05 August 2010

રાજકોટ : લીવીંગ સર્ટીફીકેટમાં ચેડા કરનાર મહિલા સામે ગુનો નોંધાયો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : લીવીંગ સર્ટીફીકેટમાં ચેડા કરનાર મહિલા સામે ગુનો નોંધાયો

શહરેનાં કોઠારિયા રોડ, દેવપરા-૩માં રહેતા પ્રભાબેન ભીખુભાઇ રામાણી નામની મહિલાએ તેમનાં લીવીંગ સર્ટીફીકેટમાં જન્મ તારીખમાં ચેકચાક કરી ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ફરિયાદ નોંધાવનાર ફોજદાર પી.એમ.પરમારનાં જણાવ્યાં મુજબ, પ્રભાબેનને વિદેશ જવા માટે પાસપોર્ટની અરજી કરી હતી.અરજી સાથે જોડેલા એલ.સી.માં જન્મ તારીખમાં ચેકછાક કરી સુધારો કર્યાનું તપાસમાં બહાર આવતા મહિલાની પુછપરછ હાથ ધરી હતી. મહિલા જાણતી હોવા છતા ખોટા દસ્તાવેજ બનાવી છેતરપીંડી કરી ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હતો. ભકિતનગર પોલીસનાં પી.આઇ.એમ.ડી. જાડેજાએ આ ગુનામાં વધુ કોની કોની સંડોવણી છે તે દિશામાં વિશેષ તપાસ હાથ ધરી છે.


દિવસના પ્રારંભે ભારતનો પ્રથમ દાવ 436 રને સમેટાયો

ત્રીજા દિવસે ભારતે બે વિકેટ 180 રનના સ્કોરને આગળ ધપાવતા દિવસના પ્રારંભે ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે તેની ટેસ્ટ કારકિર્દીની 21મી સદી પૂરી કરી હતી. ભારતનો પ્રથમ દાવ 436 રને સમેટાયો હતો અને ભારતે ત્રીજી ટેસ્ટમાં 11 રનની નજીવી સરસાઈ મેળવી છે.જો કે સદી પૂરી કર્યા પછી સેહવાગ વધારે રન બનાવી શક્યો નહોતો. સેહવાગ 109 રને રણદિવનો શિકાર બન્યો હતો. જ્યારે ત્રીજા દિવસે ભારતને સચિનના રૂપમાં પ્રથમ ઝટકો મળ્યો હતો. સચિને 41 રનનું યોગદાન આપ્યું હતું.દિવસના પ્રારંભમાં જ ભારતે સચિન-સેહવાગની મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે બાદમાં વીવીએસ લક્ષ્મણ અને સુરેશ રૈનાએ ભારતની બાજી સંભાળી લીધી હતી. રૈનાએ 62 રને મેન્ડિસના બોલે આઉટ થયો હતો. જ્યારે લક્ષ્મણે પણ 56 રનનું યોગદાન આપ્યું હતું. લક્ષ્મણ પર મેન્ડિસનો જ શિકાર બન્યો હતો.રૈના અને લક્ષ્મણની ઉપરા ઉપરી વિકેટ પડી ગયા બાદ ધોની પણ જલદીથી પેવેલિયન પરત ફર્યો હતો. જો કે બાદમાં અભિમન્યુ મિથુન અને અમિત મિશ્રાએ મક્કમ લડત આપી હતી. ધોની 15 રન બનાવીને મલિંગાના બોલે આઉટ થયો હતો. જ્યારે મિથુને 46 રનનું યોગદાન આપ્યું હતું. મિશ્રાએ પણ મહત્વના 40 રન બનાવ્યા હતા.બીજા દિવસે શાનદાર બેટિંગ કરીને ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પરંતુ ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતને સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગના રૂપમાં બે મોટા ફટકા પડ્યા હતા. જો કે સેહવાગ આઉટ થયો તે પહેલા તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 21મી સદી પૂરી કરી લીધી હતી. સેહવાગે 105 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા.

હવે કોમનવેલ્થ ગેમ્સ ભગવાન ભરોસે

નાણાંકિય ગોટાળા અને ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયેલી કોમનવેલ્થ ગેમ્સની સફળતા માટે હવે રમતગમત મંત્રી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.રાજ્યસભામાં જ્યારે તેમણે કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ નિર્ધારીત સમયમાં પૂરી થઈ જશે અને તે સફળ રહેશે તેવું આશ્વાસન આપવાનું કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે ભગવાન અમારી સાથે છે. આશા છે કે તેઓ આ મોટા આયોજનને સફળતાપૂર્વક પાર પાડવામાં સફળ રહેશે.રાજ્યસભામાં ગુરૂવારના રોજ ભ્રષ્ટાચાર મુદ્દે સીધા જવાબો આપવાથી બચવાનો પ્રયત્ન કરતા તેમણે કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપોની સ્વતંત્ર તપાસ કરવાની વાતને નકારી કાઢી હતી.ગિલે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ચાલી રહી છે અને આ મામલે બીજી સ્વતંત્ર તપાસ કરાવવાની કોઈ જ આવશ્યકતા નથી. જે પણ દોષિત જણાશે તેમને સજા ફટકારવામાં આવશે. જો અધિકારીઓને કોઈ પણ જગ્યાએ કંઈ પણ ખોટું જણાશે તો તેઓને હટાવી દેવામાં આવશે.ગિલે કહ્યું હતું કે અત્યારે આયોજન ઘણું જ નજીક છે અને આ સ્તરે કોઈ સ્વતંત્ર તપાસ સમિતિ રચવાથી રમતોના આયોજન પર અસર પડી શકે છે.

એશ કે કેટ કોણ જીતશે આ મિની સ્કર્ટની રેસ?

એશ અને કેટરિના બન્ને એવી સેલિબ્રીટીઝ છે જે હમેશાં તેમનાં સ્ટાઈલ સ્ટેટસ અને અલગ અંદાઝ માટે જાણીતા છે. ભલે લગ્ન બાદ એશ્વર્યા રાય બચ્ચન હમેશા સલવાર કમિઝ અને સાડીમાં જ જોવા મળતી હોય તેમ છતાં તેણે તેની ડ્રેસિંગ સેન્સ દ્વારા ક્રિટીકનું ધ્યાન ખેચવામાં સફળ રહી છે.તો બીજી બાજુ લાખો દીલોની રાણી કેટરિના કેફ સલવાર કમિઝ, સાડીથી માંડીને સ્કર્ટમાં જોવા મળે છે અને આ બધુ જ તેનાં પર ખુબ સુંદર લાગે છે.પણ હવે આ બન્ને એક્ટ્રેસ મિની સ્કર્ટનાં તેમનાં અલગ અવતારમાં જોવા મળશે. એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ 'એક્શન રિપ્લે'માં મિની સ્કર્ટમાં લેધર બૂટ સાથે જોવા મળશે. જ્યારે કેટરિના તેની આગામી ફિલ્મ 'ઝિંદગી મીલે ના દોબારા'માં સેક્સી મિની સ્કર્ટમાં જોવા મળશે.હવે જોવું એ રહ્યું કે યુવા દર્શકોને કેટ કે એશમાંથી કોનો મિની સ્કર્ટ વધુ પસંદ આવે છે.


અદાણી પોર્ટ ક્ષેત્રે જંગી રોકાણ કરશે

ગુજરાતના કોર્પોરેટ જાયન્ટ અદાણી ગ્રૂપની કંપની મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝ (એમપીએસઇઝેડ)એ જણાવ્યું કે બંદરોના વિકાસ માટે કંપની આવતા ત્રણ થી પાંચ વર્ષમાં રૂપિયા 6,000 કરોડનું રોકાણ કરશે.કંપનીના ચોખ્ખા નફામાં 24 ટકાનો વધારો થયો છે તેમજ દેશના કાર્ગો હેન્ડલિંગમાં તેનો હિસ્સો 6.7 ટકામાંથી વધીને 8.3 ટકા થઇ ગયો છે. તદ્ઉપરાંત 2013 સુધીમાં દેશનૌ સોથી મોટો ખાનગી પોર્ટ બનાવાનો લક્ષ્યાંક છે તેમ કંપનીએ કહ્યું હતું.કંપની 2020 સુધીમાં કાર્ગો હેન્ડલિંગની ઉત્પાદનક્ષમતા 20 કરોડ ટન કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. સૂત્રોએ કહ્યું કે કંપની આ લક્ષ્યાંક તે પહેલાં જ પ્રાપ્ત કરી લેશે.એમપીએસઇઝેડનો ચોખ્ખો નફો 30મી જૂનના રોજ પૂરા થતાં ત્રિમાસિકગાળામાં 30મી જૂનના અંતમાં રૂ.211 કરોડ હતો, તેની સરખામણીમાં ગયા વર્ષે આ ગાળામાં રૂ.171 કરોડનો નફો થયો હતો. જ્યારે કંપનીની કુલ આવક આ વખતે રૂ.416 કરોડ રહી છે, જે ગયા વર્ષે રૂ.321 કરોડ હતી, આમ, આવકમાં પણ 30 ટકાનો વધારો થયો છે.એમપીસેઝના સીએફઓ બી.રવિએ કહ્યું કે કંપનીએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમ્યાન 126.2 લાખ ટનનું મહત્તમ કાર્ગો હેન્ડલિંગ કર્યું છે, જે 28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સાથો સાથ તેણે દેશના આઠમા નંબરના સૌથી મોટા બંદર તરીકેનો હોદ્દો જાળવી રાખ્યો છે.


વાગડમાં અતિ વરસાદથી વ્યાપક ખાના ખરાબી

રાપરમાં મધ્યમકક્ષાના સુવઇ-ફતેહગઢ તથા નાની સિંચાઇના ૧૬માંથી ૧૪ ડેમ છલકાયા પણ...લાકડિયા પાસેના કોચરી ડેમનું ઓગન તૂટતાં ૧૧ ગામો પર ખતરો : ચાર કિમી સુધીના ખેતરો ધોવાઇ ગયાં. નદીના પૂર ફરી વળતાં માતાના મઢ પાસેની ચાર વાંઢના લોકો ત્રણ દિવસથી શાળાની છત પર. વાગડના ૬૨ ગામોમાં બે દિ’થી અંધારપટ્ટ. નાના-મોટા ૨૧ જળાશયો તૂટયા કે ગાબડાં પડતાં મુશ્કેલી. બચાવ - રાહત કામગીરીમાં તંત્ર વામણું પૂરવાર થયું. ઠેર-ઠેર રસ્તાઓ તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો
વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકામાં ત્રણ દિવસથી થઇ રહેલી અતિવર્ષા વચ્ચે ગઇરાતે પણ વધુ એકથી પંદર ઇંચ જેટલું પાણી વરસી જતાં અતિવૃષ્ટિ જેવી ગંભીર સ્થિતિ સર્જાઇ છે. એકતરફ રસ્તા, વીજળી જેવી જાહેર સેવાઓ ખોરવાઇ ગઇ હતી અને કમસેકમ પાંચ ગામો ડૂબમાં જતાં-જ્યાં ત્યાં આશ્રય લઇ રહેલા લોકોની વહારે તંત્ર કલાકો સુધી પહોંચી નહી શકતાં વાગડવાસીઓની આફત બેવડાઇ હતી.ભચાઉ તથા વિશેષત: રાપર તાલુકામાં આડબંધ, તળાવ અને નાના ડેમ મળીને ૨૧ જળાશયો તૂટી પડતાં અથવા તો તેમાં ગાબડાં પડતાં સંખ્યાબંધ ગામો પર ખતરો સર્જાયો છે. કિલોમીટરો સુધી ખેતરો ધોવાઇ જતાં જગતનો તાત ‘ઉચ્ચક જીવ’ થઇ ગયો છે.ભચાઉ તાલુકાના લાકડિયા પાસેના કોચરી ડેમની ઓગનની દીવાલ તૂટી પડતાં ગામડાં પર પૂરનું સંકટ સર્જાયું છે. ચાર કિમી સુધી ખેતરોમાં પાણી ફરી વળ્યાંના અહેવાલ છે. આવી ગંભીર સ્થિતિમાંએ તંત્ર આ વિસ્તાર સુધી પહોંચી શક્યું નથી.


વાગડમાં અતિ વરસાદથી વ્યાપક ખાના ખરાબી

રાપરમાં મધ્યમકક્ષાના સુવઇ-ફતેહગઢ તથા નાની સિંચાઇના ૧૬માંથી ૧૪ ડેમ છલકાયા પણ...લાકડિયા પાસેના કોચરી ડેમનું ઓગન તૂટતાં ૧૧ ગામો પર ખતરો : ચાર કિમી સુધીના ખેતરો ધોવાઇ ગયાં. નદીના પૂર ફરી વળતાં માતાના મઢ પાસેની ચાર વાંઢના લોકો ત્રણ દિવસથી શાળાની છત પર. વાગડના ૬૨ ગામોમાં બે દિ’થી અંધારપટ્ટ. નાના-મોટા ૨૧ જળાશયો તૂટયા કે ગાબડાં પડતાં મુશ્કેલી. બચાવ - રાહત કામગીરીમાં તંત્ર વામણું પૂરવાર થયું. ઠેર-ઠેર રસ્તાઓ તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો.વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકામાં ત્રણ દિવસથી થઇ રહેલી અતિવર્ષા વચ્ચે ગઇરાતે પણ વધુ એકથી પંદર ઇંચ જેટલું પાણી વરસી જતાં અતિવૃષ્ટિ જેવી ગંભીર સ્થિતિ સર્જાઇ છે. એકતરફ રસ્તા, વીજળી જેવી જાહેર સેવાઓ ખોરવાઇ ગઇ હતી અને કમસેકમ પાંચ ગામો ડૂબમાં જતાં-જ્યાં ત્યાં આશ્રય લઇ રહેલા લોકોની વહારે તંત્ર કલાકો સુધી પહોંચી નહી શકતાં વાગડવાસીઓની આફત બેવડાઇ હતી.ભચાઉ તથા વિશેષત: રાપર તાલુકામાં આડબંધ, તળાવ અને નાના ડેમ મળીને ૨૧ જળાશયો તૂટી પડતાં અથવા તો તેમાં ગાબડાં પડતાં સંખ્યાબંધ ગામો પર ખતરો સર્જાયો છે. કિલોમીટરો સુધી ખેતરો ધોવાઇ જતાં જગતનો તાત ‘ઉચ્ચક જીવ’ થઇ ગયો છે.ભચાઉ તાલુકાના લાકડિયા પાસેના કોચરી ડેમની ઓગનની દીવાલ તૂટી પડતાં ગામડાં પર પૂરનું સંકટ સર્જાયું છે. ચાર કિમી સુધી ખેતરોમાં પાણી ફરી વળ્યાંના અહેવાલ છે. આવી ગંભીર સ્થિતિમાંએ તંત્ર આ વિસ્તાર સુધી પહોંચી શક્યું નથી.


ફોન ઉપર ફિયાન્સી સાથે વાત ન કરવી'

દારૂલ ઉલૂમ દેવબંધ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા ફતવામાં એવો આદેશ આપ્યો છેકે, સગાઇ પછી છોકરો અને છોકરી ફોન ઉપર વાત કરી શકે નહીં. તે ઇસ્લામની વિરૂદ્ધ છે.દેવબંધની વેબસાઇટ ઉપર સામાજીક બાબતો અને લગ્નને લગતા એક સવાલમાં એવું પુછવામાં આવ્યું છેકે, સગાઇ પછી કોઇ ફિયાન્સી તેની ફિયાન્સ સાથે ફોન ઉપર વાત કરી શકે કે નહી. માતા-પિતાની મંજૂરી સાથે આવું કરી શકાય કે નહીં.જેના જવાબમાં દારૂલ ઉલૂમ દેવબંધના મૌલવી દ્વારા એવું જણાવવામાં આવ્યું છેકે, શરૂઆતના સમયમાં ફિયાન્સી અને ફિયાન્સ એ અજાણ્યાં શખ્સો જેવા હોય છે. આથી તેમની વચ્ચે વગર કારણ વાતચીતને યોગ્ય ન ઠેરવી શકાય. ફતવામાં નોંધ્યા પ્રમાણે, આ બાબત અંગે માતા-પિતા કે વાલીઓ નિર્ણય ન લઇ શકે. કારણકે, ઇસ્લામમાં તેની ઉપર પ્રતિબંધ છે. હાલના સમયમાં માતા પિતા દ્વારા સંતાનોને સગાઇ પછી વાતચીત કરવાની સહમતિ આપવામાં આવે છે. જેની ઉપર પણ ખેદ પ્રગટ કરવામાં આવ્યો છે.


અરબપતિઓ અડધી સંપતિ દાનમાં આપશે

અમેરિકાના 38 અરબપતિઓએ કહ્યું છે કે તેઓ પોતાની સંપતિનો 50 ટકા હિસ્સો દાનમાં આપી દેશે. આ અભિયાન માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને વોરેન બફેટે શરૂ કર્યુ છે. આ અરબપતિઓમાં ન્યૂયોર્કના મેયર માઇકલ બ્લૂમબર્ગ, સિએનએનના સંસ્થાપક ટેડ ટર્નર અને અધિકારી બેરી ડિલરનો પણ સમાવેશ થાય છે.‘ધ ગિવિંગ પ્લેઝ’ નામના આ અભિયાનમાં તે તમામ પરિવાર અને વ્યક્તિઓના નામ છે, જેમણે આ યોજના પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે. તેમની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે આ નૈતિક વચનબદ્ધતા છે, નહિ કે કાનૂની અનુબંધ.આ અભિયાન જૂન મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અરબપતિઓને સમજાવવાની કોશિશ કરવામાં આવતી હતી કે તેઓ તેમની સંપતિનો 50 ટકા હિસ્સો દાન કરે. જો કે આ દાન તેમણે પોતાની હયાતીમાં કરવુ છે કે પોતાના મૃત્યું બાદ, તેની પસંદગીની તેમને છૂટ આપવામાં આવી હતી.જાણિતા રોકાણકાર અને બર્કશાયર હેથવેના મુખ્ય અધિકારી વોરેન બફેટે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કામની હજુ તો શરૂ થયુ છે, તેમ છતા તેના સારી પ્રતિક્રિયા મળી રહિ છે.ધ ગિવિંગ પ્લેઝ અભિયાનનું સંચાલન કરનારા વોરેન બફેટ, બિલ ગેટ્સ અને તેમની પત્નિ મલિંડાએ પાછલા બે વર્ષો દરમિયાન અમેરિકાના ઘણા અરબપતિઓને વાત કરી છે, જેથી આ અભિયાનને આગળ વધારી શકાય.વોરેન બફેટે 2006માં પોતાની સંપતીનો 99 ટકા હિસ્સો બિલ અને મલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને આપી દેવાની ઘોષણા કરી હતી.


પોન્ટિંગે નિવૃત્તિની વાતોને બકવાસ ગણાવી

ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગે તેની નિવૃત્તિની અફવાઓને રદિયો આપતા કહ્યું હતું કે તે તેની ટીમનું નેતૃત્વ કરવામાં અને ક્રિકેટ રમવાથી ઘણો જ ખુશ છે.એક ટેલિવિઝન અહેવાલના જણાવ્યા પ્રમાણે સીડનીમાં રમાનારી પાંચમી એશેઝ ટેસ્ટ પોન્ટિંગની અંતિમ ટેસ્ટ હશે.પોન્ટિંગ નિવૃત્તિ અંગે વિચારી રહ્યો છે પરંતુ તે પહેલા તે એશેઝ અને વર્લ્ડ કપ રમાવાની આશા રાખી રહ્યો છે.
સ્થાનિક દૈનિકમાં જણાવ્યા પ્રમાણે પોન્ટિંગના મેનેજર જેમ્સ હેન્ડરસને કહ્યું હતું કે આ તમામ અટકળો ખોટી છે.હેન્ડરસને કહ્યું હતું કે જે બધી અટકળો ચાલી રહી છે તેવી કોઈ યોજના નથી કે તેવો કોઈ વિચાર નથી. જ્યારે તેનો સમય આવશે ત્યારે તમને જણાઈ જશે. તે નિર્ણય હું જાતે જ જણાવીશ.


વરસાદ તો ઘેબરીઓ પરસાદ

જીવનમાં વરસાદનું ખૂબ મહત્વ હોવા છતાં એને આપણે આજ સુધી પૂરો સમજી શક્યા નથી. ઊર્જા અને જળસાધનોના વધુ પડતા ઉપયોગને હવામાન સાથે સંબંધ છે એટલે હજુ ય આપણે નબળા ચોમાસાનો ભોગ બનતા રહેવું પડશે. હવે તો નાણા મંત્રીઓનો આધાર પણ વરસાદ બની ગયો છે. એટલે વરસાદને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજીશું તો ઘણાં દુ:ખ ઓછાં થઈ જશે. આખરે વરસાદની દેશ પર મહેર થઈ છે. દેશના વિવિધ ભાગોમાં વરસાદ થયો છે. વરસાદ થોડો મોડો આવ્યો તો આખા દેશમાં-દેશના તમામ ગરીબ, અમીર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. વરસાદ માટે ખેડૂતો અને ગ્રામ્ય લોકો તો ચાતકની જેમ રાહ જોતા હોય છે, કારણ વરસાદની મહેર થાય તો ભારત સરકારની તેંતાળીસ હજાર કરોડની મહાત્મા ગાંધી રોજગારીની ખાતરી યોજના કરતાં ઘણી વધુ રોજગારીનો અવસર સાંપડે છે.વરસાદ સારો થાય એટલે સરકાર પણ હાશકારો કરે છે. પચાસેક વરસ પહેલાં વરસાદ શહેરીપ્રજા માટે એટલી આતુરતાવાળો સવાલ નહતો પણ હવે તો શહેરી પ્રજાને પણ એવી જ લગન હોય છે. કારણ સારા વરસાદથી જળાશયો ભરાય તો ઘરના નળમાં પાણી મળી રહે નહિતર બધું હોવા છતાં તરસ્યા રહેવું પડે. અને હવે તો શહેરી પ્રજાને એક અભ્યાસ પ્રમાણે આવતા વીસેક વરસ માટે પૂરતા પાણી માટે રાહ જોવાનું નક્કી છે. સમૃદ્ધ દેશો કરતાં એશિયાઈ દેશો માટે હાલત બૂરી છે કારણ દર વરસે એશિયામાં ચાર કરોડ લોકો ગામડેથી શહેરોમાં જાય છે અને એમને પાણી આપવા પૂરતાં નાણાં નથી.વરસાદનું જીવનમાં આટલું બધું મહત્વ હોવા છતાં વરસાદને આજ સુધી આપણે પૂરો સમજી શક્યા નથી. આપણે શાળામાં ભણીએ છીએ ત્યારે વરસાદ વિશે થોડું ઘણું શીખીએ છીએ પણ પ્રત્યક્ષ જીવનમાં આપણે ભાગ્યે જ વધુ શીખીએ છીએ. ભારતના વરિષ્ઠ વરસાદ વૈજ્ઞાનિક પીશારોટીએ તો કહ્યું હતું કે વરસનાં કુલ આઠ હજાર સાતસો પાંસઠ કલાકોમાંથી વરસાદ તો માત્ર સો કલાકમાં જ આવે છે. એટલું જ નહીં, પણ આપણાં ઊર્જાનાં સાધનો જેવાં કે કોલસો અને ક્રૂડ વપરાશને વરસાદ અને હવામાનના ફેરફાર સાથે ગાઢ સંબંધ છે. એ સંબંધની આપણને પૂરી જાણકારી નથી હોતી. પરિણામે છેલ્લાં સો વરસમાં માનવજાત પાણીના ઘનિષ્ટ સાધનો જેવાં કે નદીઓ અને ભૂતળનાં પાણીની થર પર વધુ ને વધુ આધાર રાખતી થઈ છે. આ બધાં સાધનોના વધુ પડતા ઉપયોગને કારણે એકવીસમી સદીમાં નબળા ચોમાસાનો આપણે વધુ ભોગ બનવાના છીએ.સાઠ વરસની સ્વતંત્રતા અને એ દરમિયાન અબજો કે ખરબો રૂપિયા ખર્ચી સિંચાઇ સગવડો ઊભી કરવા છતાં આજે પણ ભારતની મોટા ભાગની ખેતી ભૂગર્ભ જળ પર જ આધાર રાખે છે. અરે! સિંચાઈ નીચેના પાણીને પુન: પ્રાપ્ત કરવા રિચાર્જની જરૂર હોય છે. આવું રિચાર્જિંગ માત્ર વરસાદ કરી આપે છે. ‘હળવું દબાણ’ અને ‘બંગાળના અખાતમાંનું ડિપ્રેશન’ આપણા વરસાદને સમજવા રોજિંદા શબ્દો બની ગયા છે.


સૌરાષ્ટ્રમાં સરેરાશ ૨૯ ઈંચ

સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી ઉપર છેલ્લા ૧૫ દિવસથી વરસતા મેઘરાજાએ કાઠિયાવાડમાં વિરામ લીધો છે. કચ્છના અમુક વિસ્તારોમાં ૪થી ઓગસ્ટે પણ વરસાદ ચાલુ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સરેરાશ ૨૯ ઈંચ વરસાદ પડી ગયો છે.સૌથી વધુ જામનગર જિલ્લાના ખંભાળિયા શહેરમાં છાંસઠ ઈંચ જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છના લખપતમાં ૧૦ ઈંચ થયો છે. જ્યારે જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૪૨ ઈંચ પાણી પડ્યું હતું. જ્યારે સૌથી ઓછો ભાવનગર જિલ્લામાં સરેરાશ ૧૫ ઈંચ વરસાદ પડ્યો છે. હજુ અષાઢ મહિના આડે પાંચ દિવસ બાકી છે. અને વધુ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે ઉપરોકત આંકડામાં વધારો પણ થઈ શકે તેમ છે. જિલ્લાવાઈઝ જોઈએ તો રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં સાડા પાંત્રીસ ઈંચ થયો છે. જ્યારે સૌથી ઓછો જસદણ પંથકમાં ૧૨ ઈંચ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ ૨૬ ઈંચ પાણી ૪ ઓગસ્ટ સુધીમાં પડી ગયું હતું.જ્યારે પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ રાણાવાવમાં સાડા પીસ્તાલીસ ઈંચ અને સૌથી ઓછો પોરબંદરમાં ૪૦ ઈંચ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં સરેરાશ ૪૨ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળે છે.કચ્છમાં સૌથી વધુ માંડવીમાં રેકર્ડબ્રેક ૪૬ ઈંચ વરસાદ પડી ગયો છે. જ્યારે સૌથી ઓછો લખપત પંથકમાં ૧૦ ઈંચ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૪ ઈંચ વરસાદ પડી ગયો છે. ગોહિલવાડમાં સૌથી વધુ વરસાદ વલ્લભીપુર પંથકમાં ૨૦ ઈંચ જ્યારે સૌથી ઓછો ગારિયાધાર વિસ્તારમાં ૧૦ ઈંચ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ ૧૫ ઈંચ પાણી પડી ગયું છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૨ ઈંચ વરસાદ પડી ગયો છે. સૌથી વધુ ધારીમાં ૩૨ ઈંચ અને સૌથી ઓછો અમરેલી શહેરમાં ૧૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાને મેઘરાજાએ તરબોળ કરી દીધું છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ ૪૦ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં અત્યાર સુધીમાં સાડા છાંસઠ ઈંચ અને સૌથી ઓછો કાલાવાડમાં સાડા બાવિસ ઈંચ વરસાદ થયો છે.


ખુદ બાપે દિકરીને ગર્ભવતી બનાવી

પંજાબના લુધિયાણામાં એક કિશોરીએ સનસનાટીભર્યો આરોપ મુક્યો છે. તેના કહેવા પ્રમાણે, તેના પિતા છેલ્લા ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર કરે છે. જેના કારણે, ત્રણ વર્ષ પહેલા તેને એક બાળકી પણ જન્મી હતી.પોતાની ફરિયાદ લઇને પરમજીત (બદલેલું નામ) પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી વુમેન સેલને આ કેસ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, હાલ, આ કિશોરીની ઉંમર 17 વર્ષની છે. તેની માતાએ કેટલાક વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. પરંતુ, તેનો સાવકો પિતા તેને દિકરીની જેમ રાખવાના બદલે ભોગવતો હતો.પરમજીતના દાવા પ્રમાણે, છેલ્લા ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર કરવામાં આવતો હતો. બે વખત તો તેનો ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો. આમ છતાં, ત્રણ વર્ષ પહેલા તેને એક બાળકીને પણ જન્મ આપ્યો હતો. આઘાત જનક વાત તો એ છેકે, ખુદ પરમજીતની માતા પણ આવા કામોમાં તેના દુષ્ટ પતિનો સાથ આપે છે. અને પરમજીતની ફરિયાદોની સામે આંખ આડા કાન કરે છે. હાલ વુમન સેલ દ્વારા પરમજીતની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે. તથા તેમાં કેટલું સત્ય છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.


ટાટાનું નવું 'રતન' કોણ?

ટાટા ગ્રૂપના ચેરમેનની તપાસ હવે વધુ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. તેના માટે ટાટા સન્સે પાંચ લોકોની એક કમીટિ બનાવી છે, તેમના પર રતન ટાટાના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની જવાબદારી છે. રતન ટાટાના ઉત્તરાધિકારીને બને તેટલા ઝડપથી શોધવાની કવાયદ એટલા માટે શરૂ થઇ ગઇ છે, કાણરણ કે હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે કંપનીના હાલના ચેરમેન રતન ટાટા ડિસેમ્બર, 2012માં રિટાયર થઇ જશે.કંપનીની તરફથી એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે ટાટા સન્સના બોર્ડે પાંચ સભ્યોની એક કમીટિ બનાવી છે. જે રતન એન ટાટા ના સાચા ઉત્તરાધિકારીની પસંદગીના મામલામાં આખરી નિર્ણય કરશે. આ કમીટિમાં ક્યાં લોકો સામેલ છે, તે અંગે કંપની તરફથી હજુ કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ કંપનીએ એટલી ચોક્કસ સ્પષ્ટતા કરી છે કે રતન ટાટાના ઉત્તરાધિકારીની પંસદગી માટે કંપનીમાં કામ કરી રહેલ લોકો સિવાય, દેશ-વિદેશમાં કામનો અનુભવ રાખનાર લોકોને લઇને વિચાર કરાશે.હજુ તો તાજેતરમાં જ ટાટા કંપનીમાં રતન ટાટાના સંબંધી નોઅલ ટાટાનો હોદ્દો વધારી દેવામાં આવ્યો છે. અને સાથો સાથ તેમણે ટાટા ગ્રૂપના આંતરરાષ્ટ્રીય વેપારની કમાન પણ સોંપવામાં આવી છે. ત્યારબાદથી જ અટકળો શરૂ થઇ ગઇ છે કે નોઅલ જ રતન ટાટા કંપનીની કમાન સંભાળશે. ઉલ્લેખનીય છે કે 2012માં રતન ટાટાની ઉંમર 2012માં 75 વર્ષ થઇ જશે અને ટાટા ગ્રૂપના નિયમો પ્રમાણે ચેરમેન માટે રિટાયરમેન્ટ આ ઉંમર છે.

No comments:

Post a Comment