27 August 2010

ભારતે ચીન સાથે તમામ સંરક્ષણ આપલે રદ્દ કરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



ભારતે ચીન સાથે તમામ સંરક્ષણ આપલે રદ્દ કરી

ભારત અને ચીનના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ભારતે ચીન સાથે તમામ સંરક્ષણ સંબંધો તોડી નાખ્યા છે. ચીને ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફને ચીન યાત્રાની મંજૂરી આપી નથી. ત્યાર બાદ ભારતે આ પગલું લીધું છે. ચીન જમ્મુ-કાશ્મીરને વિવાદીત ક્ષેત્ર માને છે. ભારતીય સેનાના આ વરિષ્ઠ અધિકારીના તાબા હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર આવે છે અને ચીનના આ નિર્ણયનું કારણ પણ તે છે.મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી સંરક્ષણ સંબંધો હેઠળ દર વર્ષે ચીનની યાત્રા પર જાય છે. આ સંદર્ભે ઉત્તરીય કમાન્ડના ચીફ લેફ્ટિનન્ટ જનરલ બી. એસ. જસવાલને આ માસમાં ચીન જવાનું હતું. તેના માટે ભારતીય સેનાએ જૂનથી જ તૈયારીઓ આરંભી દીધી હતી. જો કે ચીનના આ પગલાંથી ભારત આચંબિત છે. ચીને જસવાલના નામ પર એમ કહીને વાંધો દર્શાવ્યો હતો કે જસવાલ જમ્મુ-કાશ્મીરના વિવાદીત ક્ષેત્રને ‘નિયંત્રિત’ કરે છે.ચીનના આ નિર્ણય પર ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના આ પગલાંનો જવાબ આપતાં ભારતે ચીની સેનાના બે અધિકારીઓને ભારત આવવાની પરવાનગી આપી નથી. ચીનના બંને અધિકારીઓ નેશનલ ડિફેન્સ કોલેજમાં ટ્રેનિંગ માટે આવવા માગતા હતા. આ સાથે ભારતે પોતાની સેનાના અધિકારીની ચીન યાત્રાને પણ રદ્દ કરી દીધી છે. ભારતે ચીનને આ નિર્ણયના કારણની જાણકારી પણ આપી છે કે જેથી આ મામલામાં કોઈ ભ્રમની સ્થિતિ ન રહે.


1962ના ભારત-ચીન યુદ્ધનો રિપોર્ટ જાહેર થશે નહીં

ભારત-ચીન વચ્ચે 1962માં થયેલા યુદ્ધના સરકારી રેકોર્ડ માહિતીના અધિકાર કે અન્ય કોઈ કાયદા હેઠળ સાર્વજનિક નહીં કરી શકાય. કારણ કે તેનાથી બંને દેશો વચ્ચે સીમા વિવાદ પર ચાલી રહેલી વાતચીતને અસર થઈ શકે છે.મુખ્ય માહિતી કમિશનર (સીઆઈસી) વજાહત હબીબુલ્લાએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ વર્ગીકૃત રિપોર્ટના કેટલાંક અંશો રાષ્ટ્રીય હિતમાં નથી. તેમાં ભારતીય સેનાના તત્કાલિન શીર્ષસ્થ અધિકારીઓની અક્ષમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરના મામલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે નૈયરે ભારત-ચીન યુદ્ધ દરમિયાન ભારતના તત્કાલિન વિદેશ મંત્રી સ્વર્ણ સિંહ અને પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલી વાતચીતની જાણકારી માંગી હતી. પરંતુ તેમના આગ્રહને નામંજૂર કરવામાં આવ્યો હતો. જો કે સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી છે. આ કમિટી અંતિમ નિર્ણય કરશે.હબીબુલ્લાએ કહ્યું હતું કે અમેરીકા અને બ્રિટનમાં કોઈ યુદ્ધના 20 વર્ષ બાદ તેની સાથે સંલગ્ન દસ્તાવેજોને વર્ગીકૃત શ્રેણીમાંથી હટાવાની જોગવાઈ છે. પરંતુ ભારતમાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ આમ કરી શકાય છે.


ભારત-ચીન વચ્ચેના તણાવનું પરિણામ યુદ્ધ હશે?

ચીન છેલ્લા કેટલાંક સમયથી ભારત પ્રત્યે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. તાજેતરમાં ચીને ચીને ભારતની સરહદ પર આધુનિક મિસાઈલ સીએસએસ-5 તેનાત કરી દીધી છે. આ સિવાય ઓછાં સમયમાં પોતાના એરબેઝ ભારતની સરહદ પર લઈ જવાની પણ તૈયારી કરી લીધી છે. તેની સામે ભારતે પણ પોતાની પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ અગ્નિ-2 અને પૃથ્વી-3ની તેનાતી માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલો છે.ત્યારે ભારત અને ચીન સરહદે તણાવ વધી રહ્યો હોવાના અમેરીકી સૈન્ય મુખ્યમથક પેન્ટાગોનના તાજેતરના અહેવાલો પણ ચીનની મનસા સંદર્ભે ભારતના મનમાં શંકા પ્રેરવા માટે પુરતાં છે. તેવા સંજોગોમાં ભારતે પૂર્વોત્તરની વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાના સામરીક અને લશ્કરી હિતો સાચવવા માટે પૂરતાં પગલાં ભરવા પડશે. ત્યારે ભારત અને ચીન સંબંધોને તાજેતરની કેટલીંક પરિસ્થિતિની પૃષ્ઠભૂમિમાં જોઈએ તો તેમાં દક્ષિણ એશિયામાં જૂનાં સામરીક સમીકરણો નવા સ્વરૂપે રચાતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે લોકાના મનમાં આશંકા ઉભી થવી સ્વાભાવિક છે કે 1962ની જેમ ચીન ફરીથી ભારતીય સરહદો પર કોઈ લશ્કરી છમકલું તો નહીં કરે ને?તાજેતરમાં ચીને ભારતને તિબેટના મુદ્દે સમજદારી પૂર્વક વર્તવાની સલાહ પણ આપી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ ચીન પોતના હિતોને સાચવવા માટે નિર્માણ કાર્યો કરી રહ્યું છે. તેની ક્ષેત્રમાં સક્રિયતા ભારત માટે પડકાર ઉભા કરી રહી છે અને તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.


ભારત ચીન સરહદે મિસાઈલ તેનાત કરવાની તૈયારીમાં?!

ભારત સાથેની ચીન સરહદે પીપલ્સ લિબરેશન આર્મીની હરકતોથી બચવા માટે ભારતે પણ કમર કસી લીધી છે. હવે ભારત ચીન સાથેની સરહદે પરમાણુ ક્ષમતાવાળી મિસાઈલો તેનાત કરવાનું વિચારી રહ્યું છે. સાથે ભારત ચીન સરહદ નજીકના વિસ્તારોમાં સારી સડક બનાવવા પર પણ ભાર મૂકી રહ્યું છે. ભારત ચીનની સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી રહ્યું છે. ભારત ચીનની ઉત્તર-પૂર્વીય સરહદો પર પરમાણુ હથિયારવાળી બેલેસ્ટિક મિસાઈલમાં 2000 કિલોમીટર સુધીની મારક ક્ષમતાવાળી અગ્નિ-2 અને 350 કિલોમીટર સુધી માર કરનારી પૃથ્વી-3 મિસાઈલની તેનાતી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. તાજેતરમાં જ અમેરીકાને સૈન્ય મુખ્યાલય પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત અને ચીન સરહદે તણાવની આશંકા છે. ચીને ભારતની સરહદ પર આધુનિક મિસાઈલ સીએસએસ-5 તેનાત કરી દીધી છે. આ સિવાય ઓછાં સમયમાં પોતાના એરબેઝ ભારતની સરહદ પર લઈ જવાની પણ તૈયારી કરી લીધી છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે ચીનની આ લશ્કરી પ્રવૃતિઓને ઘણી ગંભીરતાથી લીધી છે અને પાછલા થોડા સમયથી આ વિસ્તારમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી છે. નોર્થ-વેસ્ટ બંગાળમાં વધારાની જમીન લઈને મિસાઈલ તેનાતીનું કામ શરૂ કરી દીધું છે. આસામના તેજપુર અને છાબુઆમાં એસયૂ-30 એમકેઆઈ ફાઈટર વિમાનોના બે સ્ક્વોર્ડન પણ તેનાત થઈ રહ્યાં છે. પહેલા ભારતના આવાગમનની વ્યવસ્થા પણ ઘણી કમજોર હતી, પરંતુ હવે ભારતે પોતાની સરહદમાં પાક્કી સડકોના નિર્માણનું કામ શરૂ કરી દીધું છે. લગભગ 70 મહત્વપૂર્ણ સડકો પર નિર્માણ કાર્ય ચાલુ છે. ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત અને સંરક્ષણ બાબતોના નિષ્ણાંત જી. પાર્થસારથિએ કહ્યું છે કે ભારતે આક્રમક થવું જોઈએ નહીં, પરંતુ બચાવ માટે તૈયાર રહેવાની જરૂર છે. આવી બાબતોને મીડિયામાં પણ વધારે ઉછાળવાની આવશ્યકતા નથી.




ચીનને ભારતની ચેતવણી: વધારે સંવેદનશીલ બનો

ભારતીય સેનાના જમ્મુ-કાશ્મીર માટે જવાબદાર વરિષ્ઠ સૈન્ય અધિકારીને ચીને વીઝા આપવાનું ઈન્કાર્યું હોવાના અહેવાલ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને ચીને એકબીજાની ચિંતાઓ સંદર્ભે વધારે સંવેદનશીલતા દર્શાવી જોઈએ.ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે કહ્યું છે કે જ્યારે આપણે ચીન સાથે આપલેની કિંમત કરીએ છીએ, ત્યારે એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતા હોવી જોઈએ.ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટનેન્ટ જનરલ બી. એસ. જસવાલને ચીનની મુલાકાતે જવાનું હતું. પરંતુ જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર લેફ્ટનન્ટ જનરલ જસવાલના અંતર્ગત આવતો હોવાને કારણે ચીને તેમને વીઝા આપવાનો ઈન્કાર કર્યો હતો.જો કે વિષ્ણુ પ્રકાશે માત્ર એટલું જ કહ્યું હતું કે મુલાકાત નિશ્ચિત કારણોને કારણે રદ્દ કરાય છે.તેમણે ઉમેર્યું હતું કે ચીન સાથે મામલાના હલ માટે વાતચીત હજી ચાલુ છે. ચીન સાથે આ મામલાઓ સંદર્ભે અમારી વાત ચાલુ છે. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે મહત્વના, બહુકોણીય અને જટિલ સંબંધો છે. અમારું વચ્ચે સંરક્ષણ સહીત ઘણાં ક્ષેત્રોમાં સંબંધો વિકસિત થઈ રહ્યાં છે. તાજેતરના વર્ષોમાં અમારી વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે જુદાં-જુદાં સ્તરે ઉપયોગી આપલે થઈ છે.આ સંદર્ભે સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટોનીએ હૈદરાબાદ ખાતેથી પ્રતિક્રિયા આપી છે કે સમજૂતીઓ તૂટવાનો કોઈ પ્રશ્ન જ નથી.



સલમાન-કેટરિનાની પ્રેમની નૈયા આ રીતે ડૂબી

સલમાન ખાનનું દિલ ફરી એક વખત તુટ્યુ છે. અને તેનાં આ સંબંધોનાં બ્રેક અપને કારણે હાલમાં તે ચર્ચામાં છે. કેટરિના સાથેનાં બ્રેક અપ વિશે જે રિતે સલમાન ખાને જાહેરમાં સ્વિકાર્યુ છે તે વાતથી સૌ કોઈ આશ્ચર્ય ચકિત છે. કેટરિનાને પણ આ વાતનું ઘણું જ દુઃખ થયુ છે કે સલમાને આટલાં સહેલાઈથી જાહેરમાં તેમનાં સંબંધો તુટ્યાની વાત સ્વિકારી લીધી છે.ફિલ્મ મેને પ્યાર ક્યુ કિયાથી સાથે કામ કરી બનેલી આ જોડી છેલ્લા છ વર્ષથી ઓફ સ્ક્રિન પણ કપલ હતું અને આ ફિલ્મ બાદ તો કેટરિનાએ પાછા વળીને જોયુ નથી. જો કે આ બન્નેએ તેમનાં વચ્ચેનાં સંબંધોનો ખુલાશો તો ક્યારેય જાહેરમાં કર્યો જ નહતો, પણ તેમનું નામ હમેશાં ચર્ચાતું રહેતું હતું અને છેલ્લા એક વર્ષમાં તો તેમને ઘણી લાઈમ લાઈટ મેળવી લીઘી છે. જોકે હાલમાં તેમનાં સંબંધો પર પૂર્ણવિરામ મુકાતા એક નવાં જ મુદ્દાએ તેઓ સમાચારમાં છે.બન્ને અલગ થયાનું સ્વિકારતાં જ તેમનાં નામો અલગ અલગ વ્યક્તિઓ સાથે સાંકળવામાં આવ્યાં છે. કેટરિનાનું નામ રણબિર સાથે જોડાયું તો સલમાનનું નામ ફિલ્મ વિરમાં તેની કો-સ્ટાર ઝરિન સાથે જોડાવવાં લાગ્યું છે પણ તેમનાં આટલાં જુના અને સુંદર સંબંધોમાં એવું તે શું થયુ કે તેનો અંત આવી ગયો. તો ચાલો જરાં સલમાનનાં ભુતકાળ પર નજર કરીએ તો તેનો જવાબ જાણી શકાય.. સલમાનનું સૌ પહેલાં નામ શાહિન જાફરી સાથે જોડાયુ હતું. તે સલમાનનાં જીવનમાં ત્યારે આવી હતી જ્યારે સલમાન ઈન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન બનાવવાંની શરૂઆત કરી રહ્યો હતો. શીહિને તેનાં કરિયરની શરૂઆતમાં તેની પડખે ઉભી રહી હતી. તો બીજી તરફ સલમાન સફળતાની સિડીઓ સર કરવા લાગ્યો હતો. ત્યાજ તેની અને શાહિન વચ્ચે દુરીઓ આવવાં લાગી અને એક દિવસ તે શાહિનને છોડી સંગીતા બિજલાની સાથે જતો રહ્યો હતો. સલમાન-સંગિતાએ જોડે એક પણ ફિલ્મમાં કામ કર્યુ ન હતું પણ તે સમયે તેમનાં સંબંધોની ચર્ચા ખુબજ થતી હતી.તેમનાં લવ અફેર એટલાં ચર્ચીત હતાં કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. પણ જ્યારે સલમાનનું નામ પાકિસ્તાની સ્ટાર સોમી અલી સાથે ચર્ચાવા લાગ્યું. તેનાં અને સંગીતાનાં સંબંધોનો અંત આવી ગયો. અને સલમાન સોમીનાં સંબંધો સમાચારમાં આવવાં લાગ્યા હતાં.સંગીતાએ મીડિયામાં સલમાન પર કેટલાંયે આરોપો લગાવ્યાં પણ સલમાને ચુપકીદી સેવી લીધી હતી. સોમી સાથે પણ તેનાં સંબંધો થોડો સમય ટક્યા અને બાદમાં તુટી ગયા હતાં તેણે સોમીને પણ છોડી દીધી હતી.


સેહવાગની એ અદા પર ફીદા છે હેડન

હાલ શ્રીલંકા ખાતે ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીમાં વિરેન્દ્ર સેહવાગને બાદ કરતા એકપણ ભારતીય બેટ્સમેન પોતાની પ્રતિભા દર્શાવી શક્યો નથી. સેહવાગે ચાલું ત્રિકોણીય શ્રેણીમાં 240 રન બનાવી લીધા છે. તેમજ તે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમા પણ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન ફટકારીને કી બેટ્સમેન સાબિત થયો હતો. ત્યારે તેની બેટિંગના ભરપૂર વખાણ કરતા ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન મેથ્યુ હેડને કહ્યું છે કે, વિરેન્દ્ર સેહવાગ વિશ્વનો શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન છે.2009માં વિશ્વ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી તે પહેલા મેથ્યુ હેડનને એક શ્રેષ્ઠ ઓપનિંગ માનવામાં આવતો હતો. તેણે ડીએનએ સાથેની વાતચીતમાં કહ્યું કે, વિરેન્દ્ર સેહવાગ છે છાપ મેચમાં છોડીને જાય છે તે છાપ કેટલાક ખેલાડી જ છોડી શકે છે. હેડને કહ્યું કે,સેહવાગ પાસે સૌથી મોટી તાકાત કુદરતી ક્ષમતા છે. જે તેને મુક્ત રીતે રમવા પ્રેરે છે. તે દરેક મેચમાં પોતાની છાપ છોડીને જાય છે. પછી તે ટેસ્ટ હોય, વનડે હોય કે ટી-20. તે ઘણા ઝડપી બોલને અદ્દભૂત રીતે રમી મેચમાં નાટ્યાત્મકતા અને ઉત્સુકતા પેદા કરે છે.હેડને કહ્યું કે,તે સેહવાગની ઓફ વિકેટમાં સ્ક્વેર ફટકારવાની ક્ષમતાથી આશ્ચર્યચકિત છે. કારણ કે તે જરા પણ પોતાના પગને હલાવ્યા વગર આ શોટ ફટકારી શકે છે. અને એ તેની બેટિંગની સૌથી સારી બાબત છે. આ ઉપરાંત તેનામાં ઓવર ધ ટોપ અને ઓવર બેકવર્ડ પોઇન્ટ શોટ ફટકારવાની ક્ષમતા ગજબની છે.ઉપરાંત હેડન કે જે પોતાના વિસ્ફોટક અંદાજ માટે જાણીતો છે. તેણે કહ્યું કે, સેહવાગ ભારતના કેટલાક સારા બેટ્સમેન જેમ કે, સચિન તેંડુલકર અને સુરેશ રૈનાની માફક એક શ્રેષ્ઠ બેટ્સમેન છે. અન્ય ભારતીયોની જેમ મારી માટે પણ સચિન શ્રેષ્ઠ છે. છતાં, સેહવાગ મોટી છાપ છોડીને જાય છે.


40 ટકા બ્રિટિશરોને ‘ભૂત’ દેખાય છે

ભૂત જેવી કોઈ વસ્તુનું દુનિયામાં અસ્તિત્વ નથી એવું વારંવાર કહેવામાં આવતું હોવા છતાં બ્રિટનમાં આશરે 40 ટકા લોકોએ અસામાન્ય અનુભવ કર્યો હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તેમણે કોઈ ભૂત અથવા આકાશમાં ઉડતી જણાવી વસ્તુ(યૂએફઓ)જોઈ છે. ત્રીસ હજાર લોકો ઉપર કરવામાં આવેલા એક અભ્યાસમાં માલુમ પડ્યું છે કે દર પાંચમાંથી એક અથવા વિસ ટકા લોકોનું કહેવું હતું કે તેમણે ભૂત જોયું છે. જ્યારે 19 ટકા લોકો આકાશમાં કોઈ રહસ્યમય વસ્તુઓ નિહાળી ચુક્યા હતાં.
અન્ય 16 ટકા લોકોનું માનવું છે કે તેમને કોઈ ઘટનાનો પૂર્વાભાસ થઈ ચુક્યો છે, જ્યારે છ ટકા લોકોનું કહેવું છે કે તેમને કોઈ દેવી આત્મ મદદ કરી રહી છે. સર્વેમાં માલુમ પડ્યું છે કે 44 ટકા બ્રિટિશરો એવું માને છે કે એલિયન્સ પૃથ્વી પર આવતા રહે છે. પાંચમાંથી એક વ્યક્તિઓને વિશ્વાસ છે કે એલિયનો તેમની વચ્ચે હોઈ શકે છે.જો આ વાત સાચી હોય તો એવું પણ બની શકે કે જે લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં તેમાંથી અમુક લોકો એલિયન પણ હોય શકે. આ અદભૂત સંશોધન કરનાર સંસ્થાના સ્થાપક મેલકોમ રોબિન્સન એક અસામાન્ય વસ્તુઓના નિષ્ણાંત છે. તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં બ્રિટનના લોકોએ ભૂતો, યૂએફઓ અને પરગ્રહ વાસીઓના જીવન અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આથી આ સર્વે પરથી એવું સાબિત થાય છે કે બ્રિટિશરો અજબ-ગજબ બનાવોમાં વિશ્વાસ ધરાવે છે.


લંડનની એક વ્યક્તિએ મનુષ્યના પેશાબમાંથી બનાવી વ્હિસ્કી!


શું તમે વ્હિસ્કી પીવાના દિવાના છો તો હવે તમને અલગ જ પ્રકારની વ્હિસ્કીની મજા માણી શકો છો. લંડનની એક વ્યક્તિએ ખાસ પ્રકારની વ્હિસ્કી બનાવ્યાનો દાવો કર્યો છે. જે ડાયાબિટીસના રોગથી પીડાતા વ્યક્તિના યુરિનમાંથી બનાવવામાં આવે છે.
લંડનના જેમ્સ ગિલ્પીન નામના ડિઝાઈનર દ્વારા આ ખાસ વ્હિસ્કી તૈયાર કરવામાં આવી છે, જેને ‘ગિલ્પીન ફેમિલી વ્હિસ્કી’ નામ આપવામાં આવ્યું છે. આ વ્હિસ્કી મોટી ઉંમરના ડાયાબિટીસના દર્દીઓના યુરિનમાંથી બનાવવામાં આવે છે. જેમાં ગિલ્પીનના દાદીમાનો પણ સમાવેશ થાય છે.આશ્ચર્યની વાત એ છે કે ગિલ્પીન પોતે પણ ડાયાબિટીસના રોગથી પીડાઈ રહ્યો છે. વ્હિસ્કી બનાવવા માટે તે સૌપ્રથમ પાણીને જેમ ફિલ્ટર કરવામાં આવે છે તેવી રીતે યુરિનને ફિલ્ટર કરે છે. ત્યાર બાદ તેમાંથી સુગરનું તત્વ દૂર કરવામાં આવે છે. ત્યાર બાદ વધેલા પ્રવાહીનો ઉપયોગ વ્હિસ્કી બનાવવા માટે કરવામાં આવે છે.બીજી આશ્ચર્યની વાત એ છે કે ગિલ્પીન આ ખાસ વ્હિસ્કીને બજારમાં વેચવાની કોઈ ઈચ્છા ધરાવતો નથી. તે માને છે કે આ તેનો એક આર્ટ પ્રોજેક્ટ છે.



ત્રણ વિદ્યાર્થીઓ લેડીઝ ટોઇલેટમા ઘૂસ્યા અને..

શહેરના પોશ વિસ્તારમા આવેલી એક પ્રતિષ્ઠીત સ્કુલમા ધોરણ-૯મા અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ રિસેસ દરમ્યાન લેડીઝ ટોઇલેટમા ઘુસી જતા ભારે હોબાળો મચી ગયો હતો. લેડીઝ ટોઇલેટમા એક વિદ્યાર્થીની હાજર હોઇ તેણે બુમાબુમ કરી મુકતા ત્યાથી પસાર થતી શિક્ષીકાએ આ ત્રણેય છોકરાઓને આચાર્યને સોંપ્યા હતા. જોકે ઘટનાના લીધે સ્કુલની પ્રતિષ્ઠા ન જોખમાય તે માટે સ્કુલ દ્વારા સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરાયો છે. આ અંગે સ્કુલ સત્તાવાળાઓનો સંપર્ક કરતા તેમણે આવી કોઇ ઘટના બની જ ન હોવાનુ જણાવ્યુ હતુ.પ્રાપ્તમાહીતી અનુસાર શહેરના પોશ ગણાતા વિસ્તારમા આવેલી પ્રતિષ્ઠીત સ્કુલમા ગત શુક્રવારના રોજ બનેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે. હજુ પણ આ ઘટનાની સ્કુલના વિદ્યાર્થીઓમા ચર્ચાઓ ચાલી રહી છે. આ સ્કુલમા ધોરણ-૯મા અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ પહેલા માળે આવેલી લોબીમાથી પસાર થતા હતા. લોબીમાથી પસાર થતી વખતે આ ત્રણેય છોકરાઓની આળગ ચાલતી એક છોકરી લેડીઝ ટોઇલેટમા ઘુસી ગઇ હતી. વિદ્યાર્થીનીને લેડીઝ ટોઇલેટમા ઘુસતા જોઇ આ ત્રણેય વિદ્યાર્થીઓ પણ તેની પાછળ લેડીઝ ટોઇલેટમા ઘુસી ગયા હતા.દરમ્યાન ટોઇલેટમા હાજર વિદ્યાર્થીનીએ લેડીઝ ટોઇલેટમા ત્રણ વિદ્યાર્થીઓ ઘુસી આવેલા જોઇ અવાચક બની ગઇ હતી અને કંઇ પણ સમજણ ન પડતા અંતે વિદ્યાર્થીનીએ જોરજોરથી બુમો પાડવાનુ શરુ કરી દીધુ હતુ. લેડીઝ ટોઇલેટમાથી વિદ્યાર્થીની બુમો સંભળાતા ત્યાથી પસાર થતી શિક્ષીકા ટોઇલેટ પાસે આવી પહોંચી હતી અને તેમણે આ ત્રણેય વિદ્યાર્થીઓને લેડીઝ ટોઇલેટમાથી બહાર કાઢી પ્રિન્સીપાલ પાસે લઇ ગયા હતા.આચાર્યએ આ ત્રણેય વિદ્યાર્થીઓને ઠપકો આપી જવા દીધા હતા. જોકે તેમની સામે પગલા લેવાનુ સ્કુલ દ્વારા ટાળવામા આવ્યુ હતુ. જો પગલા લેવામા આવે તો સમગ્ર ઘટના પ્રકાશમા આવી જાય તેવા ભયના લીધે સ્કુલ તંત્ર દ્વારા પગલા લીધા વિના ઘટના પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. આ અંગે સ્કુલ સત્તાવાળાઓનો સંપર્ક કરતા તેમણે શાળામા આવી કોઇ ઘટના બની જ ન હોવાનુ જણાવ્યુ હતુ.


દિલ્હી: નેનો બળીને ખાક

ટાટા ગ્રૂપની નેનો કોઇને કોઇ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે ફરી એક વખત નેનોમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે.દિલ્હીના અરબિંદો માર્ગ પર ઉભેલી નેનો કારમાં અચાનક આગ લાગી ગઇ. આગ એટલી તેજ હતી કે કાર મિનિટોમાં જ બળીને ખાક થઇ ગઇ. નસીબ એટલા સારા કે કારમાં જ્યારે આગ લાગી ત્યારે અંદર કોઇ બેઠું ન હતું. આ અકસ્માતનો રિપોર્ટ પોલીસમાં નોંધવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે થોડાંક સમય પહેલાં પણ નેનોમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ કંપનીએ કારમાં કંઇ રીતે આગ લાગી તે અંગેનો પોતાનો રિપોર્ટ પણ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં કંપનીએ કહ્યું હતું કે કારમાં એવી કોઇ જ ખામી જોવા મળી નથી, જેનાથી કારમાં આગ લાગે. નેનોમાં જોવા મળેલ ખામીઓને દૂર કરવા માટે એક રિસર્ચ ટીમ તૈયાર કરવામાં આવી હતી, જેના પર ખુદ ટાટા ગ્રૂપના રતન ટાટાએ રસ લઇને રિપોર્ટની રજેરજ માહિતી મેળવી હતી.


શું ભારતમાં ગરીબીનો સંબંધ શરમ સાથે છે?

શું ગરીબ લોકો પોતાની ગરીબીને કારણે શરમ અનુભવી રહ્યા છે? આ અંગે ભારત સહિત વિશ્વના આઠ દેશોમાં આંતરાષ્ટ્રિય સ્તરે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. સંશોધનની આગેવાની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટ વોકર કરશે. સંશોધન દ્વારા એવું જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે શું ગરીબીના કારણે વ્યક્તિના આત્મસન્માનમાં કોઈ કમી આવે છે અથવા ગરીબીને કારણે લોકો શરમ અનુભવે છે. આ ઉપરાંત સરકારની કલ્યાણકારી નીતિઓનું પરિણામ નકારાત્મક આવી રહ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.આઠ દેશમાં કરવામાં આવનાર આ અભ્યાસ પાછળનો હેતુ ગરીબીથી પ્રભાવિત લોકો અંગે સમજ મેળવવાનો છે, જેના કારણે ગરીબ નિરોધક ઉપાયોનો વધુ અસરકારક રીતે અમલ કરી શકાય. આ અંગે સંશોધન કરવા માટે આશરે એક ડઝન જેટલા શોધકર્તાઓ બાળકો અને તેના માતા-પિતાઓને કેટલાક પ્રશ્નો પૂછશે. ગરીબ હોવાને કારણે લોકો કેવો અનુભવ કરી રહ્યા છે તેમજ અન્ય લોકો તેની સાથે કેવા પ્રકારનું વર્તન કરે છે તે અંગે પ્રશ્નો પૂછવામાં આવશે.આ અભ્યાસ અંતર્ગત બ્રિટન, નોર્વે, ચીન, ભારત, પાકિસ્તાન, યુગાન્ડા, દક્ષિણ કોરિયા અને જર્મનીના લોકોને પ્રશ્નો પૂછવામાં આવશે. આ બધા દેશોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની વચ્ચે રહેલા માનસિક અંતર અંગે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે.ઓક્સફોર્ડના પ્રોફેસર વોકરે જણાવ્યું હતું કે ભારત અને ચીનમાં શક્ય છે કે કોઈ પરિવાર સન્માન ગુમાવે તો પરિવારના લોકો શરમ અનુભવે છે. વોકરે જણાવ્યું હતું કે અલગ-અલગ સંસ્કૃતિઓમાં ગરીબીના અનુભવને સમજવા માટે શરમના મહત્વનું વિશ્વેષણ કરવામાં આવ્યું હોય તેવો આ પહેલો બનાવ છે. અભ્યાસમાં સંશોધકો એ જાણવાનો પ્રયાસ કરશે કે ગરીબી અને શરમ વચ્ચે શું સંબંધ છે?


અચ્છા તો આ છે સેહવાગની સફળતાનું રહસ્ય

ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ જે રીતે ડામ્બુલાની વધુ ઉછળતી પીચ પર સફળ બેટ્સમેન તરીકે સાબિત થઇ રહ્યો છે. તેનાથી અન્ય બેટ્સમેનોને ઇર્ષા થઇ શકે છે.જે પીચ પર ભારત, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં છે. તે પીચમાં સેહવાગે 99 અને 110 જેવી મોટી ઇનિંગો રમી છે. અને ટૂર્નામેન્ટમાં 240 રન બનાવી લીધા છે. જો કે, સેહવાગની આ સફળતાનું રહસ્ય ફિરોઝશાહ કોટલાના પીચ ક્યૂરેટર રાધેશ્યામે આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે.તેમણે કહ્યું કે, સેહવાગ ખાલી સમયમાં મેટિંગમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરતો હતો. જેના કારણે તે આ વધુ ઉછળતી બોલમાં બેકફૂટ પર આસાનીથી રમી રહ્યો છે.રાધેશ્યામે કહ્યું કે, મેટિંગમાં બોલ ઘણો ઉછળે છે. અને સ્વિંગ પણ થાય છે. તે સમયે તમે મેટિંગમાં જેટલો સમય વધારે અભ્યાસ કરો છો તેટલો જ તમને ઝડપી બોલિંગ રમવાનો અભ્યાસ થશે. ઉપરાંત મેટિંગની પીચો પર રમ્યા બાદ તમને વિદેશની ઝડપી પીચો પર રમવામાં ક્યારેય પણ મુશ્કેલી નહીં થાય.


રાજકોટ હવે પહેલાં જેવું સલામત રહ્યું નથી

નિષ્ક્રિય પોલીસતંત્રના પાપે કાયદો વ્યવસ્થા જેવુ કંઇ રહ્યુ નથી. ગુનેગારોને પોલીસનો ડર ન હોવાથી અપહરણ,લૂંટ, બળાત્કાર, નજીવા પ્રશ્ને ખૂન, ખૂની હુમલાની ઘટના રોજીંદી અને સામાન્ય બની ગઇ છે. ચાલુવર્ષના ગુનાખોરીના આંકડા મુજબ સાત માસમાં ૨પ ખૂન, ખૂનની કોશિશના ૧૩ બનાવ, પ૯૦ચોરી,.૧૮ લૂંટ અને ધાડના પાંચ ગુના નોંધાયા છે.પોલીસની છબી એ હદે ખરડાયેલી છે કે પ્રજા ગુંડા તત્વો કરતા પોલીસના નામથી વધુ ફફડે છે. બિહાર અને યુ. પી. કરતા પણ ભયાનક હદે જે ઘટનાઓ બની રહી છે એ જોતાં રાજકોટમાં ગુંડારાજ સ્થાપિત થઇ ગયાનું પ્રજા મહેસૂસ કરે છે.પખવાડિયામાં નોંધાયેલા ગંભીર બનાવો બાદ પ્રજાનો પોલીસ પરનો રહ્યો સહ્યો ભરોસો પણ ઊઠી ગયો છે. થોરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ ભરતસિંહ એક રાતે દારૂ ઢીંચીને લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી સ્વરૂપવાન મહિલા બૂટલેગર ભારતીના ઘરમાં ઘૂસી નિર્લજ્જ હુમલો કરીને તેણીના કપડાં ફાડી નાખ્યા. માતાની લાજ બચાવવા આવેલા પુત્રને લાકડીથી ફટકાર્યો હતો.ત્યારબાદ એસઆરપીના ફોજદારના ૧૬ વર્ષના પુત્રને આજીડેમ નજીક ઠોકરે લેનાર ટ્રેક્ટર ચાલકને કિશોરના પિતાએ ઢોર માર માર્યો, થોરાળા પોલીસે ફરિયાદ લેવાના બદલે ટ્રેક્ટરચાલક દિનેશને ગાળો દઇને કાઢી મૂક્યો ! હદ તો ત્યારે થઇ કે હોસ્પિટલમાં દાખલ દિનેશની ખબર કાઢવા આવેલા તેના ભાઇ મુકેશનું એસઆરપીના ફોજદાર અગ્રાવતે હોસ્પિટલના ઝાંપેથી અપહરણ કરી તેને માર મારીને પડધરી પાસે ફેંકી દીધો.આજે આવા વધુ બે બનાવમાં ચોરીનું આળ મૂકીને પડોશીએ યુવાનનું અપહરણ કરી ઝાડવે બાંધીને સાકળથી માર્યો હતો. જ્યારે ગાંધીગ્રામના પિતા પુત્રને પાંચ શખ્સોએ પોલીસ કમિશનર કચેરીની સામે બેઝબોલના ચાર ધોકા તૂટી ગયા ત્યાં સુધી મરણતોલ માર મારી એક લાખ રૂપિયા અને બે મોબાઇલ લૂંટીને ભાગી ગયા છે.


અમદાવાદ : વૃદ્ધાશ્રમમાં જન્માષ્ટમી પૂર્વે શનિવારે ‘નંદ મહોત્સવ’ ઉજવાશે

શહેરના અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠ-અમદાવાદ દ્વારા શનિવારે વૃદ્ધાશ્રમમાં જઇને વડીલોની વચ્ચે જઇને શ્રી નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે રવિવાર, તા.૨૯મીએ વલ્લભસદન ખાતે મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું આ વિદ્યાપીઠ દ્વારા આયોજન કરાયું છે.આ અંગે અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠના મનહરભાઇ બાકોદરાએ જણાવ્યું કે અમારી સંગીત વિદ્યાપીઠ દ્વારા શનિવારે સાંજે ૪ વાગ્યે મણિબેન ત્રિભોવનદાસ માતૃગૃહ-ચંદ્રનગર ખાતે જઇને વડીલોની વચ્ચે જન્માષ્ટમી નિમિત્તે શ્રી નંદ મહોત્સવનું આયોજન કરવું છે. જેથી તેઓ પણ જન્માષ્ટમી પૂર્વે આ મહોત્સવની આનંદ-ઉલ્લાસપૂર્વક ઝલક મેળવી શકે. જેમાં અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠના ભાઇ-બહેનો દ્વારા જન્માષ્ટમીની વધાઇ-ઢોળ ગાન વગેરેનું આયોજન થશે.તેમણે કહ્યું કે તા.૨૯, રવિવારે વલ્લભસદન-આશ્રમ રોડ ખાતે બપોરે ૩ વાગ્યાથી આ નંદ મહોત્સવનો કાર્યક્રમ યોજાશે. જેમાં મટકી ફોડ પણ થશે. સાથે ઠાકોરજીને પારણે પણ ઝૂલાવાશે અને રાસ-ગરબા પણ થશે. તેને માટે અમે એક સુંદર રૂપક પણ તૈયાર કર્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિરોમાં તો એક મહિના અગાઉથી જન્માષ્ટમી નિમિત્તે વધાઇ ગાન ગવાતા હોય છે.


રાજકોટ : પ્રશ્નો ઉકેલવા માધ્યમિક શાળા સંચાલકોની માગણી

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલનમાં શિક્ષકો અને વહીવટી સ્ટાફની ભરતી, વર્ગ ખંડોની ગુણવતા સહિતના પ્રશ્નોનાં ઉકેલ બાબતે જામનગર જિલ્લા શાળા સંચાલક મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજ્યનાં શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી છે.સંકલન સમિતિના કન્વીનર્સ બિપીન ઝવેરી અને મુળુભાઇ કંડોરીયાની આગેવાની હેઠળ જિલ્લાના શાળા સંચાલકોએ જિલ્લા કલેક્ટર તથા શિક્ષણાધિકારી મારફત શિક્ષણમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, શાળાઓમાં નવેમ્બર-૨૦૦૯થી ભરતી બંધ કરેલ છે. જગ્યાઓ ખાલી હોવાથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યુ છે. એક તરફ સરકાર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સુધારણા અભિયાન અન્વયે ૧૦ હજાર વિદ્યા સહાયકોની ભરતી કરે છે. તે જ સરકારના શિક્ષણ વિભાગમાં માધ્યમિક શાળાઓનાં વર્ગો શિક્ષકોથી વંચિત રહે છે.આચાર્યોની ભરતી ઓનલાઇન કરવાની પધ્ધતિ સામે વિરોધ દર્શાવી શાળા સંચાલકોએ જણાવ્યું છે કે, કોઇપણ કાર્ય માટે પસંદ થયેલ ઉમેદવારની ગુણપત્રકોના આધારે થતી પસંદગી ક્યારેય યોગ્ય કરાવી શકાતી નથી. ત્યારે આ પધ્ધતિ અંગે પુન: વિચારણા જરૂરી છે. શાળામાં ખાલી પડેલી વહીવટી કર્મચારીઓની ભરતી પરનો પ્રતિબંધ દુર કરવા, શાળાના વર્ગોની ગુણવતા સુધારવા માંગણી કરવામાં આવી છે.

No comments:

Post a Comment