04 August 2010

પ્રસન્ના આઉટ, શ્રીલંકાનો છઠ્ઠો ઝટકો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

પ્રસન્ના આઉટ, શ્રીલંકાનો છઠ્ઠો ઝટકો

પી સારા ઓવલ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ પ્રથમ દિવસે જ 4 વિકેટના નુકસાને 293 રન બનાવી લીધા હતા.જો કે બીજા દિવસે શ્રીલંકાની શરૂઆત થોડી ખરાબ રહી હતી. જેમાં શ્રીલંકાએ મહેલા જયવર્દને અને પ્રસન્ના જયવર્દનેની વિકેટો ગુમાવી દીધી હતી. પ્રસન્ના 9 રને ઓઝાનો શિકાર બન્યો હતો.રથમ દિવસે પણ ભારતીય બોલરો પ્રભાવશાળી નહોતા રહ્યા. પ્રથમ દિવસે કોઈ ખેલાડી સદી તો નથી નોંધાવી શક્યો પરંતુ સુકાની સંગાકારા, જયવર્દને અને સમરવીરાએ અડધી સદી નોંધાવી હતી. પ્રથમ દિવસના અંતે સમરવીરા 65 રને અને મેથ્યુસ 26 રને રમતમાં હતા.ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે પ્રથમ મેચ ગુમાવી દીધી હતી. અને બીજી મેચ ડ્રો રહી હતી. તેથી હાલમાં ભારત શ્રેણીમાં 0-1થી પાછળ છે.


સચિનનો રેકોર્ડ અતૂટ રહેશે : સાયમન્ડ્સ

ભારતનો માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકર મંગળવારે સૌથી વધારે ટેસ્ટ રમનારો ખેલાંડી બની ગયો હતો. તેણે સ્ટિવ વોના ૧૬૮ ટેસ્ટના રેકોર્ડને હવે પાછળ રાખી દીધો છે ત્યારે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કહેવું છે કે ચેમ્પિયન ભારતીય બેટ્સમેનનો આ રેકોર્ડ વર્ષો સુધી અતૂટ રહેવાનો છે.ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારથી કોલંબોમાં શરૂ થયેલી ટેસ્ટ સચિન તેંડુલરકરની ૧૬૯મી ટેસ્ટ છે. સાયમન્ડ્સે જણાવ્યું હતું કે સચિન તેંડુલકર અત્યારે તેની કારકિર્દીના અંતિમ ચરણમાં છે અને તેના વિના ક્રિકેટની રમત તેનો ચાર્મ ગુમાવી બેસશે.ભવિષ્યમાં કોઈ ખેલાડી સચિન જેટલી ટેસ્ટ રમી શકશે તે અંગે મને શંકા છે. હાલમાં રિકી પોન્ટિંગ, જેકસ કાલિસ અને માર્ક બાઉચર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે અને કદાચ તેઓ ભવિષ્યમાં સચિનની નજીક પહોંચી શકે છે પરંતુ હાલના તબક્કે ટેસ્ટ રમવાનું શરૂ કરનારો કોઈ ખેલાડી ૧૬૦-૧૭૦ ટેસ્ટ રમે તેવી શક્યતા જણાતી નથી.ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેકગ્રા, શેન વોર્ન કે મેથ્યુ હેડન જેવા ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા, તેમનું સ્થાન અન્ય ખેલાડીઓએ લઈ લીધંુ છે તેમના જેવી સિદ્ધિ મેળવવી અન્ય માટે આસાન નથી તેમ સાયમન્ડ્સે ઉમેર્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમમાં અત્યારે કોઈ પણ પ્રકારના વિવાદમાં સંકળાયા વિના ૧૧ કે ૧૨ વર્ષ સુધી સતત રમવું કોઈના માટે આસાન નથી. આ જ રીતે ટી૨૦ અને વન-ડેના જમાનામાં ૧૫૦થી વધારે ટેસ્ટ રમવી પણ આસાન નહીં હોય.


ભારત માટે ફરીથી કપરો દિવસ

શ્રીલંકા સામેની વર્તમાન શ્રેણીની ત્રણેય ટેસ્ટમાં ભારતીય બોલર્સ માટે પ્રથમ દિવસે હંમેશાં કપરો રહ્યો છે અને મંગળવારથી શરૂ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ પણ તેમાંથી બાકાત રહી નથી. અહીંના પી. સારા ઓવલ ખાતે શરૂ થયેલી મેચમાં શ્રીલંકાએ ચાર વિકેટે ૨૯૩ રન નોંધાવીને ફરીથી ભારત માટે મુશ્કેલી પેદા કરી દીધી હતી. શ્રેણીમાં ૧-૦ની સરસાઈ ભોગવી રહેલી શ્રીલંકન ટીમના સુકાની કુમાર સંગાકરા સળં ગ ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતવામાં નસીબદાર રહ્યો હતો અને આ વખતે પણ તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.જોકે આ મેચમાં ફરક એટલો પડ્યો હતો કે પરનવિતાના અને સંગાકરા સદી નોંધાવી શક્યા ન હતા. બંનેએ પ્રથમ બે ટેસ્ટમાં સદી ફટકારી હતી. મંગળવારે શ્રીલંકાએ ચાર વિકેટ ગુમાવી હતી પરંતુ ઓપનર પરાનવિતાનાને બાદ કરતાં અન્ય બેટ્સમેન સેટ થઈને આઉટ થયા હતા. પ્રથમ દિવસની રમતને અંતે થિલાન સમરવીરા ૬૫ અને એંજેલો મેથ્યુઝ ૨૬ રન સાથે રમતમાં હતા.સમરવિરા અને મેથ્યુઝ અત્યાર સુધીમાં બાવન રન ઉમેરી ચૂક્યા છે પરંતુ ઇનિંગ્સની શ્રેષ્ઠ ભાગીદારી તિલકરત્ને દિલશાન અને કુમાર સંગાકરાની રહી હતી. ઇશાન્ત શર્માએ ૧૫ રનના કુલ સ્કોરે ભારતને પ્રથમ સફળતા અપાવીને પરાનવિતાનાને વિકેટ પાછળ ઝડપાવી દીધો હતો. શ્રીલંકન ઓપનર અગાઉની બંને ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ આ વખતે માત્ર આઠ રન નોંધાવી શક્યો હતો. એ પછી સંગાકરા અને દિલશાન વચ્ચેની ૮૭ રનની ભાગીદારીનો પ્રારંભ થયો હતો. ભારતને એ પછી છેક લંચ સમયે સફળતા મળી હતી.દિલશાન આજે સંયમ દાખવીને રમી રહ્યો હતો અને ૭૦ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા પરંતુ વિરામ અગાઉની છેલ્લી ઓવરમાં એક ઝડપી રન લેવા જતાં તે રનઆઉટ થયો હતો. દિલશાને ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. લંચ પછી સંગાકરા અને મહેલા જયવર્દનેએ સ્કોર ૧૫૭ સુધી પહોંચાડ્યો ત્યારે શ્રીલંકન સુકાની ૭૫ રનના વ્યક્તિગત સ્કોરે પ્રજ્ઞાન ઓઝાની બોલિંગમાં આઉટ થયો હતો. સંગાકારએ ૧૧૪ બોલની ઇનિંગ્સમાં પાંચ બાઉન્ડ્રી ઉપરાંત બે સિકસર પણ ફટકારી હતી.


આઇસીસીએ ઇંગ્લિશ બોર્ડની અરજી નકારી

સાઉથ આફ્રિકા સામે જાન્યુઆરીમાં રમાયેલી ટેસ્ટ દરમિયાન અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમના વિવાદાસ્પદ નિર્ણય અંગે ઇસીબીએ કરેલી અરજીને આઇસીસીએ નકારી નાખી હતી.ઇંગ્લેન્ડે ફરિયાદ કરી હતી કે ટેલિવિઝન અમ્પાયર ડેરેલ હાર્પરે સાઉથ આફ્રિકન સુકાની ગ્રીમ સ્મિથને કેચમાં આપેલા નોટઆઉટ સામે ઇંગ્લેન્ડ રેફરલ સિસ્ટમના નિયમ મુજબ કરેલી અપીલને નકારી નાખી હતી. આઇસીસીએ તેની સમિતિએ આપેલા રિપોર્ટના આધારે ઇંગ્લેન્ડની અરજી નકારી હતી.


જીવનસાથી જ્યારે દગાખોરી કરે

મનુભાઇ પ્રથમ વાર મણિબહેનને લઇ મને મળવા આવ્યા, ત્યારે તેમની મુખ્ય ફરિયાદ હતી કે મણિબહેનનો સ્વભાવ બહુ વહેમી છે. મનુભાઇ વિશે વાત કરું, તો તે ધોળકા તરફના નાના ગામના પ્રતિષ્ઠિત માણસ હતા. સરપંચ પણ રહી ચૂકેલા. ગામમાં કોઇને પણ નાનુંમોટું કામ હોય તો મનુભાઇને યાદ કરતા. મનુભાઇ પણ દોડીને બધાંનાં કામ કરે.મનુભાઇએ મને મણિબહેન વિશે વાત કરી કે મણિબહેન થોડા દિવસથી ગુસ્સામાં રહે છે અને કારણ વગર શંકા કર્યા કરે છે. ગામમાં કોઇ પણ સ્ત્રી સાથે વાત કરતાં જુએ તો ઝઘડો કરે અને છેલ્લા બે-ત્રણ મહિનાથી તો વાત ખૂબ જ વધી ગઇ હતી.મણિબહેન સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મનુભાઇના લક્ષણો સારા નથી. જેના લીધે તેમને આવા વિચારો આવે છે અને તેમણે એવું જોયું પણ છે. સાથેસાથે તેમને ઊંઘ નહોતી આવતી અને બીજી કેટલીક તકલીફો પણ હતી. મણિબહેનને વહેમની બીમારી છે તેવું ગણી દવા આપીને અઠવાડિયા બાદ પાછા બોલાવ્યા.અઠવાડિયામાં મણિબહેનમાં વધુ ફેરફાર થયો નહોતો. તેમના ઝઘડા ચાલુ હતાં. તે મનુભાઇ ઉપર ગુસ્સે થઇ જતા, ઘણી વાર તેમણે મનુભાઇ ઉપર હાથ પણ ઉપાડ્યો હતો. મનુભાઇ જે રીતે વાત કરતા હતા તેના લીધે મને લાગ્યું કે કદાચ મણિબહેન સાચું પણ કહેતા હોય. મણિબહેનને એકલા પૂછપરછ માટે બોલાવ્યાં, ત્યારે તેમણે ખૂબ સારી રીતે વર્તન કર્યું અને જણાવ્યું કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ફિળયામાં સામા ઘરે રહેતી સ્ત્રી સાથે મનુભાઇની આંખ મળી ગઇ છે અને તે તેને છાનામાના, જ્યારે તેનો મરદ ઘરે ન હોય ત્યારે મળવા જાય છે.


પ્રિટી ઝિંટા અને નેસ વાડિયાની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે

આઈપીએલ ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવન પંજાબના એક માલિક પ્રખ્યાત અભિનેત્રી પ્રિટી ઝિંટાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. નીચલી અદાલતે કિંગ્સ ઈલેવન પંજાબના માલિક પ્રિટી ઝિંટા અને અન્ય બે સહમાલિકો વિરુદ્ધ બેલેન્સ શીટ અને વાર્ષિક રિટર્ન ન ભરવાના આરોપ હેઠળ જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા જામીનપાત્ર વોરંટ સામે સ્ટે ઓર્ડર આપ્યો છે.નીચલી અદાલત દ્વારા 24 જુલાઈના રોજ અપાયેલા ઓર્ડર સામે હાઈકોર્ટના જજ જસ્ટિસ નિર્મલજીત કૌરે 22 સપ્ટેમ્બર સુધી સ્ટે ઓર્ડર આપ્યો છે.અરજદારોના વકીલે દલીલ કરી હતી કે કિંગ્સ ઈલેવન પંજાબના હક ધરાવતા કેપીએચ ડ્રીમ્સે આરોપોની પતાવટ માટે કંપની લો બોર્ડ સમક્ષ પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે.મહત્વપૂર્ણ છે કે નીચલી અદાલતે આઈપીએલ ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઈલેવનના સહ-માલિક પ્રિટી ઝિંટા, નેસ વાડિયા અને મોહિત બર્મન સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. આ સંદર્ભે કંપની રજીસ્ટ્રાર દ્વારા બેલેન્સ શીટ અને વાર્ષિક રિટર્ન ન ભરવા સંદર્ભે કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.ત્રણેય સહ-માલિકો અથવા તેમના વકીલ કોર્ટ સમક્ષ હાજર ન થતાં મુખ્ય જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ જે. એસ. સંધુએ ત્રણેય સહ-માલિકો વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. ફરીયાદી પક્ષે રજૂઆત કરી હતી કે બેલેન્સ શીટ અને વાર્ષિક રિટર્ન રજૂ ન કરીને ત્રણેય સહ-માલિકો કેપીએચ ડ્રીમ્સની નાણાંકીય સ્થિતિ લોકોથી છુપાવા માગે છે.

No comments:

Post a Comment