30 July 2010

રિબનો કપાશે ને ખાડા ખોદાશે, ૧૪ દિવસમાં ૬૨૫ કાર્યક્રમો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રિબનો કપાશે ને ખાડા ખોદાશે, ૧૪ દિવસમાં ૬૨૫ કાર્યક્રમો

ઉદ્ઘાટનો, ખાતમુહૂર્તોની શ્રૃંખલા : બીજી તારીખે ચાર મંત્રી, બે સચિવો રાજકોટમાં.રાજકોટમાં સ્વતંત્રતાપર્વની ભવ્ય ઉજવણીની શરૂઆત પંદર દિવસ અગાઉથી જ થઇ જવાની છે. શનિવારે જિલ્લાના પ્રભારી મંત્રી અહીં આવીને સમગ્ર કાર્યક્રમોની વિગતો આપશે અને તા.૧ થી વિવિધ કાર્યક્રમો શરૂ થશે. જિલ્લામાં જુદા જુદા લોકાર્પણ ઉદ્ઘાટનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો મળીને કુલ ૬૨૫ જેટલા જાહેર સમારોહ ૧૫ દિવસ દરમિયાન યોજાશે. તા.૨ ના રોજ રાજ્યના ચાર મંત્રીઓ અને બે સંસદીય સચિવો રાજકોટમાં છે તે ઉપરાંત જુદા જુદા દિવસે જુદા જુદા મંત્રીઓ અહીં લોકાર્પણો માટે આવશે.તા.૧ થી ૧૫ ઓગસ્ટ વિવિધ કાર્યક્રમો રાજકોટમાં યોજાશે. ૩૧મીએ રાજ્યના ઊર્જામંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી સૌરભ દલાલ રાજકોટ આવીને સમગ્ર આયોજનની વિગતો આપશે. રાજકોટ જિલ્લા કલેક્ટર એચ.એસ.પટેલના માર્ગદર્શનમાં આ કાર્યક્રમો ઘડાયા છે અને તેનું આયોજન જુદા જુદા તબક્કે થશે. તા.૧ થી શહેરના ચાર ઝોનમાં રોજ રાત્રે ૭-૩૦ થી દસ સુધી સ્થાનિક કલાવ્રુંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થશે. જે દસ તારીખ સુધી ચાલશે. તેમાંથી પસંદગી પામેલી કૃતિઓ લોકમેળાના ઉદ્ઘાટનમાં રજુ થશે.તા.૨,૩,૫,૬,૭ ઓગસ્ટે તેમજ તા. ૯ અને ૧૦ ઓગસ્ટે તાલુકા વિસ્તારમાં પણ કાર્યક્રમો યોજાશે. ૩ ઓગસ્ટે સવારે નવ વાગ્યે મિતાણાના પ્રભુનગરમાં ટાંકી, પંપરૂમ, સીસી રોડનું લોકોર્પણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે થશે. તે જ દિવસે પડધરી તાલુકાના ફતેપુરમાં વાચનાલયના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. તા.૨ ના રોજ નાણામંત્રી વજુભાઇ વાળા, નરોત્તમભાઇ પટેલ, પાંચમીએ આનંદીબેન પટેલ રાજકોટ આવશે.૧ થી ૧૪ તારીખ દરમિયાન કુલ ૬૨૫ કાર્યક્રમો યોજાશે તેવું સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું.રેસકોર્સ આસપાસ બે દિવસ નો પાકિઁગ -સ્વતંત્રતા પર્વની ઉજવણીને અનુલક્ષીને પોલીસ કમિશનર મનોજ શશીધરે બહાર પાડેલા જાહરનામા અનુસાર તા.૧૪ અને ૧૫ ઓગસ્ટ એરપોર્ટથી પોલીસ હેડક્વાર્ટર સર્કલ,બહુમાળી ભવન, ચાણકય બિલ્ડિંગ થી સરકીટ હાઉસ સુધીનો રસ્તો મહાનુભાવો પસાર થાય તે પહેલાના બે કલાક અગાઉથી બંધ થશે તે કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.


મેટાડોરે યુવાનને કચડી મારતાં ટોળું વિફર્યું: પોલીસનો લાઠીચાર્જ

દોઢસો ફૂટ રિંગરોડ પર વધુ એકવાર જીવલેણ અકસ્માત. ટોળાંનો મેટાડોરને આગ ચાંપવાનો પ્રયાસ, વાહન પોલીસ મથકે લઇ જવાતાં ટોળું પણ પાછળ જતાં પોલીસનો બળપ્રયોગ. શહેરમાં આડેધડ દોડતા વાહનોએ અનેક માનવ જિંદગીના ભોગ લીધા છે. હજુ ગઇ કાલે જ દોઢસો ફૂટ રિંગ રોડ નાના મવા ચોકડી નજીક પરપ્રાંતીય શ્રમિકને રિક્ષાએ હડફેટે લઇ રામ રમાડી દીધા હતા. ત્યાં આજે વધુ એક જીવલેણ અકસ્માતમાં મવડી ચોકડી નજીક કાળરૂપી મેટાડોરે ગરાસિયા યુવાનને ભોગ લેતા અરેરાટી ફેલાઇ ગઇ છે. ઉશ્કેરાયેલા ટોળાએ મેટાડોર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસ સમય વર્તીને મેટાડોરને માલવિયા નગર પોલીસ મથકે લઇઆવી હતી. પરંતુ ટોળાએ ત્યાં પણ પહોંચીને મેટાડોર સળગાવવાનો પ્રયાસ કરતાં પોલીસે ટોળુ વોખેરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.અકસ્માતનાં બનાવની મળતી વિગતો મુજબ પુનિતનગરમાં રહેતા અને કારખાનામાં નોકરી કરતા વનરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ નાંમના ગરાસિયા યુવાન ગુરૂવારે સાંજે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા મોટાભાઇ ભરતસિંહને ઘરે બેસવા ગયા હતા. ત્યાંથી પરત ઘરે ફરતી વેળાએ દોઢસો ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી નજીક રાધે હોટલ સામે રસ્તો ઓળંગવા જતા હતા ત્યારે માતેલા સાંઢની જેમ દોડી આવેલા જીજે.૩.એવી.૭૯૦૧ નંબરનાં આઇસર મેટાડોરે હડફેટે લઇ તેનાં વ્હીલ યુવાનનાં શરીર પર ફરિ વળતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.


કાલાવડ રોડ પર બનશે વૃક્ષોથી લહેરાતું ભવ્ય ઓધવ વન

૧૦ હજાર ચો.મી. જમીનમાં પીપળો, વડ, કદમ, પારિજાત અને બીલી વવાશે : બાંકડા-કુટીર મુકાશે : તા. ૧પમીએ વનમંત્રીના હસ્તે ભૂમિપૂજન.શહેરના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસ સામે આવેલા ૧૦ હજાર ચો.મી.ના વિશાળ પ્લોટમાં મહાપાલિકા દ્વારા સુંદર ઓધવ વનનું નિર્માણ થવાનું છે.તેમાં રૂ. ૩૦ લાખના ખર્ચે પીપળા, વડ, કદમ, પારિજાત અને બીલીના રોપાનું વાવેતર થશે. ઓધવ વનમાં લોકો નિરાતે બેસી કુદરતી માહોલને માણી શકે એ માટે બાંકડા અને કુટિર પણ મૂકવામાં આવનાર છે. આગામી તા. ૧પમી ઓગસ્ટે વનમંત્રીના હસ્તે ઓધવવનનું ભૂમિપૂજન કરવામાં આવશે.આ અંગે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સંપૂર્ણ સહયોગથી ૧૦ હજાર ચો.મી. જમીન મળી છે. પીપળો, વડ, કદમ, અને પારિજાત સહિતનાં વૃક્ષો ભારતીય સંસ્કૃતિ તથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા હોય આ પવિત્ર વૃક્ષોનું એક નંદનવન બનાવવાની ઇચ્છા હતી. થે લોકોને પણ હરવા-ફરવા માટે અને કુદરતી વાતાવરણમાં મહાલવાનો આનંદ મળે એવી લાગણી સાથે ઓધવ વન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.રાજકોટમાં થનારી ૧પમી ઓગસ્ટની ઉજવણીના કાર્યક્રમોની શ્રુંખલામાં ઓધવ વનના ભૂમિપૂજનનું પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. ૧પમી ઓગસ્ટે જ વનમંત્રીના હસ્તે ભૂમપિૂજન કરાયા બાદ ઝડપથી તેનું કામ શરૂ કરી દેવામાં આવશે.


તમે જે કેળાં ખાઓ છો તે ઝેરી રસાયણમાં બોળેલા હોય છે
મનપાની ફૂડ શાખા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી જતી મલાઇ

કેરી પકવવા જે રીતે ઘાતક એવા કાબૉઇડનો ઉપયોગ કરવામાં આવે છે એવી જ રીતે કેળામાં પણ આ રીતે ઝેરીલો પ્રયોગ છુટથી થઇ રહ્યો છે. કાચા કેળાને ત્રણ-ચાર દિવસમાં જ પકવી દેવા માટે ગ્રુફોન સહિતના કેટલાક ઘાતક રાસાયણિક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું આજે દિવ્ય ભાસ્કરની ટીમે કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન ખુલ્લું પડ્યું હતું. આ રીતે રોજ હજારો ટન ઝેરી કેળાનો ખુલ્લેઆમ વેપાર કરવામાં આવી રહ્યો છે.ડૂતો વહેલા કમાઇ લેવાની નીતિ દાખવી કાચા કેળાનો જ સોદો કરી નાખે છે અને સામે હોલસેલ વેપારીઓ વહેલી કમાણી કરી લેવાની લહાયમાં કેમિકલથી કેળા પકવવાનો શોર્ટકટ રસ્તો અપનાવી લોકોનું આરોગ્ય જોખમમાં મૂકી દે છે. કેળા પકવવા માટે ગ્રુફોન નામનું અતિ ઘાતક રાસાયણિક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીમાં ગ્રુફોન કેમિકલ ભેળવી તેમાં કેળાને બોળીને કાઢી લેવામાં આવે છે.આ કેળા માત્ર ચારથી પાંચ જ દિવસમાં પાકી જાય છે. આ રીતે દસ લિટર પાણીમાં માત્ર અડધુ ઢાંકણું ગ્રુફોન કેમિકલ નાખી એક મણ કેળા પકવી શકાય છે.જકોટમાં મોટાભાગના હોલસેલ વેપારીઓ આ રીતે જ કેળા પકવી બજારમાં મૂકી દે છે. દિવ્ય ભાસ્કરની ટીમ સમક્ષ વખારના માલિકે કેળા કઇ રીતે કેમિકલમાં બોળવામાં આવે છે એ સહિતનું ડેમોસ્ટ્રેશન કરી બતાવ્યું હતું. કેમિકલમાં કેળા બોળવા માટે હાથમાં પ્લાસ્ટિકના મોજાં પહેરવા પડે તેવું ઘાતક રસાયણ હોય છે. મોજા વગર જો હાથ બોળવામાં આવે તો હાથમાં રિતસર તમતમાટી ઉપડી જાય છે. દિવ્ય ભાસ્કરની ટીમે આ જાત અનુભવ પણ કર્યો હતો. -ફ્રૂટની મોટી વખાર ધરાવતા અમુક વેપારીઓને વિશ્વાસમાં લઇ કરેલી પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, કેરી હોય, કેળા હોય કે અન્ય કોઇ ફળની સીઝન, ફ્રૂટ પકવવા આ જ રીતે કેમિકલ, કાબૉઇડ અને ગેસનો ઉપયોગ કરીએ જ છીએ.મનપાની ફૂડ શાખા અને સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને નિયમિત પ્રસાદી મોકલાવી દેતા હોય અમારા આંગળે આવતા નથી. ક્યારેક ઉપરથી દબાણ હોય છે ત્યારે ત્યાંથી જ મેસેજ મળી જાય છે અને બાદમાં ચેકિંગ કરવા આવે ત્યાં સુધીમાં તો બધુ જ સમૂનમું કરી નાખીએ છીએ.

No comments:

Post a Comment