04 August 2010

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની સ્થિતિ : લાલપુરમાં ૧૧ ઇંચ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની સ્થિતિ : લાલપુરમાં ૧૧ ઇંચ

સતત અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ જાળવી રાખતાં લીલા દુકાળની સ્થિતિનું નિર્માણ થયું છે. સંખ્યાબંધ ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. તે ઉપરાંત રાજ્યભરમાં ઠેરઠેર ભારે વરસાદ પડતા હજારો લોકો વિવિધ સ્થળે ફસાઇ ગયા છે. કેટલાક હાઇવે અને માર્ગો પર પણ ટ્રાફિકજામ થઇ જતા વાહનોની લાંબી કતાર લાગી ગઇ છે.રવિવારના ભારે વરસાદ બાદ આજે પણ જામનગર, રાજકોટ અને જુનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સોમવારે ખંભાળિયામાં પડેલા ૨૩ ઇંચ વરસાદ બાદ આજે તેની નજીકના લાલપુરમાં ૧૧ ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો. જેતપુર પંથકમાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ કારણે એક્સોથી વધારે ગામને ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદમાં ત્રણ કલાકમાં છ ઇંચ વરરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેર જળબંબાકાર થઈ ગયું હતું. ઠેરઠેર ટ્રાફિકજામ થઈ જતાં લોકો અનેક જગ્યાએ ફસાયા હતા. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે હવામાનખાતાએ આગાહી કરી હતી કે રાજ્યમાં ૧૨ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.મંગળવારે પણ સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભયાનક રૂપ જારી રાખ્યું હતું. લાલપુરમાં ૧૧ ઇંચ વરસાદને કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. બીજી બાજુ આજે ખંભાળિયામાં વરસાદ ચાલુ રહેતાં પરિસ્થિતિ પણ અતિવિકટ હતી. ખંભાળિયામાં છેલ્લા ૩૬ કલાકમાં ૨૯ ઇંચ વરસાદ પડી ચૂકયો છે.કલ્યાણપુરમાં ચાર ઇંચ અને ભાણવડમાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો, જ્યારે જામજોધપુર અને કાલાવાડમાં બે ઇંચ પાણી પડી ગયું હતું.છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું હોઈ જો થોડા દિવસ વધારે વરસાદ રહ્યો તો કેટલીક જગ્યાએ પાક બળી જવાની શક્યતા પણ જોવાઈ રહી છે. મગફળી, કપાસ અને કઠોળના પાકને નુકસાન થવાની શક્યતા છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં આજે સારો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ધરમપુર, વલસાડમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ તાલુકાના ગોરવાડા ગામે આવાસ તૂટી પડતાં બે બાળાઓ સહિત ત્રણને ઇજા પહોંચી હતી.* અલ્ટો કે-10નું આજે લોન્ચિંગ
મારૂતિ સુઝુકી ઇન્ડિયાની નવી અલ્ટો કે-10નું આજે લોન્ચિંગ છે. તેની કિંમત સંભવત: ત્રણ લાખ રૂપિયા હશે. નવી અલ્ટોના લોન્ચિંગને લઇને કંપની ખાસી ઉત્સાહિત હતી. કંપનીનું માનવું છે કે તેનાથી એ-2 સેગમેન્ટમાં મારૂતિના બજારનો હિસ્સો વધશે. સાથો સાથ કંપનીને એ પણ આશા છે કે નવી અલ્ટો સૌપ્રથમ કાર ખરીદનાર મોટા વર્ગને આકર્ષિત કરવામાં સફળ રહેશે.નવી અલ્ટોમાં 1000સીસી ક્ષમતાનું કે-સીરીઝનું એન્જિન લાગેલું હશે. નવી કાર હાલની અલ્ટોથી 125 મિમી લાંબી છે અને તેની કુલ લંબાઇ 3620 મિમી છે. નવી અલ્ટોની લંબાઇ એ-2 સેગમેન્ટની વેગન-આર, અસ્ટિલો અને હ્યુન્ડાઇ આઇ-10 સહિત મોટાભાગે તમામ કારોથી વધુ છે. કંપનીનો દાવો છે કે નવી અલ્ટો 20.2 કિમી પ્રતિ લિટર માઇલેજ આપશે. તેની સાથે જ આ શૂન્ય થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અંદાજે 13.3 સેકન્ડ પ્રાપ્ત કરી લેશે. આ શ્રેણીની અન્ય કારો આ ગતિ પ્રાપ્ત કરવામાં 14 સેકન્ડનો સમય લે છે.મારૂતિ સુઝુકીના મુખ્ય મહા પ્રબંધક (માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે એ-1 અને એ-2 શ્રેણી પર કંપનીઓનું ફોકસ ફરીથી વધી રહ્યું છે. આ શ્રેણીમાં આવનારા વર્ષોમાં સ્પર્ધા વધવાની આશા છે.


અમીનનું નિવેદન યોગ્ય હશે તો અરજી અંગે નિર્ણય

સોહરાબુદ્દીન કેસમાં ડૉ. એન.કે. અમીન અને સીબીઆઇ વચ્ચે શરતી સમજુતી થઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. એક તરફ અમીને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવાની તૈયારી દર્શાવી આ કેસમાં તેને માફી આપવા રજુઆત કરી છે. તો આજે સીબીઆઇએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ જણાવ્યું છે કે, અમારી પાસે પૂરાવા છે તેથી અમીન નિવેદન આપે કે ન આપે તેનાથી કંઇ ફરક નથી પડતો પરંતુ અમીન પહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપે તે નિવેદન આ કેસમાં અમને મદદરૂપ લાગશે તો અમે તેની અરજીના સમર્થનમાં જવાબ આપીશું.બીજી તરફ અમીને તાજના સાક્ષી બનવા અરજી કરતા ગભરાયેલી વણઝારા એન્ડ કંપની પહેલા તેમને સાંભળવામાં આવે તેવી કોર્ટ સમક્ષ કરેલી અરજીને પણ સીબીઆઇએ પડકારી તેને રદ કરવા કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.ડૉ. નરેન્દ્ર કે. અમીન દ્વારા તાજના સાક્ષી બનવા માટે પોતાના એડ્વોકેટ દ્વારા અરજી કરી તેમને આ કેસમાંથી મુક્તિ આપવા માટે થયેલી અરજી અંગેની સુનાવણી દરમિયાન આજે સીબીઆઇએ પોતાનો જવાબ રજુ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, અમીન પહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪ હેઠળ નિવેદન આપે અને તે નિવેદન અમને આ કેસમાં ઉપયોગી સાબિત થાય તેમ લાગે તો અમે તેમની અરજીને સમર્થન કરીશું.તમામ દલીલો ધ્યાને લઈ સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ.વાય. દવેએ કેસની સુનાવણી ૧૦મી ઓગસ્ટ પર મુલતવી રાખી છે. સીબીઆઇના એડ્વોકેટ આઝમખાને જણાવ્યું હતું કે, આરોપીઓ સામે અમારી પાસે પૂરતા પુરાવા છે. અમીન અમને તેનું નિવેદન આપે કે ન આપે તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. જો કે અમે અમીન દ્વારા અપાયેલા નિવેદન અને પુરાવાનું મૂલ્યાંકન કરી તેને આધારે કોર્ટ સમક્ષ રજુઆત કરીશું.


બાળકીનું અપહરણ કરનાર નિર્મલ પટેલ પકડાયો

ખંડણી માટે બાળકીનું અપહરણ કરનાર ટોળકીનો મુખ્ય સૂત્રધાર નિર્મલ પટેલ પકડાયો. અમરાઇવાડી પોલીસે નિર્મલના ગામ બાવળા જઇને તેને ઝડપી લઇ ગુનામાં વપરાયેલુ બાઈક કબજે કર્યું. સોનિયાને રાતો રાત પૈસા કમાવવાની ઘેલછા જાગતા તેણે મિત્ર નિર્મલને એક માસ અગાઉ ફોન કરીને સીટીએમ મળવા બોલાવ્યો હતો.રાતો રાત પૈસા કમાવવા માટે શ્રીમંત પરિવારની ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી ખંડણી વસુલ કરવાના કાવતરાને અંજામ આપનાર ભાઇ-બહેન પકડાયા બાદ અમરાઇવાડી પોલીસે સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધાર નિર્મલ પટેલની મોડી રાતે તેના ગામ બાવળામાંથી ધરપકડ કરી ગુનામાં વપરાયેલુ બાઈક કબજે કર્યું છે. અગત્યની વાત તો એ છે કે રાતો રાત પૈસા કમાવવાની ઘેલછા જાગતા સોનિયાએ એક માસ અગાઉ મિત્ર નિર્મલને ફોન કરીને સીટીએમ મળવા બોલાવ્યો હતો. જયાં નિર્મલે બાળકના અપહરણની સરળ યોજના બતાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,અમરાઇવાડી ગોરના કુવા અમરદીપ પાર્ક સોસાયટી ખાતે રહેતા સચિનભાઇ જૈન અને પ્રિયંકાબહેનની દીકરી નેન્સી(ઉ.વ.૩) ગોરના કુવા ખાતેની રાજા ભગત વિદ્યાલય સંકુલમાં આવેલી સેન્ટ લોરેન સ્કુલમાં નર્સરીમાં અભ્યાસ કરે છે. પ્રિયંકાબહેન મંગળવારે સવારે ૧૧.૦૦ વાગ્યે નેન્સીને સ્કુલેથી લઇને ઘરે જઇ રહ્યા હતા ત્યારે અમરાઇવાડી ગોરના કુવા રાજ ચેમ્બર પાસે બાઈક ઉપર આવેલો નિર્મલ પટેલ અને રીકીન ભટ્ટ પ્રિયંકાબહેને કેડમા રાખેલ નેન્સીને ઝુંટવીને બાઈક ઉપર ભાગ્યા હતા.


કેન્દ્ર સરકાર સામેના આક્રોશના મામલે ઠાકરે મોદીની સાથે

મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે કેન્દ્ર સરકાર કાયમ જ સાવકું વલણ અપનાવતી રહી છે, એમ શિવસેનાના વડા બાળ ઠાકરેએ જણાવ્યું હતું.સોહરાબુદ્દીન મામલે ગુજરાત સરકાર સાથે કેન્દ્ર રીતે વ્યવહાર રાખી રહી છે તેની સામે મુખ્ય પ્રધાન નરેંદ્ર મોદીએ ઠાલવેલો આક્રોશ યોગ્ય જ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જોડિયા ભાઈઓ છે અને આ બંને રાજ્ય પ્રત્યે કેન્દ્ર સદૈવ સાવકું વલણ અપનાવે છે, એમ તેમણે જણાવ્યું હતું. હાલમાં મહારાષ્ટ્ર- કર્ણાટક સીમા વિવાદ ગાજી રહ્યો છે. દિલ્હીએ ૫૦ વર્ષથી બેળગાવ પ્રશ્ને અન્યાયની ભૂમિકા લીધી છે અમને હવે બેલગાંવ મહારાષ્ટ્રના હકનું ન હોવાનું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું છે. શિવ સેનાના સાંસદોએ આ મુદ્દો સંસદમાં ગજવ્યો હતો. મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ આ મુદ્દે સર્વપક્ષીય મોવડીમંડળ લઈને દિલ્હીમાં વડા પ્રધાનને મળ્યા, પરંતુ તે પછી શું થયું? એવો સવાલ તેમણે કર્યો છે.વળી, મહારાષ્ટ્ર- આંધ્ર પ્રદેશનો વિવાદ બાભળી ડેમની બાબતમાં ઊલટું થયું. મહારાષ્ટ્ર - કર્ણાટક સીમા બાબતે મહારાષ્ટ્રના મોવડીમંડળને વડા પ્રધાને આ બાબત સુપ્રીમ કોર્ટમાં હોવાથી પોતે કોઈ ટિપ્પણી નહીં કરે એવું કહી દીધું, જ્યારે આંધ્રનું મોવડીમંડળ બાભળી ડેમનો મુદ્દો લઈ ગયું તો આ વિવાદ સુપ્રીમમાં ચાલતો હોવા છતાં તેમને વડા પ્રધાને ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ ભૂમિકા કેટલી અન્યાયી છે, એમ તેમણે સવાલ કરતાં જણાવ્યું છે.


અભય ચુડાસમાનું કલગી કનેક્શન?

એક સમયે બાહોશ અને નીડર પોલીસ અધિકારી તરીકેની નામના ધરાવનાર અભય ચુડાસમાની સોહરાબ કેસમાં ધરપકડ બાદ હવે તેમની પર ખંડણી માટે ધાકધમકી આપવા સહિત અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ અને મનસ્વી રીતે કેસોની તપાસ હાથ ધરવાના આરોપો સીબીઆઇ દ્વારા મુકાઈ રહ્યા છે. જેના કારણે વલસાડ ડીએસપીથી માંડીને ડીસીપી ક્રાઇમબ્રાન્ચ (અમદાવાદ) સુધીનો ચુડાસમાનો કાર્યકાળ ભારે વિવાદાસ્પદ બન્યો છે. ચુડાસમાના કાર્યકાળમાં ક્રાઇમબ્રાન્ચ સમક્ષ નોંધાયેલા એક ચર્ચાસ્પદ કેસની શંકાસ્પદ કડીઓને ‘ડીબી ગોલ્ડ’ રજુ કરે છે.સમગ્ર રાજ્યમાં સટ્ટાકિંગ તરીકે ઓળખાતા દિનેશ ઉર્ફે કલગી બાબુભાઈ ઠક્કરના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. ઓગસ્ટ-૨૦૦૯માં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે અભય ચુડાસમાના નિર્દેશો અનુસાર સટ્ટા કૌભાંડમાં કલગી સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓના રિમાન્ડ માગતી વખતે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે કલગીના સાગરીતો-હરીશ મણિલાલ ગજ્જર અને ચેતન પંકજભાઈ ઉપાધ્યાયે ત્રણ મહિનામાં ૩૫૦૦ વખત પાકિસ્તાનના બુકીઓ સાથે મોબાઇલ પર વાત કરી હતી.આરોપીઓની પૂછપરછમાં પોલીસે પાકિસ્તાનના બુકીઓ-માસ્ટર, ગુડ્ડુભાઈ, બબલુ, નૈયર સાહેબનાં નામ સુધ્ધાં મેળવી લીધાં હતાં. જો કે આશ્ચર્યજનક રીતે એપ્રિલ, ૨૦૧૦માં આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતી વખતે પોલીસે કલગીના પાકિસ્તાન કનેક્શનનો નહિવત ઉલ્લેખ કરીને જ સંતોષ માન્યો.


પૃથ્વી પર ગમે ત્યારે સૌર સુનામી ત્રાટકી શકે છે

સૌર કલંકમાંથી અગનજવાળા ભભૂકતા વૈજ્ઞાનિકો સાબદા.સૂર્યમાંથી વિધ્યુત ભારીતકણોનાં વાદળો પૃથ્વી તરફ ફંગોળાઇ શકે છે. આ ઘટના ગમે ત્યારે સર્જાઇ શકે છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર પૃથ્વી પર સૌર સુનામીનો ખતરો તોળાઇ રહ્યો છે. રવિવારે નાસાના સોલાર ડાયનેમિક ઓબ્ઝર્વેટરી સહિત મોટા ભાગના ઉપગ્રહોએ પૃથ્વી જેવા કદના સૌર કલંકમાં નાનકડી સૌર જવાળા ભભૂકી હતી.સૂર્યના ઉત્તર ગોળાર્ધને ખંેચતા શીતળ વાયુને લીધે થયેલા વિસ્ફોટની નોંધ પણ ઉપગ્રહોએ લીધી હતી. ધ ન્યૂસાયિન્ટસ્ટ ના અહેવાલ અનુસાર કોરોનલ માસ ઇજેકશન તરીકે ઓળખાતા વિસ્ફોટનું લક્ષ્યાંક સીધી પૃથ્વી બની શકે છે. આ વિસ્ફોટને કારણે અવકાશમાં ૯ કરોડ ૩૦ લાખ માઇલ સુધી સૌર ત્સુનામી સર્જા શકે છે.તાજેતરમાં સૌર કલંકમાંથી અગન જવાળા ફાટવાને લીધે પૃથ્વીને કેટલું નુકસાન થઇ શકે છે તે વિશે વૈજ્ઞાનિકો કઇ જ કહી શકે તેમ નથી. બ્રિટનમાં અંધકાર છવાઇ જશે.
નાસાના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ બ્રિટનને ચેતવણી આપી છે કે બ્રિટનમાં મોટાપાયે વીજપુરવઠો ખોરવાઇ શકે છે. અવકાશી ઝંઝાવાતની અસર પૃથ્વી પર થવાને લીધે સંપર્કના તમામ સાધનો ખોરવાઇ શકે છે.અગાઉ ૨૦૧૩ની આગાહી કરાઇ’તી.વૈજ્ઞાનિકોએ અગાઉ આગાહી કરી હતી કે ૨૦૧૩માં સૌર ઝંઝાવાત સર્જાવાને લીધે પૃથ્વી પર તેની અસર થવાની ભીતિ છે. જો આવું થશે તો સૂર્યમાંથી અભૂતપૂર્વ સૌર ઉર્જા છુટી પડી પૃથ્વી સાથે ટકરાશે.


ખાદીની ખો ભુલાવતી ખાખી

સત્તાશોખીન અધિકારીઓ ભૂલો પર ભૂલો કરતા રહ્યા અને બીજા પ્રકારના ‘અસંતુષ્ટ અધિકારીઓ’ (એટલે કે સ્પષ્ટવકતા કે સાચું કહેનારા) પોલીસ અધિકારીઓને મોદી વશમાં ન રાખી શક્યા કે તેમને કોરાણે મૂક્યા. માનીતા અને અણમાનીતા બંને અધિકારીઓ સરકારને ભારે પડ્યા.ઇસ્ત્રીટાઇટ ખાદીના ઝભ્ભા ઉપર ખાખી વર્દી ભારે પડી રહી છે. ડાઘ બંને પર લાગ્યા છે અને કોણ વધુ સુઘડ એ કહેવું મુશ્કેલ છે. ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહને જેલવાસ કરાવવામાં અને નરેન્દ્ર મોદીનું ‘ગુજરાત ગૌરવ’ હણવામાં જો સૌથી વધુ જવાબદાર હોય તો એ ગુજરાતના જ કેટલાક પોલીસ અધિકારીઓ છે. એક સમયે સરકાર માટે આન-બાન-શાન ગણાતા આ અધિકારીઓએ જ મોદીની ઇમેજમાં પંચર પાડ્યું. જેમ ગોળના ગાંગડા પાસે મંકોડા ભેગા થઇ જ જાય એમ કોઇપણ મુખ્યમંત્રી (એટલે કે પાવર સેન્ટર) પાસે સત્તાભૂખ્યા અને તકવાદી અધિકારીઓ ટોળે વળવા જ માંડે છે. તમામ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી પાસે ભૂતકાળમાં આવી રીતે અધિકારીઓ ગોઠવાઇ ગયા હતા. મોદી અપવાદ ન ઊભો કરી શક્યા.બે પ્રકારના પોલીસ અધિકારીઓએ સરકાર માટે મુશ્કેલી ઊભી કરી છે. સરકારની હા જી હા કરનારા એટલા બેફામ બની ગયા કે કોઇનું સાંભળતા નહોતા. જેમનું સત્તાધીશોએ ક્યારેય ન સાંભળ્યું એવા અધિકારીઓએ સિસ્ટમમાં રહીને જ સરકાર સાણસામાં આવે એવી વ્યવસ્થા ગોઠવી. અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા વખતે પોલીસ બળવો થયો હતો, પણ મોદી સરકારના અધિકારીઓએ અંદર રહીને સરકારને ભીંસમાં લીધી. એક પ્રકારે આ શાંત બળવો જ કહી શકાય. સરકાર માટે શરમજનક વાત એ છે કે કોન્સ્ટેબલથી માંડીને ડીજી સુધીના અધિકારીઓ કાં તો જેલમાં છે અથવા તો જેલમાં જવાની શક્યતા છે.કેશુભાઇ પટેલ સામે અસંતુષ્ટ ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને કેશુભાઇને ગાંધીનગરની ગાદી પરથી ઉઠાડ્યા હતા. બીજી વખત કેશુભાઇ મુખ્યમંત્રી બન્યા તો મોદીએ તેમને ઉતાર્યા. કેશુભાઇ સતત કહેતા રહ્યા કે મારો વાંક શું? ગુનો શું? મોદી એવું કહી શકે તેમ નથી. તેઓ એકહથ્થુ સત્તા ભોગવીને ધારાસભ્યોને તો કાબૂમાં રાખી શક્યા. અસંતુષ્ટો ધારે તોય બોલી ન શકે એવો તેમનો ડારો રહ્યો. પણ પોલીસનું રાજકારણ નેતાઓને પણ ટપી જાય એવું છે.‘અસંતુષ્ટ’ ધારાસભ્યો સત્તાપલ્ટો કરાવી શકે છે અને પક્ષમાં રજુઆત કરી શકે છે. અધિકારીઓની બાબતમાં એવું શક્ય નથી.સરકાર જ્યાં ભૂલ કરે ત્યાં અધિકારીઓ સરકારને કાયદાકીય રીતે ફસાવી શકે છે. ફાઇલોના જંગલોમાં અને પરપિત્રોની લાંબી યાદીઓમાં કે પછી કાયદાની કલમોમાં અધિકારીઓ રાજકારણીઓને ગાળિયો પહેરાવી શકે છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના કેસમાં એવું જ થયું છે. સત્તાના નશામાં પહેલા પ્રકારના સત્તાશોખીન અધિકારીઓ ભૂલો પર ભૂલો કરતા રહ્યા અને બીજા પ્રકારના ‘અસંતુષ્ટ અધિકારીઓ’ (એટલે કે સ્પષ્ટવકતા કે સાચું કહેનારા) પોલીસ અધિકારીઓને મોદી વશમાં ન રાખી શક્યા અથવા તો તેમને જાણીજોઇને કોરાણે મૂક્યા. માનીતા અને અમણમાનીતા અધિકારીઓ દરેક સરકારમાં હોય છે. પણ માનીતાને છુટ્ટો દોર અને અણમાનીતાને દોરીથી બાંધી રાખવામાં જોખમ હોય છે.


અમદાવાદમાં મેઘરાજાના તાંડવની તસવીરો

પોર પછી અમદાવાદમાં જાણે આભ ફાટ્યું હોય તે રીતે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના માર્ગો ઉપર વાહનોની જગ્યાએ પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં દોઢ-બે ફૂટ પાણી ફરી વળ્યું હતું, જ્યારે છ ઈંચ પડેલા ભારે વરસાદના કારણે મેમનગર, ગુરુકુળ, થલતેજ, બાપુનગર, રખિયાલ, હાટકેશ્વર, ગોમતીપુર, સરખેજ, જુહાપુરા, વેજલપુર જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. સ્ટોર્મ વોટર ડ્રેનેજલાઈનની સાથોસાથ ગટરલાઈન પણ બેક મારતાં ઘરની અંદર પાણી ફરી વળ્યું હતું. માત્ર ત્રણ કલાકમાં પડેલા છ ઈંચ જેટલા વરસાદે ઉત્સવપ્રિય મ્યુનિસપિલ કોર્પોરેશનના વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. દર ચોમાસે શહેરીજનો વરસાદી પાણીના કારણે હાલાકી ભોગવે છે, છતાં તંત્ર દ્વારા માત્ર ગુલબાંગો જ પોકારવામાં આવે છે. વરસાદના પગલે ઠેર ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ સર્જાયાં હતાં. હાટકેશ્વર સર્કલ જાણે તળાવના સ્વરૂપમાં ફેરવાઈ ગયું હોય તેમ જણાતું હતું. વાહનચાલકો સર્કલ ઉપર ફસાઈ ગયા હતાં.


અમદાવાદમાં ઝાડ પડવાનો દૌર યથાવત

શહેરમાં મંગળવાર સાંજેથી શરૂ થયેલા ધોધમાર વરસાદમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ભાંગ્યા હતા. કેટલીક જગ્યાએ રસ્તા પર તોતીંગ વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા.જ્યારે બુધવારે સવારે પણ શહેરમાં વધુ ચાર જગ્યાએ મોટા વૃક્ષો પડી ભાંગતા ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાય છે. જે અંગેમોડી રાતથીજી ફાયરના જવાનોએ વૃક્ષ હટાવી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી છે.ફાયરબ્રીગેડનાં સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, બુધવારે સવારે રીલીફરોડનાં જી.પી.ઓ, આંબાવાડી, ભુયંગદેવ તથા હાટકેશ્વર એમ ચાર વિસ્તારોમા તોતીંગ વૃક્ષો પડી ભાંગ્યા છે.જેને હટાવવાની કામગીરી ચાલી રહી હોવાથી હાટકેશ્વર તેમજ આંબાવાડી વિસ્તારમાં કેટલીક જગ્યાએ ડાયવર્ઝન અપાયુ છે, તો કેટલીક જગ્યાએ ભારેટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે


સાબરમતી નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

કેલીકો બ્રીજ નીચેથી બુધવારે સવારે ફાયરબ્રીગેડને એક ૩૦થી ૩૫ વર્ષીય મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ગત સાંજથી ઠેરઠેર પડેલા ભારે વરસાદમાં મહિલાનું અકસ્માતે મોત થયુ છે કે તેણે આપઘાત કર્યો છે તે અંગે તપાસ ચાલી રહી છે ત્યારે સુત્રોએ મૃતદેહ આગળથી તણાઇને આવી હોવાની આશંકા વ્યકત કરી છે.સુત્રોનાં જણાવ્યા અનુસાર ફુલબજાર નજીક નદીમાં સવારે એક મહિલાની લાશ તરી રહી હોવાનો સંદેશો સ્થાનીક લોકોએ ફાયરબ્રીગેડને આપ્યો હતો. જયાં તપાસ કરતા ફાયરનાં જવાનોએ એક મહિલાની લાશને બહાર કાઢી પોલીસને સોંપી હતી.પોલીસે પણ લાશને પી.એમ અર્થે મોકલી આપી મૃતક મહિલા કોણ છે, તથા તેણે આપઘાત કર્યો છે કે અકસ્માતે પાણીમાં પડવાથી મોત નિપજ્યું તે તમામ પાસાઓ અંગે તપાસ હાથ ધરી છે.જો કે સુત્રોએ એવી પણ આશંકા વ્યકત કરી છે કે ગત સાંજથી શહેરમા પડેલા ભારે વરસાદ તથા ઉપર વાસમાં થઇ રહેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે જેને કારણે મૃતદેહ આગળથી પાણીના વહેણમાં તણાઇને આવ્યો હોવો જોઇએ.


વડોદરામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ શરૂ થતાં સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા છ કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે શહેરનું જનજીવન ખોરવાઇ ગયું છે.બીજી તરફ વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘરાજાની કૃપા વરસતાં ખેતરો પાણીપાણી થઇ ગયા છે. છેલ્લા એક સપ્તાહથી વડોદરા શહેર-જિલ્લામાં ક્યારેક ઝરમર ઝરમર તો ક્યારેક હળવું ઝાપટું વરસાવી મેઘરાજા સંતોષ અનુભવતા જોવા મળ્યા હતા. પરંતુ ગત રાત્રિના શહેરમાં તીવ્ર વેગે ફૂંકાયેલા પવન સાથે તોફાની વરસાદ તૂટી પડતાં મેઘરાજા નવાજુની કરશે તેવા એંધાણ મળ્યા હતા.દરમિયાન આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી શહેર-જિલ્લામાં કાળાડિબાંગ વાદળોમાંથી મેહુલિયાએ સાંબેલાધારે વરસવાનું શરૂ કરતાં અહીં પણ કાઠિયાવાડવાળી થાય તેવા અનુમાનથી શહેરીજનો ડરી ગયા હતા. જ્યારે સેવાસદન અને જિલ્લા વહીવટી તંત્ર અનરાધાર વરસાદથી આવી પડનારી આફતથી ચિંતાતૂર બન્યા હતા.પ્રાપ્તઆંકડા મુજબ આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂકયો છે. બીજી તરફ છોટાઉદેપુર તાલુકામાં ૧૫ મિ.મી., ડભોઇમાં ૨૦ મિ.મી., જેતપુરપાવીમાં ૧૧ મિ.મી., કરજણમાં ૨૫ મિ.મી., કવાંટમાં ૩૪ મિ.મી., નસવાડીમાં ૧૯ મિ.મી., પાદરામાં ૩૦ મિ.મી., સંખેડામાં ૨૭ મિ.મી., સાવલીમાં ૬૭ મિ.મી. વરસાદ ખાબકયો હતો.



પેવેલિયનની દીવાલ પર ચિતરેલા અશ્લીલ શબ્દોથી ભારે હોબાળો

ગર્લ્સ હોસ્ટેલની સામે અને રોઝરી તરફ જતા રસ્તા પર આવેલ પેવેલિયનની દીવાલ પર અશ્લીલ શબ્દો ચિતરેલા હોવાની વાત ધ્યાનમાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. બનાવને પગલે સરદાર પટેલ ગ્રૂપના વિદ્યાર્થીઓએ ઘંટનાદ કરી ફિઝિકલ એજ્યુકેશનના ડારેકટરના હાથે દીવાલ પર કૂચડો ફેરવ્યો હતો.પ્રાપ્તવિગતો અનુસાર મસ યુનિના ગર્લ્સ હોસ્ટેલ સામે અને રોઝરી સ્કૂલ તરફ જતા પેવેલિયનની દીવાલ પર કોઇ અસામાજિક તત્વો દ્વારા મોટા અક્ષરે અશ્લીલ શબ્દો ચીતરવામાં આવ્યા હતા. જેની જાણ વિદ્યાર્થીઓને થતાં સરદાર પટેલ ગ્રૂપના વિદ્યાર્થી અગ્રણી સુશીલ વઝેની આગેવાની વિદ્યાર્થીઓએ આ દીવાલ પાસે ઘંટનાદ કર્યો હતો તથા તેના પર ચિતરવામાં આવેલ અશ્લીલ શબ્દ પર ફરીથી કલર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ દીવાલની સામે જ ગર્લ્સ હોસ્ટેલ આવી છે. ઉપરાંત રોઝરી સ્કૂલનાં બાળકો પણ આ જ રસ્તેથી જતાં હોય છે. ત્યારે જો આવા રસ્તા પર આવા અશ્લીલ શબ્દો લખાતા હોય તો તે યુનિ માટે અને સંસ્કારનગરી માટે શરમજનક વાત છે એમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.વળી આ દીવાલ પર છેલ્લા અઠવાડિયાથી આવા અશ્લીલ શબ્દો લખેલા હતા અને ફિઝિકલ એજ્યુકેશનની દીવાલ હોવા છતાં સત્તાધીશોએ આ બનાવ તરફ આંખ આડા કાન કર્યા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો અને ફિઝિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર થોમરેને ઓફિસમાંથી લઇ આવી તેમના હાથે જ દીવાલ પર નવો કલર કરાવ્યો હતો. જો કે આ અગાઉ પણ યુનિની ફેકલ્ટી ઓફ પરફોિમઁગ આર્ટ્સની દીવાલો પણ આવા અશ્લીલ શબ્દોથી રંગાઇ હતી.જેના પર હજી સુધી કૂચડા મારેલા છે અને આ બનાવની તપાસ પણ કરાઇ નથી. ત્યારે હવે આવા શબ્દો યુનિની તમામ ફેકલ્ટીની દીવાલો પર જોવા મળે તો તેમાં કોઇ શંકાને સ્થાન નથી.


તપન ડેરીનો ૧૪૦૦ લિટર માઇલ્ડ ફેટનો જથ્થો જપ્ત

શહેરના સમા-સાવલી રોડ વિસ્તારમાં તપન ડેરી ફૂડસની શંકાસ્પદ બનાવટોનો લગભગ સવા બે લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરીને નમૂના પૃથક્કરણ માટે લેવામાં આવ્યા હતા.આ અંગે પ્રાપ્તમાહિતી મુજબ, સમા-સાવલી રોડ તરફના માર્ગ ઉપર આવેલ ક્રિષ્ણા વેલી કોમ્પ્લેકસમાં ગ્રાઉન્ડ ફલોરનં.૧માં આવેલી તપન ડેરી ફૂડસની દુકાન આવેલી છે. આ દુકાનમાં સેવાસદન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ડેપ્યુટી મ્યુ. કમિશનર એ.ઓ. શર્માની ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ગાંધીનગર સ્થિત ઉચ્ચાધિકારીનો ફોન આવ્યો હતો. જેથી અધિક આરોગ્ય અમલદાર ડૉ.મૂકેશ વૈધ્યે પાંચ ફૂડ ઇન્સપેક્ટરોને સ્થળ ઉપર મોકલી આપ્યા હતા.ડેપ્યુટી મ્યુ.કમિશનરના આદેશ મુજબ ખોરાક શાખાના ફૂડ ઇન્સપેક્ટરો તા.૩૦મીના રોજ બપોરે બે વાગે દુકાન ઉપર ગયા ત્યારે દુકાન બંધ હતી. દુકાનના માર્કેટિંગ અને સેલ્સ વિભાગના નીલેશ ઉપાધ્યાયને હાજર કરીને દુકાન ખોલવામાં આવી હતી. આ ટાણે, માઇલ્ડ ફેટનો તપન અને દીપ કલાસિક બ્રાન્ડનો જથ્થો દુકાનમાં ઉપલબ્ધ હતો.આ જથ્થાનું વેચાણ સમગ્ર ગુજરાતમાં થઇ રહેલ હોવાથી અન્ય સ્થળે પણ માસ સીઝ કરવાની કાર્યવાહી કરવાની હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સની ગાંધીનગરની ફલાઇંગ સ્કવોડને સાથે રાખી ફૂડ ઇન્સપેક્ટરોએ શંકાસ્પદ તપન ડેરી ફૂડસના જુદી જુદી બ્રાન્ડના ઘીની તપાસ કરી હતી.જે અંતર્ગત તપન ડેરી ફુડસમાંથી આશરે ૧૪૦૦ લિટર માઇલ્ડ ફેટ તપન અને માઇલ્ડ ફેટ દીપ બ્રાન્ડના ૫૦૦ મિલિ, ૧ લિટર તેમજ ૧૫ કિલોગ્રામના જાર મળી લગભગ સવા બે લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ દુકાનમાં સંગ્રહાયેલા જથ્થામાં ભેળસેળ કરાતી હોવાની આશંકાને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


બારડોલી : રેશનકાર્ડમાં બોગસ નામ લખાવ્યા બાદ ભયથી યુવાને ફાંસો ખાધો

બારડોલીમાં પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા ખાતે આવેલા પટેલ પાર્કમાં રહેતા રવિન્દ્રભાઈ બિસોહી (૪૬)નાઓને સંતાનમાં દીકરી ન હોવા છતાં હાલમાં નવા રેશનકાર્ડ બનાવાની ચાલી રહેલી પ્રક્રિયામાં તેમણે પોતાને દીકરી છે, અને ફોર્મમાં બોગસ દીકરીનું નામ લખ્યું હતું.ત્યારબાદ પોતે બોગસ નામ લખાવેલું હોવાથી પોલીસ ફરિયાદ થશે, અને જેલમાં જશે તેવી બીક લાગતાં મંગળવારે સવારે ૬:૩૦ દરમિયાન પોતાના ઘરની છત સાથે લાગેલા પંખા સાથે રૂમાલથી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


બીડની ડીપીથી જીવનું જોખમ

દક્ષિણ ગુજરાત વીજકંપનીનું ખાનગીકરણ થયા બાદ પણ ઘણી જગ્યાએ કામગીરીમાં લાલિયાવાડી દેખાય આવે છે. બીડ ગામે વીજકંપનીની કામગીરીમાં અધિકારીઓ અને ઠેકેદારોના મેળાપીપણા પણ તકલાદી અને જોખમી કામગીરી પરથી જણાય આવે છે.દક્ષિણ ગુજરાત વીજકંપનીનું આવું જ એક જોખમી કામકાજ વીજ કંપનીની લાલિયાવાડીને લીધે મહુવા-બારડોલી રોડ પર મહુવા ખાતે વીજકંપનીની ઓફિસથી થોડે જ અંતરે જોવા મળે છે, જેમાં જીઈબી ઓફિસથી ૫૦૦ મીટર જેટલા અંતરે બીડ ખાતે આવેલી એક જીઈબી ડીપીમાં ખૂબ જ ઓછી ઊંચાઈએ જીવંત વીજતારથી ફ્યૂઝ બાંધેલા છે.વીજપોલ ઉપર જ્યાં ફ્યૂઝ જીવંત તારથી બંધાયેલા છે ત્યાં નીચે પાણીનો ભરાવો થતાં સ્થાનિક પશુપાલકોનાં પશુઓને અકસ્માત થવાની ભીતિ રહેલી છે.ભૂતકાળમાં પણ જીઈબીની લાલિયાવાડીને કારણે ઘણા અકસ્માતો થવા પામ્યા છે. હાલ બે માસ અગાઉ નજીકની સીમમાં જ એક બળદ વીજપોલને અડી જતાં કરંટ લાગતાં મોતને ભેટ્યો હતો.વીજકંપનીના અધિકારીઓ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે તકેદારી રાખી યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી લોકમાંગ ઊઠવા પામી છે.


એક લાખ સુરતીઓ વાઇરલના શિકાર

ચોમાસાના માત્ર એક જ મહિનામાં વાઇરલ ફીવરે શહેરના એક લાખ લોકોને ઝપેટમાં લઈ લીધા છે. ‘દિવ્ય ભાસ્કરે’ આ સમગ્ર રોગચાળાના મૂળમાં જઈને તપાસ કરતા એ ચોંકાવનારી વિગત જાણવા મળી કે ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ રોજના ૨ હજારથી વધુ દર્દીઓ વાઇરલ ઇન્ફેકશનની સારવાર માટે આવી રહ્યા છે.જ્યારે ખાનગી તબીબોને ત્યાં સરેરાશ ૧૦૦થી વધુ દર્દીઓની લાઇન લાગે છે. બીજી તરફ ચોંકાવનારી માહિતીનો એ ઘટસ્ફોટ થયો છે કે, તંત્ર દ્વારા સ્વાઇન ફ્લૂના દરદીઓને સમયસર સારવાર ન મળતા મૃત્યુ આંક ઊંચો ગયો છે.

વાગડ બન્યું ચેરાપુંજી : ધોધમાર બેથી દસ ઇંચ
કચ્છમાં મંગળવારે મંદ પડેલા મેઘાએ મહદઅંશે પોરો ખાધો હતો પણ વાગડ પ્રત્યેનું વ્હાલ વરસાવવાનું ચાલુજ રાખતા ભચાઉ અને રાપર તાલુકામાં એક થી આઠ ઇંચ પાણી વરસ્યું હતુ. ભચાઉ તાલુકાના કંથકોટ અને કકરવામાં બે કલાકમાં આઠ ઇંચ મૂશળધાર વરસ્યો હતો, લાકડિયામાં પણ આટલીજ અવધિમાં ચાર ઇંચ સાથે કુલે દસ ઇંચ ખાબક્યો હતો. ભચાઉમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને ઝરમર રૂપે છુટો છવાયો એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ભચાઉનું વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.વહેલી સવારથી જ ઝરમર સાથે શરૂ થયેલા વરસાદને કારણે જનજીવન પર અસર થઇ હતી. લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળતા દુકાનોમાં ગ્રાહકોની ગેરહાજરી જોવા મળી હતી જોકે, છત્રી અને પ્લાસ્ટિકના દુકાનદારો પાસે ઘરાકી જોવા મળતી હતી.ભચાઉ આસપાસના વિસ્તારના બટીયાતળાવ, કરગરિયા તળાવ, છછડા તળાવ, ગદાસર તળાવ, લોધીડા તળાવ છલકાઇ ગયા હતા. ભચાઉ તાલુકાના લાકડિયામાં સોમવારે રાત્રે બાર વાગ્યાથી મંગળવારની બપોરે બે વાગ્યા સુધીમાં બારે મેઘ ખાંગા થતાં આઠ ઇંચ પાણી વરસ્યું હતું જે પૈકીનો ચાર ઇંચ વરસાદ છેલ્લા બે કલાકમાં ખાબક્યો હતો.ભારે વરસાદને કારણે ડાકણિયો, કોચરી અને રાજણસર ડેમ છલકાયા હતા. તો રાજણસરની પાસે આવેલા વેરસીસર તળાવમાં ગાબડું પડતા યુવાનોએ તાકીદે સમારકામ હાથ ધરી વધુ નુકસાન થતું બચાવ્યું હોવાનું મરંમત્ત કરવા ગયેલી ટીમ પૈકીના રમેશ રવા કોલીએ જણાવ્યુ હતું આવી જ રીતે જો મેઘો વરસતો રહેશે તો તળાવ તૂટવાની દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.


મુન્દ્રા પોર્ટ પર અઢી કરોડનું લાલ ચંદન,૪૦ લાખના ચોખા સ્થગિત

મુન્દ્રા પોર્ટ પર સ્થાનિક કસ્ટમની મીઠીનજર તળે યુરોપ ભણી ગુવારના નામે રવાના થઇ રહેલા પ્રતિબંધિત લાલ ચંદન અને નોન બાસમતી રાઇસના નિકાસને પાત્ર જથ્થાને સ્થગિત કરી ડીઆરઆઈએ સ્થાનિક કસ્ટમને લપડાક મારી હતી.મુંબઇની કશિષ એક્સપોર્ટ નામક પાર્ટી દ્વારા નિકાસ થતા કન્ટેઇનરમાં ચાલીસ લાખ રૂ. ની કિંમતનો ૧૦૦ ટન નોન બાસમતી રાઇસનો જથ્થો અને એક કન્ટેઇનરમાંથી બેથી અઢી કરોડરૂની કિંમતનો ૧૫ ટન લાલ ચંદનના લાકડાંનો પ્રતિબંધિત જથ્થો સીઝ કર્યો હતા.

No comments:

Post a Comment