04 August 2010

રાજકોટમાં આખો દિવસ આકાશ નિચોવાયું, અઢી ઇંચ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં આખો દિવસ આકાશ નિચોવાયું, અઢી ઇંચ
ત્રણ દિવસથી મેઘરાજાએ રાજકોટમાં પડાવ નાખ્યો છે

ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધીંગી ધારે ધરા તરબતર રહી, મોસમનો કુલ વરસાદ ૩૪ ઇંચે પહોંચ્યો.રાજકોટ ઉપર પ્રેમાળ હાથ ફેરવનાર મેઘરાજાએ આજે પણ ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધીંગી ધારે અમૂલ્ય હેતથી ધરાને સતત તરબતર રાખી હતી. વહેલી સવારથી જ ગોરંભાયેલું રહ્યું હતું. બપોર સુધી સમયાંતરે ઝાપટાં વરસ્યા બાદ દોઢ વાગ્યાથી છેક મોડી સાંજ સુધી વાદળો મધ્યમ ગતિએ એકધારા વરસતા હતા. આજે આખા દિવસમાં અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું.છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ રાજકોટમાં પડાવ નાખ્યો છે. મારો વહાલો રોજ અઢીથી ત્રણ ઇંચ હેત વરસાવી રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી સૂર્યનારાયણના દર્શન દુર્લભ બની ગયા છે. દિવસ આખો આકાશમાં કાળા ડિબાંગ વાદળોની આવનજાવન રહે છે અને સતત હળવાથી ભારે ઝાપટાં વરસતા હોય માર્ગો પર તળાવડાંની જેમ પાણી ભરાયેલા રહે છે.દરમિયાન, આજે પણ મારો વહાલો સવારથી જ મંડાઇ ગયો હતો. બપોર સુધી સમયાંતરે ઝાપટાં વરસ્યા બાદ દોઢેક વાગ્યાના અરસામાં ધોળે દિવસે સમી સાંજ જેવું અંધારુ થઇ ગયું હતું અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એવું લાગતું હતું કે, હમણાં બારે મેઘ ખાંગા થશે અને શહેર જળબંબાકાર થઇ જશે. પરંતુ, બાદમાં વરસાદનું જોર નરમ પડી ગયું હતું. જો કે એ પછી સતત એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. મોડી સાંજ સુધી મધ્યમ ગતિએ આભ વરસતું હતું. રાત્રે ૮-૩૦ વાગ્યાના અરસામાં ફરી એકવાર જોરદદાર ઝાપટુ પડ્યું હતું.સતત વરસાદથી માર્ગો પર નદીના વહેણની માફક પાણી દોડતા હતા. આજે દિવસ દરમિયાન અઢી ઇંચથી વધુ પાણી પડી ગયું હોવાનું હવામાન કચેરીમાં નોંધાયું છે. આજે પવનની ઝડપ પણ સરેરાશથી વધુ પ૦ કિલોમીટર જેટલી હોવાનું હવામાન કચેરીમાંથી જાણવા મળ્યું હતું. આજના વરસાદને મળીને મોસમનો કુલ વરસાદ ૮પ૦ મી.મી. એટલે કે, ૩૪ ઇંચે પહોંચી ગયો છે.


મૃતદેહ માટે બીજી વ્યવસ્થા કરો ડ્રાઇવરો ઉજવણીમાં વ્યસ્ત છે!

લોકો ભલે હેરાન થાય મંત્રીઓને પહેલાં સાચવવા પડે! લોકાર્પણ કે ઉદ્ઘાટનના કાર્યક્રમોમાં ફાયરબ્રિગેડના કાફલાને રોકી દેવાતાં મૂળ સેવાથી લોકો વંચિત.રાજકોટ મહાપાલિકાનું સમગ્ર તંત્ર ઉજવણીમાં વ્યસ્ત બની ગયું છે, જેના કારણે લોકોના કામો અટકી ગયા છે. અન્ય કામો તો ઠીક છે, પરંતુ માનવતાના કામો પણ તંત્ર દ્વારા કરવામાં આવતા નથી.ફાયર બ્રિગેડના કાફલાને પણ કાર્યક્રમોમાં અને મંત્રીઓની પાછળ રાખી દેવામાં આવતા કોઇ મૃતદેહ લઇ જવા માટે ફોન કરે તો અન્ય વ્યવસ્થા કરી લો ફાઇટરો ઉજવણીમાં વ્યસ્ત છે.આજે ગંભીર રીતે દાઝી ગયેલી થોરાળામાં રહેતા કાંતાબેન ચાવડા ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે મૃતદેહને બન્ર્સ વોર્ડમાંથી ઘરે લઇ જવા માટે મૃતકના પરિવારજનોએ એમ્બ્યુલન્સ મંગાવવા માટે ફાયરબ્રિગેડમાં ફોન કર્યો હતો.તે સમયે ત્યાથી ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. અત્યારે કોઇ સ્ટાફ નથી, એમ્બ્યુલન્સ છે પરંતુ ઉજવણીમાં ડ્રાઇવરો ગયા હોવાથી કોઇ નહીં આવી શકે બોલબાલા ટ્રસ્ટની ગાડી બોલાવી લો તેવા જવાબો દેવામાં આવે છે.મૃતદેહ માટે કોઇ બીજી વ્યવસ્થા કરો મંત્રીઓ માટે આવા જવાબો દેવામાં આવે છે. માત્ર મંત્રીઓને રાજી કરવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફને ઉજવણીમાં વ્યસ્ત કરી દેવાયો છે. ત્યારે એ ખુદ કમિશનરે આ પ્રશ્ને જો માનવતા હોય તો ગંભીરતા દાખવી ઉજવણીની સાથે લોકોની પણ વ્યવસ્થા કરવી જોઇએ.


નદીના પૂરમાં સાત જણા તણાયા: ચારનાં મોત

અલગ અલગ સ્થળે બનેલી ઘટનામાં. પોરબંદરમાં તણાયેલા ત્રણ યુવાનોમાંથી બેની લાશ મળી.સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળે નદીના પૂરમાં એક વૃધ્ધા અને એક આધેડ સહિત સાત વ્યક્તિ તણાઈ ગયા હતા. જેમાં ચારના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ત્રણ યુવાનો લાપતા થયા હોય તેઓની શોધખોળ ચલાવવામાં આવી છે. પોરબંદરમાં સોમવારના દિવસે તણાયેલા ત્રણ યુવાનો પૈકી બેની લાશ મળી છે. જ્યારે તણાઈ ગયેલા અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ રખાઈ છે.રાજકોટમાં જંગલેશ્વર નજીકથી પસાર થતી આજી નદીના કાંઠે પાણીના ખાડામાં યુવાન બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને રાજસ્થાની યુવાન મદનલાલ ભીમારાવ રેગરની લાશ બહાર કાઢી હતી.યુવાન આજી નદીના પૂરમાં તણાઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત ખીરસરા ગામ પાસે પણ ૬૫ વર્ષના વૃધ્ધા ખીમીબેન બગડા નદીના પૂરમાં તણાઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ધાવા ગીર પાસે ગોકળટિંબીના વોંકળાના પૂરમાં તણાઈ ગયેલા કાનજીભાઈને શોધવા મહેનત શરૂ કરાઈ છે પરંતુ ત્રીસ કલાક બાદ પણ તેનો પતો લાગ્યો નથી.કેશોદના ચાંદીગઢનો યુવાન ટીલોરી નદીમાં તણાઈ ગયો હતો. આ અંગે પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મેણશીભાઈ કરશનભાઈ બોરખતરિયા સોમવારની રાત્રિના ચાંદીગઢથી મઢળા ગામ જઈ રહ્યો હતો ત્યારે ટીલોળી નદીમાં તણાયો હતો. આ યુવાનની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.માંડવીના ગઢશીશા વિસ્તારના ઘોડાલખ ગામમાં રહેતા મમુભાઈ સુરાભાઈ રબારી (ઉ.વ.૫૦) પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તો ભૂલી જતાં રામપર વેકળા રૂકમાવતી નદી સુધી પહોંચી ગયા હતા અને તેઓ નદીના વહેણમાં તણાઈ ગયા હતા. રાહદારીઓએ તેઓની લાશ નિહાળીને સંબંધિત તંત્રને જાણ કરતા આધેડની લાશ બહાર કાઢી લેવાઈ હતી. જ્યારે ઊના તાલુકાના ઉમેજ ગામમાં રહેતો કાઠી યુવાન વલકુ ઉકાભાઈ દુદાવાડા દરણું દળાવીને ઘરે પરત હતો ત્યારે રાવલ નદીના પૂરમાં તણાઈ જતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.પોરબંદરમાં રવિવારના દિવસે ઓરીયન્ટ ફેક્ટરી પાછળના ભાગે આવેલ ખોડિયાર ઘૂનામાં ૪ યુવાનો નહાવા પડ્યા હતા તે પૈકીના ત્રણ યુવાનો મહામુસીબતે બહાર નિકળ્યા હતા જ્યારે અબ્દુલ અલતાફ કાદરી (ઉ.વ.ર૦) નામના મુસ્લિમ યુવાન લાપતા થઇ જતા ૪૮ કલાકની શોધખોળ બાદ આજ બપોરના સમયે ઘૂના નજીક થી જ તેમની લાશ મળી આવતા પીએમ માટે ખસેડાઈ હતી.


મંડપના બે કરોડ, કલાકારોને માત્ર ૨૫૦ રૂપરડી.
૧૪ ઓગસ્ટે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકોટના કલાકારોનું શોષણ.

રાજકોટમાં ૧૪મી ઓગસ્ટની રાતે ભવ્ય વાઇબ્રન્ટ શો યોજાવાનો છે. જેના માટે કરોડો રૂપિયાના મંડપો નાખી દેવામાં આવ્યા છે. પરંતુ જે વાઇબ્રન્ટ શો કલાકારો રજૂ કરવાના છે તેને માત્ર ૨૫૦ રૂપિયા જ દેવાના છે. વાઇબ્રન્ટના નામે કલાકારો સાથે છેતરપિંડી ચાલી રહી છે.કલાકારોની કલા સાથે ક્રૂર મજાક કરાઇ છે. રાજકોટમાં યોજાનાર શો માટે મહાત્માગાંધી શાળામાં તેનું ૬ ઓગસ્ટથી રિહર્સલ શરૂ થવાનું છે. જેના માટે કલાકારો ફાઇનલ કરવામાં આયોજકો વ્યસ્ત બની ગયા છે. જેમાં કલાકારોને એક દિવસના રિહર્સલના ૨૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ૬ દિવસ રિહર્સલ ચાલે અને ૧૪મીએ શો યોજાય એટલે ૭ દિવસનું પેમેન્ટ ૧૭૫૦ રૂપિયા કલાકારોને મળશે.આવા ભવ્ય શો માટે રોજનું ૧ હજારનું પેમેન્ટ હોવું જોઇએ કારણ કે કલાકારોનો કસ કાઢી લેવામાં આવે છે. રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જેમાં ભોજન માટે ૧૭ લાખ અને મંડપ માટે ર કરોડ તો માત્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રંગરોગાન કરવાના ૧૦ લાખ રૂપિયાનો ધૂમાડો થઇ રહ્યો છે. રાજકોટના કલાકારોને માત્ર અઢીસો રૂપરડીમાં ‘બૂક’ કરી લીધા છે. દર વર્ષે ૪ હજારથી ૫ હજારનું પુરસ્કાર મળે છે. આ વેર્ષે રાજ્ય સરકાર જ ડાયરેકટ કલાકારોના ચેકનું પેમેન્ટ કરશે તેવું જાહેર કરતા કલાકારોના ભાવ રાતોરાત ઘટી ગયા છે.જૂથવાદના કારણે રાજકોટના નવા કલાકારોને ચાન્સ નથી મળતો -રાજકોટમાં નાટકમાં કામ કરતા કલાકારોના ગ્રૂપ છે માટે જૂથવાદ ચાલી રહ્યો છે. વર્ષોથી જે લોકો ગ્રૂપના લીડર સાથે કામ કરતા હોય તેને જ વાઇબ્રન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. એક પણ નવી પ્રતિભાને લેવામાં નથી આવતી. જૂથવાદના કારણે નવોદિત કલાકારોને આ સ્ટેજ સુધી પહોંચવા નથી દેવાતાં અને વર્ષોથી નાટકોમાં અભિનય કરતા કલાકારો જ વાઇબ્રન્ટના સ્ટેજ ઉપર ચડાવી દેવામાં આવે છે! હવે તો તે કલાકારોને વારંવાર સ્ટેજ ઉપર જોઇ દર્શકો પણ કંટાળી ગયા છે. અને બોલી રહ્યા કે હવે તો નવા કલાકારોને ચાન્સ આપો.કલાકારોની કિંમત કોડીની કોઇ ભાવ પૂછતું નથી - વાઇબ્રન્ટ શોમાં કલાકારો ફાઇનલ થઇ રહ્યા હતા ત્યારે ચર્ચાઇ રહ્યું હતું કે, રાજકોટમાં ક્યા કામ છે. આ તો આપણે સ્ટેજ આ૫લા છીએ.. એટલે મફતમાં પણ કામ કરવા તૈયાર છે. એટલે જ ગુજરાતમાં રાજકોટના કલાકારોની કિંમત કોડીની છે એક સંપ નહીં હોવાથી કલાકારોનો કોઇ ભાવ પૂછતું નથી. બહારના કલાકારો અહીંથી હજારો રૂપિયા કમાઇને જાય છે.


નદીના પૂરમાં સાત જણા તણાયા: ચારનાં મોત

અલગ અલગ સ્થળે બનેલી ઘટનામાં. પોરબંદરમાં તણાયેલા ત્રણ યુવાનોમાંથી બેની લાશ મળી.સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળે નદીના પૂરમાં એક વૃધ્ધા અને એક આધેડ સહિત સાત વ્યક્તિ તણાઈ ગયા હતા. જેમાં ચારના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ત્રણ યુવાનો લાપતા થયા હોય તેઓની શોધખોળ ચલાવવામાં આવી છે. પોરબંદરમાં સોમવારના દિવસે તણાયેલા ત્રણ યુવાનો પૈકી બેની લાશ મળી છે. જ્યારે તણાઈ ગયેલા અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ રખાઈ છે. રાજકોટમાં જંગલેશ્વર નજીકથી પસાર થતી આજી નદીના કાંઠે પાણીના ખાડામાં યુવાન બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને રાજસ્થાની યુવાન મદનલાલ ભીમારાવ રેગરની લાશ બહાર કાઢી હતી.યુવાન આજી નદીના પૂરમાં તણાઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત ખીરસરા ગામ પાસે પણ ૬૫ વર્ષના વૃધ્ધા ખીમીબેન બગડા નદીના પૂરમાં તણાઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ધાવા ગીર પાસે ગોકળટિંબીના વોંકળાના પૂરમાં તણાઈ ગયેલા કાનજીભાઈને શોધવા મહેનત શરૂ કરાઈ છે પરંતુ ત્રીસ કલાક બાદ પણ તેનો પતો લાગ્યો નથી.
કેશોદના ચાંદીગઢનો યુવાન ટીલોરી નદીમાં તણાઈ ગયો હતો. આ અંગે પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મેણશીભાઈ કરશનભાઈ બોરખતરિયા સોમવારની રાત્રિના ચાંદીગઢથી મઢળા ગામ જઈ રહ્યો હતો ત્યારે ટીલોળી નદીમાં તણાયો હતો. આ યુવાનની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.


જુનાગઢના યુવાને એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

યુવાન પુત્રના અંતિમ પગલાંથી પરિવારજનો હતપ્રભ.જુનાગઢના દલિત યુવાને એસિડ પી જીવનનો અંત આણ્યો હતો.જુનાગઢના ધરમનગરમાં રહેતા લાલજી ઘેલાભાઈ રાઠોડે (ઉ.વ.૩૦) ગત તા.૨૧ના કોઈ અગમ્ય કારણોસર કાળવા ચોકમાં એસિડ પી લેતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જેનું વધુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવાનના આપઘાતથી રાઠોડ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આપઘાતનું કારણ જાણવા જુનાગઢ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી.


રેઇન પેટર્ન ધીમે ધીમે બદલાતી હોવાનું અનુમાન
એક સાથે ચાર-પાંચ ઇંચ વરસાદ પડવાની ઘટના પાછળ વાદળો ઊંચે જવાની પ્રક્રિયાના ફેરફાર જવાબદાર.સૌરાષ્ટ્રમાં આ વર્ષે પડેલા વરસાદનું રૂપ કાંઇક જુદું જ છે. જ્યાંથી પણ સમાચાર આવે ત્યાંથી એમ જ આવે છે કે કલાકમાં ચાર ઇંચ, આઠ કલાકમાં દસ ઇંચ... અમદાવાદમાં પણ એવું જ બન્યું હતું.અત્યાર સુધી અપૂરતો જ વરસાદ જોવા ટેવાયેલા સૌરાષ્ટ્રના લોકોને કદાચ આમ બારે મેઘ ખાંગા જોઇને નવાઇ લાગે છે. પરંતુ, આ વખતે માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં દેશ-વિદેશના અનેક ભાગોમાં આ સ્થિતિ છે અને તેનું કારણ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ એ છે કે વાદળો બંધાવાની અને તે ઊંચે જવાની પધ્ધતિ થોડી બદલાઇ છે. અલબત્ત, આ કોઇ અંતિમ સંશોધન નથી. પરંતુ, હવામાન વિદ્દો આ દિશામાં અનેક પ્રકારે સંશોધનો કરી રહ્યા છે. હવામાન વિભાગના નિયામક કમલજીત રે એ જણાવ્યું કે, આ જે ભારે વરસાદ થાય છે તે બદલાતી પેટર્ન કરતાં પણ અલગ રીતે બંધાતાં વાદળાને લીધે થાય છે. કલાઉડ ફોર્મેશનને લીધે આ હાલત આ વર્ષે સર્જાઇ છે.ખંભાળિયા કે સૌરાષ્ટ્રના અન્ય પ્રાંત કે પછી હરિયાણામાં પણ જે રીતે વરસાદ પડ્યો તે થોડો જુદી રીતે પડ્યો છે. એક સાથે ચાર પાંચ ઇંચ વરસાદ થોડા જ કલાકોમાં પડે છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના ઓફિસના નિષ્ણાત મનોરમાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, આ બાબત ચોક્કસપણે નોંધનીય છે પરંતુ તેને ગ્લોબલ વોર્મિંગ કે એવી કોઇ વાત સાથે નિસબત નથી. આ વર્ષે કુદરતી રીતે જ સિસ્ટમ પણ સારી ડેવલપ થઇ એટલે વરસાદ સારા પ્રમાણમાં થયો. એક્સાથે વધારે વરસાદ શા માટે પડે છે તે અલબત્ત સંશોધનનો વિષય છે, પૂના ખાતે આ અંગે સંશોધનો ચાલી રહ્યાં છે.અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં રેઇન પેટર્ન અને ખાસ કરીને વરસાદી પાણી અંગે ચાલતા રાષ્ટ્રવ્યાપી સંશોધનમાં અગ્રીમ હરોળમાં કામ કરનારા વૈજ્ઞાનિક આર. ડી. દેશપાંડેએ જણાવ્યું કે, આ પ્રકારે થોડા સમયમાં ઝાઝો વરસાદ એ માત્ર આપણે ત્યાં બનતી ઘટના નથી. ઇન્ક્રીઝ ઇન સિનારીયો ઓફ રેઇન એ ગ્લોબલ ચેઇન્જ-પરિવર્તન છે. સામાન્ય રીતે કલાઉડ બ્રસ્ટ એટલે કે વાદળ ફાટવાની જે ઘટના બને છે તે આ નથી. કોઇ પણ વાદળની આસપાસ ચે વેપર જે ભેજનું પડ હોય તેનું વરસાદમાં પરિવર્તન થાય ત્યારે વાદળ એક કિલોમીટર આકાશમાં ઉપર જાય એટલે તેનું તાપમાન ૬ ડિગ્રી ઓછું થાય.


વર્તુ નદીનો કાળો કેર, ઉપર આભ, નીચે પાણી

મિનિ વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકયો : લોકોના જીવ તાળવે ચોટયા : ૧પ૦૦ લોકોનું સ્થળાંતર : બચાવ ટુકડી તૈનાત.
ઘનઘોર રાત્રી ધશમસતા પાણીના પુર ઘર આંગણે પહોંચી ગયા. મીની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકયો. લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. આવી કપરી પરિસ્થિતી હતી બરડાના ૭ ગામોની હતી. વર્તુ ડેમના રર દરવાજા બે ફુટ ખોલવામાં આવતા વર્તુ નદી ગાંડી તુર બનીને બરડાના ૭ ગામોને બંદી બનાવી લીધા હતા. રાત્રીના સમયે ધશમસતા પુર ઘરઆંગણા સુધી પહોચ્યા હતા.લોકોએ ભારે ભય વચ્ચે રાત વીતાવી પડી હતી. તંત્રએ અગાઉથી પાણી છોડવા અંગેની જાણ નહી કરતા લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો. વૃક્ષો, મકાનો અને વીજપોલ પડી જવાના બનાવો બન્યા હતા.પોરબંદર જીલ્લાના બરડા પંથકમાં છેલ્લા બે દિવસમાં ૮ થી ૧૦ ઇંચ જેવા ભારે વરસાદ ઉપરાંત ઉપરવાસમાં આવેલ વર્તુ-ર ડેમના રર દરવાજા બે ફુટ ગઇ કાલે રાત્રીના ખોલવામાં આવતા બરડાના મોરાણા, પારાવાડા, કુણવદર, ફટાણા, સોઢાણા સહિતના ૭ ગામોમા વર્તુ નદીના પાણીએ કાળોકેર વર્તાવ્યો હતો. આ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમા ૩ થી ૪ ફુટ પાણી ઘુસી ગયા હતા. તો બીજી તરફ વાડી વિસ્તારમાં રહેતા લોકો પાણી વચ્ચે ફસાયા હતા. નદીના પુર ઉપરાંત ૧ર વાગ્યા આસપાસ મીની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. સવાર સુધી ભયથી થરથર ધ્રુજતા હતા.
વર્તુ નદીના પુરને કારણે વાડી ખેતરો સરોવરમાં તબદીલ થઇ ગયા હતા અને મોટા ભાગનો પાક ધસમસતા પુરે સોથ વાળી દીધો હતો. આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર રાત્રીના ડેમના પાટીયા ખોલવામાં આવ્યા તે અંગેની જાણ કરવામાં નહી આવતા ભારે મુશ્કેલીમા મુકાયા હતા.ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોએ વાડી વિસ્તારના લોકોએ રાત્રી છત ઉપર વીતાવી હતી. પુરને કારણે ભારે નુકશાનીનો અંદાજ હવે પછી બહાર આવશે. હાલતો લોકોની સ્થિતી કફોડી બની છે. રાત્રીના સમયે આ સમગ્ર ગામડાઓ વિખુટા પડી ગયા હતા. આજ બપોર સુધી એકબીજા ગામમા પ્રવેશવું મુશ્કેલ બન્યુ હતું. જો કે આજ બપોર બાદ વર્તુ ડેમના મોટા ભાગના દરવાજા બંધ કરી દેવાતા સ્થિતી મહદઅંશે થાળે પડી હતી.


જામનગરની તરુણીની અમરેલીના શખ્સે લાજ લૂંટી

જામનગરની દલિત તરુણીને લગ્નની લાલચ આપી મૂળ અમરેલીના મુસ્લિમ શખ્સે રાજકોટ બોલાવી અમરેલી લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની ખુદ તરુણીએ ફરિયાદ નોંધાવતા જામનગર પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી વિશેષ તપાસ માટે રાજકોટ પોલીસને કાગળો મોકલી આપ્યા છે.જામનગરના વૈશાલીનગર નજીક આવેલા ધરારનગરમાં રહેતા વિનોદભાઇ મૂછડિયા નામના દલિત પ્રૌઢની બહેન રાજકોટ મોરબી રોડ પર રહેતા હોય તેમની સગીર વયની પુત્રી અવારનવાર રાજકોટ આવતી હતી. દરમિયાન રાજકોટ તરુણીને ફૈબાના પાડોશમાં રહેતા મુસ્લિમ પરિવારને ત્યાં અમરેલીથી આવેલા ઇકબાલ ઇબ્રાહીમ જગમગિયા નામના મુસ્લિમ શખ્સ સાથે આંખ મળી ગઇ હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ઇકબાલે તરુણીને લગ્ન કરી લેવાની લાલચ આપી હતી. જેથી તરુણી ગત. તા. ૨૪ના રોજ બસમાં બેસી રાજકોટ આવી હતી અને હોસ્પિટલ ચોકમાં ઉતરી ઇકબાલને ફોન કરી બોલાવ્યો હતો.તરુણીના ફોન બાદ મૂળ અમરેલી બહારપુરાનો ઇકબાલ બાઇક લઇ હોસ્પિટલ ચોક પહોંચી ગયો હતો અને આખો દિવસ રાજકોટમાં ફેરવી બાઇક ઉપર તેના ગામ લઇ ગયો હતો. જ્યાં મુસ્લિમ શખ્સે તરુણી પર બળજબરીથી ત્રણ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. મુસ્લિમ શખ્સે લગ્નની લાલચ આપી ફોસલાવી હોવાની તરુણીને ખબર પડતા તે રાજકોટથી જામનગર પહોંચી હતી. પરંતુ સોમવારે તરુણીને પેટમાં દુ:ખાવો ઉપડતા સત્ય હકીકત બહાર આવી હતી. બનાવ અંગે ખુદ તરુણીએ જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.કરતા પોલીસે ઝીરો નંબરથી બળાત્કાર અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવ રાજકોટમાં બન્યો હોઇ જામનગર પોલીસે ફરિયાદ રાજકોટ એ ડિવિઝન પોલીસને મોકલી આપતા ફોજદાર જી. એલ. વિસાણીએ ગુનો નોંધ્યો છે. તરુણીના બળાત્કાર અંગેની વિશેષ તપાસ એટ્રોસિટી સેલનાં એ.સી.પી. વી. એલ. ચૌહાણે હાથ ધરી છે.


ખાડામાં પડતા, માટીમાં લપસે છે

સાધુ વાસવાણી, રૈયા રોડ પર માટી પથરાતાં ચાલકો-રાહદારીઓની મુશ્કેલી વધી. રોડ લપસણો થઇ ગયો, ખાડાથી બચવા જાય તો રોડ પર લપસીને અકસ્માત થાય તેવી હાલત.શહેરની રૈયા ચોકડીથી આલાપ ગ્રીન સિટી અને ત્યાંથી શરૂ થતો સાધુ વાસવાણી રોડ નર્કથી પણ બદ્દતર હાલતમાં ફેરવાઇ ગયો હતો. એક તો આ રોડ પર બબ્બે ફૂટના ખાડા થઇ ગયા છે અને લોકરોષ બાદ કામગીરી કરવાની તસ્દી લેનાર મહાપાલિકાએ અધૂરામાં પૂરું ખાડા બૂરવા ચીકણી માટી ધાબડી દેતા હાલત ઉલમાંથી ચૂલમાં પડવા જેવી થઇ ગઇ છે. પાણી ભરેલા ખાડાથી બચીએ તો લપસણા થઇ ગયેલા રોડ પર વાહન સમેત લપસીને અકસ્માત થાય તેવી દુર્દશા તંત્રે કરી નાખી છે.રૈયા ચોકડીથી લઇ છેક રૈયા ગામ સુધી અને એ પહેલા આલાપ ગ્રીન સિટી અને ત્યાંથી શરૂ થતો સાધુ વાસવાણી રોડ નાનું એવું ઝાપટું પડે તો પણ આ વિસ્તાર બેટમાં ફેરવાઇ જાય છે. વોંકળા અને વરસાદી પાણીના નિકાલ પર તોતિંગ બાંધકામો ખડકાઇ ગયા હોય આસપાસના તમામ વિસ્તારોનું પાણી અહીં જમા થતાં એકથી બે ઇંચ વરસાદમાં પણ અહીં ગોઠણડૂબ પાણી ભરાઇ જાય છે. બીજી બાજુ આ રોડ પર ભ્રષ્ટાચારના મસમોટા પોપડા ઉખડ્યા છે. એક એક ડગલે બબ્બે ફૂટના ખાડાનો સામનો વાહનચાલકો કરી રહ્યા છે.આ રોડ પર રોજેય સંખ્યાબંધ નાના મોટા અકસ્માતો થાય છે. આવી હાલતથી લોકરોષ ફાટી નીકળતા અંતે મહાપાલિકા તંત્રે ખાડા બૂરવાની તસ્દી તો લીધી પણ તેમાંય ડાંડાઇ કરતા ખાડામાં ચીકણી માટી ધાબડી દીધી છે. આવી હાલતમાં વરસાદના પાણી સાથે માટી ધોવાઇને સીધી રોડ પર આવી જાય છે અને પરિણામે રસ્તા ચીકણા લાખ જેવા બની ગયા છે. લોકો ખાડાથી બચવા જાય તો રોડ પર લપસી પડે એવી ભયંકર દુર્દશા થઇ ગઇ છે.

સોમનાથ મંદિરની સુરક્ષા દીવાલમાં બાકોરું પડ્યું

વેરાવળ-પાટણમાં પાણીમાં ફસાયેલા લોકોની મદદે એનડીઆરએફના જવાનો.વેરાવળમાં બે દિવસ સુધી વરસેલા અનરાધાર વરસાદથી સોમનાથ મંદિરનાં દરિયાકાંઠે વાઘેશ્વરી મંદિર પાસેની સૈકા પુરાણી સંરક્ષણ દિવાલમાં મસમોટું બાકોરૂં પડી જતાં તંત્ર દ્વારા તેની મરામત માટે યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી.આજે સવારે કલેક્ટર આશીર્વાદ પરમારે વેરાવળ-સોમનાથની મુલાકાત લઇ ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે સમીક્ષા કરી હતી. મામલતદાર વેગડે જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને દરિયાનાં મોજાની થપાટથી સંરક્ષણ દિવાલમાં ૧૫ ફૂટનું બાકોરૂં પડી જતાં તેને અટકાવવા સીમેન્ટ-રેતીની હજારો થેલીઓ દ્વારા ભંગાણ પુરવાની કામગીરી શરૂ કરાઈ છે.ભારે વરસાદ અને દેવકા નદીનાં પુરથી વેરાવળ-પાટણ શહેરની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાતાં પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે એનડીઆરએફનાં ૪૦ જવાનોની ટૂકડી આજે આવી પહોંચી છે. પાણી ઉલેચવા માટે ડીવાટરિંગ પંપોની વ્યવસ્થા ઉભી કરાઈ છે. અને આ કામગીરી નગરપાલિકાને સોંપાઇ હોવાનું મામલતદાર વેગડે જણાવ્યું હતું. સોમનાથ મંદિરની સુરક્ષા દીવાલમાં પડેલા બાકોરાં સંદર્ભે તપાસ અતિ આવશ્યક છે.મુસ્લિમ સમાજનો તંત્ર સામે આક્રોશ - વેરાવળ-પાટણ સંયુક્ત મુસ્લિમ સેવા સમાજનાં પ્રમુખ એમ.એ. ચૌહાણે સોમનાથ ટોકીઝ વિસ્તારની કોલોનીઓમાં પાણી ભરાતાં ઘરવખરી સહિતનાં સાધનોને નુકસાન થયું હોવાનું જણાવી કેટલાંય ઘરોમાં ચુલો સળગાવવા જેવી પણ સ્થિતિ ન હોવાથી યોગ્ય કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ માંગણી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા.૧૭-૭નાં લેખિત આવેદનપત્ર આપવા છતાં નાળાઓની સફાઇ કામગીરી ન કરાતાં પુરનાં પાણી ફરી વળ્યાનો આક્ષેપ કર્યો હતો.


ભાદર ડેમમાં સાડા ત્રણ ફૂટ નવાં નીર ન્યારી-૧ છલકાવાની અણીએ

સમગ્ર રાજકોટ જિલ્લામાં થતી મેઘરાજાની સચરાચર કૃપાથી જળાશયોમાં મબલખ નવાં નીર ઠલવાઇ રહ્યા છે. ભાદર ડેમમાં ધીંગી આવક થઇ છે. ચોવીસ કલાકમાં સાડા ત્રણ ફૂટ નવાં નીરની પધરામણી થઇ ચૂકી છે અને હજુ પણ આવક સતત ચાલુ છે. જ્યારે ન્યારી-૧ ડેમમાં પણ ૩ ફૂટ જળરાશી ઠલવાતાં આ ડેમને ઓવરફ્લો થવામાં માત્ર ૨ ફૂટનું જ છેટું છે.રાજકોટને પાણી પૂરું પાડતા સ્થાનિક જળાશયોમાં મેઘરાજા નિરંતર હેત વરસાવી રહ્યા છે. ક્યાંક ખોબલે ખોબલે તો ક્યાંક ધીમી ગતિએ મેઘો ડેમમાં પ્રાણ પૂરી રહ્યો છે. ભાદર ડેમમાં આમ તો રાજકોટને વર્ષ આખું ચાલે તેટલું પાણી આવી ચૂક્યું છે ત્યારે આ ડેમમાં વધુ ૩ ફૂટની આવક થઇ છે. કુલ ૩૪ ફૂટની સપાટી ધરાવતા ભાદર-૧ ડેમમાં હાલ ૨૯ ફૂટની સપાટીએ ૪૩૨૨ એમ.સી.એફ.ટી. જળજથ્થો સંગ્રહ થઇ ચૂકયો છે. હજુ પ.૯૦ ફૂટ વધુ આવક થાય અને ડેમ ઓવરફ્લો થઇ જાય તો વર્ષ આખું સિંચાઇની પણ ચિંતા મટી જશે.બીજી બાજુ ન્યૂ રાજકોટના લાખો લોકોની જીવાદોરી સમાન ન્યારી-૧ ડેમમાં પણ ગઇકાલ રાતથી ચોવીસ કલાકમાં વધુ ૩ ફૂટની આવક થઇ છે. આ ડેમને ઓવરફ્લો થવામાં માત્ર ૨ ફૂટનું જ છેટું છે. પાણીની ધીમીક આવક પણ ચાલુ છે. ન્યારીમાં છેલ્લી સ્થિતિ મુજબ ૭૭૦ એમ.સી.એફ.ટી. જળજથ્થો સંગ્રહ થઇ ચૂકયો છે. ડેમની કુલ ક્ષમતા ૯પ૦ એમ.સી.એફ.ટી.ની છે. બે દિવસ જો આ જ રીતે ડેમ સાઇટ પર ત્રણેક ઇંચ વરસાદ પડે તો ન્યારી બે જ દિવસમાં ઓવરફ્લો થઇ જશે તેમ મનપાના વેસ્ટ ઝોનના સિટી ઇજનેર કામલિયાએ જણાવ્યું હતું.


રાજકોટમાં અકસ્માત બાદ ટોળાએ બસને આગ ચાંપી

રાજકોટ- જામનગર હાઇ- વે ઉપર માધાપર ચોકડી નજીક રાજ સીટી બસના ચાલકે સ્કૂટર ચાલકને ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં સ્કૂટર ચાલકને ગંભીર ઇજા થઇ હતી. એકત્ર થયેલા ટોળાએ ઉશ્કેરાટમાં બસને આગ ચાંપી દેતા નાસભાગ મચી ગઇ હતી.પ્રપ્ત વિગત મુજબ, જામનગર રોડ મેરી ગોલ્ડ પાર્કમાં રહેતા અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા યોગેશ વસંતભાઇ ભટ્ટ આજે સવારે નવ વાગ્યે સ્કૂટર લઇને નોકરીએ જઇ રહ્યા હતા ત્યારે, સામેથી જેટ ઝડપે આવી રહેલી જી.જે. ૩ એ.ટી. ૯પ૪૦ નબંરની રાજ સીટી બસના ચાલકે સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટર ચાલક ફંફોળાઇને પટકાયો હતો.અકસ્માતના પગલે ટોળા એકત્ર થઇ ગયા હતા. રાજ સીટી બસના ચાલકો અવાર નવાર અકસ્મમાત સર્જતા હોવાથી ટોળાનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ટોળાએ મુસાફરોને નીચે ઉતાર્યા બાદ બસમાં તોડફોડ કરી બસને આગ ચાંપી દેતા નાસભાગ મચી ગઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ સીટીની ઉરોકત બસના ચાલકે બરાબર એક માસ પહેલાં ૪ તારીખે કિડની હોસ્પિટલ નજીક સાગર પટેલ નામના ૧૩ વર્ષના તરૂણને કચડી માર્યો હતો. જે ગુનામાં પોલીસે બસ કબજે કરી હતી. અને ગઇ કાલે મંગળવારે જ બસ છોડવામાં આવી હતી. રાજ સીટી બસના કોન્ટ્રાક્ટરોએ બસમાં અનુભવી ડ્રાઇવરના બદલે અણધડ ડ્રાઇવરોની ભરતી કરી મુસાફરો અને વાહન ચાલકોના જીવ જોખમમાં મુકી દીધા છે તેવી ટોળામાં રોષભેર ચર્ચા થઇ રહી હતી.

No comments:

Post a Comment