડા

ખંભાત તાલુકામાં નદીકાંઠા વિસ્તારના શિકોતર ફીડરના ૧૩ જેટલા ગામમાં મંગળવારેવહેલી સવારથી જ મધ્ય ગુજરાત વીજ કું.- વડોદરા વિજિલન્સ વિભાગ નવ જેટલી ટીમનો કાફલો પાંચ પોલીસની ટીમ સાથે ત્રાટકી હતી. ગ્રામ્ય વિસ્તારમાં સવારના ૭.૩૦ કલાકથી જ એકાએક વીજ તંત્રે દરોડા પાણી વીજ જોડાણ ચકાસણી કામગીરી આરંભતા ગ્રામ્ય પ્રજામાં ભારે ફફડાટની લાગણી મચી હતી. આ દરોડામાં કુલ આઠ જેટલા ગેરકાયદેસર જોડાણ ટીમે ઝડપી પાડી લિવિંગ પ્રક્રિયા હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ખંભાતના ખટનાલ ૧૧ કેવી(શિકોતર ફીડર)ની વીજ લાઇન ઉપર આવતાં ઉંદેલ, કલમસર, જીતપુરા, ખટનાલ, રાલજ, જહાંગીરપુરા, વાસણા સહિતના ૧૩ જેટલા ગામમાં એમજીવીસીએલની નવ જેટલી ટીમે સવારથી જ દરોડા પાડતાં ભારે અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. ખંભાતના રૂરલ વિસ્તારોમાં વીજ ટ્રીપીંગના વધતા જતાં બનાવો પછી વીજ વિભાગના દરોડાથી ગ્રામજનો પણ ચોંકી ઉઠયા હતા. આ અંગે ખંભાત રૂરલ વિભાગના ઈજનેર દરજીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે વીજીલન્સના દરોડા દરમિયાન ઉંદેલમાંથી-૧, કલમસરમાંથી-૨, વત્રા-૧, જીતપુરામાં-૨ મળી આઠ જેટલા ગેરકાયદેસર જોડાણો ઝડપી પાડવામાં આવ્યા છે.


ફિણાવ ગામમાં ટૂંકાગાળામાં બીજી વખત ઝાડા-ઉલટીનાં ૪૩ કેસ

દુષિત પાણીના પગલે ૨૦ દિ’માં બીજીવાર રોગચાળાનું ભૂત ધૂણતાં ગ્રામજનોમાં ફફડાટ : ગંભીર સ્થિતિ ધરાવતાં દર્દીઓને ખંભાતની સરકારી તેમ જ તારાપુરની શહાદત હોસ્પિટલમાં ખસેડાયાં : ગામમાં આરોગ્યની બે ટીમના ધામા.ખંભાતના ફિણાવ ગામમાં ઝાડા-ઉલટીના ૪૩ જેટલા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠયું છે. ર૦ દિવસના ટૂંકાગાળામાં બીજી વખત રોગચાળાએ માથુ ઉચકર્યું હોઈ ફિણાવ ગામમાં ઘેર-ઘેર ખાટલાની સ્થિતિ સર્જાઈ છે. તેમાંય કેટલાક ગંભીર સ્થિતિમાં સપડાયેલા દર્દીઓને ખંભાતની સરકારી હોસ્પિટલ તેમ જ તારાપુરની શહાદત અને જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.ફિણાવ ગામમાં ટૂંકાગાળામાં બીજી વખત ઝાડા-ઉલટીની બિમારીએ માથું ઉચકર્યું હોઈ ગ્રામજનોમાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે રોષ ભભૂકી ઉઠયો છે. હાલ ગામમાં ગંભીર સ્થિતિમાં સપડાયેલા દર્દીઓને નાછુટકે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા છે. જેમાં વાઘેલા સવિતાબેન છોટાભાઈ (ઉ.વ.૪પ), વાઘેલા ખોડાભાઇ શનાભાઈ (ઉ.વ.પ૦), તળપદા શનાભાઈ રામાભાઈ (ઉ.વ.પ૧), ઈશ્નાવ મણીબેન લાલજીભાઇ (ઉ.વ.રપ), તળપદા વિમલાબેન અરવિંદભાઇ (ઉ.વ.૨૩),ને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયાં છે.તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઝાડા-ઉલટીના રોગચાળામાં સપડાયેલા દર્દીઓના સેમ્પલ વધુ તપાસ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલી અપાયા છે. બિમારીમાં સપડાયેલા કિરીટભાઇ વાઘેલા, અરવિંદભાઈ તળપદા, મંજુલાબેન વાઘેલા, ગોવિંદભાઇ વાઘેલાને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ખંભાતના બામણવા સામુહિક કેન્દ્રમાં ડો. મહીડા અને તારાપુરમાં ડો. બઈઝની ટીમ હાલ કાર્યરત છે. આ અંગે ગામના આશાભાઈ ટેલરે જણાવ્યું હતું કે, પંથકમાં દુષિત પાણીને કારણે વારંવાર બિમારી માથું ઉચકે છે છતાં તંત્ર દ્વારા નક્કરકામગીરી હાથ ધરાતી નથી. ગામમાં બાળકોને સૌથી વધુ અસર થઈ હોઈ તેની શિક્ષણકાર્ય ઉપર પણ અસર પડી રહી છે.જહાજ ગામમાં હાલ ગામમાં બનાવવામાં આવેલા બોરકૂવામાં જ ગ્રામજનોને પાણી આપવામાં આવે છે. ડો. મનીષભાઈએ જણાવ્યું હતું કે, પાણીમાં ર૬૦૦થી વધુ ટીડીએસની માત્રા હોઈ તે સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક ગણાય છે. ફિણાવ ગ્રામજનોને કનેવાલ જૂથ યોજનાનું પાણી મળતું નથી. જો તેના સપ્લાય શરૂ કરાય તો ગુણવત્તાયુકત પાણી મળી શકે તેમ છે.


પાક. દ્વારા ફરી સીઝ ફાયરનો ભંગ

જમ્મુ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ભારતીય સીમા સુરક્ષા બળના જવાનો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાનને ઇજા પહોંચી છે.જમ્મુના અખનૂર બેલ્ટ વિસ્તારમાં છાવણી અને જોબવાલ બોર્ડર આઉટ પોસ્ટમાં પાકિસ્તાની સેના દ્વારા બીએસએફના જવાનો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક જવાનને ઇજા પહોંચી છે. ગત મોડી રાત્રે પણ પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો હતો. જેથી કરીને આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરીને સરળ બનાવી શકાય. જોકે, તેમના આ પ્રયાસને ભારતીય સુરક્ષાબળના જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, જુલાઇ માસ દરમિયાન પાકિસ્તાની જવાનોએ નવ વખત સીઝ ફાયરનો ભંગ કર્યો છે.આ ભંગ લાઇન ઓફ કંટ્રોલ તથા ઇન્ટરનેશનલ બોર્ડર પર કરવામાં આવ્યો હતો. બીજી તરફ હરકત ઉલ મુજાહિદ્દિનના એક કમાન્ડર સહિત બે આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઢાળી દીધા હતા. તે ફેબ્રુઆરી માસમાં શ્રીનગરના લાલ ચોકમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલો હતો.


‘અમેરિકા લાદેન પાકિસ્તાનમાં હોવાના પુરાવા આપે’

પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાનીએ અલકાયદાના નેતા ઓસામા બિન લાદેન તેમજ મુલ્લા ઉમર પોતાના દેશમાં છૂપાયાની વાતનો ઈનકાર કર્યો હતો.નોંધનીય છે કે એક દિવસ પહેલા અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી લાદેન અને ઉમર પાકિસ્તાનમાં જ હોવાની વાત કહી હતી.ગિલાનીએ જણાવ્યું હતું કે જે કોઈ એવું વિચારે છે કે લાદેન પાકિસ્તાનમાં છે, એમણે આ અંગેના પુરાવા આપવા જોઈએ. ગિલાનીએ કહ્યું હતું કે લાદેન પાકિસ્તાનમાં નથી, તેમજ હિલેરીની પાકિસ્તાન યાત્રા દરમિયાન અલ-કાયદાના પ્રમુખ અંગે કોઈ વાતચીત કરવામાં આવી ન હતી.મેરિકાના વિદેશ મંત્રી હિલેરીએ પાકિસ્તાનની યાત્રા દરમિયાન જણાવ્યું હતું કે, લાદેન પાકિસ્તાનમાં જ છૂપાયો છે, તેમજ પાકિસ્તાન સરકાર અથવા તેના કોઈ અધિકારીને લાદન અંગે પુરી જાણકારી છે.


ભારત-પાકિસ્તાન વચ્ચે મુખ્ય મુદ્દો કાશ્મીરઃ યૂસુફ રઝા ગિલાની

પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાનીએ મંગળવારે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુખ્ય મુદ્દો છે, તેમજ નવી દિલ્હીએ બંને દેશ વચ્ચેની વાર્તા પ્રકિયામાં વધુ ગંભીરતા દેખાડવી જોઈએ.ઓલ પાકિસ્તાન ન્યૂઝ એજન્સીઝ કાઉન્સિલના પ્રતિનિધિમંડળ સાથે વાચતીત કરતા ગિલાનીએ જણાવ્યું હતું કે, ‘ભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુખ્ય મુદ્દો છે. તેમજ પાકિસ્તાને દરેક વિદેશી સ્તરની વાતચીત વખતે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે’.ગિલાનીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતે દ્વિપક્ષીય વાર્તા પ્રક્રિયામાં વધુ ગંભીરતા બતાવવી જોઈએ. પાકિસ્તાન વાતચીતની પ્રક્રિયાને વધુ આગળ લઈ જવા માગે છે.ગિલાનીના જણાવ્યા પ્રમાણે તેમણે એપ્રિલમાં ભૂતાન ખાતે તેમના ભારતીય સમકક્ષને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની વર્તમાન સરકારને બધાજ રાજકીય પક્ષો અને સંસ્થાઓનું સમર્થન છે. એટલા માટે ભારત સાથે લાંબા સમયથી પડતર મુદ્દાઓ પર ચર્ચા કરવાનો આ યોગ્ય સમય છે.


બેન્કોમાંથી એન. આર. આઇ. ની થાપણો યુ. એસ. તરફ

યુએસએમાં મંદી દૂર થતાં બિનનિવાસી ગુજરાતીઓએ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ડિપોઝિટ મૂકવાનું ઓછું કરી દીધું છે, જ્યારે કેટલાક લોકોએ યુએસએમાં મિલકતો મંદીમાં સસ્તી થતાં તે ખરીદવા માટે નાણાં ઉપાડી લીધાં છે. આ કારણથી ગયા વર્ષે ગુજરાતની બેન્કો એનઆરઆઇ ડિપોઝિટથી છલકાતી હતી તે પ્રમાણમાં ચાલુ વર્ષે આ ડિપોઝિટનો રેશિયો નીચો આવ્યો છે.લેહમેન બ્રધર્સ ડૂબ્યા બાદ અમેરિકામાં બેન્કો કાચી પડતાં બિનનિવાસી ગુજરાતીઓએ ફટાફટ નાણાં ઉપાડીને ભારતીય બેન્કોમાં અને ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં મૂકવાના શરૂ કરી દીધાં હતાં. આ કારણથી ૨૦૦૮-’૦૯માં એનઆરઆઇ ડિપોઝિટમાં ૮.૭૪ ટકાનો વધારો થયો હતો અને કુલ ડિપોઝિટના ૧૧.૦૭ ટકા એનઆરઆઇ ડિપોઝિટ ગુજરાતની બેન્કોમાં હતી.જો કે ૨૦૦૯-’૧૦માં એનઆરઆઇ ડિપોઝિટમાં વધારો માત્ર ૪.૪૩ ટકા જ થયો છે અને રાજ્યની કુલ ડિપોઝિટના દસ ટકા પણ એનઆરઆઇ ડિપોઝિટ રહી નથી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર પી. નંદકુમારનનું કહેવું છે કે, ‘અર્થતંત્ર સુધરતા અને સ્ટોકમાર્કેટ સુધરતાં બેન્ક ડિપોઝિટની જગ્યાએ અન્ય સ્ત્રોતમાં પણ રોકાણમાં વધારો થયો છે. આ ઉપરાંત રિઝર્વ બેન્કના નિયમ મુજબ લીબોર રેટ (લંડન ઇન્ટરબેન્ક ઓફર્ડ રેટ) થી ઓછું વ્યાજ એન. આર. આઇ ડિપોઝિટને આપવામાં આવે છે તેના કારણે વળતર ઘટતાં પણ ડિપોઝિટમાં ઘટાડો થયો છે.’


ડાયમંડનગરના કામદારોની હડતાળ, ૧૫૦૦ યુનિટ ઠપ

વીવર્સ દ્વારા ફરી કામ પર ચઢવા સમજાવાયા, પોલીસ બંદોબસ્ત સાથે બુધવારે યુનિટ શરૂ કરવાનું આયોજન.કામરેજ પાસેના લસકાણામાં ડાયમંડ નગરના સોમવારે થયેલા ધીંગાણા બાદ પોલીસે ૨૦૦ ઓરિસાવાસી કારીગરોની અટકાયત કરી હતી. આ કારીગરોને મુક્ત કરવાની માગણી સાથે મંગળવારે ૧૫૦૦ જેટલા પાવરલૂમ્સ યુનિટ બંધ રાખવામાં આવ્યા હતા. જો તેમની વાત નહીં માનવામાં આવે તો હડતાળ લંબાઇ શકે છે.બીજી તરફ, વીવર્સ દ્વારા હડતાળ પર ઉતરેલા કામદારોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો અને બુધવારથી લૂમ્સ શરૂ થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર લસકાણા ડાયમંડનગર ખાતેનાં પાવરલૂમ્સ યુનિટના કારીગરો અને ભરવાડ રિક્ષાચાલકો વચ્ચે સોમવારના રોજ થયેલા ઘર્ષણ બાદ મંગળવારે દિવસભર અજંપાભરી શાંતિ જોવા મળી હતી. કારીગરોએ પોલીસને પણ નિશાન બનાવતાં પોલીસ દ્વારા ગોળીબાર કરીને ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સ્થિતિ થાળે પડી હતી.પોલીસે તોફાને ચડેલાં કામદારોનાં ટોળામાંથી ૨૦૦ જેટલા તોફાનીઓને ઝડપી લઇ કામરેજ પોલીસના હવાલે કરતાં બાકીના કારીગરો વિફર્યો છે. જે કારીગરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમને તાકીદે મુક્ત કરવામાં આવે એવી માગણી સાથે સોમવારથી ડાયમંડ નગરના કારીગરોએ હડતાળનું એલાન આપ્યું છે.


બાપુનગર સાફ, રસ્તા જામ

તાપી કિનારેથી ૨૮૦૦ ઝૂંપડા હટાવાતા કોઝવેથી પાલ સુધીનો ૮૦ ફૂટનો લિંક રોડ ખુલ્લો થયો.તાપી નદીના કિનારે આવેલી ૪૦ વર્ષ જુની બાપુનગર વસાહતનાં ૨૮૦૦ પાકાં ઝૂંપડાંનું મંગળવારે પાલિકાએ માત્ર ૪ કલાકની કાર્યવાહીમાં ડિમોલશિન કર્યું છે. આ સાથે જ તાપી કિનારાની તમામ ઝૂંપડાં વસાહતોનાં ૯૬૦૦ કુટુંબોની કાયમી આવાસોમાં સ્થળાંતરની ચાર મહિનાથી ચાલતી પ્રક્રિયાનો અંત આવ્યો છે. તદઉપરાંત શહેરમાં ‘ઝીરો સ્લમ’ની વાખ્યા પણ આ સાથે પૂર્ણ થઈ છે.મંગળવારે સવારે આઠ વાગ્યાથી શહેર પોલીસના ૩૦૦ના સશસ્ત્ર કાફલાની મદદથી પાલિકાના ૫૦૦ના સ્ટાફે ૬ પોકલેન મશીન, ૨ ચેનલ ડોઝર તથા ૧૬ બુલડોઝરની ધબધબાટીથી બાપુનગરની શરૂ કરેલી ડિમોલશિનની કાર્યવાહી માત્ર ચાર કલાકમાં પૂર્ણ થઈ ગઈ હતી. સશસ્ત્ર પોલીસ કાફલાની મદદથી ત્રણ માળ સુધીનાં પાકાં મકાનો, દુકાનો તોડી પાડવામાં આવી હતી. ચાર ધાર્મિક સ્થાનકોને અગાઉની જેમ ડિમોલશિનની કાર્યવાહીથી દૂર રખાયાં હતાં.શહેરની સૌથી જુની બાપુનગર વસાહત દૂર થતાં આ વસાહતોનો શહેરનો ઈતિહાસ હવે ભૂતકાળ બની ગયો છે. પાલિકા કમિશનર કુ. એસ. અપર્ણાએ આ અંગે જણાવ્યું હતું કે, ઝીરો સ્લમની વ્યાખ્યા હેઠળ શહેરના રાંદેર, અડાજણ, કતારગામ ઝોનમાંથી ઝૂંપડાંનાં દબાણો દૂર કરી કુલ ૩,૩૭,૫૦૦ સ્કવેર મીટર જમીન ખુલ્લી કરાઈ છે. તે પૈકી નદી કિનારા પરની ૨, ૪૯, ૯૦૦ સ્કવેર મીટર જમીનો ખુલ્લી કરાઈ છે.


* શનિ-મંગળની યુતિથી આપત્તિઓ વધશે, શેરબજાર અને સોના-ચાંદીમાં તડાફડી થશે

આજથી મંગળ બુધનાં ઘરની કન્યા રાશિમાં પ્રવેશ થયો છે અને આ સાથે કન્યા રાશિમાં રહેલા શનિ સાથે મંગળની યુતિ થતાં આ બે એકબીજાના શત્રુ ગણાતા અને તોફાની ગ્રહો આ રીતે આ એક સાથે રહેવાથી તા.૫ સપ્ટેમ્બર સુધીમાં કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ વધશે, પૂર અલ્પવર્ષા તેમજ ભૂકંપ જેવી હોનારતો વધે તેવું જયોતિષશાસ્ત્ર માને છે.કન્યા રાશિમાં આજથી શનિ અને મંગળની યુતિ થતા તેની વ્યાપક અસરથી સમગ્ર વિશ્વમાં તોફાની ઘટનાઓ વધશે તેમ જયોતિષી જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું. આ ૨૦ જુલાઈથી પાંચમી સપ્ટેમ્બર દરમિયાન ભાગદોડ, નાસભાગ, લાઠીચાર્જ, આંદોલનો,હવાઈ અને રેલ્વે અકસ્માતો તેમજ છથી વધુ તીવ્રતાના ભૂકંપ આવે તેવી શક્યતા છે તો ચોમાસામાં આ બે ગ્રહોના અશુભ યોગથી ક્યાંક ઘરો પાડી તેવી અતિવૃષ્ટિ થાય તો ક્યાંક સાવ દુકાળ રહે તેવા સંયોગ છે.આ ઉપરાંત સોના-ચાંદી અને શેરબજારમાં પણ ભારે પરિવર્તનો આવતા રહેશે.જયોતિષી નયનભાઈ પંડયાના જણાવ્યા મુજબ મંગળવારે વહેલી સવારે ૬.૩૪ કલાકે મંગળ બુધના ઘરની કન્યા રાશિમાં પ્રવેશ કયોઁ છે. આ સાથે કન્યા રાશિમાં રહેલા શનિ સાથે યુતિ થતા સમગ્ર વાતાાવરણમાં પલટો જોવા મળશે. શનિ-મંગળનો આ પરિવર્તન યોગ દરેક ક્ષેત્રે જોવા મળશે. વાતાવરણમાં અણધાર્યો પલટો, કુદરતી આપત્તિઓ અને અકસ્માત જેવી ઘટનાઓ જોવા મળશે. જે જાતકની કુંડળીમાં શનિ-મંગળ-યુતિ, પ્રતિયુતિ અથવા દ્રષ્ટિસંબંધ હોય તેવા જાતકોએ આ સમયે વિશેષ કાળજી રાખવી. આ દરમિયાન સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં થઈ રહેલું ભ્રમણ અને મીન રાશિમાં રહેલો ગોચરનો ગુરૂ થોડી પરિસ્થિતિ સભાળી જાય, જેના કારણે રાહત રહેશે. રાશિચક્રની મેષ, કર્ક અને ધન રાશિ માટે આ સમય ઉત્તમ રહેશે. બાકીની રાશિવાળા માટે આ સમય મધ્યમ રહેશે. ધંધા-વેપારની દ્રષ્ટીએ જોઈએ તો હોટલ, રીયલ એસ્ટેટ અને ટ્રાન્સપોર્ટના ધંધાવાળા માટે આ સમય પ્રગતિકારક રહેશે.

No comments:

Post a Comment