05 August 2010

કાજોલનો 36મો જન્મ દિવસ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


કાજોલનો 36મો જન્મ દિવસ

કાજોલનો જન્મ મુંબઈમાં પાંચ ઓગસ્ટ 1975ના રોજ થયો હતો. કાજોલની માતા તનુજા વીતેલા દાયકાની સારી અભિનેત્રી છે. તો તેની માસી નૂતન પણ એક ખ્યાતનામ અભિનેત્રી હતી. કાજોલના પિતા સ્વ શોમુ મુખર્જી ફિલ્મ નિર્માતા હતા.કાજોલનો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલો છે. કાજોલે પંચગીનીની સેન્ટ જોસેફ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરે કાજોલે પોતાની પહેલી ફિલ્મ બેખૂબદી કરી હતી. જો કે આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. તેમ છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ કાજોલના અભિનયની નોંધ લીધી હતી.1993માં કાજોલની બીજી ફિલ્મ બાઝીગર આવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન હતો. આ ફિલ્મ સુપર હિટ રહી હતી. કાજોલ અને શાહરૂખની જોડી ઘણી જ લોકપ્રિય થઈ હતી અને ત્યારબાદ આ જોડીએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.


અમદાવાદમાં ધોધમાર વરસાદ

મેધરાજાએ રાત્રિના સમયે થોડા વિરામ બાદ સવારથીજ તોફાની ઇનીંગ શરૂ કરી દીધી હતી. આજે સવારથીજ ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાઇ ગયા હતા. કચ્છ-ઉ.ગુજરાતમાં વરસાદથી ૧૨નાં મોત.છેલ્લા ચારે દિવસથી મેધરાજાની અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય પર મ્હેર થઇ રહી છે અને રોજ ધોધમાર વરસાદ વરસતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ફરીયાદો શરૂ થઇ ગઇ છે.અમદાવાદ શહેરમાં તો અતશિય વરસાદથી ઘણા બધા વિસ્તરો પાણીમાં એવી રીતે ગરકાવ થઇ ગયા છે કે જાણે નદી શહેરમાંથી વહેવાનું શરૂ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ચારેક દિવસથી સતત વરસી રહેલો વરસાદ આજે પણ નહિ અટકતાં શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં તો ઘણા પરિવરાના ઘરમાં પાણી ભરાઇ ગયા હોવાનું પણ નોંધાયું છે.


શાહના રિમાન્ડ માટે CBIએ હાઇકોર્ટમાં રિવિઝન કરી

સોહરાબુદ્દિન કેસમાં અમિત શાહની રિમાન્ડ અરજી સ્પેશીયલ સીબીઆઇ મેજીસ્ટ્રેટે ફગાવી દેતાં સીબીઆઇએ તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી છે. સીબીઆઇએ રીમાન્ડ માટે દર્શાવેલા કારણો અપુરતા હોવાની તથા તેમણે સીલબંધ કવરમાં આપેલી હકીકતો અમીત શાહને આરોપી માનવા પુરતી પણ દમદાર નહી હોવાની નોંધ સાથે ગઇકાલે સ્પેશીયલ સીબીઆઇ મેજીસ્ટ્રેટે અમીત શાહને રિમાન્ડ પર મેળવવાની સીબીઆઇની અરજી ફગાવી દીધી હતી.દેશભરમાં ચર્ચાનો મદ્દે બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા અમિત શાહની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટની પરવાનગી લઇ સીબીઆઇ દ્વારા તેમની ઓન કેમેરા પુછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેમાં શાહે પુરો સહકાર નહિ આપ્યો હોવાની સીબીઆઇના અધિકારીઓની ફરીયાદ હતી.ત્યાર બાદ સીબીઆઇએ અમિત શાહની વધુ પુછપરછ કરવા માટે રિમાન્ડ માંગ્યા હતા પરંતુ મીરઝાપુર સ્થીત સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે દ્વારા તે રીમાન્ડ અરજી ફગાવી દેવામાં આવતાં આજે સીબીઆઇ અમીત શાહના રિમાન્ડ માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.નોંધનિય છે કે સોહરાબુદ્દીનકાંડ-કૌસરબીની હત્યામાં સીબીઆઇએ રજુ કરેલી ૩૦ હજાર પાનાંની ચાર્જશીટમાં ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને બેવડી હત્યાના મુખ્ય આરોપીઓમાંના એક દર્શાવાતાં ખળભળાટ મચી ગયો હતો.


ઘાત ટળી...શરદ યાદવ બચ્યા

એનડીએના સંયોજક અને જેડીયુના અધ્યક્ષ શરદ યાદવના હેલિકોપ્ટરનું આપાતકાલિન ઉતરાણ કરવાની ફરજ પડી હતી. ટેક્નિકલ ખામીના કારણે આમ કરવાની ફરજ પડી હતી.પટના એરપોર્ટ પરથી આ હેલિકોપ્ટર રવાના થયું ત્યારે તેમાં શરદ યાદવ ઉપરાંત રાજ્ય સરકારના એક પ્રધાન અને બીજા કેટલાક સરકારી અધિકારીઓ પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. ઉડ્ડાણની થોડી મિનિટોમાં જ હેલિકોપ્ટરને લેન્ડ કરવાની ફરજ પડી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.શરદ યાદવ પટનાથી મધેપુરા જઇ રહ્યાં હતા.જ્યાં તેઓ કાર્યકર્તાઓના સંમેલનમાં ભાગ લેવાના હતા. જોકે., ચાંગેર ખાતે તૂર્તજ શરદ યાદવ સહિતના મુસાફરોને અન્ય એક હેલિકોપ્ટરમાં રવાના કરવામાં આવ્યા છે. હાલ આ હેલિકોપ્ટરની તપાસ ચાલી રહી છે.


કલમાડીના સાથી દરબારીની હકાલપટ્ટી થાય તેવી શક્યતા

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (આઈઓએ) પેનલ કે જે કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અને નાણાંકિય ગોટાળાઓની તપાસ કરી રહી છે તે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના જોઈન્ટ ડિરેક્ટર ટીએસ દરબારીને તેમનું પદ છોડવાનું કહી શકે છે.ત્રણ સભ્યોની બનેલી પેનલ નાણાંકિય વ્યવહારોમાં થયેલા ગોટાળાઓની તપાસ કરી રહી છે. જેમાં લંડનમાં ક્વીન્સ બેટન રીલેમાં ખાસ સેવાઓ આપનારી યુકેની એએમ ફિલ્મ્સ સામે આરોપો લાગે છે.એક ખાનગી સમાચાર ચેનલના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે બોર્ડની મળનારી ખાસ બેઠકમાં દરબારીને તેમનું પદ છોડી દેવાનું કહેવામાં આવી શકે છે. દરબારી આઈઓએના પ્રમુખ અને આયોજન સમિતિના ચેરમેન સુરેશ કલમાડીના નજીકના વ્યક્તિઓમાંના એક છે.હજી કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં ચાલી રહેલા ભ્રષ્ટ્રાચારની તાપસ કરી રહેલી ત્રણ સભ્યોની સમિતિનો અહેવાલ આવવાનો બાકી છે. આ સમિતિ સુરેશ કલમાડીએ બનાવી હતી જેને તેમના કેટલાક નજીકના વ્યક્તિઓ સામે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જો કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આમાં ટીએસ દરબારી અને સંજય મહિન્દ્રુ સામે જ કાર્યવાહી કરવામાં આવશે કે પછી અન્ય મોટા માથાઓના નામ પણ સામે આવશે.


વરસાદે બોપલના રોડ ધોઇ નાંખ્યા

શહેરના સૌથી ઝડપથી વિકસી રહેલા અને અતિ પોશ ગણાતા બોપલ વિસ્તારમાં સુવિધા અને સગવડના નામે મીંડું હવાની વારંવાર ફરીયાદો ઉઠ્યા બાદ ઔડા દ્વારા આ પોશ વિસ્તારમાં હજુ બે એક મહિના અગાઉજ ડિમોલીશનન કરી નવા રોડ બનાવવામાં આવ્યા હતા જે રોડ ટકાઉ હોવાની જાહારાતો પણ કરવામાં આવી હતી પરંતુ વરસાદે આ ટકાઉ રોડની પોલ ખોલી દીધી હતી.છેલ્લા ચારેક દિવસથી સતત વરસતા વરસાદને લીધે બોલમાં તાજેતરમાજ બનાવવામાં આવેલા આ ટકાઉ રોડ ઠેર ઠેર તૂટી ગયા છે. રોડ પર ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઠેર ઠેર રોડ તુટતાં પડેલા ખાડામાં પાણી ભરાઇ જતાં રાત્રિન સુમારે કે અજાણ્યા લોકો માટે આ રોડ પરથી વાહન ચલાવવું જોખમી બની રહ્યું છે.


આખરે દેશમાં બ્લેકબેરીની ઘંટડી બંધ થશે

જો તમે બ્લેકબેરી ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે ખતરાની ઘંટડી વાગી ગઇ છે. જી હા, બ્લેકબેરી ફોનને બનાવનાર કેનેડાની કંપની રિસર્ચ ઇન મોશન એટલે કે રિમના અડિયલ વર્તનના લીધે સરકાર દેશમાં પણ બ્લેકબેરીની સર્વિસ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સિલસિલામાં બ્લેકબેરી સર્વિસ આપનાર મોબાઇલ ઓપરેટરોને સરકારે નોટિસ મોકલી દીધી છે.ગૃહ મંત્રાલયે કહ્યું કે બ્લેકબેરી બનાવનાર કંપની રિમ ભલે સરકાર પ્રતિ જવાબદાર ન હોય, પરંતુ બ્લેકબેરીની સર્વિસ આપનાર મોબાઇલ ઓપટેરટો પર આ વાતની પૂરેપૂરી જવાબદારી છે કે તેઓ સુરક્ષા એજન્સીઓને દેશની સુરક્ષા સાથે જોડાયેલ તમામ ડેટા ઉપલબ્ધ કરાવે. આથી જ હવે સરકારે બ્લેકબેરીની જગ્યાએ તેની સર્વિસ આપનાર ટેલિકોમ કંપનીઓને જ કહેવાનું શરૂ કરી દીધું છે.તમને બતાવી દઇએ કે સરકારે બ્લેકબેરી દ્વારા વોઇસ કોલ અથવા તો પછી ઇમેલ કરવા પર કોઇ મુશ્કેલી નથી. પરંતુ બ્લેકબેરી ફોનથી ચેટ, વીડિયો કોલ, મેસેન્જર અને પુશ મેલ જેવી સર્વિસીસને લઇને સરકારને મુશ્કેલી છે. ઉલ્લેખનીય છે કે બ્લેકબેરી તેને ઇંક્રિપ્ટેડ કોડમાં મોકલવામાં આવે છે જેથી કરીને ડિકોડ કરવું સુરક્ષા એજન્સીઓ માટે શક્ય નથી. સરકાર રિમ પાસે આનું એક્સીસ માંગી રહી છે, જે આપવા માટે તે તૈયાર નથી. રિમ ડિકોડ એક્સીસ આપવા તૈયાર નથી તે જોતા ચોક્કસ બ્લેકબેરી સેવા બંધ થઇ જશે તેવું લાગી રહ્યું છે.


શિકાગોમાં વિમાનમાં આગ, 188 યાત્રીઓ સુરક્ષિત

અમેરિકાના શિકાગો શહેરના વિમાન મથકે આગ લાગવાથી વિમાનમાં સવાર તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર નિકાળી દેવામાં આવ્યાં હતાં.સ્થાનિક માધ્યમોના જણાવ્યાં અનુસાર યુનાઇટેડ એરલાઇન્સના વિમાન નં-949માં મુસાફરી કરી રહેલા તમામ 188 મુસાફરો સુરક્ષિત રીતે બચી ગયા હતા. વિમાનના આગળના ભાગમાં આગ લાગી હતી. વિમાનમાં ચાલક દળના 11 સદસ્યો પણ સવાર હતા. લંડનથી આવેલા વિમાનમાં ઉતરતી વખતે આ ઘટના બની હતી.એરલાઇન્સના પ્રવક્તા માઇક ટ્રેવિનોએ જણાવ્યું છે કે કેટલાક મુસાફરોને સામાન્ય ઇજા થઇ છે, જેમની સારવાર કરવામાં આવી રહિ છે.


રિલાયન્સ શેલગેસ કંપનીમાં હિસ્સો ખરીદશે

મુકેશ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકામાં વધુ એક શેલ ગેસ ક્ષેત્રની કંપનીનો હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.તેમાં અમેરિકાની કંપની કેરિઝો ઓઇલ એન્ડ ગેસ ઇન્કનો પણ હિસ્સો છે. અત્યારે આ શેલ ગેસ ક્ષેત્રમાં કેરિઝો અને અવિસ્તા કેપિટલ પાર્ટનર્સની સહયોગી કંપની એસીપી-2 માર્શલ એલએલસીનો 50:50 હિસ્સો છે. આ સોદા અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ શેલ ગેસ ક્ષેત્રમાં અવિસ્તા કેપિટલનો પૂરેપૂરો 50 ટકા હિસ્સો અને કેરિઝોના 50 ટકા હિસ્સામાંથી 10 ટકા હિસ્સો ખરીદી રહી છે. આમ આ રીતે સોદા બાદ સંયુક્ત ઉપક્રમમાં રિલાયન્સનો 60 ટકા અને કેરિઝોનો 40 ટકા હિસ્સો હશે.


રિલાયન્સ શેલગેસ કંપનીમાં હિસ્સો ખરીદશે

મુકેશ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકામાં વધુ એક શેલ ગેસ ક્ષેત્રની કંપનીનો હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.તેમાં અમેરિકાની કંપની કેરિઝો ઓઇલ એન્ડ ગેસ ઇન્કનો પણ હિસ્સો છે. અત્યારે આ શેલ ગેસ ક્ષેત્રમાં કેરિઝો અને અવિસ્તા કેપિટલ પાર્ટનર્સની સહયોગી કંપની એસીપી-2 માર્શલ એલએલસીનો 50:50 હિસ્સો છે. આ સોદા અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ શેલ ગેસ ક્ષેત્રમાં અવિસ્તા કેપિટલનો પૂરેપૂરો 50 ટકા હિસ્સો અને કેરિઝોના 50 ટકા હિસ્સામાંથી 10 ટકા હિસ્સો ખરીદી રહી છે. આમ આ રીતે સોદા બાદ સંયુક્ત ઉપક્રમમાં રિલાયન્સનો 60 ટકા અને કેરિઝોનો 40 ટકા હિસ્સો હશે.


સચિન-વીરૂ બાદ લક્ષ્મણ-રૈનાએ બાજી સંભાળી

ત્રીજા દિવસે પ્રારંભીક ઝટકા બાદ ભારતે અત્યાર સુધીમાં 4 વિકેટના નુકસાને 283 રન બનાવી લીધા છે. વીરેન્દ્ર સેહવાગે તેની આક્રમક શૈલીથી બેટિંગ કરતાં ભારતે પી સારા ઓવલ ખાતે રમાઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શ્રીલંકા સામે વળતો પ્રહાર કર્યો હતો અને બે દિવસની રમત બાદ મેચ બેલેન્સ રાખવામાં સફળતા મેળવી હતી. હાલમાં લક્ષ્મણ 42 અને સુરેશ રૈના 39 રને રમતમાં છે.બીજા દિવસે શાનદાર બેટિંગ કરીને ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પરંતુ ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતને સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગના રૂપમાં બે મોટા ફટકા પડ્યા હતા. જો કે સેહવાગ આઉટ થયો તે પહેલા તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 21મી સદી પૂરી કરી લીધી હતી. સેહવાગે 105 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા.


“ટેસ્ટ ક્રિકેટ હવે જૂની વાત થઈ ગઈ છે”

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે બુધવારના રોજ ટેસ્ટ ક્રિકેટની આકરી ટીકા કરી હતી. માંજરેકરે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ હવે જૂનું થઈ ગયું છે અને હવે ટી20 ક્રિકેટને વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે.માંજરેકરે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટનું ફોર્મેટ હવે જૂનું થઈ ગયું છે. આપણે વાસ્તવવાદી બનવું જોઈએ અને ટી20 ફોર્મેટને હળવાશથી લેવાનું બંધ કરી દેવું જોઈએ.ભારતના ભૂતપૂર્વ બેટ્સમેને કહ્યું હતું ટી20 ફોર્મેટ યુવા ખેલાડીઓ માટે ઉત્કૃષ્ટ મંચ છે અને તેને વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે.વર્ષ 1987 થી 1997 દરમિયાન ભારત માટે 37 ટેસ્ટ રમી ચૂકેલા માંજરેકરે ઉમેર્યુ હતું કે આ નિર્ણય દર્શકોએ કરવો જોઈએ કે જો તમે ભારત-શ્રીલંકા ટેસ્ટ કરતા ટી20 મેચ જોવાનું વધારે પસંદ કરો છો તો પછી આઈપીએલની વધારે મેચ યોજાવી જોઈએ કેમ કે આપણે ફક્ત માર્કેટને પ્રતિક્રિયા આપી રહ્યા છીએ.


ગાવસ્કર-સેહવાગ : શ્રેષ્ઠ ઓપનિંગ જોડી

લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર અને આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની જોડીનો સમન્વય સાંભળવામાં કદાચ અસંભવ લાગે પરંતુ હકીકત એ છે કે ભારતની સર્વકાલીન મહાન ઇલેવનમાં આ બંને સિવાયની ઓપનિંગ જોડી શક્ય લાગતી નથી.ક્રિકેટની વેબસાઇટ ક્રિકઇન્ફોએ ભારતની સર્વશ્રેષ્ઠ ઇલેવન પસંદ કરવાની કામગીરી હાથ ધરી છે અને તેમાં શરૂઆત ઓપનર્સથી કરવામાં આવી છે. ઓપનિંગ જોડી માટે ચાર નામ આગળ આવ્યાં છે અને તેમાં ગાવસ્કર અને સેહવાગ ઉપરાંત વિજય મર્ચન્ટ અને નવજોતસિંઘ સિધુનું નામ પણ સામેલ છે.આ ચારમાંથી બે ખેલાડીની ઓપનર તરીકે પસંદગી કરાશે, જેમાં સેહવાગ અને ગાવસ્કરની પસંદગી લગભગ નિશ્વિત છે. વેબસાઈટે ઓપનર્સ પછી મિડલ ઓર્ડર બેટ્સમેન, વિકેટકીપર, ઓલરાઉન્ડર, ઝડપી બોલર અને સ્પિનરની પસંદગી કરવાની છે અને આ માટે એક પસંદગી સમિતિની પણ રચના કરી છે.સુનિલ ગાવસ્કર માત્ર ભારત જ નહીં પણ વિશ્વની ઇલેવનમાં પણ સ્થાન મેળવવા માટે સક્ષમ છે. હેલ્મેટ પહેર્યા વિના ગાવસ્કરે એ જમાનાના ખ્યાતનામ ઝડપી બોલરનો સામનો કર્યો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં દસ હજાર રન નોંધાવનારા પ્રથમ બેટ્સમેન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી.વીરેન્દ્ર સેહવાગ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. બુધવારે શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન કારકિર્દીના સાત હજાર રન પૂરા કરનારા સેહવાગે કારકિર્દીમાં બે વખત ત્રેવડી સદી નોંધાવી છે જે સિદ્ધિ તેના સિવાય માત્ર ડોન બ્રેડમેન અને બ્રાયન લારાના નામે જ છે.સેહવાગે આઈસીસી ટેસ્ટક્રમાંકમાં ભારતને મોખરે પહોંચાડવામાં પણ આગવી ભૂમિકા અદા કરેલી છે. સેહવાગ અત્યારે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી ચૂકયો છે અને બુધવારે ૯૭ રન નોંધાવી ૨૧મી સદીને આરે આવી ગયો છે.


એશિઝ જીતવા ઇંગ્લેન્ડ ફેવરિટ છે : સાયમન્ડ્સ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયુ સાયમન્ડ્સનું માનવું છે કે રિકી પોન્ટિંગની ટીમે વિશ્વક્રિકેટમાં અપરાજેય રહેવાનો યુગ ગુમાવી દીધો છે અને ફોર્મમાં રહેલી ઇંગ્લેન્ડની ટીમ આગામી એશિઝ શ્રેણી જીતવા માટે ફેવરિટ છે.સાયન્ડ્સે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કેટલાક બોલર્સ અનફિટ છે પરંતુ તેઓ શ્રેણી પહેલાં ફિટ થઇ જશે તેવી આશા છે. અન્ય સમર્થકોની જેમ હું પણ વ્યક્તિગત રીતે ઓસ્ટ્રેલિયા એશિઝ જીતે તેમ ઇચ્છું છું.


અરબપતિઓ અડધી સંપતિ દાનમાં આપશે

અમેરિકાના 38 અરબપતિઓએ કહ્યું છે કે તેઓ પોતાની સંપતિનો 50 ટકા હિસ્સો દાનમાં આપી દેશે. આ અભિયાન માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને વોરેન બફેટે શરૂ કર્યુ છે. આ અરબપતિઓમાં ન્યૂયોર્કના મેયર માઇકલ બ્લૂમબર્ગ, સિએનએનના સંસ્થાપક ટેડ ટર્નર અને અધિકારી બેરી ડિલરનો પણ સમાવેશ થાય છે.‘ધ ગિવિંગ પ્લેઝ’ નામના આ અભિયાનમાં તે તમામ પરિવાર અને વ્યક્તિઓના નામ છે, જેમણે આ યોજના પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે. તેમની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે આ નૈતિક વચનબદ્ધતા છે, નહિ કે કાનૂની અનુબંધ.આ અભિયાન જૂન મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અરબપતિઓને સમજાવવાની કોશિશ કરવામાં આવતી હતી કે તેઓ તેમની સંપતિનો 50 ટકા હિસ્સો દાન કરે. જો કે આ દાન તેમણે પોતાની હયાતીમાં કરવુ છે કે પોતાના મૃત્યું બાદ, તેની પસંદગીની તેમને છૂટ આપવામાં આવી હતી.જાણિતા રોકાણકાર અને બર્કશાયર હેથવેના મુખ્ય અધિકારી વોરેન બફેટે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કામની હજુ તો શરૂ થયુ છે, તેમ છતા તેના સારી પ્રતિક્રિયા મળી રહિ છે.ધ ગિવિંગ પ્લેઝ અભિયાનનું સંચાલન કરનારા વોરેન બફેટ, બિલ ગેટ્સ અને તેમની પત્નિ મલિંડાએ પાછલા બે વર્ષો દરમિયાન અમેરિકાના ઘણા અરબપતિઓને વાત કરી છે, જેથી આ અભિયાનને આગળ વધારી શકાય.s


એશને લઈને બિગ બીની રજનીકાંતને ચેતવણી

દક્ષિણનો સુપરસ્ટાર રજનીકાંત આજકાલ બોલિવૂડ બ્યુટી અને બચ્ચન બહુ ઐશ્વર્યા રાયથી ઘણો જ પ્રભાવિત થઈ ગયો છે. આ જ કારણોસર રજનીકાંત જ્યાં જાય ત્યાં ઐશ્વર્યા રાયના વખાણ કરતો નજરે આવે છે.રજનીકાંત અને ઐશ્વર્યા રાય તમિલ ફિલ્મ એન્ધીરયનમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ છે. મલેશિયામાં આ ફિલ્મનું મ્યૂઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રજનીકાંતે એશના ઘણાં વખાણ કર્યા હતા.રજનીકાંતે કહ્યું હતું કે, એશ આ સદીની સૌથી સુંદર મહિલા છે. તે જન્મથી જ પ્રતિભાશાળી છે. આટલું જ નહિ રજનીકાંતે કહ્યું હતું કે, અત્યાર સુધી એશ જેટલી ટેલેન્ટેડ અભિનેત્રી તેણે જોઈ નથી.


રતન ટાટા 2012માં રિટાયર થશે

ટાટા ગ્રૂપના ચેરમેનની તપાસ હવે વધુ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. તેના માટે ટાટા સન્સે પાંચ લોકોની એક કમીટિ બનાવી છે, તેમના પર રતન ટાટાના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની જવાબદારી છે. રતન ટાટાના ઉત્તરાધિકારીને બને તેટલા ઝડપથી શોધવાની કવાયદ એટલા માટે શરૂ થઇ ગઇ છે, કાણરણ કે હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે કંપનીના હાલના ચેરમેન રતન ટાટા ડિસેમ્બર, 2012માં રિટાયર થઇ જશે.કંપનીની તરફથી એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે ટાટા સન્સના બોર્ડે પાંચ સભ્યોની એક કમીટિ બનાવી છે. જે રતન એન ટાટા ના સાચા ઉત્તરાધિકારીની પસંદગીના મામલામાં આખરી નિર્ણય કરશે. આ કમીટિમાં ક્યાં લોકો સામેલ છે, તે અંગે કંપની તરફથી હજુ કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ કંપનીએ એટલી ચોક્કસ સ્પષ્ટતા કરી છે કે રતન ટાટાના ઉત્તરાધિકારીની પંસદગી માટે કંપનીમાં કામ કરી રહેલ લોકો સિવાય, દેશ-વિદેશમાં કામનો અનુભવ રાખનાર લોકોને લઇને વિચાર કરાશે.


સોહરાબુદ્દીન હરેન પંડ્યા હત્યાકાંડમાં સંડોવાયેલો હતો'

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સ્વ. હરેન પંડ્યાની હત્યામાં કુખ્યાત ગુનેગાર સોહરાબુદ્દીનની કોઇ ભૂમિકા હતીકે નહીં તે વિષય ચકચાર જગાવે તેમ છે. સીબીઆઇના એક સાહેદના કહેવા પ્રમાણે, ખુદ અભય ચૂડાસમાએ તેની સાથે આ અંગે વાત કરી હતી.સીબીઆઇની ચાર્જશીટમાં સાક્ષી તરીકે આઝમખાનનું નામ દર્શાવવામાં આવ્યું છે. જે ઉદયપુરનો રહેવાસી છે. આઝમ ખાનનો દાવો છેકે, ડીસીપી અભય ચૂડાસમાએ તેને કહ્યું હતુંકે, '' મેં સોહરાબુદ્દીન કા બહુત અચ્છા દોસ્ત થા. મૈને હી ઉસકો હરેન પંડ્યા મર્ડર કેસ મેં બચાયા થા. ''આઝમખાનના કહેવા પ્રમાણે ગતવર્ષે હિંમત નગરમાં તેની અભય ચૂડાસમા સાથે મુલાકાત થઇ હતી. અહેમદ જબ્બીર નામના શખ્સે આ મુલાકાત કરાવી હતી. ઉલ્લેખનીય છેકે, વર્ષ 2003માં હરેન પંડ્યા હત્યાકાંડની તપાસ થઇ હતી.જોગાનુજોગ, ડીઆઇજી ડી. જી. વણજારાએ શરૂઆતના તબક્કે આ હત્યાકાંડની તપાસ કરી હતી. જેઓ હાલ જેલની અંદર છે. તેઓ એ સમયે ક્રાઇમ બ્રાન્ચના વડા હતા. ત્યારબાદ સીબીઆઇ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં એવું બહાર આવ્યું હતુંકે. આ હત્યા વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા હુલ્લડોનો બદલો લેવાના ઇરાદાથી કરવામાં આવી હતી. જોકે. હરેન પંડ્યાના પિતાના કહેવા પ્રમાણે, આ રાજકીય હતા.


સરકારી કબજામાંથી મશીન લઇ નાસી છુટેલા શરણે

પાસાના પેપર તૈયાર થતાં ભૂમાફિયા ફફડી ગયા. દસેક કિમી નાસ્યા બાદ મશીન ખેતરમાં સંતાડી દીધું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના રેતી માફિયાઓનો ૨.૫૬ કરોડનો ટ્રક, મશીન સહિતનો મુદ્દામાલ રાજકોટ ડિવિઝન ખાણ ખનીજ ખાતાની ફલાઇંગ સ્કોવર્ડે કબજે કર્યા બાદ સરકારી કબજામાંથી ૮૦ લાખનું મશીન લઇ નાસી છુટેલા આરોપીઓ સામે ખાણ અને ખનીજ ખાતા દ્વારા પાસા લાગુ કરવા તજવીજ હાથ ધરાતા મશીન લઇ નાસી છુટેલા શખ્સોએ મશીન સાથે શરણાગતિ સ્વીકારતા હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ફ્લાઇંગ સ્કોવોડના વડા એસ. જી. બારોટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ મશીન પોરબંદરના લીલા મેર નામના શખ્સના કાકાનું છે, જે મિયાણીથી લઇ મૂળીનો નાગજી દેસાઇ તથા અન્યો નાસી છુટયા, ને હળવદના મિયાણીથી દસ કિમી દૂર એક ખેતરમાં સંતાડી દીધું હતું.હળવદના મિયાણીગામે ફ્લાઇંગ સ્કોવોડે ત્રાટકી રેતી ભરેલા ૧૨ ટ્રક, ૧.૬૦ કરોડના બે મશીન કબજે કર્યા હતા. સરકારી કબજામાંથી માથાભારે શખ્સો મશીન લઇ ગયાની જાણ થતાં ખાણ ખનીજ ખાતાએ ગાંધીનગર તેમજ સુ.નગર કલેક્ટરને જાણ કરી પાસાના પેપર્સ તૈયાર કરતા ખાણ માફિયા ફફડી ઉઠ્યા હતા. આજે સવારે ૧૧ વાગ્યે આરોપીઓ શરણે આવતા હળવદ પોલીસે મશીન કબજે કરી આરોપીઓની પૂછપરછ આરંભી છે.


નજીવા મુદ્દે યુવાન પર ચાર શખ્સોનો ખુની હુમલો

પોલીસની નિષ્ક્રિયતાને કારણે લુખ્ખા તત્વો બેફામ બની નિર્દોષ લોકોને માર મારી સરાજાહેર આતંક મચાવી રહ્યા છે. આવા જ એક બનાવમાં શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં કાર ધીમે ચલાવવાનું કહેનાર પટેલ યુવાન પર ચાર આહીર શખ્સોએ ખૂની હુમલો કરી સરાજાહેર આતંક મચાવતા લતાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. લુખ્ખા તત્વોના અવારનવારના ત્રાસમાંથી મુક્ત કરાવવા લતાવાસીઓ પોલીસ કમિશનર કચેરી દોડી જઇ લુખ્ખા તત્વોની સાન ઠેકાણે લાવવા ઉગ્ર રજૂઆત કરી છે.બનાવની મળતી વિગતો મુજબ મવડી ચોકડી નજીક આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી નવલનગર અને શ્રીનાથજી સોસાયટીના શખ્સો શેરીમાંથી મોટા અવાજે ટેપ રાખી પૂરઝડપે કાર ચલાવી નીકળતા હોય ક્રિષ્ના પાર્ક-૭માં રહેતા વિપુલ મનસુખભાઇ પટેલ નામના યુવાને તે લોકોને ટપાર્યા હતા.જેથી ઉશ્કેરાયેલા શખ્સો સમી સાંજે કારમાં ઘાતક હથિયારો સાથે ઘસી આવી પટેલ યુવાનને ‘તને શેની હવા છે’ કહી તલવાર, ધોકા સાથે તૂટી પડ્યા હતા અને આતંક મચાવી નાસી છુટયા હતા.


રાજકોટ પખવાડિયું આવેલા વરસાદમાં ઘઉં ખુલ્લામાં સડતા રહ્યા

દેશભરના એફસીઆઈના ગોદામોમાં અને રેલવે સ્ટેશનોએ ઘઉં ખુલ્લામાં પલળતા હોવાના અહેવાલો અને તે અંગે રાષ્ટ્રવ્યાપી ઉહાપોહ છતાં રાજકોટના એફસીઆઈના ગોડાઉનમાં એ જ ઘોર બેદરકારીને દોહરાવવામાં આવી છે. સેંકટો ટન ઘઉં એક પખવાડિયાં સુધી ચાલેલા વરસાદમાં પલળતા રહ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટમાં ઘંટેશ્વર પાસે આવેલા ફૂડ એફસીઆઈના ગોડાઉનમાં હજારો ટન ઘઉં સડી ગયા છે.ગરીબોને રાશનિંગમાં અપાતા ઘઉંની ખરીદી એફસીઆઇ દ્વારા થતી હોય છે. હલકી ગુણવત્તાવાળા ઘઉંની ઊંચા ભાવે ખરીદી થતી હોવાની વાત જગજાહેર છે. પરંતુ લાખો ટન ખરીધ્યા બાદ તેની જાળવણી પણ થતી નથી. ખરીદાયેલા ઘઉં માનવી માટે નહીં પરંતુ પશુઓ માટે હોય તેવું માનતા તેના રખેવાળો તેમના પગાર અને પ્રમોશનની જ જાણે ચિંતા કરતા હોય છે. રાજકોટમાં છેલ્લા વીસ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.પરંતુ એફસીઆઇના કઠણ કાળજાના અધિકારીઓના માહ્યલાને મેઘરાજા પલાળી શક્યા નથી. ઘંટેશ્વર પાસે આવેલા એફસીઆઇના પટાંગણમાં ઘઉંનો જથ્થો દિવસોથી પલળી રહ્યો છે. ઘઉંના બાચકામાં જીવાતો આંટા મારે છે. ઘઉંના કોથળા કાળા પડી ગયા છે. કેટલાક સ્થળે તો પાણી ભરેલા ખાડામાં ઘઉં તરે છે. આ અંગે વિગતો આપનાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મજુરો દ્વારા સડેલા ઘઉં પાવડાથી કોથળામાં ભરવામાં આવતા હોવાના દ્રશ્યો રોજિંદા છે.

No comments:

Post a Comment