04 August 2010

જયપુર : રૂ. ૫ લાખની નોટો બિછાવીને મહિલા સળગી ગઈ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

જયપુર : રૂ. ૫ લાખની નોટો બિછાવીને મહિલા સળગી ગઈ

જયપુર શહેરના મુહાના વિસ્તારમાં એક મહિલાએ સોમવારે મોડી રાત્રે માત્ર રૂ. ૫૦૦ના ઝઘડા માટે રૂ. પાંચ લાખના મૂલ્યની નોટો અને જમીનના દસ્તાવેજો જમીન પર પાથરીને તેના પર કેરોસીન રેડીને સળગી ઊઠી હતી.પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે ટીલાવાલા ગામના રહેવાસી કિશોરસિંહે તેની માતાને હોસ્પિટલમાં ચેક અપ માટે લઈ જવા માટે પત્ની સુમન કંવર(૩૨ વર્ષ) પાસે ૫૦૦ રૂપિયા માગ્યા હતા. પણ સુમને પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ કિશોર પાડોશી પાસેથી ઉધાર પૈસા લઈને માતાને ડોક્ટર પાસે લઈ ગયો હતો. રાત્રે લગભગ ૧૨.૩૦ કલાકે મકાનમાં ધુમાડા ફેલાઈ જતા કિશોરસિંહની ઊંઘ ઊડી ગઈ. ધુમાડા સુમનના રૂમમાંથી નીકળી રહ્યા હતા.કિશોરે દરવાજો ખટખટાવ્યો, પણ જવાબ ન મળ્યો. આથી તેણે પાડોશીને જાણ કરી. રાત્રે બે વાગે પોલીસે આવીને દરવાજો તોડતા અંદર આગની જવાળા વચ્ચે સુમન સળગી રહી હતી. આગ બુઝાવાઈ ત્યાં સુધીમાં તો સુમન સળગી ગઈ હતી. રૂમમાં રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની ઢગલાબંધ નોટો અડધી સળગેલી અને આમ-તેમ ઊડતી નજરે પડી હતી. જમીન અને વીમાના દસ્તાવેજો પણ સળગી રહ્યા હતા. પોલીસે કહ્યું કે બે વર્ષ પહેલા કિશોરસિંહે પાંચ વીઘા જમીન વેચી હતી, જેમાંથી સારી એવી રકમ મળી હતી અને તેમાંથી તેણે મકાન બનાવ્યું હતું. મકાન અને તમામ સંપત્તિ સુમન કંવરના નામે હતી. છ મહિનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. બન્ને એક જ મકાનમાં પણ અલગ-અલગ રૂમમાં રહેતા હતા.

મેં અમિતભાઈને કહ્યું કે જો તમને...

બેંગલોરમાં રહેતા તુલસી પ્રજાપતિના સાગરીત મહેન્દ્ર ઝાલા તેમજ પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ અને દશરથ પટેલ વચ્ચે તા. ૫ એપ્રિલ ૨૦૧૦ ના રોજ સવારે ૧૧.૪૦ વાગે થયેલી મિટિંગનું રમણ પટેલ દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જેના સંવાદો આ પ્રમાણે છે.મહેન્દ્ર ઝાલા: મેં કંડાસ્વામીને કહ્યું કે તમે તમારો ટાઇમ બગાડો છો અને મારો પણ ટાઇમ બગાડો છો. હું બેંગલોરથી પ્લેનમાં બેસીને આવ્યો છું અને તમે મને જ આરોપી બનાવવાની વાત કરો છો. હું રમણલાલ બધા લખાવવા તૈયાર છીએ પેલો વિનોદ ગજજર સરકારી વકીલ છે તેને મળવાનું કીધું, એ ગજજર તો અભય ચુડાસમાનો કટ્ટર છે.મેં અમિતભાઈને કીધું કે જો તમને વિશ્વાસ છે કે હું આરોપી છું તો તમને મારી વાત સાંભળીને શું ફાયદો?આ બધું થયું તેમાં ચુડાસમા વોચ રાખતો જ હોય. ચુડાસમા એ મારા બહેનના દિયરનો ખાસ ભાઈબંધ છે. રાજુ જાડેજા એ ચુડાસમાનો ખાસ માણસ છે, એટલે મારી બહેનના દિયર મારી પાસે આવ્યા, તેની સાથે વાત કરી કે રમણલાલને બીચારાને ફાયરિંગ થયું તેને પણ આરોપી બનાવ્યા અને અમને પણ ૨૦૦૧થી આ માણસ હેરાન કરે છે. રમણભાઈ-દશરથભાઈ અમે બધા હેરાન થઈ રહ્યા છીએ.અમારો કોઈ વાંક નથી, છતાં તમે કહો આપણે ઢીલા શા માટે થયા આપણે સીબીઆઈએ પેલું ના કર્યું એટલે સીબીઆઇ વાળા કહે છે તમારે છે ને કૃષ્ણનો રોલ કરવાનો છે. ચુડાસમા પકડાય તેના ૪૮ કલાકમાં અમિતનો વારો છે.એટલે મેં તો કીધું અમે તો પાંચ વર્ષથી સીબીઆઇની રાહ જોઈએ છીએ. અમારા માટે તો ભગવાન જેવી છે. તમે આવ્યા અને આવી વાત કરો છો, એ રિવોલ્વરનું લખાવી લે તો અમે ફસાઈ જઈશુ. ખાલી કરપ્શનનું લખીને આપો તો પણ સુપ્રીમ ઊંચું થઈ જશે.


કચ્છ : રણમાં ભરાયેલાં પાણી વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોર જબ્બે

કચ્છમાં સતત વરસાદી માહોલ છવાયો છે અને સરહદની પેલે પાર પાકિસ્તાનમાં મુશળધાર વર્ષા થઇ રહી છે એવા સંજોગોમાં પાક સીમા ઓળંગીને ભારતીય બોર્ડરમાં ઘૂસેલા એક આધેડ શખ્સને વિઘાકોટ એરિયામાંથી બીએસએફના જવાનોએ પકડી પાડ્યો હતો. તપાસ અર્થે તે નરા પોલીસને સોંપાયા બાદ એસઓજી દ્વારા તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.નરાના પીએસઆઇ આર.ટી. તલસાણિયાએ કહ્યું કે, પાકિસ્તાનના બદીન જિલ્લાના સીરો મંધરો ગામનો રહેવાસી કારો ભલાજી મંધરા (ઉ.૫૦) ગેરકાયદે સરહદ પાર કરી ભારતીય સીમામાં ઘૂસ્યો, ત્યારે વિઘાકોટ એરિયાના પિલર નં.૧૧૧૦/૧ પાસેથી બીએસએફની ૫૩-બટાલિયન ડેલ્ટા કંપનીના ઇન્સપેક્ટર ઓમરાજ તથા સ્ટાફે તેને ગત તા.૨ના રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં પકડી લીધો હતો.ખાવડા પોલીસમાં તેને રજૂ કર્યા બાદ તેની તપાસ નરા પોલીસને સોંપવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછમાં તે સિંધી ભાષા બોલતો હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત તે ઢોર ચરાવવા નીકળ્યો, ત્યારે માથું ફરી જતાં ભૂલથી સરહદ પાર કરી હોવાનું તેણે રટણ કર્યું હતું, જે પોલીસને ગળે ઉતરતું નથી. જોકે, પોલીસે તેની પાસેથી પાકિસ્તાની ચલણ અને આઇકાર્ડ સહિતની ચીજો કબજે કરી હતી અને એસઓજી સાથે મળીને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, વધુ તપાસ અર્થે આ શખ્સ જ્યાંથી ઝડપાયો, ત્યાંનું નિરીક્ષણ કરવા આવતીકાલે પોલીસ રવાના થશે.સરહદ પર ગઇકાલે પકડાયેલા આધેડ પાકિસ્તાની પાસેથી પોલીસને પાક ચલણી નોટોમાં રૂ.૧૦૦, રૂ.૫૦ રૂ.૧૦ અને રૂ.૫ની એકએક નોટ મળી આવી હતી. જ્યારે રૂ.૨ અને રૂ.૧નો સિક્કો પણ મળી આવ્યો હતો. આઇકાર્ડ તરીકે તેની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યું, જેનો નંબર સી.ઇ.૦૦૨૮૨૨ જોવા મળ્યો છે. ઉપરાંત ૨ ધાબળા, એક જોડી બૂટ અને એક પાકિટ પણ મળી આવ્યાનું નરા પીએસઆઇ તલસાણિયાએ જણાવ્યું હતું.


શિપબ્રેકિંગની મોટાભાગની માગણી એક્સાઇઝે સ્વીકારી

શિપબ્રેકિંગ ઉદ્યોગ પર સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ દ્વારા લાદવામાં આવેલા નવા નિયમો લાદવામાં આવતા ઇન્ડસ્ટ્રી પર સંકટના વાદળો ઘેરાયા હતા, અને તેની વિસ્તૃત રજૂઆત ઉચ્ચકક્ષાએ કરવામાં આવતા ચિફ કમિશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા મોટાભાગના નિયમોમાં રાહત આપવામાં આવી છે, અને શિપબ્રેકરોએ પણ તેઓએ બંધ કરેલા લોડિઁગ અને ડિલિવરીના કામકાજ પુન: ચાલુ કરી દીધા હતા. એક્સાઇઝ વિભાગ દ્વારા શિપના વજન સામેનો હિસાબ આપવાનો અમાનુષી નિર્ણય સામે તમામ શિપબ્રેકરોને વિરોધ હતો, અને પ્રતિનિધિ મંડળે ઉચ્ચ અધિકારીઓને મળી વિસ્તૃત છણાવટ કરતા અધિકારીઓએ પણ વાત ગ્રાહ્ય રાખી હતી અને આ નિયમ પડતો મુકવાનો નિર્ણય લીધો હતો.શિપ રીસાયકિલંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમેખ વિશ્નુકુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર પ્લેટના અલગ અલગ પ્રકાર પ્રમાણે બિલો બનાવવાની અને તેના રીપોર્ટ બનાવવા અંગેની તંત્રની વાતનો અમોએ સ્વીકાર કર્યો છે. અધિકારીઓએ અમને સાંભળી અને મડાગાંઠ ઉકેલી છે. ટ્રક ઓપરેટરો સહિતની બાબતોનો પણ ઉકેલ આવી ગયેલ છે.ટ્રાન્ઝેકશન કેરી ફોરવર્ડ કરવાના નિયમ અંગે મથામણ. અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગમાં વ્યવસાયકારોએ દરેક ટ્રાન્ઝેકશનના બિલો બનાવી અને આગલા બિલ સુધીના ટર્નઓવરની રકમ તેના પછીના બિલમાં કેરી ફોરવર્ડ કરવા પડશે, તેવી તંત્રની વાત અંગે મડાગાંઠ પડી છે.શિપબ્રેકરોનો બુદ્ધીજીવી વર્ગ એવું માને છે કે આવી પ્રથાથી અમારા ટ્રેડ સિક્રેટ ખુલ્લા પડી જશે. અને ટર્નઓવર એ દરેક ધંધાર્થીની ખાનગી બાબત છે, તે પણ જાહેર થઇ જવાની સંભાવના છે. જો કે, અધિકારીઓએ આ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય લઇ યોગ્ય કરવા પણ હૈયાધારણા આપી છે

શિક્ષણ સમિતિની આગામી સભામાં ભારે વિવાદ સર્જાશે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી તા.૫મી ઓગસ્ટે મળનારી સાધારણ સભામાં કાળિયાબીડની સ્કુલ અને ભંગાર માલ-સામાનના વેચાણ બાબતે ભારે વિવાદ સજાઁવાની શક્યતા વર્તાઈ રહી છે.મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી અને કદાચિત અંતિમ મળનારી સાધારણ સભામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પાછળ થયેલો રૂ.૯૭,૪૪૯નો ખર્ચ, શાળાઓના ભંગારની હરરાજી માટે બહાર પડાયેલા ટેન્ડર, સ્ટેશનરી છાપકામ, નિવૃત્ત થયેલા કર્મચારીને ગણવેશની રકમ આપવા અને કાળિયાબીડમા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા શરૂ કરવા અને માસિક ભાડાથી રાખવામાં આવેલ જમીન-મકાન તથા ધોરણ ૧થી૪ની મશિ્ર શાળા શરૂ કરવા અંગે મંજુરીની અપેક્ષાએ આપેલી મંજુરી જાહેર કરવા સહિતના ઠરાવો બાબતે ચર્ચા-વિચારણા કરાશે.જ્યારે કન્યા કેળવણી મહોત્સવ પાછળ થયેલો એકલાખ જેવો નિરર્થક ખર્ચ ઘણા સમયથી વિવાદાસ્પદ ભંગારની હરરાજી તેમજ સભ્યોની જાણવગર મકાન કાળિયાબીડમાં શાળા શરૂ થઈ જતા તે અંગે સભ્યો તડાપીટ બોલાવવાની શક્યતા બળવત્તર બની છે. અમુક વિવાદાસ્પદ નિર્ણયોમાં અનેકની નીચે રેલો આવવાની સંભાવના છે. પરંતુ સભ્યો જો પાણીમાં ન બેસે તો.


વલ્લભીપુરમાં અષાઢી ધારાએ ચાર ઈંચ વરસાદ

ભાવનગર જિલ્લામાં મેઘરાજા ધીમીધારે મેઘમહેર વરસી રહી છે. આજે પણ જિલ્લામાં વરસાદમાં વલ્લભીપુર ચાર ઈંચ સાથે મોખરે રહ્યું હતું. ઉમરાળામાં બે ઈંચ અને તળાજા, ગારિયાધાર, બોટાદ અને ભાવનગર શહેરમાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસી ગયો છે.વલભીપુર શહેર અને પંથક સવારથી વરસાદી વાદળો થી છવાયેલા હતાં. ધીમી ધારે શરૂ થયેલ વરસાદ બપોર બાદ ધોધમાર શરૂ થતાં સાંજ સુધીમાં ૯૬ મી.મી. એટલેકે ચાર ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. આમ શહેરમા છેલ્લા બે દિવસથી મેધ મહેર શરૂ રહેતા છ થી સાત ઇંચ વરસાદ પડી ગયો છે.આ રીતે વલભીપુરમાં મૌસમનો કુલ વરસાદ ૪૯૬ મી.મી. નોંધાયો છે. ઉમરાળા તાલુકામાં પણ સવારથી વરસાદનો માહોલ છવાયેલો હતો. અને સવારના સમયે ઝરમર ઝરમર શરૂ થયેલ વરસાદ બપોર પછી જોરદાર રીતે પડતા સાંજ સુધીમાં ૪૨ મી.મી. નોંધાયો હતો.ગારીયાધાર પંથકમાં મંગળવારે દિવસ દરમિયાન વરસાદના હળવા ઝાપટા વરસ્યા હતા અને અંદાજે ૨૨ મી.મી. વરસાદ નોંધાયો છે.તળાજામાં બપોરનાં સમયે વારંવાર જોરદારઝાપટા પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા તેમજ નીચાણવાળા વિસ્તારમાં તળાવડા સર્જાયા હતા. સાંજ સુધીમાં વરસાદ ૩૦ મી.મી. પડયો હતો.ભાવનગર શહેરમાં આજે આખો દિવસ ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. વચ્ચે-વચ્ચે છુટાછવાયા વિસ્તચારમાં ભારે ઝાપટા પણ વરસી ગયા હતા. સતત છાંટણાને લીધે છત્રી કે રેઈનકોટ વગર આજે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. બોટાદમાં આજરોજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. બોટાદ શહેરનાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બોટાદમાં અત્યારે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.


યુવા જનજાગરણ યાત્રાનું ૭ ઓગસ્ટે મહેસાણામાં આગમન

કોંગ્રેસના આર્દશોને ઉજાગર કરવા અને કેન્દ્રની ગ્રાન્ટો અંગે પ્રજાને જાગૃત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આગામી ૭ ઓગસ્ટના રોજ મહેસાણામા પ્રવેશનાર યુવા જાગરણ પદયાત્રા યુવા કોંગ્રેસને વધુ મજબૂત બનાવશે એમ મહેસાણા જિલ્લા યુથ કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખે મંગળવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.આગામી દિવસોમાં આયોજીત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસને વધુ મજબુત બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને કોંગ્રેસના ઈતિહાસમાં સૌ પ્રથમ કહી શકાય તેવી તમામ મત વિસ્તારોને આવરતી ૧૭૨૫ કિ.મી.ની ૧૨૫ દિવસની યુવા જાગરણ પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા આગામી ૭ ઓગસ્ટના રોજ મહેસાણાના અલોડા ગામેથી પસાર થનાર છે.મંગળવારે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા મહેસાણા જિલ્લા ઈન્ચાર્જ યુવા કોંગ્રેસ પ્રમુખ ધરમસી દેસાઈએ કહ્યું હતું કે, કેન્દ્રની વિવિધ યોજના અંગે નાના-મોટા ગામડાની પ્રજામાં જાગૃતિ લાવવાનું તેમજ વધુમાં વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાય અને ‘આમ આદમી કા સિપાઈ’ બને તેવો આ યુવા જાગરણ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.આ પત્રકાર પરિષદમાં યુવક કોંગ્રેસ પ્રમુખ ધરમસી દેસાઈ, મહામંત્રી જીતુ ચૌધરી, મહામંત્રી પરેશ પરમાર, એન.એસ.યુ.આઈ. પ્રમુખ દિગ્વિજય ગોહિલ, સિદ્ધરાજસિંહ ઝાલા તથા શૈલેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.


વામજ પાસે વિહિપ અગ્રણીના ભાઇની ભેદી સંજોગોમાં લાશ મળી

કડીના વામજ ગામ નજીકના કાચા રસ્તામાં આવેલ નેળીયામાંથી મંગળવારે સાંજે સળગી ગયેલી અલ્ટ્રો ગાડીની પાછલી સીટમાંથી સળગી ગયેલી હાલતમાં અમદાવાદના યુવાનની મળી આવેલી લાશે રહસ્યો સર્જયા છે.હત્યા કે મોત અંગે અટવાયેલી સ્થાનિક પોલીસે લાશનું પોસ્ટમાર્ટમ કરાવી યુવાનના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે. આ અંગે કડી પોલીસે હાલના તબક્કે જાણવા જોગ નોંધીને એફએસએલની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી બાજુ આ લાશ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અશ્વિનભાઇ પટેલના ભાઇની હોવાનું બહાર આવ્યું છે.કડી તાલુકાના વામજ ગામેથી અડધો કિ.મી.ના અંતરે ઓએનજીસીના વેલ તરફ જવાના કાચા રસ્તા ઉપર આવેલા સાંકડા નેળીયામાં મંગળવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં સળગેલી હાલતમાં જી.જે. ૧૮ એ.સી. ૭૫૧૩ નંબરની અલ્ટ્રો ગાડી જોતા ગામજનોમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળે પહોંચેલી કડી પોલીસે ગાડીમાં તપાસ કરતાં પાછલી સીટમાંથી અજાણ્યા યુવાનની સળગેલી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા તર્કવિતર્કો સજાર્યા હતા.જો કે, ગણતરીના સમયમાં જ ઘટના સ્થળે પહોંચેલ વિશ્વ હિન્દુ પરિષદના જોઈન્ટ સેક્રેટરી અશ્વિનભાઈ પટેલે ગાડીમાંથી મળી આવેલી લાશ અમદાવાદ ખાતે સમર્પણ બંગ્લોઝમાં રહેતા અને પોતાની સાથે કેમિકલનો વ્યવસાય કરતા તેમના નાના ભાઈ રાકેશભાઈ ગોવિંદભાઈ પટેલની હોવાની ઓળખ કરી હતી.સળગી ગયેલી હાલતમાં મળી આવેલા યુવાનની હત્યા કે અકસ્માત મોત અંગે સર્જાયેલા અટકળો વચ્ચે કડી પોલીસે લાશનું પોસ્ટમાર્ટમ કરી મોત પાછળનું સાચુ કારણ જાણવા પ્રયાસ કર્યો છે. સળગેલી હાલતમાં ગાડી તેમજ લાશ મળી આવવાના આ ચકચારી કેસમાં હત્યારાઓએ જવલંત પ્રવાહીનો ઉપયોગ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે મહેસાણા એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.


તારાપુરમાં ખાતર અને ધરૂનો કકળાટ !

ખંભાત-તારાપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી સતત વરસતાં વરસાદને પગલે ખેડૂતોએ રોપણીકાર્ય પૂરજોશમાં આરંભી દીધું છે. ભાલ પંથકમાં ડાંગર અને ચરોતર-કાંઠા વિસ્તારમાં ખેડૂતો દ્વારા તમાકુની રોપણીની કામગીરીનો પ્રારંભ કરાયો છે, ત્યારે તમાકુ ધરુની તંગીના કારણે પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.ધરુની અછતને પગલે તારાપુર તાલુકામાં ર૮ ટકા અને ખંભાત પંથકમાં ૩૧ ટકા સીમ વિસ્તારમાં જ ડાંગર તેમ જ તમાકુની રોપણી થઈ શકી છે. આ ઉપરાંત ખંભાત-તારાપુર પંથકમાં રૂ.રપપના યુરિયા ખાતરની થેલીના કેટલાક વેપારીઓ દ્વારા હાલ બેવડી માંગ નીકળતાં રૂ.૩૦૦ વસુલવામાં આવતા હોવાની પણ ફરિયાદ વ્યાપક બની છે.ચરોતરમાં તમાકુ, ભાલમાં ડાંગર અને કાંઠા વિસ્તારમાં શાકભાજી આધારિત ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોનો તાજેતરની મેઘમહેર બાદ મૂળ પ્રશ્ન ખાતર અને ધરુ બની ગયો છે. ભાલનાં ખેડૂત હરમાનભાઈએ જણાવ્યું હતું કે, અહીંના ખાતરના ડેપો દ્વારા ખાતર આપવામાં આનાકાની કરવામાં આવે છે. ક્યારેક અઠવાડિયે એક જ વખત ખાતરનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે ખાનગી વિતરકો દ્વારા ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ કરવામાં આવે છે.ખંભાત અને તારાપુરમાં પણ ખાતરની અછત છે, એમ જણાવી રૂ. રપપની મૂળ કિંમત સામે રૂ.૩૦૦ સુધીની રકમ વસુલવામાં આવી રહી છે. તારાપુરમાં એક ખાતરના વેપારી દ્વારા રૂ.૩૦૦માં યુરિયા એક થેલી વેચાય છે અને જો આ અંગે કોઈ ખેડૂત દ્વારા પાકું બિલ માંગવામાં આવે તો આનાકાની કરવામાં આવે છે, તેમ છતાં જો ખેડૂત તકરાર કરે તો થેલી પાછી લઈ લેવામાં આવે છે.હાલમાં ખંભાત-તારાપુર તાલુકાના સીમ વિસ્તારમાં ૧૨૦૦ હેક્ટર જમીનમાં તમાકુનું વાવેતર થઈ રહ્યું હોઈ ખાતર અને તમાકુની ધરુની ભારે ખેંચ ઉભી થઈ છે. છેલ્લા રપ વર્ષથી ચોમાસામાં તમાકુનું વાવેતર કરતાં જયંતિભાઈ પટેલના જણાવ્યા મુજબ પ્રથમ રાઉન્ડમાં અપૂરતો વરસાદ અને સિંચાઈ વિભાગની આડોડાઈને કારણે ચાલુ વર્ષે ધરુવાડિયા નિષ્ફળ ગયા છે.


રાસનોલ કેનાલમાં ગાબડું પુરવા તંત્રની દોડધામ

આણંદ નજીકના રાસનોલ પાસે આવેલા રામપુરા વિસ્તારમાં લાખો રૂપિયાનું નૂકશાન પહોંચાડનાર કેનાલના ગાબડાને પુરવાની કામગીરી મંગળવારે સવારથી વરસાદી માહોલ વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે. જોકે સીમ વિસ્તારમાં ધસી ગયેલા કેનાલના પાણી ધીરેધીરે ઓસરી રહ્યા હોઇ બે દિવસ બાદ સંપૂર્ણ પાણી ઉતરી ગયા પછી પંથકના ખેડૂતોને થયેલા નુકસાન માટે વિશેષ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું તંત્રવાહકોએ જણાવ્યું હતું.રાસનોલ અને કુંજરાવ વચ્ચેથી પસાર થતી મહી કેનાલ પેટલાદ શાખામાં રવિવારની રાત્રે અંદાજે ૧૦૦ ફુટનું ગાબડું પડ્યું હતું. જેના પગલે રાસનોલ, કુંજરાવ અને રામપુરાની સીમ વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો હતો. સીમ વિસ્તારની સાથે કેટલાક મકાનોમાં પણ પાણી પ્રવેશી જતાં લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.આ બનાવની જાણ થતાં જ મંગળવારે સવારે ઉચ્ચ અધિકારીઓની સાથે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતની ટીમ અને સારસાના ધારાસભ્ય જયંતભાઇ બોસ્કી તાબડતોબ સ્થળ પર પહોંચી જઇ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી હતી. આ અંગે કાર્યપાલક ઇજનેર પટેલે વધુમાં જણાવ્યું હતું કે મંગળવારે સવારથી જ ગાબડું પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી માટે બે જેસીબી મશીન અને એક ઓડકોન તેમજ ચાર ડમ્પર ઉપયોગમાં લેવાયાં છે. આ ગાબડાને પ્રથમ માટીથી પુરી દઇ તેના ઉપર પાકું ચણતર કરી ફીટ કરી દેવામાં આવનાર છે. જોકે, વરસાદના કારણે કામગીરીમાં થોડી અડચણ ઉભી થઇ રહી છે. છતાં એકાદ બે દિવસમાં સંપૂર્ણ કામગીરી પુરી કરવાનો પ્રયાસ કરાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં સીમ વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે.


દુનિયા બદલવા શરૂઆત તમારાથી કરો’

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આફ્રિકાના યુવા નેતાઓને મહાત્મા ગાંધીને અનુસરવાની શિખામણ આપી હતી. ઓબામા, જે ગાંધીજીને પોતાનો આદર્શ માને છે, તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીએ શિખ આપી હતી કે જો તમારે દુનિયાને બદલવી હોય તો પહેલા તમારા બદલાવવું પડશે.ઓબામા યુવાન આફ્રિકન નેતાઓને સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક પ્રશ્નના જવાબમાં તેમણે ઉપરોક્ત બાબત જણાવી હતી. આશરે 50 આફ્રિકન દેશોમાંથી યુવાનેતાઓને વ્હાઇટ હાઉસમાં બોલાવવામાં આવ્યાં હતા. પોતાના વ્યક્તવ્યમાં ઓબામાએ જણાવ્યું હતું કે આફ્રિકાનું ભવિષ્ય તેના યુવાનોના હાથમાં છે.આ પ્રસંગે ઓબામાએ જણાવ્યું હતું કે આફ્રિક દુનિયાનો પાયાનો ભાગ છે. અમેરિકા દ્વારા આફ્રિકન યુવાનોને સશક્ત બનાવવા માટે મદદ ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત આફ્રિકામાં પાયાની સુવિધાઓ ઉભી કરવા માટે પણ ફાળો આપવામાં આવશે.


યુનોએ ૪૫ ત્રાસવાદીઓનાં નામ બ્લેકલિસ્ટમાંથી બાદ કર્યા

સંયુક્ત રાષ્ટ્ર સંઘે ત્રાસવાદી સંગઠનો તથા આતંકવાદીઓની યાદીમાંથી તાલિબાન અને અલકાયદાને મદદરૂપ થતાં ૪૫ ત્રાસવાદીઓને દૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આ યાદીમાં ૪૮૮ ત્રાસવાદીઓના નામ હતા.ઓસ્ટ્રિયાના એમ્બેસેડર તથા સિકયોરિટી કાઉન્સિલની બ્લેકલિસ્ટની જાળવણી કરતી પેનલના અધ્યક્ષ થોમસ માયર હાર્ટીગે કહ્યું કે અમે નવ વર્ષ બાદ પ્રથમ વખત બ્લેકલિસ્ટ પર પુન:વિચારણા કરી છે. ૭૫ ટકા મામલાઓમાં અમે નવી માહિતી મેળવવામાં સમર્થ બન્યા છીએ. બ્લેકલિસ્ટ તૈયાર કરવા માટે ૩૮ બેઠકો યોજી ૪૮૮ નામ વિશે ચર્ચા કરવામાં આવી હતી.માયર હાર્ટીગે કહ્યું કે તાલિબાનના ૧૩૨ તથા અલકાયદાના ૩૧૧ ત્રાસવાદીઓના નામ બ્લેકલિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. બીજા ૬૬ નામો પર હજુ ચર્ચા ચાલુ છે.૨૭૦ ત્રાસવાદીઓના નામ પર છે કે ૨૦૦૧થી પુન:વિચારણા કરવામાં આવી નહોતી તેવું કહેતા માયર હાર્ટીગે કહ્યું કે બાકીની યાદીમાં હવે બહુ મોટાપાયે ફેરફાર જોવા મળશે નહીં. ૨૭૦ નામો પર ૨૦૦૧થી પુન:વિચારણા કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે, નવા નિયમ મુજબ બ્લેકલિસ્ટમાં મુકાયેલા પ્રત્યેક વ્યક્તિના નામ પર દર ત્રણ વર્ષે પુન:વિચારણા કરવી જોઈએ.



ડીમ્ડ યુનિ.ની માન્યતા રદ કરવાની કેન્દ્ર પાસે સત્તા

કેન્દ્રે સુપ્રીમકોર્ટને જણાવ્યું કે, શિક્ષણની જરૂરી ગુણવત્તા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડવા બદલ ૪૪ ડીમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની યુજીસીના નિયમો હેઠળ કેન્દ્ર પાસે સત્તા છે. ટંડન સમિતિએ ડીમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની ભલામણ કરી હતી.ન્યાયમૂર્તિઓ દલવીર ભંડારી અને દીપક વર્માની બેંચ સમક્ષ ઉપસ્થિત થયેલા સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમે જણાવ્યું કે, યુજીસી કાયદા હેઠળ યુનિવર્સિટીઓને ડીમ્ડનો દરજજો આપવાની પંચને સત્તા આપવામાં આવી છે. ગોપાલ સુબ્રમણ્યમે બેંચ સમક્ષ એવી પણ રજુઆત કરી કે, યુનિવર્સિટીઓને ડીમ્ડ દરજજાની માન્યતા આપવાની સત્તામાં ધારાધોરણો પૂરા કરવામાં નિષ્ફળ નીવડવા બદલ તેમની માન્યતા રદ કરવાની સત્તાનો પણ સમાવેશ થાય છે.પછીથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી કેકે વેણુગોપાલે ૪૪ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની કેન્દ્રની દરખાસ્તની આકરી ટીકા કરીને જણાવ્યું કે, આવી સત્તા માત્ર યુજીસી પાસે હોવાથી યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાનું ગેરકાનૂની છે.યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની ભલામણ કરનાર પ્રોફેસર પીએન ટંડન સમિતિની રચના સામે પણ વેણુગોપાલે પ્રશ્ન ઉઠાવ્યો છે. આવતીકાલે દલીલો ફરી શરૂ થશે.


અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો

અમેરિકન ડોલર સામે આજે ભારતીય રૂપિયાની શરૂઆત નીચા મથાળે થઇ હતી. અમેરિકન ડોલરની આયાતકારો વતી સારી એવી માંગ નીકળતા ડોલરની મજબૂતી સામે રૂપિયો 12 પૈસા નીચામાં ખૂલ્યો હતો.ધી આંતર બેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સ્થાનિક સ્તરે રૂપિયો 12 પૈસા નીચામાં રૂ.46.28 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે ગઇકાલના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 8 પૈસા ઉપરમાં રૂ.46.16/17 પર બંધ રહ્યો હતો.


શેરબજારની શરૂઆત : સેન્સેક્સ 57 અંક અપ

આજે મુંબઇ શેરબજારની શરૂઆત ઉપરમાં થઇ હતી. આઇટી સ્ટોકની આગેવાની હેઠળ બીએસઇ ખાતે સેન્સેક્સ 57.28 અંક એટલે કે 0.30 ટકાના વધારા સાથે 18,172.11 પર ખૂલ્યો હતો. જ્યારે એનએસઇ ખાતે નિફ્ટી 13.70 અંક એટલે કે 0.23 ટકાના વધારા સાથે 5453.25 પર ખૂલી હતી.બ્રોકરોનું કહેવું છે કે રિટેલ ઇન્વેસ્ટરો અને ફંડ મેનેજરો આજે હેવીવેઇટ સ્ટોકમાં પણ ખાસ કરીને ટેકનોલોજી કંપનીમાં ખરીદી કરી રહ્યા છે.


આમિર આત્મકથા લખી રહ્યો છે!

બોલિવૂ઼ડ સ્ટાર આમિર ખાન પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર દરેક કામમાં ચોક્સાઈ રાખે છે. આમિર ખાન પોતાની આત્મકથા લખી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક કંપની આમિરની આત્મકથા છાપવા માટે તૈયાર છે. તે કંપનીએ આમિરને બ્લેન્ક ચેક પણ આપ્યો છે. આમિર હા પાડે તેની જ રાહ જોવાઈ રહી છે.વિશ્વસનીય સૂત્રોના મતે આમિર આત્મકથા લખવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યો છે. જો કે આમિર પોતાના જીવનના રહસ્યો લોકોને કહેશે કે નહિ તે અંગે શંકા છે.આમિરને ઘણી જ મોટી રકમ ઓફર કરવામાં આવી છે અને આ ઓફરને આમિર ગંભીરતાથી લઈ રહ્યો છે. આમિર પોતાની આત્મકથામાં ચોકસાઈ રાખે તે સ્વાભાવિક છે.આમિરની આત્મકથામાં તેની ફિલ્મો અને તેના જીવન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સ્વાભાવિક છે.


‘અમિતજી આગળ હું કંઈ નથી’

સલમાન ખાન બિગ બોસ 4 હોસ્ટ કરવાનો છે. સલમાન ખાનને લઈને ચેનલે એક વિવાદ શરૂ કરી દીધો છે. બિગ બોસ 3 અમિતાભ બચ્ચને હોસ્ટ કર્યુ હતું અને તેને કારણે સલમાનની તુલના બિગ બી સાથે થઈ રહી છે.સલમાને કહ્યું હતું કે, તેણે શિલ્પા અને અમિતજીએ બિગ બોસનું સંચાલન કર્યુ તે તમામ એપિસોડ જોયા હતા. સલમાન શિલ્પા જે રીતે સંચાલન કરતી હતી તે રીતનું સંચાલન કરશે.વધુમાં સલમાને કહ્યું હતું કે, અમિતજી સિનીયર છે. તેમની આગળ હું ઘણો જ નાનો છું. તેથી અમારી વચ્ચે તુલના કરવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી.જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે, તેણે શા માટે બિગ બોસમાં સ્પર્ધક તરીકે નહિ પણ સંચાલક તરીકે આવ્યો. તો તેણે કહ્યું હતું કે, તેને ચોવીસ કલાક જેલમાં રહેવું પસંદ નથી. ઘરની અંદરના લોકોને બહારથી જોવા પસંદ છે.સલ્લુને પોતાનું અંગત જીવન જાહેર થાય તે બિલકુલ પસંદ નથી. તેના જીવનમાં લોકો દખલગીરી કરે તે બિલકુલ પસંદ નથી.સલમાને દસ કા દમનો શો હોસ્ટ કર્યો હતો પરંતુ કેબીસી 4ને કારણે તેના શોને પાછો ઠેલી દેવામાં આવ્યો છે. સલમાનને હજી પણ દસ કા દમનો શો કરવો છે. કેબીસી પૂરું થયા પછી દસ કા દમ શરૂ થશે તેવી આશા સલ્લુને છે.


45 વર્ષ સુધી ડેટિંગ પર પ્રતિબંધ!

હોલિવૂડના સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલને પોતાની ત્રણેય દીકરીઓને પ્રેમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સ્ટેલન પોતાની ત્રણેય પુત્રીઓ પર 45 વર્ષ સુધી ડેટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.રોકી ફિલ્મ સીરિઝ દ્વારા લોકપ્રિય થનાર સ્ટેલનની ત્રીજી પત્ની જેનિફર ફ્લાવિનને ત્રણ પુત્રીઓ છે. સોફિયા(14), સિસ્ટીન (12) અને સ્કારલેટ (8) છે.આ સિવાય સ્ટેલનને પહેલી પત્ની સાશા ચાસ્કથી બે પુત્રો છે. સ્ટેલને સ્વીકાર કર્યો હતો કે, તેની પુત્રીઓની ઉંમર વધતા તેને ચિંતા થવા લાગી છે.વધુમાં સ્ટેલને કહ્યું હતું કે, તે પોતાની પુત્રીઓને ઘણો જ પ્રેમ કરે છે. આ જ કારણથી તે પોતાની પુત્રીઓને 45 વર્ષ સુધી ડેટિંગ પર જવાની મંજૂરી આપી શકે તેમ નથી. તેના માટે દીકરીઓનો ઉછેર એક પડકારજનક કામ છે.


સલમાન બિગ બોસ 4 હોસ્ટ કરશે

બિગ બોસ કોણ હોસ્ટ કરશે તે વાતને લઈને અત્યાર સુધી ઘણાં નામોની ચર્ચા થઈ છે. પહેલા શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર જેવા નામો ચર્ચાઈ ગયા છે.જો કે સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે સલમાન ખાન બિગ બોસનું સંચાલન કરશે. બિગ બોસ 3નું સંચાલન અમિતાભ બચ્ચને કર્યુ હતું. જો કે હવે બિગ બી કેબીસી 4નું સંચાલન કરવાના હોવાથી બિગ બોસનું સંચલાન કોણ કરશે તે વાતને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી.હવે, અમિતાભ અને સલમાન ખાન વચ્ચે સીધી સ્પર્ધા થશે તેમ માનવામાં આવી રહ્યું છે. જો કે સલમાને કહ્યું હતું કે, તેને આવી સ્પર્ધાનો કોઈ ડર નથી. તેને સાચે જ ટીઆરપીની પડી નથી. ટીવી પર તે માત્ર પોતાના દર્શકોનું મનોરંજન કરવા માંગે છે. વધુમાં સલ્લુએ કહ્યું હતું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લાં 22 વર્ષથી છે. અત્યાર સુધી તેને દર્શકોએ ઘણો જ પ્રેમ આપ્યો છે. હવે સમય છે કે, તે પોતાના ચાહકોને કંઈક આપે. તેથી જ તે નાના પડદે કામ કરી રહ્યો છે.


હેમા માલિની રાજકારણીઓ સામે બાથ ભીડશે?

હેમા માલિની થોડા સમય પહેલા ડાન્સિંગ ક્વીન નામના એક રિયાલિટી શોની જ્જ બની હતી. ત્યારબાદ હેમામાલિની ટીવીના પડદે નજરે આવી નહોતી.થોડા સમય પહેલા સમાચાર હતા કે, હેમામાલિની પોતાની પુત્રી એશા દેઓલને કરિયરને વેગ આપવા માટે એક ફિલ્મ બનાવી રહી છે.જો કે હવે, એવી વાત છે કે, હેમામાલિની પોતાની પુત્રીને રઝિયા સુલતાન નામની સીરિયલમાં લોન્ચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, હેમામાલિનીએ રઝિયા સુલતાન નામની ફિલ્મમાં કામ કર્યુ હતું.આ સિવાય હવે હેમામાલિની રામ ગોપાલ વર્માની ફિલ્મ સરકાર રાજમાંથી પ્રેરણા લઈને એક રાજકારણીઓ પર આધારિત સીરિયલ બનાવવા જઈ રહી છે.














4 AUGUST 2010
મેં અમિતભાઈને કહ્યું કે જો તમને...

બેંગલોરમાં રહેતા તુલસી પ્રજાપતિના સાગરીત મહેન્દ્ર ઝાલા તેમજ પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ અને દશરથ પટેલ વચ્ચે તા. ૫ એપ્રિલ ૨૦૧૦ ના રોજ સવારે ૧૧.૪૦ વાગે થયેલી મિટિંગનું રમણ પટેલ દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જેના સંવાદો આ પ્રમાણે છે.મહેન્દ્ર ઝાલા: મેં કંડાસ્વામીને કહ્યું કે તમે તમારો ટાઇમ બગાડો છો અને મારો પણ ટાઇમ બગાડો છો. હું બેંગલોરથી પ્લેનમાં બેસીને આવ્યો છું અને તમે મને જ આરોપી બનાવવાની વાત કરો છો. હું રમણલાલ બધા લખાવવા તૈયાર છીએ પેલો વિનોદ ગજજર સરકારી વકીલ છે તેને મળવાનું કીધું, એ ગજજર તો અભય ચુડાસમાનો કટ્ટર છે.મેં અમિતભાઈને કીધું કે જો તમને વિશ્વાસ છે કે હું આરોપી છું તો તમને મારી વાત સાંભળીને શું ફાયદો?આ બધું થયું તેમાં ચુડાસમા વોચ રાખતો જ હોય. ચુડાસમા એ મારા બહેનના દિયરનો ખાસ ભાઈબંધ છે. રાજુ જાડેજા એ ચુડાસમાનો ખાસ માણસ છે, એટલે મારી બહેનના દિયર મારી પાસે આવ્યા, તેની સાથે વાત કરી કે રમણલાલને બીચારાને ફાયરિંગ થયું તેને પણ આરોપી બનાવ્યા અને અમને પણ ૨૦૦૧થી આ માણસ હેરાન કરે છે. રમણભાઈ-દશરથભાઈ અમે બધા હેરાન થઈ રહ્યા છીએ.અમારો કોઈ વાંક નથી, છતાં તમે કહો આપણે ઢીલા શા માટે થયા આપણે સીબીઆઈએ પેલું ના કર્યું એટલે સીબીઆઇ વાળા કહે છે તમારે છે ને કૃષ્ણનો રોલ કરવાનો છે. ચુડાસમા પકડાય તેના ૪૮ કલાકમાં અમિતનો વારો છે.એટલે મેં તો કીધું અમે તો પાંચ વર્ષથી સીબીઆઇની રાહ જોઈએ છીએ. અમારા માટે તો ભગવાન જેવી છે. તમે આવ્યા અને આવી વાત કરો છો, એ રિવોલ્વરનું લખાવી લે તો અમે ફસાઈ જઈશુ. ખાલી કરપ્શનનું લખીને આપો તો પણ સુપ્રીમ ઊંચું થઈ જશે.


કચ્છ : રણમાં ભરાયેલાં પાણી વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોર જબ્બે

કચ્છમાં સતત વરસાદી માહોલ છવાયો છે અને સરહદની પેલે પાર પાકિસ્તાનમાં મુશળધાર વર્ષા થઇ રહી છે એવા સંજોગોમાં પાક સીમા ઓળંગીને ભારતીય બોર્ડરમાં ઘૂસેલા એક આધેડ શખ્સને વિઘાકોટ એરિયામાંથી બીએસએફના જવાનોએ પકડી પાડ્યો હતો. તપાસ અર્થે તે નરા પોલીસને સોંપાયા બાદ એસઓજી દ્વારા તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.નરાના પીએસઆઇ આર.ટી. તલસાણિયાએ કહ્યું કે, પાકિસ્તાનના બદીન જિલ્લાના સીરો મંધરો ગામનો રહેવાસી કારો ભલાજી મંધરા (ઉ.૫૦) ગેરકાયદે સરહદ પાર કરી ભારતીય સીમામાં ઘૂસ્યો, ત્યારે વિઘાકોટ એરિયાના પિલર નં.૧૧૧૦/૧ પાસેથી બીએસએફની ૫૩-બટાલિયન ડેલ્ટા કંપનીના ઇન્સપેક્ટર ઓમરાજ તથા સ્ટાફે તેને ગત તા.૨ના રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં પકડી લીધો હતો.ખાવડા પોલીસમાં તેને રજૂ કર્યા બાદ તેની તપાસ નરા પોલીસને સોંપવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછમાં તે સિંધી ભાષા બોલતો હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત તે ઢોર ચરાવવા નીકળ્યો, ત્યારે માથું ફરી જતાં ભૂલથી સરહદ પાર કરી હોવાનું તેણે રટણ કર્યું હતું, જે પોલીસને ગળે ઉતરતું નથી. જોકે, પોલીસે તેની પાસેથી પાકિસ્તાની ચલણ અને આઇકાર્ડ સહિતની ચીજો કબજે કરી હતી અને એસઓજી સાથે મળીને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, વધુ તપાસ અર્થે આ શખ્સ જ્યાંથી ઝડપાયો, ત્યાંનું નિરીક્ષણ કરવા આવતીકાલે પોલીસ રવાના થશે.સરહદ પર ગઇકાલે પકડાયેલા આધેડ પાકિસ્તાની પાસેથી પોલીસને પાક ચલણી નોટોમાં રૂ.૧૦૦, રૂ.૫૦ રૂ.૧૦ અને રૂ.૫ની એકએક નોટ મળી આવી હતી. જ્યારે રૂ.૨ અને રૂ.૧નો સિક્કો પણ મળી આવ્યો હતો. આઇકાર્ડ તરીકે તેની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યું, જેનો નંબર સી.ઇ.૦૦૨૮૨૨ જોવા મળ્યો છે. ઉપરાંત ૨ ધાબળા, એક જોડી બૂટ અને એક પાકિટ પણ મળી આવ્યાનું નરા પીએસઆઇ તલસાણિયાએ જણાવ્યું હતું.


શિપબ્રેકિંગની મોટાભાગની માગણી એક્સાઇઝે સ્વીકારી

શિપબ્રેકિંગ ઉદ્યોગ પર સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ દ્વારા લાદવામાં આવેલા નવા નિયમો લાદવામાં આવતા ઇન્ડસ્ટ્રી પર સંકટના વાદળો ઘેરાયા હતા, અને તેની વિસ્તૃત રજૂઆત ઉચ્ચકક્ષાએ કરવામાં આવતા ચિફ કમિશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા મોટાભાગના નિયમોમાં રાહત આપવામાં આવી છે, અને શિપબ્રેકરોએ પણ તેઓએ બંધ કરેલા લોડિઁગ અને ડિલિવરીના કામકાજ પુન: ચાલુ કરી દીધા હતા. એક્સાઇઝ વિભાગ દ્વારા શિપના વજન સામેનો હિસાબ આપવાનો અમાનુષી નિર્ણય સામે તમામ શિપબ્રેકરોને વિરોધ હતો, અને પ્રતિનિધિ મંડળે ઉચ્ચ અધિકારીઓને મળી વિસ્તૃત છણાવટ કરતા અધિકારીઓએ પણ વાત ગ્રાહ્ય રાખી હતી અને આ નિયમ પડતો મુકવાનો નિર્ણય લીધો હતો.શિપ રીસાયકિલંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમેખ વિશ્નુકુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર પ્લેટના અલગ અલગ પ્રકાર પ્રમાણે બિલો બનાવવાની અને તેના રીપોર્ટ બનાવવા અંગેની તંત્રની વાતનો અમોએ સ્વીકાર કર્યો છે. અધિકારીઓએ અમને સાંભળી અને મડાગાંઠ ઉકેલી છે. ટ્રક ઓપરેટરો સહિતની બાબતોનો પણ ઉકેલ આવી ગયેલ છે.ટ્રાન્ઝેકશન કેરી ફોરવર્ડ કરવાના નિયમ અંગે મથામણ. અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગમાં વ્યવસાયકારોએ દરેક ટ્રાન્ઝેકશનના બિલો બનાવી અને આગલા બિલ સુધીના ટર્નઓવરની રકમ તેના પછીના બિલમાં કેરી ફોરવર્ડ કરવા પડશે, તેવી તંત્રની વાત અંગે મડાગાંઠ પડી છે.શિપબ્રેકરોનો બુદ્ધીજીવી વર્ગ એવું માને છે કે આવી પ્રથાથી અમારા ટ્રેડ સિક્રેટ ખુલ્લા પડી જશે. અને ટર્નઓવર એ દરેક ધંધાર્થીની ખાનગી બાબત છે, તે પણ જાહેર થઇ જવાની સંભાવના છે. જો કે, અધિકારીઓએ આ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય લઇ યોગ્ય કરવા પણ હૈયાધારણા આપી છે

શિક્ષણ સમિતિની આગામી સભામાં ભારે વિવાદ સર્જાશે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી તા.૫મી ઓગસ્ટે મળનારી સાધારણ સભામાં કાળિયાબીડની સ્કુલ અને ભંગાર માલ-સામાનના વેચાણ બાબતે ભારે વિવાદ સજાઁવાની શક્યતા વર્તાઈ રહી છે.મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી અને કદાચિત અંતિમ મળનારી સાધારણ સભામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પાછળ થયેલો રૂ.૯૭,૪૪૯નો ખર્ચ, શાળાઓના ભંગારની હરરાજી માટે બહાર પડાયેલા ટેન્ડર, સ્ટેશનરી છાપકામ, નિવૃત્ત થયેલા કર્મચારીને ગણવેશની રકમ આપવા અને કાળિયાબીડમા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા શરૂ કરવા અને માસિક ભાડાથી રાખવામાં આવેલ જમીન-મકાન તથા ધોરણ ૧થી૪ની મશિ્ર શાળા શરૂ કરવા અંગે મંજુરીની અપેક્ષાએ આપેલી મંજુરી જાહેર કરવા સહિતના ઠરાવો બાબતે ચર્ચા-વિચારણા કરાશે.જ્યારે કન્યા કેળવણી મહોત્સવ પાછળ થયેલો એકલાખ જેવો નિરર્થક ખર્ચ ઘણા સમયથી વિવાદાસ્પદ ભંગારની હરરાજી તેમજ સભ્યોની જાણવગર મકાન કાળિયાબીડમાં શાળા શરૂ થઈ જતા તે અંગે સભ્યો તડાપીટ બોલાવવાની શક્યતા બળવત્તર બની છે. અમુક વિવાદાસ્પદ નિર્ણયોમાં અનેકની નીચે રેલો આવવાની સંભાવના છે. પરંતુ સભ્યો જો પાણીમાં ન બેસે તો.


વલ્લભીપુરમાં અષાઢી ધારાએ ચાર ઈંચ વરસાદ

ભાવનગર જિલ્લામાં મેઘરાજા ધીમીધારે મેઘમહેર વરસી રહી છે. આજે પણ જિલ્લામાં વરસાદમાં વલ્લભીપુર ચાર ઈંચ સાથે મોખરે રહ્યું હતું. ઉમરાળામાં બે ઈંચ અને તળાજા, ગારિયાધાર, બોટાદ અને ભાવનગર શહેરમાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસી ગયો છે.વલભીપુર શહેર અને પંથક સવારથી વરસાદી વાદળો થી છવાયેલા હતાં. ધીમી ધારે શરૂ થયેલ વરસાદ બપોર બાદ ધોધમાર શરૂ થતાં સાંજ સુધીમાં ૯૬ મી.મી. એટલેકે ચાર ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. આમ શહેરમા છેલ્લા બે દિવસથી મેધ મહેર શરૂ રહેતા છ થી સાત ઇંચ વરસાદ પડી ગયો છે.આ રીતે વલભીપુરમાં મૌસમનો કુલ વરસાદ ૪૯૬ મી.મી. નોંધાયો છે. ઉમરાળા તાલુકામાં પણ સવારથી વરસાદનો માહોલ છવાયેલો હતો. અને સવારના સમયે ઝરમર ઝરમર શરૂ થયેલ વરસાદ બપોર પછી જોરદાર રીતે પડતા સાંજ સુધીમાં ૪૨ મી.મી. નોંધાયો હતો.ગારીયાધાર પંથકમાં મંગળવારે દિવસ દરમિયાન વરસાદના હળવા ઝાપટા વરસ્યા હતા અને અંદાજે ૨૨ મી.મી. વરસાદ નોંધાયો છે.તળાજામાં બપોરનાં સમયે વારંવાર જોરદારઝાપટા પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા તેમજ નીચાણવાળા વિસ્તારમાં તળાવડા સર્જાયા હતા. સાંજ સુધીમાં વરસાદ ૩૦ મી.મી. પડયો હતો.ભાવનગર શહેરમાં આજે આખો દિવસ ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. વચ્ચે-વચ્ચે છુટાછવાયા વિસ્તચારમાં ભારે ઝાપટા પણ વરસી ગયા હતા. સતત છાંટણાને લીધે છત્રી કે રેઈનકોટ વગર આજે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. બોટાદમાં આજરોજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. બોટાદ શહેરનાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બોટાદમાં અત્યારે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.


યુવા જનજાગરણ યાત્રાનું ૭ ઓગસ્ટે મહેસાણામાં આગમન

કોંગ્રેસના આર્દશોને ઉજાગર કરવા અને કેન્દ્રની ગ્રાન્ટો અંગે પ્રજાને જાગૃત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આગામી ૭ ઓગસ્ટના રોજ મહેસાણામા પ્રવેશનાર યુવા જાગરણ પદયાત્રા યુવા કોંગ્રેસને વધુ મજબૂત બનાવશે એમ મહેસાણા જિલ્લા યુથ કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખે મંગળવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.આગામી દિવસોમાં આયોજીત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસને વધુ મજબુત બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને કોંગ્રેસના ઈતિહાસમાં સૌ પ્રથમ કહી શકાય તેવી તમામ મત વિસ્તારોને આવરતી ૧૭૨૫ કિ.મી.ની ૧૨૫ દિવસની યુવા જાગરણ પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા આગામી ૭ ઓગસ્ટના રોજ મહેસાણાના અલોડા ગામેથી પસાર થનાર છે.મંગળવારે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા મહેસાણા જિલ્લા ઈન્ચાર્જ યુવા કોંગ્રેસ પ્રમુખ ધરમસી દેસાઈએ કહ્યું હતું કે, કેન્દ્રની વિવિધ યોજના અંગે નાના-મોટા ગામડાની પ્રજામાં જાગૃતિ લાવવાનું તેમજ વધુમાં વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાય અને ‘આમ આદમી કા સિપાઈ’ બને તેવો આ યુવા જાગરણ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.આ પત્રકાર પરિષદમાં યુવક કોંગ્રેસ પ્રમુખ ધરમસી દેસાઈ, મહામંત્રી જીતુ ચૌધરી, મહામંત્રી પરેશ પરમાર, એન.એસ.યુ.આઈ. પ્રમુખ દિગ્વિજય ગોહિલ, સિદ્ધરાજસિંહ ઝાલા તથા શૈલેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.


વામજ પાસે વિહિપ અગ્રણીના ભાઇની ભેદી સંજોગોમાં લાશ મળી

કડીના વામજ ગામ નજીકના કાચા રસ્તામાં આવેલ નેળીયામાંથી મંગળવારે સાંજે સળગી ગયેલી અલ્ટ્રો ગાડીની પાછલી સીટમાંથી સળગી ગયેલી હાલતમાં અમદાવાદના યુવાનની મળી આવેલી લાશે રહસ્યો સર્જયા છે.હત્યા કે મોત અંગે અટવાયેલી સ્થાનિક પોલીસે લાશનું પોસ્ટમાર્ટમ કરાવી યુવાનના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે. આ અંગે કડી પોલીસે હાલના તબક્કે જાણવા જોગ નોંધીને એફએસએલની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી બાજુ આ લાશ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અશ્વિનભાઇ પટેલના ભાઇની હોવાનું બહાર આવ્યું છે.કડી તાલુકાના વામજ ગામેથી અડધો કિ.મી.ના અંતરે ઓએનજીસીના વેલ તરફ જવાના કાચા રસ્તા ઉપર આવેલા સાંકડા નેળીયામાં મંગળવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં સળગેલી હાલતમાં જી.જે. ૧૮ એ.સી. ૭૫૧૩ નંબરની અલ્ટ્રો ગાડી જોતા ગામજનોમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળે પહોંચેલી કડી પોલીસે ગાડીમાં તપાસ કરતાં પાછલી સીટમાંથી અજાણ્યા યુવાનની સળગેલી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા તર્કવિતર્કો સજાર્યા હતા.જો કે, ગણતરીના સમયમાં જ ઘટના સ્થળે પહોંચેલ વિશ્વ હિન્દુ પરિષદના જોઈન્ટ સેક્રેટરી અશ્વિનભાઈ પટેલે ગાડીમાંથી મળી આવેલી લાશ અમદાવાદ ખાતે સમર્પણ બંગ્લોઝમાં રહેતા અને પોતાની સાથે કેમિકલનો વ્યવસાય કરતા તેમના નાના ભાઈ રાકેશભાઈ ગોવિંદભાઈ પટેલની હોવાની ઓળખ કરી હતી.સળગી ગયેલી હાલતમાં મળી આવેલા યુવાનની હત્યા કે અકસ્માત મોત અંગે સર્જાયેલા અટકળો વચ્ચે કડી પોલીસે લાશનું પોસ્ટમાર્ટમ કરી મોત પાછળનું સાચુ કારણ જાણવા પ્રયાસ કર્યો છે. સળગેલી હાલતમાં ગાડી તેમજ લાશ મળી આવવાના આ ચકચારી કેસમાં હત્યારાઓએ જવલંત પ્રવાહીનો ઉપયોગ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે મહેસાણા એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.


તારાપુરમાં ખાતર અને ધરૂનો કકળાટ !

ખંભાત-તારાપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી સતત વરસતાં વરસાદને પગલે ખેડૂતોએ રોપણીકાર્ય પૂરજોશમાં આરંભી દીધું છે. ભાલ પંથકમાં ડાંગર અને ચરોતર-કાંઠા વિસ્તારમાં ખેડૂતો દ્વારા તમાકુની રોપણીની કામગીરીનો પ્રારંભ કરાયો છે, ત્યારે તમાકુ ધરુની તંગીના કારણે પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.ધરુની અછતને પગલે તારાપુર તાલુકામાં ર૮ ટકા અને ખંભાત પંથકમાં ૩૧ ટકા સીમ વિસ્તારમાં જ ડાંગર તેમ જ તમાકુની રોપણી થઈ શકી છે. આ ઉપરાંત ખંભાત-તારાપુર પંથકમાં રૂ.રપપના યુરિયા ખાતરની થેલીના કેટલાક વેપારીઓ દ્વારા હાલ બેવડી માંગ નીકળતાં રૂ.૩૦૦ વસુલવામાં આવતા હોવાની પણ ફરિયાદ વ્યાપક બની છે.ચરોતરમાં તમાકુ, ભાલમાં ડાંગર અને કાંઠા વિસ્તારમાં શાકભાજી આધારિત ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોનો તાજેતરની મેઘમહેર બાદ મૂળ પ્રશ્ન ખાતર અને ધરુ બની ગયો છે. ભાલનાં ખેડૂત હરમાનભાઈએ જણાવ્યું હતું કે, અહીંના ખાતરના ડેપો દ્વારા ખાતર આપવામાં આનાકાની કરવામાં આવે છે. ક્યારેક અઠવાડિયે એક જ વખત ખાતરનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે ખાનગી વિતરકો દ્વારા ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ કરવામાં આવે છે.ખંભાત અને તારાપુરમાં પણ ખાતરની અછત છે, એમ જણાવી રૂ. રપપની મૂળ કિંમત સામે રૂ.૩૦૦ સુધીની રકમ વસુલવામાં આવી રહી છે. તારાપુરમાં એક ખાતરના વેપારી દ્વારા રૂ.૩૦૦માં યુરિયા એક થેલી વેચાય છે અને જો આ અંગે કોઈ ખેડૂત દ્વારા પાકું બિલ માંગવામાં આવે તો આનાકાની કરવામાં આવે છે, તેમ છતાં જો ખેડૂત તકરાર કરે તો થેલી પાછી લઈ લેવામાં આવે છે.હાલમાં ખંભાત-તારાપુર તાલુકાના સીમ વિસ્તારમાં ૧૨૦૦ હેક્ટર જમીનમાં તમાકુનું વાવેતર થઈ રહ્યું હોઈ ખાતર અને તમાકુની ધરુની ભારે ખેંચ ઉભી થઈ છે. છેલ્લા રપ વર્ષથી ચોમાસામાં તમાકુનું વાવેતર કરતાં જયંતિભાઈ પટેલના જણાવ્યા મુજબ પ્રથમ રાઉન્ડમાં અપૂરતો વરસાદ અને સિંચાઈ વિભાગની આડોડાઈને કારણે ચાલુ વર્ષે ધરુવાડિયા નિષ્ફળ ગયા છે.


રાસનોલ કેનાલમાં ગાબડું પુરવા તંત્રની દોડધામ

આણંદ નજીકના રાસનોલ પાસે આવેલા રામપુરા વિસ્તારમાં લાખો રૂપિયાનું નૂકશાન પહોંચાડનાર કેનાલના ગાબડાને પુરવાની કામગીરી મંગળવારે સવારથી વરસાદી માહોલ વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે. જોકે સીમ વિસ્તારમાં ધસી ગયેલા કેનાલના પાણી ધીરેધીરે ઓસરી રહ્યા હોઇ બે દિવસ બાદ સંપૂર્ણ પાણી ઉતરી ગયા પછી પંથકના ખેડૂતોને થયેલા નુકસાન માટે વિશેષ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું તંત્રવાહકોએ જણાવ્યું હતું.રાસનોલ અને કુંજરાવ વચ્ચેથી પસાર થતી મહી કેનાલ પેટલાદ શાખામાં રવિવારની રાત્રે અંદાજે ૧૦૦ ફુટનું ગાબડું પડ્યું હતું. જેના પગલે રાસનોલ, કુંજરાવ અને રામપુરાની સીમ વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો હતો. સીમ વિસ્તારની સાથે કેટલાક મકાનોમાં પણ પાણી પ્રવેશી જતાં લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.આ બનાવની જાણ થતાં જ મંગળવારે સવારે ઉચ્ચ અધિકારીઓની સાથે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતની ટીમ અને સારસાના ધારાસભ્ય જયંતભાઇ બોસ્કી તાબડતોબ સ્થળ પર પહોંચી જઇ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી હતી. આ અંગે કાર્યપાલક ઇજનેર પટેલે વધુમાં જણાવ્યું હતું કે મંગળવારે સવારથી જ ગાબડું પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી માટે બે જેસીબી મશીન અને એક ઓડકોન તેમજ ચાર ડમ્પર ઉપયોગમાં લેવાયાં છે. આ ગાબડાને પ્રથમ માટીથી પુરી દઇ તેના ઉપર પાકું ચણતર કરી ફીટ કરી દેવામાં આવનાર છે. જોકે, વરસાદના કારણે કામગીરીમાં થોડી અડચણ ઉભી થઇ રહી છે. છતાં એકાદ બે દિવસમાં સંપૂર્ણ કામગીરી પુરી કરવાનો પ્રયાસ કરાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં સીમ વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે.


દુનિયા બદલવા શરૂઆત તમારાથી કરો’

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આફ્રિકાના યુવા નેતાઓને મહાત્મા ગાંધીને અનુસરવાની શિખામણ આપી હતી. ઓબામા, જે ગાંધીજીને પોતાનો આદર્શ માને છે, તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીએ શિખ આપી હતી કે જો તમારે દુનિયાને બદલવી હોય તો પહેલા તમારા બદલાવવું પડશે.ઓબામા યુવાન આફ્રિકન નેતાઓને સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક પ્રશ્નના જવાબમાં તેમણે ઉપરોક્ત બાબત જણાવી હતી. આશરે 50 આફ્રિકન દેશોમાંથી યુવાનેતાઓને વ્હાઇટ હાઉસમાં બોલાવવામાં આવ્યાં હતા. પોતાના વ્યક્તવ્યમાં ઓબામાએ જણાવ્યું હતું કે આફ્રિકાનું ભવિષ્ય તેના યુવાનોના હાથમાં છે.આ પ્રસંગે ઓબામાએ જણાવ્યું હતું કે આફ્રિક દુનિયાનો પાયાનો ભાગ છે. અમેરિકા દ્વારા આફ્રિકન યુવાનોને સશક્ત બનાવવા માટે મદદ ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત આફ્રિકામાં પાયાની સુવિધાઓ ઉભી કરવા માટે પણ ફાળો આપવામાં આવશે.


યુનોએ ૪૫ ત્રાસવાદીઓનાં નામ બ્લેકલિસ્ટમાંથી બાદ કર્યા

સંયુક્ત રાષ્ટ્ર સંઘે ત્રાસવાદી સંગઠનો તથા આતંકવાદીઓની યાદીમાંથી તાલિબાન અને અલકાયદાને મદદરૂપ થતાં ૪૫ ત્રાસવાદીઓને દૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આ યાદીમાં ૪૮૮ ત્રાસવાદીઓના નામ હતા.ઓસ્ટ્રિયાના એમ્બેસેડર તથા સિકયોરિટી કાઉન્સિલની બ્લેકલિસ્ટની જાળવણી કરતી પેનલના અધ્યક્ષ થોમસ માયર હાર્ટીગે કહ્યું કે અમે નવ વર્ષ બાદ પ્રથમ વખત બ્લેકલિસ્ટ પર પુન:વિચારણા કરી છે. ૭૫ ટકા મામલાઓમાં અમે નવી માહિતી મેળવવામાં સમર્થ બન્યા છીએ. બ્લેકલિસ્ટ તૈયાર કરવા માટે ૩૮ બેઠકો યોજી ૪૮૮ નામ વિશે ચર્ચા કરવામાં આવી હતી.માયર હાર્ટીગે કહ્યું કે તાલિબાનના ૧૩૨ તથા અલકાયદાના ૩૧૧ ત્રાસવાદીઓના નામ બ્લેકલિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. બીજા ૬૬ નામો પર હજુ ચર્ચા ચાલુ છે.૨૭૦ ત્રાસવાદીઓના નામ પર છે કે ૨૦૦૧થી પુન:વિચારણા કરવામાં આવી નહોતી તેવું કહેતા માયર હાર્ટીગે કહ્યું કે બાકીની યાદીમાં હવે બહુ મોટાપાયે ફેરફાર જોવા મળશે નહીં. ૨૭૦ નામો પર ૨૦૦૧થી પુન:વિચારણા કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે, નવા નિયમ મુજબ બ્લેકલિસ્ટમાં મુકાયેલા પ્રત્યેક વ્યક્તિના નામ પર દર ત્રણ વર્ષે પુન:વિચારણા કરવી જોઈએ.


રૂ. ૫ લાખની નોટો બિછાવીને મહિલા સળગી ગઈ

જયપુર શહેરના મુહાના વિસ્તારમાં એક મહિલાએ સોમવારે મોડી રાત્રે માત્ર રૂ. ૫૦૦ના ઝઘડા માટે રૂ. પાંચ લાખના મૂલ્યની નોટો અને જમીનના દસ્તાવેજો જમીન પર પાથરીને તેના પર કેરોસીન રેડીને સળગી ઊઠી હતી.પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે ટીલાવાલા ગામના રહેવાસી કિશોરસિંહે તેની માતાને હોસ્પિટલમાં ચેક અપ માટે લઈ જવા માટે પત્ની સુમન કંવર(૩૨ વર્ષ) પાસે ૫૦૦ રૂપિયા માગ્યા હતા. પણ સુમને પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ કિશોર પાડોશી પાસેથી ઉધાર પૈસા લઈને માતાને ડોક્ટર પાસે લઈ ગયો હતો. રાત્રે લગભગ ૧૨.૩૦ કલાકે મકાનમાં ધુમાડા ફેલાઈ જતા કિશોરસિંહની ઊંઘ ઊડી ગઈ. ધુમાડા સુમનના રૂમમાંથી નીકળી રહ્યા હતા.કિશોરે દરવાજો ખટખટાવ્યો, પણ જવાબ ન મળ્યો. આથી તેણે પાડોશીને જાણ કરી. રાત્રે બે વાગે પોલીસે આવીને દરવાજો તોડતા અંદર આગની જવાળા વચ્ચે સુમન સળગી રહી હતી. આગ બુઝાવાઈ ત્યાં સુધીમાં તો સુમન સળગી ગઈ હતી. રૂમમાં રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની ઢગલાબંધ નોટો અડધી સળગેલી અને આમ-તેમ ઊડતી નજરે પડી હતી. જમીન અને વીમાના દસ્તાવેજો પણ સળગી રહ્યા હતા. પોલીસે કહ્યું કે બે વર્ષ પહેલા કિશોરસિંહે પાંચ વીઘા જમીન વેચી હતી, જેમાંથી સારી એવી રકમ મળી હતી અને તેમાંથી તેણે મકાન બનાવ્યું હતું. મકાન અને તમામ સંપત્તિ સુમન કંવરના નામે હતી. છ મહિનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. બન્ને એક જ મકાનમાં પણ અલગ-અલગ રૂમમાં રહેતા હતા.


ડીમ્ડ યુનિ.ની માન્યતા રદ કરવાની કેન્દ્ર પાસે સત્તા

કેન્દ્રે સુપ્રીમકોર્ટને જણાવ્યું કે, શિક્ષણની જરૂરી ગુણવત્તા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડવા બદલ ૪૪ ડીમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની યુજીસીના નિયમો હેઠળ કેન્દ્ર પાસે સત્તા છે. ટંડન સમિતિએ ડીમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની ભલામણ કરી હતી.ન્યાયમૂર્તિઓ દલવીર ભંડારી અને દીપક વર્માની બેંચ સમક્ષ ઉપસ્થિત થયેલા સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમે જણાવ્યું કે, યુજીસી કાયદા હેઠળ યુનિવર્સિટીઓને ડીમ્ડનો દરજજો આપવાની પંચને સત્તા આપવામાં આવી છે. ગોપાલ સુબ્રમણ્યમે બેંચ સમક્ષ એવી પણ રજુઆત કરી કે, યુનિવર્સિટીઓને ડીમ્ડ દરજજાની માન્યતા આપવાની સત્તામાં ધારાધોરણો પૂરા કરવામાં નિષ્ફળ નીવડવા બદલ તેમની માન્યતા રદ કરવાની સત્તાનો પણ સમાવેશ થાય છે.પછીથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી કેકે વેણુગોપાલે ૪૪ યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની કેન્દ્રની દરખાસ્તની આકરી ટીકા કરીને જણાવ્યું કે, આવી સત્તા માત્ર યુજીસી પાસે હોવાથી યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાનું ગેરકાનૂની છે.યુનિવર્સિટીઓની માન્યતા રદ કરવાની ભલામણ કરનાર પ્રોફેસર પીએન ટંડન સમિતિની રચના સામે પણ વેણુગોપાલે પ્રશ્ન ઉઠાવ્યો છે. આવતીકાલે દલીલો ફરી શરૂ થશે.


અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો

અમેરિકન ડોલર સામે આજે ભારતીય રૂપિયાની શરૂઆત નીચા મથાળે થઇ હતી. અમેરિકન ડોલરની આયાતકારો વતી સારી એવી માંગ નીકળતા ડોલરની મજબૂતી સામે રૂપિયો 12 પૈસા નીચામાં ખૂલ્યો હતો.ધી આંતર બેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સ્થાનિક સ્તરે રૂપિયો 12 પૈસા નીચામાં રૂ.46.28 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે ગઇકાલના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 8 પૈસા ઉપરમાં રૂ.46.16/17 પર બંધ રહ્યો હતો.


શેરબજારની શરૂઆત : સેન્સેક્સ 57 અંક અપ

આજે મુંબઇ શેરબજારની શરૂઆત ઉપરમાં થઇ હતી. આઇટી સ્ટોકની આગેવાની હેઠળ બીએસઇ ખાતે સેન્સેક્સ 57.28 અંક એટલે કે 0.30 ટકાના વધારા સાથે 18,172.11 પર ખૂલ્યો હતો. જ્યારે એનએસઇ ખાતે નિફ્ટી 13.70 અંક એટલે કે 0.23 ટકાના વધારા સાથે 5453.25 પર ખૂલી હતી.બ્રોકરોનું કહેવું છે કે રિટેલ ઇન્વેસ્ટરો અને ફંડ મેનેજરો આજે હેવીવેઇટ સ્ટોકમાં પણ ખાસ કરીને ટેકનોલોજી કંપનીમાં ખરીદી કરી રહ્યા છે.


આમિર આત્મકથા લખી રહ્યો છે!

બોલિવૂ઼ડ સ્ટાર આમિર ખાન પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર દરેક કામમાં ચોક્સાઈ રાખે છે. આમિર ખાન પોતાની આત્મકથા લખી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક કંપની આમિરની આત્મકથા છાપવા માટે તૈયાર છે. તે કંપનીએ આમિરને બ્લેન્ક ચેક પણ આપ્યો છે. આમિર હા પાડે તેની જ રાહ જોવાઈ રહી છે.વિશ્વસનીય સૂત્રોના મતે આમિર આત્મકથા લખવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યો છે. જો કે આમિર પોતાના જીવનના રહસ્યો લોકોને કહેશે કે નહિ તે અંગે શંકા છે.આમિરને ઘણી જ મોટી રકમ ઓફર કરવામાં આવી છે અને આ ઓફરને આમિર ગંભીરતાથી લઈ રહ્યો છે. આમિર પોતાની આત્મકથામાં ચોકસાઈ રાખે તે સ્વાભાવિક છે.આમિરની આત્મકથામાં તેની ફિલ્મો અને તેના જીવન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સ્વાભાવિક છે.


‘અમિતજી આગળ હું કંઈ નથી’

સલમાન ખાન બિગ બોસ 4 હોસ્ટ કરવાનો છે. સલમાન ખાનને લઈને ચેનલે એક વિવાદ શરૂ કરી દીધો છે. બિગ બોસ 3 અમિતાભ બચ્ચને હોસ્ટ કર્યુ હતું અને તેને કારણે સલમાનની તુલના બિગ બી સાથે થઈ રહી છે.સલમાને કહ્યું હતું કે, તેણે શિલ્પા અને અમિતજીએ બિગ બોસનું સંચાલન કર્યુ તે તમામ એપિસોડ જોયા હતા. સલમાન શિલ્પા જે રીતે સંચાલન કરતી હતી તે રીતનું સંચાલન કરશે.વધુમાં સલમાને કહ્યું હતું કે, અમિતજી સિનીયર છે. તેમની આગળ હું ઘણો જ નાનો છું. તેથી અમારી વચ્ચે તુલના કરવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી.જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે, તેણે શા માટે બિગ બોસમાં સ્પર્ધક તરીકે નહિ પણ સંચાલક તરીકે આવ્યો. તો તેણે કહ્યું હતું કે, તેને ચોવીસ કલાક જેલમાં રહેવું પસંદ નથી. ઘરની અંદરના લોકોને બહારથી જોવા પસંદ છે.સલ્લુને પોતાનું અંગત જીવન જાહેર થાય તે બિલકુલ પસંદ નથી. તેના જીવનમાં લોકો દખલગીરી કરે તે બિલકુલ પસંદ નથી.સલમાને દસ કા દમનો શો હોસ્ટ કર્યો હતો પરંતુ કેબીસી 4ને કારણે તેના શોને પાછો ઠેલી દેવામાં આવ્યો છે. સલમાનને હજી પણ દસ કા દમનો શો કરવો છે. કેબીસી પૂરું થયા પછી દસ કા દમ શરૂ થશે તેવી આશા સલ્લુને છે.


45 વર્ષ સુધી ડેટિંગ પર પ્રતિબંધ!

હોલિવૂડના સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલને પોતાની ત્રણેય દીકરીઓને પ્રેમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સ્ટેલન પોતાની ત્રણેય પુત્રીઓ પર 45 વર્ષ સુધી ડેટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.રોકી ફિલ્મ સીરિઝ દ્વારા લોકપ્રિય થનાર સ્ટેલનની ત્રીજી પત્ની જેનિફર ફ્લાવિનને ત્રણ પુત્રીઓ છે. સોફિયા(14), સિસ્ટીન (12) અને સ્કારલેટ (8) છે.આ સિવાય સ્ટેલનને પહેલી પત્ની સાશા ચાસ્કથી બે પુત્રો છે. સ્ટેલને સ્વીકાર કર્યો હતો કે, તેની પુત્રીઓની ઉંમર વધતા તેને ચિંતા થવા લાગી છે.વધુમાં સ્ટેલને કહ્યું હતું કે, તે પોતાની પુત્રીઓને ઘણો જ પ્રેમ કરે છે. આ જ કારણથી તે પોતાની પુત્રીઓને 45 વર્ષ સુધી ડેટિંગ પર જવાની મંજૂરી આપી શકે તેમ નથી. તેના માટે દીકરીઓનો ઉછેર એક પડકારજનક કામ છે.


સલમાન બિગ બોસ 4 હોસ્ટ કરશે

બિગ બોસ કોણ હોસ્ટ કરશે તે વાતને લઈને અત્યાર સુધી ઘણાં નામોની ચર્ચા થઈ છે. પહેલા શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર જેવા નામો ચર્ચાઈ ગયા છે.જો કે સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે સલમાન ખાન બિગ બોસનું સંચાલન કરશે. બિગ બોસ 3નું સંચાલન અમિતાભ બચ્ચને કર્યુ હતું. જો કે હવે બિગ બી કેબીસી 4નું સંચાલન કરવાના હોવાથી બિગ બોસનું સંચલાન કોણ કરશે તે વાતને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી.હવે, અમિતાભ અને સલમાન ખાન વચ્ચે સીધી સ્પર્ધા થશે તેમ માનવામાં આવી રહ્યું છે. જો કે સલમાને કહ્યું હતું કે, તેને આવી સ્પર્ધાનો કોઈ ડર નથી. તેને સાચે જ ટીઆરપીની પડી નથી. ટીવી પર તે માત્ર પોતાના દર્શકોનું મનોરંજન કરવા માંગે છે. વધુમાં સલ્લુએ કહ્યું હતું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લાં 22 વર્ષથી છે. અત્યાર સુધી તેને દર્શકોએ ઘણો જ પ્રેમ આપ્યો છે. હવે સમય છે કે, તે પોતાના ચાહકોને કંઈક આપે. તેથી જ તે નાના પડદે કામ કરી રહ્યો છે.


હેમા માલિની રાજકારણીઓ સામે બાથ ભીડશે?

હેમા માલિની થોડા સમય પહેલા ડાન્સિંગ ક્વીન નામના એક રિયાલિટી શોની જ્જ બની હતી. ત્યારબાદ હેમામાલિની ટીવીના પડદે નજરે આવી નહોતી.થોડા સમય પહેલા સમાચાર હતા કે, હેમામાલિની પોતાની પુત્રી એશા દેઓલને કરિયરને વેગ આપવા માટે એક ફિલ્મ બનાવી રહી છે.જો કે હવે, એવી વાત છે કે, હેમામાલિની પોતાની પુત્રીને રઝિયા સુલતાન નામની સીરિયલમાં લોન્ચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, હેમામાલિનીએ રઝિયા સુલતાન નામની ફિલ્મમાં કામ કર્યુ હતું.આ સિવાય હવે હેમામાલિની રામ ગોપાલ વર્માની ફિલ્મ સરકાર રાજમાંથી પ્રેરણા લઈને એક રાજકારણીઓ પર આધારિત સીરિયલ બનાવવા જઈ રહી છે.

No comments:

Post a Comment