31 July 2010

કોલંબો ટેસ્ટમાં રચાયા અનેક રેકોર્ડ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કોલંબો ટેસ્ટમાં રચાયા અનેક રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચેની કોલંબો ટેસ્ટમાં રેકોર્ડોને વરસાદ થયો છે. એક તરફ સચિને પાંચમી બેવડી સદી ફટકારીને દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી છે તો બીજી તરફ રૈનાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે શ્રીલંકાના બેટ્સમેન જયવર્દનેએ પણ એક અલગ રેકોર્ડ નોંધાવ્યો છે.કોલંબોના એસએસસી ગ્રાઉન્ડ થયેલા રેકોર્ડો નીચે મૂજબ છે.જયવર્દને બ્રેડમેનને પાછળ રાખ્યા.શ્રીલંકાના મહિલા જયવર્દનેએ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે એક જ મેદાનમાં સૌથી વધારે વખત સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે કોલંબોમાં અત્યારસુધી 10 સદી ફટકારી છે. આગાઉ આ રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે હતો. તેમણે એક જ મેદાન પર નવ સદીઓ ફટકારી હતી.


મંગળ પર દેખાયેલી માનવાકૃતિનો ભેદ ઉકેલાયો

અમેરિકાની વિકિંગ વન ઓર્બિટરે જુલાઇ ૧૯૭૬માં મંગળ પર દેખાતી માનવ આકૃતિની તસવીર લઇ હજજારો અટકળોનું ખંડન કર્યું હતું. ત્યારે વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે, આ માનવ આકૃતિ મંગળની સપાટીનો જ ભાગ છે. નાસાએ તાજેતરમાં તેના હાઇરાઇઝ કેમેરા વડે તસવીર ખેંચતા હકીકતમાં તે મંગળ પરની એક પથરાળ ટેકરી હોવાનું માલૂમ પડ્યું હતું.મંગળ પર દેખાતી માનવાકૃતિની ૧૯૭૬માં લેવામાં આવેલી તસવીરે આમ તો ૧૯૭૬માં જ મંગળ પર માનવ જીવન હોવાની માન્યતાનું ખંડન કરી નાખ્યું હતું. પરંતુ તાજેતરમાં નાસાએ સૌથી નજીકથી તસવીર લેતાં મંગળ પર દેખાતી માનવાકૃતિ ખરેખર શું છે તેનો ખ્યાલ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મંગળ પરની એ પથરાળ ટેકરી પર સૂર્ય પ્રકાશ પડતા તડકા-છાયાને લીધે માનવીના આંખ, કાન અને નાક હોવાનો ભ્રમ થાય છે. ૧૯૬૨માં સૌ પ્રથમવાર આ તસવીર લેવામાં આવી ત્યારે તે માનવી જેવા કોઇ જીવની હોવાનું માનવામાં આવતું હતું.


ભારતની પાણીની સમસ્યાથી અમેરિકા ચિંતિત

ભારતમાં સતત વધી રહેલી વસતી તેમજ શહેરીકરણને કારણે ઉભી થયેલી પાણીની સમસ્યાથી ફક્ત ભારત જ નહીં પરંતુ અમેરિકા પણ ચિંતિત છે. અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ ભારતમાં પાણીની યોગ્ય વ્યવસ્થાની આવશ્યકતા ઉપર ભાર દેતા આ વાત કહી હતી.અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોના સહાયક વિદેશ મંત્રી રોબર્ટ બ્લેકે જણાવ્યું હતું કે ભારતમાં પાણી ફક્ત સ્વાસ્થ્ય અને વિકાસના હિત માટે જ મુખ્ય મુદ્દો નથી પરંતુ પાકિસ્તાન સાથે તેના વિવાદના કારણે પણ એક છે.બ્લેકે ભારત સંબંધિત થઈ રહેલી ઈન્ડિયા ડોનર રાઉન્ડટેબલ બેઠક સંબોધન કરતા આ વાત કહી હતી. બ્લેકે જણાવ્યું હતું કે આ પ્રકારની ફોરમમાં પાણી જેવા મોટા મુદ્દા અંગે ચર્ચા કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આ સમસ્યાનો સતત સામનો કરી રહ્યું છે. એવામાં ભારતની મદદ કરવા માટે યોગ્ય સમાધાન અમારી પ્રાથમિકતા રહેશે.બ્લેકે જણાવ્યું હતું કે ભારતમાં પાણીની તંગીને કારણે હાલત એવી થઈ છે કે નોકરી કરતા મોટા ભાગના લોકોએ તેમની મોટી આવક પાણીની ખરીદી પાછળ ખર્ચ કરવી પડે છે. આંકડા જોઈએ તો ઝડપથી વિકસિત થઈ રહેલા ભારતમાં હજુ પણ ઓછામાં ઓછા 12 ટકા લોકોને પીવા માટે શુધ્ધ પાણી મળતું નથી. 2009ના વર્ષમાં દેશમાં 626 જિલ્લાઓમાં વરસાદ પડ્યો ન હતો.બ્લેકે જણાવ્યું હતું કે ભારત પાસે પાણીનો સંગ્રહ કરવાના યોગ્ય સાધનો નથી. બ્લેકે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં શહેરી વિસ્તારમાં લોકોએ ‘પાણી માફિયાઓ’ પાસેથી પાણીની ખરીદી કરવી પડે છે. ગંદા પાણીને કારણે દર વર્ષે અહીં હજારો લોકો ડાયરિયા અને કોલેરાને કારણે મોતને ભેટે છે.


ઇનકમ ટેક્સ રિટર્ન: હજુ પણ તક
છેલ્લી તારીખ પણ રિટર્ન ભરો

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વીતી ગયા બાદ પણ રિટર્ન ફાઇલ કરી શકાય છે. પરંતુ કેટલીક શરતોની સાથે. જો કરદાતા રિટર્ન દાખલ કરવાનું ચૂકી જાય છે તો, તેમણે હજુ પણ તક મળી શકે છે. તેના માટે તેમને વિભાગને સાચા કારણો બતાવવા પડશે. ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ ભરવાની આજે છેલ્લી તારીખ છે. આજે તમે તમારૂં રિટર્ન કોઇપણ સ્થિતિમાં દાખલ કરી દો, ખાસ કરીને એ લોકો કે જેમને ક્યાંક ને ક્યાંક ટેક્સ આપવાનો બને છે. જો ત્યારબાદ પણ તમે ચૂકી જાય છો તો ગભરાવાની જરૂર નથી. કેટલીક સ્થિતિમાં રિટર્ન પાછળથી ફાઇલ કરી શકાય છે. આમ, તો તેને 31મી જૂલાઇ સુધી જ ફાઇલ કરી દેવું જોઇએ. પણ તારીખ નીકળી જાય તો તેને અસેટમેન્ટ ઇયર પૂર્ણ થાય તે પહેલાં દાખલ કરી શકાય છે.સુવિધા કોણે અને ક્યાં સુધી?ટેક્સ કન્સલટન્ટ એમકે. અરોડના મતે હાલનું એસેટમેન્ટ ઇયર 31મી માર્ચ 2010 સુધી રહેશે. જેમનો ટેક્સ બાકી નથી અને ટીડીએસ કપાઇ ચૂક્યો છે, તેઓ વર્ષના અંત સુધીમાં રિટર્ન ભરી શકે છે. એસેટમેન્ટ ઇયર પૂર્ણ થયા બાદ પણ રિટર્ન ફાઇલ ન કરવા પર દંડ લાગે છે. કર નિર્ધારણ અધિકારી રૂ.5,000 સુધીનો દંડ લગાવી શકે છે. હા, જો તમે બીમારીનું સર્ટિફિકેટ દેખાડો અથવા તો એ સાબિત કરી દો કે તમારા કાગળિયા ખોવાઇ ગયા હતા, તેના લીધે રિટર્ન ફાઇલ કરી શક્યા નહિં, તો તમને દંડમાંથી માફી પણ મળી શકે છે.


મુંબઈ પોલીસના આધુનિકીકરણ માટે કેન્દ્ર રૂ. ૧૨૬૫ કરોડ આપશે

૨૬/૧૧ના આતંકવાદી હુમલાનું પુનરાવર્તન ટાળવા માટે મુંબઈ પોલીસને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર સહિત મુંબઈના સાંસદોએ કમર કસી છે, જેને પગલે કેન્દ્ર દ્વારા મુંબઈ પોલીસના આધુનિકરણ માટે રૂ. ૧૨૬૫ કરોડની સહાય મળવાની છે.મુંબઈ પોલીસની કાયાપલટ કરવામાં આવશે. નવાં પોલીસ સ્ટેશનોનું બાંધકામ કરાશે. આઉટપોસ્ટ, પોલીસ લાઈન વધારાશે. તેમને અત્યાધુનિક શસ્ત્રો આપવા સાથે સંદેશવ્યવહારનાં અત્યાધુનિક ઉપકરણો અપાશે, એમ દક્ષિણ મુંબઈના સાંસદ મિલિંદ દેવરાએ જણાવ્યું હતું.રાજ્ય સરકાર સાથે દેવરા પણ મુંબઈ પોલીસના આધુનિકીકરણ માટે કેન્દ્ર પાસેથી ભંડોળ મેળવવામાં આગ્રહી ભૂમિકા કેન્દ્રમાં રજુ કરતા રહ્યા છે.પોલીસ માટે ફોરેન્સિક ઉપકરણો પણ વધારી અપાશે. તાલીમ માટે માળખાકીય સુવિધામાં સુધારણા લાવવામાં આવશે. કોમ્પ્યુટરાઈઝેશનમાં આધુનિકતા લાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.મુંબઈ પોલીસના આધુનિકીકરણ માટે ભંડોળ પૂરું પાડવા કેન્દ્રે ૨૦૦૯-૧૦ સુધી ત્રણ વર્ષની યોજના ઉપલબ્ધ કરી હતી, જેમાં હવે એક વર્ષનું વિસ્તરણ કરાયું છે. આથી મુંબઈ પોલીસની આધુનિક બનાવવાની યોજનામાં કોઈ બાધા નહીં આવે, એમ તેમણે જણાવ્યું હતું.


રણ મહિનામાં ચણા-અડદની દાળના ભાવ ૧૫ ટકા વધ્યા

સરકારે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસની અંદર ચાર મેટ્રો શહેરમાં અડદ અને ચણાની દાળના ભાવમાં ૧૫ ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે મગ, મસૂર અને તુવેરની દાળના ભાવમાં ૧૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ વ્યવસ્થા માટેના રાજ્યકક્ષાના મંત્રી કે વી થોમસે શુક્રવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ૨૬મી જુલાઇએ દિલ્હીમાં અડદ દાળ અને ચણાની દાળનો કિલોદીઠ ભાવ અનુક્રમે રૂ. ૭૪ અને રૂ. ૩૪.૫ હતો. ગત એપ્રિલ માસની ૨૬મી તારીખે આ બન્ને દાળનો જે ભાવ હતો તેમાં અનુક્રમે ૮.૮૨ ટકા અને ૪.૫૫ ટકા વધારો થયો છે.તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કોલકાતામાં અડદની દાળમાં ૧૩.૩૩ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ચેન્નાઇમાં ૧૪.૨૯ ટકા અને મુંબઇમાં ૧૧.૭૬ ટકાનો વધારો થયો છે. ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે આ દાળના ભાવમાં વધારો થયો છે. અલબત્ત, મગ, મસૂર અને તુવેરની દાળના ભાવમાં આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ ૧૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.અન્ય મહત્વની ચીજવસ્તુઓના ઘઉં અને લોટના ભાવમાં વધુમાં વધુ આઠ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ચાર મહાનગરોમાં સીંગતેલ, સરસવનું તેલ(મસ્ટર્ડ ઓઇલ) અને વનસ્પતિ તેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. એવી જ રીતે નવી દિલ્હીમાં દૂધના ભાવમાં ૪.૩૫ ટકાનો વધારો થયો છે. જ્યારે બટાટાના ભાવમાં ૨૨.૨૨ ટકા સુધીનો વધારો નોંધાયો છે. જોકે, ડુંગળીના ભાવ ઘટયા છે. બીજી બાજુએ, આ ચારેય મહાનગરોમાં ચોખા, ખાંડ અને ચાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.


સોહરાબ કેસ ગુજરાત બહાર ખસેડો : CBI

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ‘સ્ટેટ્સ રિપોર્ટ’ (સ્થિતપિત્ર) રજુ કર્યો છે. તેમજ મુક્ત અને ન્યાયી કાર્યવાહી માટે આ કેસને ગુજરાત બહાર તબદૂલ કરવા માટે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે. અતિસંવેદનશીલ એવા આ કેસમાં છેલ્લા છ મહિનાથી તપાસ કરી રહેલી સીબીઆઇએ ‘સ્ટેટ્સ રિપોર્ટ’માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સીધો કોઇ ઉલ્લેખ કર્યો નથી.‘રાજ્યમાં વાતાવરણ સાનુકૂળ નથી’ તેમ કહીને કેન્દ્રીય તપાસ એજન્સી સોહરાબ કેસને ગુજરાત બહાર ટ્રાન્સફર કરવા ઇચ્છે છે. કેમ કે, ગુજરાતમાં મુક્ત અને ન્યાયી તપાસ અંગે તેણે શંકા વ્યક્ત કરી છે.આ કેસમાં નરેન્દ્ર મોદીના નામનો સીધો ઉલ્લેખ નહિ હોવાના અહેવાલ છતાંય, ‘સ્ટેટ્સ રિપોર્ટ’ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ડીજીપી પીસી પાંડે અને નરેન્દ્ર મોદીને લગતો ‘ઇન્ટરનલ મેમો’ (આંતરિક પત્રવ્યવહાર) સીબીઆઇએ દાખલ કરેલા સોગંદનામા અને ‘સ્ટેટસ રિપોર્ટ’ના દસ્તાવેજોનો એક ભાગ છે.સીબીઆઇએ કહ્યું હતું કે ૨૬મી નવેમ્બર-૨૦૦૫ના રોજ અમદાવાદ નજીક કથિતપણે એક નકલી એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ કેસમાં કાર્યવાહીને ખોરવી નાંખવા માટે વગદાર રાજકારણીઓ અને અધિકારીઓ તમામ શક્ય પ્રયાસો કરશે તેવી દહેશત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીઆઇએ મોદીના અતિ વિશ્વાસુ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહની ધરપકડ સહિત આ કેસની તપાસની રજેરજ માહિતી ‘સ્ટેટ્સ રિપોર્ટ’માં દર્શાવી છે. એજન્સીના મુખ્ય તપાસનીશ અધિકારી અમિતાભ ઠાકુર દ્વારા સ્ટેટ્સ રિપોર્ટ અને એફિડેવિટ દાખલ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ ઠાકુર જ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમિત શાહની પૂછપરછ કરી રહ્યા છે.


હાઈકોર્ટના જજોની નિવૃત્તિ મર્યાદા ૬૫ વર્ષ કરાઈ

હાઇકોર્ટના જજોની નિવૃત્તિવય ૬૨થી વધારીને ૬૫ વર્ષ કરવા માટેનો માર્ગ મોકળો કરતાં સૂચિત કાયદાને કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે મંજુરી આપી દીધી હતી. આ પગલાંથી દેશની ૨૧ હાઇકોર્ટના લગભગ ૬૩૦ ન્યાયાધીશોને મદદ મળી રહેશે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કાયદા મંત્રાલય સંસદના ચાલુ ચોમાસું સત્ર દરમિયાન આ કાયદો દાખલ કરવા આતુર છે.આ માટે વિવિધ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવશે. કેમ કે, આ હેતુ માટે બંધારણીય સુધારાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષ ૧૯૬૩માં હાઇકોર્ટના જજોની નિવૃત્તિવય ૬૦થી વધારીને ૬૨ વર્ષની કરવામાં આવી હતી. ટૂંકા ગાળાની પાક લોન પૂરી પાડવા માટે પીએસયુ બેંકોને માટે ૪,૮૬૮ કરોડ રૂપિયા છુટા કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. આ યોજના હેઠળ બેંકો વાર્ષિક પાંચથી સાત ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને આપશે. આ બેંકોને સરકાર બેથી ચાર ટકા સુધીની સબસિડી આપશે.


બધાં જ ડોક્ટરો અને નર્સોનું ફરી રજિસ્ટ્રેશન થશે

કેન્દ્ર સરકાર દેશમાં બધા જ ડોક્ટરો અને નર્સોની યોગ્ય સંખ્યા જાણવા માટે તેમનું ફરી રજિસ્ટ્રેશન કરાવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રિસોર્સ ઇન હેલ્થ બિલમાં ફરી રજિસ્ટ્રેશનની જોગવાઇ કરી રહ્યું છે. ડોક્ટરો અને નર્સોના રજિસ્ટ્રેશનની માન્યતા માત્ર પાંચ વર્ષની હશે. રજિસ્ટ્રેશન વગર પ્રેક્ટિસ કરનારા ડોક્ટરો અને નર્સો માટે કડક સજાની બિલમાં જોગવાઇ કરવામાં આવશે. આ જોગવાઇ હેઠળ બધા જ ડોક્ટરો અને નર્સોએ પોતાના મૂળ રાજ્યમાં ફરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માધ્યમથી કરાવી શકાશે. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે, મેડિકલ, ડેન્ટલ ડોક્ટરો અને નર્સોના રજિસ્ટ્રેશન માટે પ્રથમવાર ઓનલાઇન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. ઓનલાઇન ટેકનિકના ઉપયોગને કારણે ડોક્ટરો અથવા નર્સો કોઇપણ શહેર કે ગામમાં ઇન્ટરનેટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે.એનસીએચઆરએચ બિલમાં ડોક્ટરો અને નર્સોના રજિસ્ટ્રેશનની માન્યતા માત્ર પાંચ વર્ષની જ રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. પાંચ વર્ષ બાદ ડોક્ટરો અને નર્સોએ ફરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.


યુવી ફીટ, રૈનાનું પત્તુ કપાશે!

શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. કારણ કે, ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર અને મિડલ ઓર્ડર બેટ્સમેન યુવરાજ સિંહ ફીટ થઇ ગયા છે.સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું છે કે, ભારત પાસે ત્રીજી ટેસ્ટ માટે સારા ખેલાડીઓ પસંદ કરવા માટે એક ફોજ તૈયાર છે. કારણ કે, ઘૂંટણની ઇજાના કારણે બહાર રહેલો ગંભીર અને તાવના કારણે બીજી ટેસ્ટ નહીં રમી શકેલો યુવરાજ હવે સાજો થઇ ગયો છે. બન્ને ખેલાડીઓ થોડા દિવસથી નેટ સેશનનો ભાગ પણ બની રહ્યાં છે. તેમજ બીજી ટેસ્ટમાં યુવરાજ સિંહ સચિનના સ્થાને ફિલ્ડિંગ ભરવા માટે આવ્યો હતો.જો કે, યુવરાજ સિંહ કે જે વોર્મ અપ મેચ અને પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર ફોર્મ દર્શાવ્યા બાદ બીજી ઇનિંગમાં ચાર રન જ નોંધાવી શક્યો હતો.અને બીજી ટેસ્ટમાં તાવના કારણે ટીમમાંથી બહાર રહ્યો હતો. તેના સ્થાને સમાવવામાં આવેલા રૈનાએ ધમાકેદાર આગમન કરતા પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારી યુવરાજને જોરદાર ટક્કર આપી છે. હવે જોવાનું એ રહ્યું કે અતિમ 11માં યુવરાજનો સમાવેશ કરવામાં આવશે કે રૈનાનો.


ઝહીર ખાન પુનરાગમન માટે તૈયાર

શ્રીલંકા ખાતે યોજાનાર ત્રીકોણીય શ્રેણી માટેની ટીમની પસંદગી શનિવારે થનાર છે. ત્યારે ભારતનો ઝડપી અને અનુભવી બોલર ઝહીર ખાન પુનરાગમન કરવા માટે તૈયાર થઇ ગયો છે. જો કે, તેના સમાવેશને લઇને હજૂ દુવિધામાં છે. જ્હોનિસબર્ગથી પરત ફર્યા બાદ હાલ તે નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાઇ ગયો છે. અને જો એકેડમીના સૂત્રો પર વિશ્વાસ રાખીએ તો તે પસંદગી પામવા માટે ઉપલબ્ધ છે.જ્યારે બીજી તરફ ઇજાના કારણે બીજી ટેસ્ટ ગુમાવનાર ગૌતમ ગંભીરની પસંદગી ત્રીકોણીય શ્રેણી માટે કરવામાં નહીં આવે. પસંદગી સમિતિના સૂત્રોએ જણાવ્યા અનુસાર સમિતિ ડાબોડી બેટ્સમેનને ઘૂંટણની ઇજામાંથી બહાર આવવા માટે થોડો સમય આપવા માગે છે.ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવિડ, લક્ષ્મણ, વિદ્ધિમાન સાહા, મુનાફ પટેલ, અભિમન્યુ મિથુન અને અમિત મિશ્રા ભારત પરત ફરશે. ઉપરાંત પહેલી અને બીજી ટેસ્ટમાં નબળું બોલિંગ પ્રદર્શન કરનાર ઇશાંત શર્માને પણ પડતો મુકવામાં આવે તેવી સંભાવનાઓ છે.બીજી તરફ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર અને યુવરાજ સિંહ અને વિરેન્દ્ર સેહવાગ પણ ત્રીકોણીય શ્રેણી માટે તૈયાર છે. ત્યારે પસંદગી સમિતિ માટે ત્રીકોણીય ટીમની પસદંગી કરવી અઘરી રહેશે.


અંતે બીજી ટેસ્ટ નિરસ ડ્રો

બોલર્સ માટે નર્કસમાન સિંહાલઝિ સ્પોર્ટ્સ ક્લબની વિકેટ પર પાંચ દિવસમાં ૧૪૭૮ રન નોંધાયા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ શુક્રવારે ડ્રો રહી હતી. આમ શ્રીલંકાએ ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ જાળવી રાખી હતી પરંતુ ભારતે આઈસીસીમાં મોખરાનો ક્રમાંક પણ જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી હતી.અહીં રમાયેલી બીજી ટેસ્ટમાં શ્રીલંકાના ચાર વિકેટે ૬૪૨ રન (ડિકલેર)ના જંગી સ્કોર સામે ભારતે શુકવારે ૭૦૭ રન ખડકી દીધા હતા અને ગૃહટીમે તેના બીજા દાવમાં ત્રણ વિકેટે ૧૨૯ રન નોંધાવ્યા ત્યારે મેચ પૂર્ણ થયેલી જાહેર કરાઈ હતી. શ્રીલંકન સુકાની કુમાર સંગાકરાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.મેચ નિરસ રીતે આગળ ધપી રહી હતી ત્યારે ભારતે નવ વિકેટે ૬૬૯ રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. ઇશાન્ત શર્મા અને પ્રજ્ઞાન ઓઝાની અંતિમ જોડીએ તેમની ભાગીદારી ૩૯ રન સુધી પહોંચાડી હતી. ભારતે આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો બીજો સર્વોચ્ચ અને વિદેશી ધરતી પર સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.


નિર્જીવ પિચ સામે ધોની-સંગાકરાની અકળામણ

શ્રીલંકા સામે હાઈસ્કોરિંગ રહેલી પ્રથમ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલી નિર્જીવ પિચની આકરી ટીકા કરીને ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું કે પિચ બોલર્સ માટે કબ્રસ્તાન સમાન બની હતી અને તમામ બોલર્સની ચોમેર ધોલાઈ થઇ હતી.
પિચ ઝડપી બોલર્સ માટે નહીં તો સ્પિનર્સ માટે પણ બનાવી હોત તો અમે ટેસ્ટ ક્રિકેટને વધારે રસપ્રદ બનાવી શક્યા હોત. પિચ પરથી બોલને બાઉન્સ પણ મળતો નહોતો. પ્રથમ ટેસ્ટમાં માત્ર બેટ્સમેન છવાયેલા રહ્યા હતા.પિચ અંગે ધોનીએ વ્યક્ત કરેલી પ્રતિક્રિયાને સમર્થન આપીને શ્રીલંકન સુકાની કુમાર સંગાકરાએ પણ જણાવ્યું હતું કે સપાટ પિચે બોલર્સ પાસે આકરી મહેનત કરાવી છે. પિચ નિર્જીવ હોવા છતાં મને મારા બોલર્સનાં પ્રદર્શનથી સંતોષ છે અને અમે ભારત માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી.ધોનીએ જણાવ્યું હતું કે સપાટ પિચ હોવાના કારણે ભારત ૧૦૦ રન પાછળ હોત તો પણ મેચને રસપ્રદ બનાવવાનો મને ક્યારેય વિચાર આવ્યો નહોતો. હરીફ ટીમે ૬૦૦ રન બનાવ્યા હતો તો અમે તેનો સારો વળતો જવાબ આપ્યો હતો અને ૫૦ રન કરતાં વધારે સરસાઇ મેળવી હતી. તેમ છતાં મેચના અંતે ટીમના દેખાવથી મને સંતોષ થયો છે.


લોકો હવે મારી ઉંમર વિશે ટીકા કરવાનું બંધ કરે: સચિન

ભારતના સૌથી સિનિયર બેટ્સમેન સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે મેં ૩૭ વર્ષની વયે પાંચમી બેવડી સદી ફટકારીને સાબિત કરી આપ્યું છે કે ઉંમરને વ્યક્તિનાં પ્રદર્શન સાથે કોઈ લેવાદેવા હોતી નથી તેથી લોકોએ મારી ઉંમર માટે વિવિધ પ્રકારની ચર્ચા બંધ કરવી જોઈએ.સચિને શ્રીલંકા સામે અહીં રમાયેલી બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને ભારતને ફોલોઓનમાંથી બચાવીને મેચ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.સચિને જણાવ્યું હતું કે મારું માનવું છે કે જ્યાં સુધી તમે માનસિક રીતે મજબૂત હોવા ઉપરાંત આકરી કસોટીમાંથી પસાર થવા માટે તૈયાર રહો છો ત્યારે ઉંમરનો કોઈ પ્રશ્ન નડતો નથી.


'ત્રેવડી સદીનો સમય આવશે ત્યારે બની જશે'

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં 203 રનની શાનદાર ઇનિંગ રમનાર માસ્ટર બ્લાસ્ટર ક્યારે ત્રેવડી સદીના ક્લબમાં જોડાશે. તેને લઇને વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉતકંઠા છે. જો કે, તે ત્રેવડી સદીના ક્લબમાં નહીં જોડાઇ શકવાની વાતને લઇને નિરાશ નથી. તેનું કહેવું છે કે, તે ક્યારેય રનના સ્કોરને ગણતો નથી. મને તે પસંદ નથી.તેણે કહ્યું છે કે, હમેંશા રમવા માટે જતો હોવ છું. લોકો મારા રેકોર્ડ તરફ જૂએ છે. જ્યારે 300 બનાવવાનો સમય આવશે. ત્યારે તે બની જશે. અને તે આવવાનો હશે તો તે બનીને જ રહેશે. આપણે અહીંયા એકસાથે મળીને યથાયોગ્ય યોગદાન આપવા આવ્યા છીએ.તેણે કહ્યું કે, ધીરજ ખુબ મહત્વ ધરાવે છે. આ એક મહત્વની ઇનિંગ હતી. આ પીચ પર મોટા શોટ રમવાની લાલચને દૂર કરવું કપરું હતું. મે મારી તમામ લાલચને જકડી રાખી હતી. અને તેથી હું ખુશ છું. એ સમય કપરો હતો. અને ત્યારે એક મોટી ભાગીદારીની જરૂર હતી. અને અમે તે કરી શક્યા.જ્યારે કોઇ નંબર વને લઇને વાત કરે છે ત્યારે સચિન ઘણો દુખી થાય છે. તેનું કહેવું છે કે આપણે અહિંયા સારુ ક્રિકેટ રમવા માટે આવ્યા છીએ. એનો મતલબ એ નથી કે અમે રેંક ચેન્જ કરવા માગીએ છીએ. પરંતુ જો અમે સારુ ક્રિકેટ રમીશું તો રેંક આપોઆપ જળવાઇ રહેશે.




હવે નાની નોકરી કરનાર માટે ખાતું ખોલાવું સરળ

ડ્રાઇવર, માળી, ગાર્ડ, સ્થાનિક કર્મચારી વગેરે માટે હવે બેન્કોમાં ખાતું ખોલાવું સરળ થશે. અત્યાર સુધી આ લોકોના ઓળક પત્રના અભાવમાં તો ક્યારેક ઓછા નાણાં મળવાના લીધે ખાતું ખોલાવામાં મુશ્કેલી પડતી રહી છે.આ લોકોની મદદ માટે માઇક્રોફાઇનાન્સ ઑક્સીજન સર્વીસ આગળ આવ્યું છે. આ કંપનીએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સાથે એક કરાર કર્યો છે. તેના અંતર્ગત કંપની દલ્હી-એનસીઆર અને મુંબઇમાં 75,000 કિઓસ્ક ખોલશે. તેમાં નાના સ્તર પર બેન્કોનું કામકાજ થશે.આ કિઓસ્કોમાં રજીસ્ટર કરાવા માટે વધુ કાગળની જરૂર નથી. તમામ ગ્રાહકોના અંગૂઠાના નિશાન બાયોમેટ્રિક્સ મશીનથી લેવામાં આવશે. ગ્રાહકોને ફોટો આઇડી કાર્ડ આપવામાં આવશે તેના દ્વારા જ તેઓ કઇપણ પ્રકારની લેણ-દેણ કરી શકશો. આ પ્રકારના ખાતાઓ ઝીરો બેલેન્સના હશે. એટલે કે તેમાં નાણાં જમા કરાવવાની ન્યૂનતમ મર્યાદા નહિં હોય.


એ પરિણીતા બીમારીથી નહીં, સાસરિયાંના ત્રાસથી મરી’તી

પતિ શંકા કરતા અને સાસુના ખરાબ ધંધા કરવાના દબાણથી કંટાળી પુત્રીએ આપઘાત કર્યો છે : મૃતકના પરિવારનો આક્ષેપ.
ગત મંગળવારે મુંજકા ગામે લોહાર પરિણીતા નિતા દેવાંગ વાઘેલાએ પોતાને ઘરે જાતે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા મોત નિપજ્યું હતું. બનાવ બાદ સાસરિયાંઓએ બીમારીથી કંટાળી પુત્રવધૂએ આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. પરંતુ મૃતકની માતાએ સાસરિયાંઓએ પુત્રીને મરી જવા મજબૂર કર્યાનો આક્ષેપ કરી જમાઇ દેવાંગ, વેવાઇ રમેશભાઇ વાઘેલા, વેવાણ ઇન્દુબેન, અને જમાઇના નાના ભાઇ કપીલ સામે ફરિયાદ નોંધાવી હતી.દેવપરા નજીક મહેશ્વરી સોસાયટી-૨માં રહેતા જયોત્સનાબેન દિલીપકુમાર પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પુત્રી નીતાના ત્રણ વર્ષ પહેલા લગ્ન કરાવ્યા હતા. નીતાને લગ્ન જીવન દરમિયાન અઢી વર્ષનો પુત્ર છે. નીતાને લગ્નજીવન દરમિયાન જમાઇ દેવાંગ શંકાઓ કરી અવારનવાર મારકૂટ કરતો હતો. એટલું જ નહીં ત્રાસ ગુજાર્યા બાદ નીતાને માવતરે મોકલી દેતો હતો. ત્યારે પુત્રી પતિના ત્રાસ અંગે વાત કરતી હતી.છેલ્લે જ્યારે નીતા માવતરે આવી ત્યારે તેણીએ જે વિગતો જણાવતા અમે ચોંકી ગયા હતા. પુત્રીના સાસુ ઇન્દુબેન નીતાને માવતરેથી પૈસા લઇ આવવા અને જો ન લાવે તો ખરાબ ધંધા કરી પૈસા કમાઇ લાવવાનું કહી દબાણ કરતા હોય આ જ કારણથી કંટાળી પુત્રીએ પગલું ભરી લીધાનું જણાવ્યું છે.

No comments:

Post a Comment