08 January 2010

કોની તાકાત છે કે મારી ધરપકડ કરે ? : આસારામ

ગુજરાતના મુખ્ય મંત્રીએ પોતાની સાત વાર માફી માંગી હોવાનો દાવો કરતા આસારામે આજે અહીં જણાવ્યું કે દુનિયાની કોઇ એવી તાકાત નથી કે જે મારી ધરપકડ કરી શકે. હરદા નજીકના ચારખેડા ગામે આવેલા પોતાના આશ્રમમાં ભેગા થયેલા શિષ્યોને બુધવારે મોડી સાંજે સંબોધિત કરતાં આસારામે કહ્યું કે, "મોદી મારી સાત વાર માફી માંગી ચુક્યા છે. તેમણે પોતે મને મારા ભક્ત ગણાવતા કહ્યું હતું કે આપની સાથે જે થઇ રહ્યું છે તેમાં આપનો કોઇ દોષ નથી."
આસારામે કહ્યું કે દુનિયાની કોઇ એવી તાકાત નથી કે જે મારી ધરપકડ કરી શકે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતમાં અરજી પોતે નહી પણ ભક્તોએ કરી હતી. સુપ્રિમે એ અરજીને નકારી નથી પરંતુ પોતે જ તે પાછી ખેંચી લીધી છે. આસારામે કહ્યું હતું કે જે રીતે જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ કર્યા બાદ તામિલનાડુમાં જયલલિતાને સત્તા ગુમાવી પડી હતી તે રીતે તેમના વિરૂદ્ધ ષડયંત્ર કરનારાની સત્તા પણ પલટી જશે.

No comments:

Post a Comment