28 August 2010

આજી ડેમમાં દોઢ ફૂટ નવાં નીરની આવક

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


આજી ડેમમાં દોઢ ફૂટ નવાં નીરની આવક

રાજકોટવાસીઓ ખુશ થઇ જાય એવા સમાચાર છે. આજી ડેમ ઉપરવાસના વિસ્તારમાં આજે મોડી રાત્રી સુધીમાં અઢી ઇંચ વરસાદ પડતાં જ ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હતી. સાંજે ૨૩ ફૂટની સપાટી હતી તે રાત્રીના સાડા ચોવીસ ફૂટ પર પહોંચી ગઇ હતી હજુ પણ વરસાદી વાતાવરણ તેમજ ઉપરવાસ વરસાદના કારણે પાણીની ધીમી આવક ચાલુ હોય સવાર સુધીમાં સપાટી ૨૫ ફૂટ પર પહોંચવાની શક્યતા નકારાતી નથી હાલમાં સપાટી સાડા ચોવીસ ફૂટ પર પહોંચી ગઇ હોય ૨૯ ફૂટની સપાટી ધરાવતા આજીને હવે છલકાવા આડે સાડા ચાર ફૂટનું છેટું રહી ગયું છે.શહેરીજનોના પ્રિય એવા આજી ડેમમાં આજે સાંજે થયેલી મેઘમહેરને કારણે ૫૭ એમસીએફટી જેટલું નવું પાણી આવ્યું છે. જ્યારે ઉપલબ્ધ પાણીનો કુલ જથ્થો ૬૦૮ એમસીએફટી થતાં ચોમાસુ પૂર્ણ થતાં પૂર્વેજ રાજકોટની જળ સમસ્યા હલ થઇ ગઇ છે તો ભાદર ડેમની સપાટી પણ ૩૧ ફૂટે પહોંચી હોવાના અહેવાલ છે. આમ સતત પાણી વિતરણની સમસ્યાથી પીડાતા રાજકોટવાસીઓ માટે એક વર્ષ સુધી પાણીની હાડમારી દૂર થઇ ગઇ છે.શુક્રવારે રાત્રે પણ ડેમમાં પાણીની ધીમી આવક ચાલુ હતી. હવે ડેમના સ્ત્રાવ વિસ્તારમાં એક કે બે વખત ભારે વરસાદ આવે તો આ વર્ષે ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે.


જોહરીનો આરોપ: CBI દબાણ કરી રહી છે

જોહરીએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિંહને હટાવવાની માગણી કરી, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એક નવો વળાંક આવ્યો છે, આઈપીએસ ઓફિસર ગીથા જોહરીએ આ કેસની તપાસ કરી રહેલ સીબીઆઈ પર ગંભીર આરોપ મુક્યો છે.
ગીથા જોહરીએ જણાવ્યું છે કે સીબીઆઈ સોહરાબુદ્દીન કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને ફસાવવા માટે દબાણ કરી રહી છે. જોહરીએ આ અંગ સુપ્રિમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે. આ અરજીમાં જોહરીએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિંહને હટાવવાની માગણી કરી છે.સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં જોહરીએ વધુમાં જણાવ્યું છે કે સીબીઆઈ તેના પર સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓના નામ સામેલ કરવાનું દબાણ કરી રહી છે.ભાજપના નેતા અમિત શાહ પહેલાથી જ જેલમાં છે. જોહરીએ માંગ કરી છે કે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિહને હટાવવામાં આવે અને તેને ગવાહ બનાવવામાં આવે. જોહરીએ એ પણ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈએ તેની ખાનગી સહાયકને પણ ઘમકાવી છે.


વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ફાઉન્ડેશન બોર્ડના સભ્ય પદે મુકેશ

ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ)ના ફાઉન્ડેશન બોર્ડમાં જોડાયા હતા. આ વિશ્વના વ્યવસાયિક અગ્રણીઓનું સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય જુથ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન તથા ડિરેક્ટર સ્વીત્ઝરલેન્ડ સ્થિત સંસ્થામાં જોડાશે તેમ એક નિવેદનમાં જણાવાયું છે.ફાઉન્ડેશન બોર્ડમાં જોડાનાર અન્ય હસ્તીઓમાં ફ્રેન્ચ ટેલિકોમ કંપની અલકેટેલ-લ્યુસેન્ટના સીઈઓ જે વરવાયેન અને ઈન્ટરનેશનલ મનીટરી ફંડ (આઈએમએફ)ના ખાસ સલાહકાર ઝૂમીનનો સમાવેશ થાય છે.અંબાણીના ફાઉન્ડેશન બોર્ડમાં સમાવેશ અંગે ડબલ્યુઈએફના સ્થાપક અને એકઝિકયુટિવ ચેરમેન કલાઉસ શેવાબે કહ્યું હતું કે, મુકેશ અંબાણી વ્યવસાયિક કુશાગ્રતાનું અસાધારણ સ્તર અને ફોરમના આદશોg પ્રતિ કટબિધ્ધતા પૂરી પાડશે. તેમણે ભારતમાં સંસ્થાની પ્રવૃત્તિના સંકલનમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે.


હપ્તેથી સોનું ખરીદો

તહેવારોની સીઝન જેમ-જેમ નજીક આવી રહી છે, સોના-ચાંદીના ભાવ વધવા લાગ્યા છે. એવામાં જ્વેલરી બનાવનાર કંપનીઓ અને જ્વલર્સોને ગ્રાહકોની અછત સતાવવા લાગી છે. આથી અત્યારથી જ જ્વેલર્સ ગ્રાહકો માટે ઘણી ઓફરો લાવવાની તૈયારીમાં છે. તેમાંથી એક છે હપ્તાથી જ્વેલરી ખરીદવાની સુવિધા. આ સિવાય તનિષ્ક, ઓરા, ગીતાંજલિ જેવી મોટી જ્વેલરી કંપનીઓ તહેવારો દરમ્યાન મેકિંગ ચાર્જ પર છૂટ, ખાસ લાઇટ જ્વેલરી અને 20 થી 25 ટકા ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરવા જઇ રહી છે.કેટલાંક જ્વેલર્સે તો તહેવારો માટે ઓફર પણ શરૂ કરી દીધી છે. મુંબઇના મીનાવાલ જ્વેલર્સના પ્રવક્તાએ કહ્યું કે ગ્રાહક રૂ.5000ના સરળ હપ્તા પર 12 મહિનામાં ઘરેણાંના નાણાં ચૂકવી શકે છે. તેમણે કહ્યું કે સીધી ખરીદી કરનારને ઘરેણાં પર 20 ટકા છૂટ પણ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ સુવિધા મુંબઇ, દિલ્હી અને બેંગલુરૂના સ્ટોરમાં ઉપલબ્ધ છે. મુંબઇના ઝવેરી બજારમાં કેટલાંય જ્વેલર્સ પણ તહેવારોમાં આ પ્રકારની ઓફર રજૂ કરવા જઇ રહ્યા છે.પ્રકાશ જ્વેલર્સ એન્ડ સન્સના પ્રકાશ જૈનના મતે ગણતી, નવરાત્રિ, દશેરા, ધનતેરસ અને દિવાળીમાં ગ્રાહક 12 મહિનાના સરળ હપ્તા પર ઘરેણાં ખરીદી શકશે. તેમણે કહ્યું કે 20 થી 30 ટકા છૂટની સાથે મેકિંગ ચાર્જ ઓછો કરવા પણ વિચાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવેલ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટ પ્રમાણે સોનાની ખપત સૌથી વધુ ભારતમાં છે. રિપોર્ટના મતે જાન્યુઆરી થી જૂન સુધીમાં દેશમાં 45,700 કરોડ રૂપિયાના સોનાના ઘરેણાંની ખરીદી કરવામાં આવી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 67 ટકા વધુ છે.


સાપુતારાને 'ટુરિઝમ હબ' તરીકે વિક્સાવાશે

ગુજરાત સરકર રાજ્યના હિલ સ્ટેશન સાપુતારાને 'ટુરિઝમ હબ' તરીકે વિક્સિત કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. સાપુતારાના વિકાસ માટેનો માસ્ટર પ્લાન ધી રિસર્ચ એન્ડ ડિઝાઇન સેલ ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સુરતે તૈયાર કરી દીધો છે. તેઓ પ્રથમ તબક્કાનું આયોજન તો કરી ચૂક્યા છે. રાજ્ય સરકાર પ્રથમ તબક્કાના આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 150 કરોડનું રોકાણ કરશે. ગુજરાતના દક્ષિણે ડાંગ જિલ્લામાં 1000 મીટરની ઊંચાઇએ સાપુતારા હિલ સ્ટેશન આવેલ છે. જેને રાજ્ય સરકાર 'ગ્રેટ ટુરિઝમ' તરીકે વિક્સિત કરવા માંગે છે. જંગલોથી ઘેરાયેલ આ હિલ સ્ટેશન પર પશુપંખી અને ફળફૂલો ખૂબ જોવા મળે છે. રાજ્ય સરકારના આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરાશ. જેમ કે ટાઉન સેન્ટર, સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, ગવર્નર્સ હિલ અને તળાવનો વિકાસ કરાશે. નવા ટુરિસ્ટ સ્પોટ્સનો પણ વિકાસ કરાશે. આ પ્રોજેક્ટના ભાગ રૂપે નવા તળાવો, આદિવાસીઓના અનુભવો, વાઇલ્ડલાઇફ સેન્ટર, અલગ-અલગ પાર્ક (એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, થીમ પાર્ક), મીની ગોલ્ફ કોર્સ, હોટેલ, રિસોર્ટ્સ, શોપિગ અને એન્ટરટેઇનમેન્ટ કોમ્પલેક્સ, ફૂ઼ડ કોર્ટ એન્ડ રેસ્ટોરાં, અલગ-અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ (સ્પોર્ટ્સ અને એડવન્ચર, આર્ટ્સ અને ક્રાફ્ટ) વગેરે ઉભા કરાશે.
માસ્ટર પ્લાન્ટના વિકાસ અંતર્ગત 12 હોટેલ અને ત્રણ રિસોર્ટ્સ ઉભી કરાશે. ટુરિઝમ ડેસ્ટીનેશનનો વિકાસ ઇકોલોજીકલ અને કલ્ચરલ આધારિત કરવાનો હેતુ છે તેમ એસઇસીટીના વાઇસ પ્રિન્સિપાલે કહ્યું હતું.


સમન્સ મળશે પછી જવાબ આપીશ : જોહરી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ તરફથી બીજી મુદ્દતનો સમન્સ મળ્યો નથી, જે મળ્યા પછી જવાબ આપવા માટે હાજર રહીશ, એમ રાજકોટના પોલીસ કમિશનર ગીથા જોહરીએ જણાવ્યું હતું. બુધવાર ૧૮ તારીખ સુધીમાં જોહરી સીબીઆઇ સમક્ષ હાજર થશે તેવી ધારણાઓ હતી.ગુરુવારે તેમનો ટેલિફોનિક સંપર્ક કરાતાં જોહરીએ પોતાને સીબીઆઈ તરફથી નવી મુદતનો સમન્સ મળ્યાનો ઇનકાર કર્યો હતો. સીબીઆઇ તેમની અગાઉ પૂછપરછ કરી ચૂકી છે. જે સવાલ પુછાયા હતા તેના જવાબ દઈ દીધા છે. સીબીઆઇને વિશેષ તપાસની જરૂર જણાઈ હશે.સમન્સ મળ્યે હાજર રહીશ એમ તેમણે કહ્યું હતું. તબીબે તેમને એક સપ્તાહ સુધી સંપૂર્ણ આરામની સલાહ આપી છે. આથી તેમણે સીબીઆઇના અધિકારી કંડા સ્વામીને ટેલિફોનથી જાણ કર્યાનું જાણવા મળ્યું હતું.


જોહરી લાંબી રજા પર જતાં અનેક અટકળો

રાજકોટ પોલીસ કમિશનર ગીથા જોહરી માંદગીનું કારણ આપી લાંબી રજા પર ઉતરી ગયાં છે. બુધવારે તેઓ સીબીઆઇ સમક્ષ હાજર થવાનાં હતાં. તેમની સાથે ઓ.પી. માથુરની પણ પૂછપરછ થવાની હતી, પરંતુ ગીથા જોહરી લાંબી રજા પર ઉતરી જવાને કારણે ઓ.પી. માથુરને પણ વધુ એક વખત મુદત મળી ગઈ છે.બીજી બાજુ સીબીઆઇ ગીથા જોહરી, ઓ.પી. માથુર અને પ્રશાંતચંદ્ર પાંડેને નવેસરથી સમન્સ આપી બોલાવે તેવી સંભાવના છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના ચેરમેન નિવૃત્ત આઇપીએસ ઓ.પી. માથુરની પૂછપરછમાં ઓ.પી. માથુરે ગીથા જોહરી પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. ગીથા જોહરી લાંબી રજા પર ઉતરી જતાં તેઓ સીબીઆઇ સમક્ષ હાજર નહીં થાય તેવું સીબીઆઇના અધિકારીઓ માની રહ્યા છે.જો ગીથા જોહરી નહીં આવે તો ઓ.પી. માથુરને પણ વધુ એક વખત મુદત મળી જશે. સીબીઆઇનાં સૂત્રોના જણાવ્યા અનુસાર નિવૃત્ત ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડે પણ આગામી ૧૯મીએ આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે. સીબીઆઇ આ ઉચ્ચ આઇપીએસ અધિકારીઓને નવેસરથી સમન્સ આપી પૂછપરછ માટે બોલાવે તેવી સંભાવના છે.ગયા અઠવાડિયે જ તેઓ વિદેશ પ્રવાસેથી આવ્યા બાદ સ્વાતંત્રયદિનની ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત થઈ ગયાં હતાં. આજ સુધી રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં હાજર ગીથા જોહરી અચાનક રજા પર ઉતરી જવાને કારણે મામલો વધુ પેચીદો બની ગયો છે.


માથુર, જોહરી બુધવારે CBI સમક્ષ હાજર થશે

રક્ષાશક્તિ યુનિવર્સિટીના ચેરમેન નિવૃત્ત આઇપીએસ ઓ.પી. માથુર અને રાજકોટ પોલીસ કમિશનર ગીથા જોહરી સહિત નિવૃત્ત ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડેની પૂછપરછ આગામી બે દિવસમાં શરૂ થી જશે. ગીથા જોહરી અને ઓ.પી. માથુર બુધવારે ૧૮મી ઓગસ્ટ અને પ્રશાંતચંદ્ર પાંડે ૧૯મી ઓગસ્ટના રોજ સીબીઆઇ સમક્ષ હાજર થાય તેવી સંભાવના છે.આ અઠવાડિયામાં ત્રણ ઉચ્ચ આઇપીએસ અધિકારીઓની પૂછપરછ થવાની હોવાથી અઠવાડિયાથી શાંત થઈ ગયેલા વાતાવરણમાં ફરી ગરમાવો આવશે.
સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં ગઈ ૭, ૮ ઓગસ્ટના રોજ પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની પૂછપરછ થયા બાદ રાજકોટ પોલીસ કમિશનર ગીથા જોહરી અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના ચેરમેન ઓ.પી. માથુરની ગઈ ૧૦મી ઓગસ્ટે સંયુક્ત પૂછપરછ થવાની હતી, પરંતુ રાજ્યકક્ષાની સ્વાતંત્રય દિનની ઉજવણી રાજકોટમાં થવાની હોવાથી ગીથા જોહરીએ ૧૫મી સ્વાતંત્રયદિનની ઉજવણી બાદ સીબીઆઇ સમક્ષ હાજર થશે તેવો સમય માગ્યો હતો.ગીથા જોહરીએ મુદત માગી હોવાથી ઓ.પી.માથુરને પણ અઠવાડિયાની મુદત મળી ગઈ હતી. બે દિવસ પછી બુધવારે ૧૮મી ઓગસ્ટે માથુર અને ગીથા જોહરી સીબીઆઇ સમક્ષ હાજર થશે તો તેમની પૂછપરછ કરવામાં આવશે.તેવી જ રીતે ગુજરાતના તત્કાલીન પોલીસવડા અને પોલીસ આવાસ નિગમના ચેરમેન પ્રશાંતચંદ્ર પાંડેને સીબીઆઇએ ગઈ ૧૧મી ઓગસ્ટે સીબીઆઇ સમક્ષ હાજર થવા સમન્સ આપ્યું હતું. તેઓ પણ કામમાં રોકાયેલા હોવાથી મુદત માગી હતી. હવે પ્રશાંતચંદ્ર પાંડે ૧૯મી ઓગસ્ટે શુક્રવારે સીબીઆઇ સમક્ષ હાજર થાય તેવી સંભાવના છે.આવતી કાલે મંગળવારે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. છેલ્લા એક અઠવાડિયાથી શાંત થયેલા સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર મામલામાં આગામી બુધવારથી ફરીથી ગરમાવો આવવાની શક્યતા છે.


અધિકારીઓ પકડાતાં શાહ, કટારિયાની મિટિંગ થઇ હતી

ત્રણ આઈપીએસ અધિકારીની ધરપકડ પછી અને ચાર્જશીટ સમયે રાજસ્થાનથી કોણ આવ્યું હતું તે અંગે તપાસ. સર્કિટહાઉસના ચેક ઈન રજિસ્ટરની કોપી સીબીઆઈએ મેળવી. ૨૪મી એપ્રિલ ૨૦૦૭ના રોજ ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન અને ઉદેપુરના તત્કાલીન એસ. પી. દિનેશ એમ. એન.ની ધરપકડ બાદ રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા અને રાજસ્થાનના તત્કાલીન ડીજીપી ગીલ ગાંધીનગર દોડી આવ્યા હતા.તેમણે ૨૫-૨૬એપ્રિલના રોજ અમિત શાહ અને પોલીસવડા પી.સી. પાંડે સાથે ગાંધીનગર સર્કિટહાઉસમાં બંધ બારણે એક મિટિંગ કરી હતી. તે મિટિંગના પુરાવા એકત્ર કરવા માટે સીબીઆઈએ શુક્રવારે ગાંધીનગર અને અમદાવાદના સર્કિટ હાઉસના મેનેજરો અને કર્મચારીઓની પૂછપરછ કરી તેમના નિવેદનો લીધા હતા.એટલું જ નહીં પરંતુ તે પછી સીઆઈડી ક્રાઈમે સોહરાબુદ્દીનકેસમાં ચાર્જશીટ રજૂ કરી ત્યાં સુધી રાજસ્થાનથી આ કેસ બાબતે કોણ કોણ આવ્યું હતું તે જાણવા માટે સર્કિટના તે ચેક ઈન રજિસ્ટરની કોપીઓ પણ મેળવી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.સીબીઆઈનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ રાજસ્થાનના ગૃહસચિવ પાસે તે સમયે ગાંધીનગર દોડી આવેલા રાજકારણીઓ અને અધિકારીઓના નામની યાદી અને તે પ્રવાસની પાછળ થયેલા ખર્ચની વિગતો પણ માગી હતી.


વિદેશથી આવતા ફંડ પર વધુ અંકુશ

આંતરિક સુરક્ષાના બદલાયેલા માહોલ અને બીજી તરફ દેશમાં જંગી માત્રામાં વિદેશોમાંથી આવી રહેલાં નાણાંના પ્રવાહના નિયમન માટે સંસદે શુક્રવારે નવા કાયદાને મંજુરી આપી દીધી છે. વિદેશમાંથી ભેટ તરીકે, ફંડ તરીકે કે અન્ય કોઈ સ્વરૂપે ભારતમાં કોઈ વ્યક્તિના નામે કે સામાજિક સંગઠનના નામે આવતા નાણાંની હવે આ નવા કાયદા હેઠળ આકરી ચકાસણી થશે.
આ બિલ પછી હવે દર પાંચ વર્ષે એનજીઓએ તેનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવાનું રહેશે જેથી નિષ્ક્રિય સંસ્થા(એનજીઓ)ની બાદબાકી થઈ શકશે. સંસદમાં શુક્રવારે ફોરેન કોન્ટ્રીબ્યુશન(રેગ્યુલેશન) બિલ ૨૦૧૦ ને મંજુરી આપી દેવાઈ હતી.


પીએસઆઇની પિસ્તોલે જમાદારની હથેળી વીંધી

સબ ઇન્સપેક્ટર વાઘેલાથી ટ્રીગર દબાઈ ગયું, ઇજાગ્રસ્ત એએસઆઇ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ.મહિધરપુરા પોલીસ મથકમાં શુક્રવારે સાંજે સાડા ચાર વાગ્યે પોલીસ સબ ઇન્સપેક્ટર હસમુખ વાઘેલા પોતાની સરકારી પિસ્તોલ સાફ કરી રહ્યા હતા ત્યારે શરતચૂકથી એક ગોળી છુટી ગઈ હતી. જે ત્યાં હાજર એએસઆઈના જમણા હાથની હથેળીમાંથી આરપાર નીકળી ગઈ હતી. ઇજાગ્રસ્ત એએસઆઇ અશોક દેવરામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોસઈ એચ.જી વાઘેલાની સરકારી પિસ્તોલ બપોરે વરસાદમાં પલળી ગઈ હતી. જેથી સાંજે સાડા ચાર વાગ્યે તે મહિધરપુરા પોલીસ મથકના ઇન્વેસ્ટિગેશન રૂમમાં પોતાની પિસ્તોલ સાફ કરી રહ્યા હતા. આ વખતે ભૂલથી પિસ્તોલનું ટ્રીગર દબાઈ જતાં પિસ્તોલમાંથી સનનન કરતી ગોળી છુટી હતી. જે ત્યાં હાજર એએસઆઈ અશોક દેવરામ તિલેકરના જમણા હાથની હથેળીમાંથી આરપાર નીકળી ગઈ હતી.આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો મહિધરપુરા પોલીસ મથક પર પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત એએસઆઇને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. ગોળી હાથમાં વાગી હોવાના કારણે એએસઆઈની સ્થિતિ સારી રહી હતી.


મુંબઇ એરપોર્ટ પર વિમાનનું ટાયર ફાટવાથી અફડાતફડી

મુંબઇથી ચેન્નઇ તરફ જનારા વિમાનના ટેક ઓફ દરમિયાન ટાયર ફાટી જવાથી 40 થી 50 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. જેટ એરવેઝનું વિમાન 9w2302 ટેક ઓફ દરમિયાન દુર્ઘટના ગ્રસ્ત થઇ ગયું હતું. વિમાનમાં આશરે 140 મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતા. વિમાન દુર્ઘટનામાં કેટલાય પ્રવાસીઓને ઇજા થઇ હતી. ડીજીસીએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ યાત્રીઓ સુરક્ષિત છે.વિમાન દુર્ઘટનાની થોડીક જ ક્ષણોમાં મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટનામાં ઘાયલ લોકોને નાનાવટી અને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વિમાનના યાત્રીઓએ જણાવ્યું કે વિમાને ટેક ઓફ કર્યા બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે વિમાનનું ટાયર ફાટી ગયું છે અને તેમાં આગ લાગી ગઇ છે. ત્યારબાદ વિમાનનું પાછું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને મુસાફરોને સુરક્ષિત બહાર નિકાળવામાં આવ્યાં હતા.વિમાનની બહાર નિકળતી વખતે અફડા તફડીમાં મુસાફરોને ઇજા થઇ હતી. 12 ડોક્ટરોની ટીમે એરપોર્ટ પર જ સામાન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર આપી હતી. ડીજીસીએ દ્વારા વિમાન દુર્ઘટના અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.


તૂર્કીમાં ભેખડો ધસી પડતાં ૧૧નાં મોત

તૂર્કીના કાળા સમુદ્ર નજીક ગુંડોગુ પ્રાંતમાં આવેલા ભારે વરસાદના કારણે શુક્રવારે ઠેરઠેર પૂર અને ભેખડ ધસી પડતાં મકાનો અને ઈમારતો ધરાશાયી થયાં હતાં. વરસાદી દુર્ઘટનામાંઓમાં કુલ ૧૧ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.


કેટરિનાને 'ખાન' તરફથી મળી સ્પેશલ ટ્રીટ

ફરાહ ખાન બોલિવૂડમાં તેનાં દોસ્તાના સ્વભાવને કારણે ઘણી જ પ્રિય છે. એટલે જ કદાચ બોલિવૂડમાં તેનાં મિત્રોની લિસ્ટ ઘણી જ લાંબી છે.થોડા સમય પહેલાં ફરાહ ખાને કેટરિનાને વચન આપ્યું હતું કે જો તે સારો ડાન્સ કરશે તો તે તેને ટ્રીટ આપશે. તો ગત દિવસોમાં ફરાહ ખાને તેનું વચન પાળતાં કેટરિનાને સ્પેશલ ટ્રીટ આપી હતી.ફરાહે આ વિશે જણાવ્યું હતું કે, કેટરિનાએ સૈલા કી જવાની ગીત પર ઘણો જ સુંદર ડાન્સ કર્યો છે. કેટરિનાની ઈચ્છા સ્પેશલ ફૂડ સિનાબૂન ખાવાની હતી. જે ફરાહે ત્રણ ડઝન સિનાબૂન મંગાવી તેની ઈચ્છા પુરી કરી હતી. આ પાર્ટીમાં અક્ષય કુમાર અને વિશાલ શેખરે પણ હાજરી આપી હતી.કેટરિનાએ જણાવ્યું હતું કે તેને સિનાબૂન ખુબજ પસંદ છે પણ તે ખાધા બાદ મારે વર્કઆઉટ કરવું પડશે કારણકે આમાં સૌથી વધુ ફેટ હોય છે.


મોબાઇલ પર જાણો અનાજના ભાવ

જો તમારી પાસે એરટેલનું કનેક્શન છે તો તમારા માટે સારા સમાચાર છે. જો કે ભારતની સૌથી મોટી જીએસએમ મોબાઇલ ઓપરેટર કંપની, એરટેલે પોતાના ગ્રાહકોને એક ખાસ સર્વિસ આપવાની જાહેરાત કરી છે.'ઓવીઆઇ ટુલ' નામની આ સર્વિસ આપવા માટે એરટેલે મોબાઇલ હેન્ડસેટ બનાવનાર ફિનલેન્ડની જાણીતી કંપની નોકિયા સાથે હાથ મિલાવ્યા છે. આ સર્વિસ દ્વારા તમને દાળ, ચોખા, ઘઉંની કિંમતોથી લઇને એજ્યુકેશન અને હેલ્થની ટિપ્સની સાથો સાથ મોનરંજન સાથે જોડાયેલ તમામ જાણકારીઓ પણ અપાશે.જો કે એરટેલના ગ્રાહકોએ આ ખાસ સર્વિસ અલગથી એક્ટિવેટ કરાવવું પડશે. અને ઓવીઆઇની એક સર્વિસ માટે દર મહિને રૂ.10 ચૂકવવા પડશે. કંપનીને આશા છે કે આ નવી સર્વિસ લોકોને ઘણી પસંદ આવશે. આ પહેલાં નોકિયાએ લોકો સુધી 'ઓવીઆઇ ટૂલ સર્વિસ' પહોંચાડવા માટે રિલાયન્સ કંપની સાથે પણ કરાર કરી ચૂકી છે.


તો આવો મિજાજ છે આપણાં 'ચુલબુલે' ખાનનો

સલમાનની ફિલ્મ 'વીર'નો જોરે શોરે પ્રચાર થયો હતો પણ તે બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. જેથી પ્રોડ્યુસરને થયેલાં નુક્સાનની ભરપાઈ પેટે સલમાન ખાને ના ફક્ત તેની ફીમાં ઘટાડો કર્યો હતો પણ તે સાથે તેણે પ્રોડ્યુસર ગલાની માટે વધુ એક ફિલ્મમાં કામ કરવાનું વચન પણ આપ્યું હતું.આવું તેણે એટલે કહ્યું હતું કારણકે તે સમયે ગલાનીએ ફિલ્મમાં તેને ખાસુ નુક્સાન થયાની વાતો કરી હતી. પણ હવે સલમાનને જાણ થઈ છે કે ઈરોસ ઈન્ટરનેશનલ દ્વરા ફંડ મેળવેલ આ ફિલ્મમાં ગલાનીને નુક્શાન નહી પણ ફાયદો થયો છે. તો તેણે કોઈપણ ચર્ચા વગર ગલાનીને 15 કરોડની રકમની માંગણી કરતી કાયદાકીય નોટિસ પાઠવી દીધી છે.આ નોટિસની એક કોપી તેણે ઈરોસ ઈન્ટરનેશનલને પણ પાઠવી છે. જો કે સુત્રોનાં જણાવ્યાં અનુસાર ઈરોસે આવા કોઈ જ વિવાદમાં ન પડતા સલમાનને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધુ છે કે, તેમણે ગલાનીનાં સાથે ફિલ્મ વિરનાં ફાયદામાં ભાગ આપવાની ડીલ કરી હતી. તેનો અર્થ થાય છે કે ગલાનીને એક નિશ્ચિત રકમ અને વીરનાં ફાયદાનો અડધો ભાગ આપવામાં આવશે. આ ત્યારે જ બનત જ્યારે 'વીર' બોક્સ ઓફિસ પર સફળ થઈ હોત.ખરેખરમાં ફિલ્મ 'વીર'નાં નિષ્ફળ જતા ગલાનીએ જાહેર કર્યુ હતું કે તેને આર્થિક રીતે ઘણું જ નુક્સાન થયુ છે. તેથી જ દિલદાર સલમાને તેનાં નુક્સાનને ઓછુ કરવા તેની ફીમાં ઘટાડો કર્યો હતો. પણ આ સારી ભાવનાં લાંબો સમય સુધી ટકી નહતી કારણકે ગલાનીએ તેની સાથે ગેમ રમી હોવાનું સલમાનને લાગ્યું હતું અને તેણે તેની ફીની પુરે પુરી રકમ વસુલવાની નોટીસ પાઠવી દીધી છે.સુત્રોનાં જણાવ્યાં અનુસાર ગલાનીએ વચ્ચે જાહેર કર્યુ હતું કે તેણે ફિલ્મ 'વીર'થી દસ કરોડનો ફાયદો થયો છે. એ પણ ત્યારે જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર કાંઈ ઉકાળી શકી નથી. તો આટલી બાબત સલમાનને ગુસ્સે કરવાં ઓછી નથી. અને તેથી જ તેણે ગલાનીને નોટિસ પાઠવી દીધી હતી.


કેટરિનાની નજર તો દીપિકાનાં મિત્રો પર છે

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કેફ આજકાલ સલમાન સાથેનાં બ્રેક અપ બાદ એકલી પડી ગઈ છે. તેથી જ કદાચ તે આ દુઃખમાંથી બહાર આવવાં કોઈ મજબુત વ્યક્તિની શોધમાં છે. તેથી જ લાગે છે કેટરિનાની નજર તેની સ્પર્ધક દીપિકાનાં મિત્રો પર છે.પહેલાં દીપિકાનાં એક્સ બોયક્રેન્ડ રણબિર કપૂર સાતએ તેની મિત્રતા વધારી અને હવે તે દીપિકાનાં ખાસ મિત્રો સાથે નિકટતા વધારી રહી છે. હાલમાં સમાચાર છે કે આજકાલ કેટરિના વેક અપ સિડનાં નિર્દેશક અયાન મુખર્જી સાથે મિત્રતા વધારી રહી છે. કેટને આજકાલ અયાન સાથે ઘણી જ જોવામાં આવે છે.થોડા સમય પહેલાં અયાનઅને દીપિકા સાથે જોવા મળતા હતાં પણ હવે કેટરિના તેની સાથે જોવા મળી રહી છે. કેટિના પણ અયાનનાં સાથથી ઘણી જ ખુશ છે. તે તેનાં સાથે લોન્ગ ડ્રાઈવ અને ડિનરની મજા લઈ રહી છે.ઉલ્લેખનીય છે કે દીપિકાનાં મિત્રોને આજકાલ કેટરિના તેનાં ખાસ મિત્રો બનાવવાં લાગી છે. ક્યાંય આ સ્ટાર વોરની શરૂઆત તો નથી ને!!


યુનિવર્સિટીના કુલસચિવને RITના ભંગ બદલ છઠ્ઠી વખત દંડ થયો

ગુજરાત યુનિવર્સિટીની રૂ.૧૦૦ કરોડની બેંક ડિપોઝિટો અંગેની વિગતો આપવામાં આનાકાની કરનાર કાર્યકારી કુલસચિવને રૂ.૨૫ હજારનો દંડ. યુનિ.ના કુલસચિવને RTIના ભંગ બદલ છઠ્ઠી વખત દંડ થયો. ગુજરાત યુનિવર્સિટીનીં રૂ.૧૦૦ કરોડની બેંક ડિપોઝીટની તબદિલી અંગે ગુજરાત તકેદારી આયોગે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ પાસે અહેવાલ માંગ્યો છે. બીજી તરફ આ અંગેની વિગતો આપવામાં આનાકાની કરનારા ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવને ગુજરાત ઇન્ફર્મેશન કમિશને રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.ગુજરાત યુનિવર્સિટીના આ અધિકારીને આ પ્રકારનો દંડ છઠ્ઠી વખત ફટકારવામાં આવ્યો છે. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે, હજુ સુધી તેમણે એક પણ વખત દંડની રકમ જમા કરાવી નથી. ગુજરાત યુનિવર્સિટીની ફિક્સ ડિપોઝિટો અંગેએસબીઆઈના ચીફ મેનેજર મનહરસિંહ ચુડાસમાએ તા.૨૩-૩-૦૭ના રોજ યુનિવર્સિટીને પત્ર લખીને એફડી પર ૧૧ ટકાના વ્યાજ દરની ઓફર કરી હતી. તેમ છતાં ગુજરાત યુનિવર્સિટીએ ભારતીય સ્ટેટ બેંકમાંથી અધવચ્ચેથી ડિપોઝીટ ઉપાડી લઇને અન્ય બેંકમાં ૧૦.૭૫ ટકાના વ્યાજથી મૂકી હતી.આમ કરવાથી ગુજરાત યુનિવર્સિટીને વ્યાજમાં ૦.૨૫ ટકાનું નુકસાન થયું હતું. એટલું જ નહીં પરંતુ અધવચ્ચેથી ડિપોઝીટ ઉપાડી લેવાના કારણે ૧ ટકા પેનલ્ટી કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પ્રદિપ પ્રજાપતિએ ગુજરાત યુનિવર્સિટીએ જુન ૨૦૦૬થી ૧૫ ફેબ્રુઆરી-૦૮ સુધીમાં કેટલી ડિપોઝીટો ભારતીય સ્ટેટ બેંક -યુનિવર્સિટી શાખામાંથી ઉપાડીને કેટલાં વ્યાજના દરથી અન્ય બેંકમાં જમા કરાવી તેમ જ પાકતી મુદત પહેલા આ ડિપોઝીટો ઉપાડી લેવાથી યુનિવર્સિટીને કેટલું નુકસાન થયું?વગેરે પ્રકારની માહિતી જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ ગુજરાત યુનિવર્સિટી પાસે ૧૬-૨-૦૮ના રોજ માંગી હતી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ બે વર્ષથી વધુ સમય બાદ એટલે કે તા.૧૬-૬-૧૦ના રોજ માહિતી પુરી પાડી હતી. તે પણ અપુરતી આપી હોવાથી ચીફ ઇન્ફર્મેશન કમિશનર આર.એન. દાસે તા. ૨૧મી ઓગસ્ટ ૨૦૧૦ના રોજ સમયમર્યાદામાં વિગતો પુરી પાડવામાં નિષ્ફળ જવા બદલ કાર્યકારી કુલસચિવને ૨૫ હજાર રૂપિયા દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. આ સાથે જ તેમણે દંડની રકમ બે હપ્તામાં કુલસચિવના પગારમાંથી વસૂલ કરવા નિર્દેશ આપ્યા હતા.


વડોદરામાં સ્કાયવોકનું લોકાર્પણ અને ગરીબ કલ્યાણ મેળો

વડોદરામાં શનિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળામાં ૫૨૩૯ લાભાર્થીઓને રૂ.૨૪.૬ કરોડની વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરાશે. મુખ્યમંત્રી મોદીના હસ્તે સ્ટેશન વિસ્તારમાં બનાવાયેલા સ્કાયવોક સહિત વિવિધ કામોનું લોકાર્પણ કરવાના કાર્યક્રમ પણ યોજાશે.આવતીકાલે શનિવારે સાંજે ૫.૩૦ કલાકે અકોટા સ્ટેડિયમ ખાતે શહેરના ગરીબોને સરકારની કલ્યાણ યોજનાઓના લાભો હાથોહાથ પહોંચાડવા માટેનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં સરકારની યોજનાઓમાંથી રૂ.૨૪.૬ કરોડના લાભોનું વિતરણ થશે.જેમાં યુ.સી.ડી. વિભાગના ૨૮૯, બી.એસ.પી.યુ. અંતર્ગત ૩૮૩, આઇસીડીએસ વિભાગના ૫૩૯, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત ૬૭, પ્રાંત વિભાગ અંતર્ગત ૨૪૦ તેમજ અન્ય વિભાગના મળી કુલ-૫૨૩૯ લાભાર્થીઓને રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે લાભો અપાશે.મુખ્યમંત્રી મોદીની મુલાકાત પ્રસંગે હરણી વિસ્તારમાં પાણીની નવી ઓવરહેડ ટાંકી બનાવવાના સ્થળે ખાતમુહૂર્ત, વિવિધ રસ્તાઓના કામોનો શુભારંભ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ કામોનું લોકાર્પણ પણ કરાશે.મુખ્યમંત્રી મોદીના કાર્યક્રમ દરમિયાન સ્ટેશન તરફનો રૂટ બંધ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરામાં સ્કાઇવોકના ઉદઘાટન કાર્યક્રમમાં તેમજ અકોટા ખાતે ગરીબ મેળાના કાર્યક્રમમાં આવવાના હોવાના કારણે ટ્રાફિક પોલીસે સલામતીના કારણોસર વૈકલ્પીક ડાયવર્ઝન આપ્યો છે.એ.સી.પી. એમ.જે.પંચોલીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાંજે ૫:૩૦ કલાકે સ્ટેશન આવશે એટલે આ સમયે કોઠી તેમજ જેલ રોડ તરફથી આવતો ટ્રાફિક સ્ટેશન તરફ નહી જઇ શકે અને આ ટ્રાફિક કાલાઘોડા ફતેગંજ સર્કલ તરફ જશે.આજ રીતે અલકાપુરી તરફથી સ્ટેશન આવતો ટ્રાફિક પ્રોડક્ટિવિટી નાકા થી કુંજ સોસાયટી થઇ ગેંડા સર્કલ તરફ જશે. રેલવે સ્ટેશનનાં મુસાફરો જે સિટીમાં જવા માંગે છે તેઓ આ માટે રેલવે આઉટ ગેટથી નટરાજ ટોકીઝ અને એસ.ટી. ડેપોના માર્ગે જશે. એસ.ટી. તરફથી આવતી બસો તેમજ અન્ય વાહનો રેલવે સ્ટેશન તરફ ન આવતાં પંડ્યાં હોટલ થઇ શાસ્ત્રી બ્રિજના નાકે જશે.પોલીસે સાંજના પાંચથી સાડા છના સમય વચ્ચે નીકળતાં મુસાફરોને તેઓના સ્થળ પર પહોંચવા માટે થોડા વહેલા નીકળવા માટેની વિનંતી કરી છે.


કુલદીપ શર્મા સામે સુરતમાં ગુનો નોંધવાની તૈયારી શરૂ

કુલદીપ શર્મા સામે કચ્છમાં થયેલા ૨૬ વર્ષ પહેલાના એન્કાઉન્ટરનો કેસ નબળો પડે તે પહેલાં સુરતમાં આસીફ અમદાવાદી એન્કાઉન્ટર કેસની ફાઇલ પરથી ધૂળ ખંખેરાઇ છે અને તેના જ એક ભાગરૂપે તે વખતે ડી.સી.બી.માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં અને હાલ સુરતમાં પીઆઇ રહેલાં ચાર અધિકારીઓની ગૂપચૂપ અને રાતોરાત અને તાત્કાલિક અસરથી સુરત બહાર અચાનક બદલી કરી દેવાઇ છે.જ્યારે સૂત્રોના જણાવ્યા મુજબ આસીફ અમદાવાદી એન્કાઉન્ટર કેસમાં પણ ગુનો નોંધવાની તૈયારી શરૂ કરી હોવાનું જણાવા મળ્યું છે અને તેના જ એકભાગ રૂપે આ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સુરતમાં ૧૯૯૯ના વર્ષમાં આસીફ અમદાવાદીનું એન્કાઉન્ટર કરાયું ત્યારે શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચમાં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવનારા અને હાલમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવનારા રાંદેરના ઇન્સપેક્ટર આર.એચ. હડિયા- જામનગર, ચોકબજારના જી.આર. પટેલની ભાવનગર, કાપોદ્રાના વી.બી. પટેલની જુનાગઢ અને સુરત રેન્જના આઇજીપીના રીડર તરીકે ફરજ બજાવતા આર.એલ. માવાણીની અમરેલી બદલી કરાઇ છે. જે તમામને તાત્કાલિક અસરથી છુટા કરવાની નોંધ પણ બદલીના હુકમમાં હોવાથી તમામને તાત્કાલિક અસરથી છુટા પણ કરી દેવાયા છે.૧૯૮૪ના વર્ષમાં જ્યારે કુલદીપ શર્મા કચ્છના ડીએસપી હતા ત્યારે તેમના કાર્યકાળમાં થયેલા એન્કાઉન્ટર સંદર્ભે ૨૬ વર્ષ બાદ ગુનો નોંધાયો હતો. આ ફરિયાદ રદ કરવા માટે કુલદીપ શર્માએ હાઇકોર્ટનું શરણું ગ્રહણ કર્યું છે. જેનો નિર્ણય આગામી ૩૧ઓગસ્ટના રોજ જાહેર થશે. કદાચ આ ફરિયાદ રદ થાય તો પણ કુલદીપ શર્મા સામે પગલાં લઈ શકાય તે વાતને ધ્યાને લઈ જ્યારે કુલદીપ શર્મા સુરતના પોલીસ કમિશનર હતા ત્યારે જે એન્કાઉન્ટર થયું તે આસીફ અમદાવાદી એન્કાઉન્ટરનું પોપડું ઉખેડાઈ રહ્યું છે.


માકેન્સરને ‘કેન્સલ’ કરી હવે પીડિતોની વહારે

‘કેન્સરની સારવાર કરાવતાં જીવનમાં દર્દ અને દુ:ખનો અહેસાસ થયો. હોસ્પિટલમાં મારી સરખામણીમાં અન્ય દર્દીઓની હાલત વધુ ગંભીર હતી. કેન્સર સામે લડી રહેલા વ્યક્તિઓ ખરા અર્થમાં લડવૈયા છે.’’ ભારે હૃદયે આ વાતને કહેનાર વડોદરાના ભદ્રેશ વોરા આ લડાઈને જીતી ચૂક્યા છે.પરંતુ આટેલેથી સંતોષ ન માનતા કેન્સરપીડિતો અને તેમના પરિવારોને આ પીડામાંથી થોડી રાહત કે મુક્તિ મળે તે માટે બીડુ ઝડપ્યુ છે અને કેન્સર પીડિતોની જરૂરિયાતો પૂર્ણ કરવા ‘કેન્સર હેલ્થ ડેસ્ક સોસાયટી’ શરૂ કરીને માધ્યમ બનવાનો નિશ્વય કર્યો છે.વડોદરામાં જીઇબી માટે કામ કરતાં ભદ્રેશભાઈ વોરાને ડિસેમ્બર ર૦૦૯માં જીભનું કેન્સર થયું હતું. કેન્સરગ્રસ્ત વ્યક્તિના જીવનમાં કેન્સર નામનો ભય એક અણ ઉચ્ચારેલ સત્ય છે. કેન્સરની પીડા અને દર્દમાં વીતાવેલી પળોનું શબ્દોમાં વર્ણન કરતાં ભદ્રેશ વોરા કહે છે કે કેન્સર થયું હોવાથી ડોક્ટરે મને જીભનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું ત્યારે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા મારા દીકરાની પરીક્ષા હતી.જેથી ઓપરેશન વિશે દીકરાને ખબર ન આપી. ઓપરેશન થઈ ગયા બાદ કરમસદ રેડીએશન માટે આવતાં હતા. એકવાર જીભમાંથી લોહી નીકળતાં હોસ્પિટલાઈઝ થવું પડ્યું હતું. કેન્સરગ્રસ્ત દર્દીઓની પીડાથી મારું હૃદય હચીમચી ઉઠયું હતું. ત્યારે મને કેન્સરગ્રસ્ત વ્યક્તિઓ માટે ક઼ઈક કરવાનો વિચાર આવ્યો. સારવાર બાદ મોઢાના કેન્સરથી હું તો ઉગરી ગયો એમ કહું કે નવજીવન મળ્યું તો પણ કંઈ ખોટું નથી.પરંતુ મેં નિશ્વય કર્યો કે કેન્સરપીડિત અને તેમના પરિવારોને મદદરૂપ થવું જોઈએ. કેન્સર લાંબી સારવાર માંગી લે છે. જેથી કેન્સરપીડિતોને શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક કોઈપણ પ્રકારની જરૂરિયાત પૂર્ણ કરવા માધ્યમ બનીશું. જેમાં કેન્સરના ઘણાં દર્દીઓ આર્થિક રીતે સક્ષમ હોય છે. પરંતુ માનસિક કે સામાજિક સહાયની જરૂર હોય છે. બીજી તરફ કેટલાંક દર્દીઓ કેન્સરની સારવાર માટે આર્થિક રીતે સક્ષમ નથી હોતા. પરંતુ કેન્સરપીડિતોને હિંમત અને પ્રોત્સાહન આપી શકે છે.


આમિર ખાન અજબ ટેવ ધરાવે છે

આમિર ખાને હાલમાં જ ખુલાસો કર્યો હતો કે, તેને ફિલ્મમાં તેનાં દ્વારા રોલમાં પહેરેલાં કોસ્ટ્યુમ્સ સંભાળી રાખવાની ટેવ છે. હાલમાં પણ તેની પાસે તેની બધી જ ફિલ્મોનાં કોસ્ટ્યૂમ્સ તેની પાસે સંભાળેલા છે.આમિરે આ વિશે જણાવ્યું હતું કે તેણે ફિલ્મ થ્રી ઈડિયટ્સમાં રેન્ચોનાં રોલમાં પહેરેલાં કોસ્ટ્યૂમ પણ તેની પાસે સંભાળેલાં છે. આવું તે હમેશાં કરે જ છે.જ્યારે આમિરને પુછવામાં આવ્યું કે તે આવું કેમ કરે છે તો તેણે જણાવ્યું હતું કે, આમ કરી તે ફિલ્મ સાથે સંક્ળાયેલી તેની યાદોને તેની પાસે રાખે છે. આમિરે આ વાત ફિલ્મ થ્રી ઈડિયટ્સની ડિવીડી લોન્ચ દરમિયાન કરી હતી. આ પ્રેસ્ કોન્ફરેન્સ મુંબઈમાં યોજાઈ હતી. આ સિવાય આમિરને પુછવામાં આવ્યું હતું કે તે મરાઠી ફિલ્મ પ્રોડ્યુસ કરવાની ઈચ્છા રાખે છે.જેનાં જવાબમાં તેણે જણાવ્યું હતું કે, ''હાં બિલકુલમ મને તેમ કરવામાં ખુશી થશે. મારા માટે ભાષાનો ક્યારેય બાધ નથી. અને જો સારી સ્ક્રિપ્ટ મળે તો હું જરૂરથી હું પ્રોડ્યુશ કરીશ.''

No comments:

Post a Comment