08 January 2010

શ્રીનગર ધિન્ગાણામાં બેય આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રી નગરના હાર્દ સમા વિસ્તાર લાલ ચોકમાં ગઇ કાલે હુમલો કર્યા બાદ અહીંની એક હોટેલમાં ઘુસી ગયેલા આતંક વાદીઓનો સફાયો કરવા સુરક્ષા દળોએ કરેલા અંતિમ હુમલામાં બંને આતંક વાદીઓ ઠાર થતા છેલ્લા બાવીસ કલાકથી ચાલી રહેલું ઓપરેશન સમાપ્ત થયું હતું. સુરક્ષા એજન્સીઓએ આતંક વાદીઓના વાયરલેસ સંદેશાઓ આંતર્યા બાદ તેમની ઓળખ પણ મેળવી લીધી હતી. આ બંને આતંક વાદીઓ પાકિસ્તાનના હતા જેમા એકનું નામ ક્વારી અને બીજાનું ઉસ્માન હતું. લાલ ચોકમાં આવેલી હોટેલ પંજાબ પર સુરક્ષા દળોએ આજે સવારે ખુબ નજીકથી હુમલો કરતાં તેમાં આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ આ હોટેલમાં ગઇ કાલે છુપાઇ ગયા હતા તેઓ સૌથી ઉપરના માળે છુપાયા હોવાનો સુરક્ષા દળોને અંદેશો હતો. આતંક વાદીઓ હોટેલમાંથી ગોળીબાર ઉપરાંત બોંબમારો પણ કરી રહ્યા હતા. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ ઓપરેશનને ગઇ કાલે રાત્રે 11 વાગ્યે કામચલાઉ રીતે બંધ કરી દેવાયુ હતું જેને આજે સવારે સાત વાગ્યે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ગઇ કાલે આતંક વાદીઓએ કરેલા હુમલામાં ઘવાયેલા નાગરિકે આજે સવારે એસ.એચ.એમ.એસ. હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આતંક વાદીઓએ ગઇ કાલે શ્રી નગરના લાલ ચોકમાં કરેલા હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘવાયો હતો.

No comments:

Post a Comment