30 July 2010

અંબાણીબંધુઓ વચ્ચે ફરી તકરાર?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અંબાણીબંધુઓ વચ્ચે ફરી તકરાર?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેજી-ડી6માં ગેસનું ઉત્પાદન હાલ 60 એમએમસીડીની ક્ષમતાથી વધશે ત્યારે ગેસ મેળવનાર અગ્રીમ છ કંપનીઓમાં અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવરનો સમાવેશ કરાયો નથી. આ યાદીમાં આરપાવરને પ્રાથમિકતા આપવામાં આવી નથી એવી માહિતી ઉર્જા મંત્રાલયના એક અધિકારીએ આપી હતી.મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલ પ્રાથમિક યાદીમાં જીએસપીસીના 700 મેગાવોટના પીપીવાવ પાવર પ્રોજેક્ટ માટે, ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિમિટેડના હજીરા ખાતેના 350 મેગાવોટના પ્રેજેકટ માટે, પ્રગતિ પાવર કોર્પોરેશનના 1000 મેગાવોટના બાવના પાવર પ્રોજેક્ટ માટે, લેન્કોના કોન્ડાપલ્લી ખાતેના 740 મેગાવોટના બીજા તબક્કા માટે, જીએમઆરના વેમાગીરી વિસ્તરણ પ્રોજેક્ટ અને ઉત્તરાખંડના કોશીપુર પ્રોજેક્ટ માટેનો સમાવેશ થયો છે.એક અધિકારીએ કહ્યું કે આ યાદી ઇજીઓએમને મોકલાશે. આ પ્રોજેક્ટો 2010 થી 2012ના ગાળામાં કાર્યરત થઇ રહ્યા હોવાથી તેમને અગ્રીમતા આપવામાં આવી છે.નેચરલ ગેસ મેળવનારી કંપનીઓની બીજી યાદીની જાહેરાત આવતા વર્ષે કરાશે અને આરપાવરનો આ યાદીમાં સામવેશ કરાય તેવી શક્યતા છે. રિલાયન્સ પાવરનો આંધ્રપ્રદેશ ખાતેનો 2400 મેગાવોટનો સમાલકોટ પ્રોજેક્ટ પાવર મંત્રાલય દ્વારા વર્ષ 2012-13માં કેજી-ડી6 માંથી 8 એમએમએસસીએમડી ગેસની ફાળવણી માટે પસંદ કરાયો છે. બીજી યાદી હજુ તૈયાર કરાઇ નથી તેમ એક અધિકારીએ કહ્યું હતું.ઇજીઓએમે બુધવારની બેઠકમાં કોઇપણ નવા પાવર પ્લાન્ટને ગેસની ફાળવણી કરી ન હતી. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેજી ડી 6 બ્લોકમાંથી 60 એમએમએસસીએમડીની ઉત્પાદનક્ષમતા ધરાવે છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા મહિને જ કેન્દ્રને જણાવ્યું હતું કે કેજી-ડી 6 બ્લોકમાંથી ગેસનું ઉત્પાદન 80 એમએમએસસીએમડીના મંજૂર થયેલા અંદાજ સામે લગભગ 60 એમએમએસસીએમડીના સ્તરે સ્થિર રહેશે.
અમેરિકાના અન્ય હજારો ગુપ્ત દસ્તાવેજો પણ ગાયબ

વિકીલીક્સ દ્વારા 92000 ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યાના થોડા દિવસો બાદ અમેરિકાના રક્ષા મંત્રી રોબર્ટ ગેટ્સે સ્વીકાર કર્યો છે કે આવી જ રીતે હજારો અન્ય ગુપ્ત દસ્તાવેજો રક્ષા વિભાગમાંથી ગાયબ થઈ ગયા છે. આ દસ્તાવેજો આતંકવાદ વિરુદ્ધ જંગ સંબંધિત હતાં.એડમિરલ માઈક મુલેન સાથે સંયુક્ત પેન્ટાગોન પ્રેસ કોન્ફરન્સમાં ગેટ્સે જણાવ્યું હતું કે મને હાલમાં જ ખબર પડી છે કે કેટલા દસ્તાવેજો ગુમ થયા છે. તેમણે જણાવ્યું હતું કે હકીકત એ છે કે અમને પણ ખબર નથી કે કેટલા દસ્તાવેજો ગુમ થયા છે. આ દસ્તાવેજોની સંખ્યા વધારે હોવાની શક્યતા છે. અમને દસ્તાવેજો ગુમ કરવા પાછળનો શું હેતું છે તેની કોઈ જાણકારી નથી.ગુપ્ત દસ્તાવેજો જાહેર કરનાર વેબસાઈટ વિકીલીક્સે સ્વીકાર કર્યો છે કે તેની પાસે આવા હજારો દસ્તાવેજ છે. ગેટ્સે જણાવ્યું હતું કે મારું માનવું છે કે હવે વિકીલીક્સના પ્રમુખે પણ સ્વીકાર કર્યો છે કે તેની પાસે એવા ઘણા દસ્તાવેજો છે જે તેમણે ઓનલાઈન કર્યા નથી.રોબર્ટે વધુમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન યુદ્ધ અંગેના ગુપ્ત દસ્તાવેજો જાહેર થવાને કારણે અફઘાનિસ્તાનમાં રહેલા અમેરિકન સૈન્ય પર જ ખતરો પેદા થઈ શકે છે ઉપરાંત તેના કારણે અમેરિકાની વેશ્વિક વિશ્વસનિયતા પણ ખતરમાં પડી શકે છે.


આજે પણ સંસદીય ગરિમાનું ચિરહરણ થયું

છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલું સંસદીય ગરિમાનું ચિરહરણ, આજે ચોથા દિવસે પણ ચાલુ રહ્યું હતું. જેના પગલે પહેલા બપોરે બાર વાગ્યા સુધી બંને ગૃહોને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ બંને ગૃહોને સોમવાર સુધી મોકૂફ રાખવા પડ્યા હતા.
આજે સવારે અગ્યાર વાગ્યે રાજ્યસભા મળી હતી. ત્યારે વિપક્ષના સાસંદોએ માગ કરી હતીકે, મોંઘવારી મુદ્દે તેમણે આપેલી નોટિસની ઉપર ચર્ચા કરાવવામાં આવે. આ સમયે યુપીએના સભ્ય પક્ષના સાંસદોએ વિરોધ કર્યો હતો. વિપક્ષ અને સત્તા પક્ષના સભ્યો વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાના કારણે, શરૂઆતની પાંચ મિનિટમાં જ ગૃહને મોકૂફ કરી દેવામાં આવ્યું હતું. બપોરે બાર વાગ્યે ફરીથી રાજ્યસભા મળી હતી. જેમાં કેટલાક અગત્યના ખરડાને રજૂ કરવામાં આવ્યા હતા. જેને ઉપાધ્યક્ષ રહેમાન દ્વારા ધ્વનિમતથી પસાર કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગૃહને સોમવાર સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું.આવા જ દ્રશ્યો સંસદના નીચલા ગૃહ લોકસભામાં જોવા મળ્યા હતા. વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે નિયમ 184 હેઠળ પ્રશ્નકાળને મોકૂફ કરીને મોંઘવારી અંગે ચર્ચા કરાવવાની માગ કરી હતી. જેનો સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલે વિરોધ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, ચર્ચા થઇ શકે છે પરંતુ, મતદાનની જરૂર નથી. જોકે, વિપક્ષ તેની માગ પર અડગ રહ્યુ હતું. જેના કારણે, ભારે હંગામો થયો હતો. આથી લોકસભાના સ્પીકર મીરાકુમાર દ્વારા ગૃહને બાર વાગ્યા સુધી મુલતવી કરી દેવામાં આવ્યુ હતું. અહીં, પણ રાજ્યસભાના ઘટનાક્રમનું પુનઃરાવર્તન જોવા મળ્યુ હતું. જેમાં કેટલાક અગત્યના ખરડાને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ, સ્પીકર મીરાકુમારે સોમવાર સુધી ગૃહને મોકૂફ જાહેર કર્યું હતું.


ચીનમાં ગૂગલ સેવા બંધ

વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જીન એવા ગૂગલે જણાવ્યું હતું કે ચીનના મુખ્ય ભાગોમાં તેની સેવા પ્રભાવિત થઈ છે. જેના કારણે તેણે ચીનમાં ગૂગલની સેવા બંધ કરી દીધી છે. ગૂગલના સર્ચ એન્જીન અને અન્ય સેવાઓએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું છે.જો કે ગૂગલે અચાનક આવો નિર્ણય કેમ લીધો તે અંગે કંઈ જાણી શકાયું નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનની સરકારે ફાયરવોલનો ઉપયોગ કરીને તેને બંધ કરવાનો પ્રયાસ કર્યો છે.ચીનમાં મીડિયા ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ આ પહેલો બનાવ છે જ્યારે ચીનના સર્ચ એન્જીનને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હોય.ગૂગલે આ અંગે પોતાની વેબસાઈટમાં લખ્યું છે કે ચીને પ્રતિબંધ અંગે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના લોકો ગૂગલની મોબાઈલ સેવા અને જાહેરાત સેવાનો પણ લાભ ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે ગૂગલની અન્ય સેવાઓ જેવી કે બ્લોગિંગ અને વીડિયો સેવા યૂ ટ્યૂબ મહિનાથી બંધ પડી છે.


બહાદુર પોપટે ઘરમાં ચોરી થતા અટકાવી

સામાન્ય રીતે ઘરની રખેવાળી કરવા માટે લોકો કુતરાને પાળતા હોય છે. પરંતુ અહીં તો વાત છે લંડનના એક બહાદુર પોપટની. કુઝ્યા નામના આ પોપટે તાજેતરમાં જ પોતાના માલિકની ઘરવખરીની ચોરી અટકાવી હતી.પોપટના માલિક કુરકુલે એક વર્તમાનપત્રને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે રાતના ચાર વાગ્ય હશે. ત્યારે કુઝ્યા અચાનક જોર જોરથી ચીસો પાડવા લાગ્યો હતો. પોપટ જેવી રીતે અવાજ કરી રહ્યો હતો તેના કારણે ઘરમાં ઘૂસેલા ચોર ભાગી ગયા હતાં. પોપટે એટલી જોરથી ચીસો પાડી રહ્યો હતો કે તે આસપાસના ઘરોમાં પણ સંભળાઈ રહી હતી.ચોર એક બારીમાંથી ઘરમાં ઘૂસ્યા હતાં. પરંતુ બહાદૂર પોપટને આ વાત ધ્યાનમાં આવી જતાં તેણે ચીસો પાડીને તેમને ઘરમાંથી ભગાડી મુક્યા હતાં.


ગૌરી વગરનું જીવન અશક્ય છેઃ શાહરૂખ

બોલિવૂડ કિંગ ખાન શાહરૂખમાટે તેનો પરિવાર તેની સૌથીમોટી તાકત છે. તેણે એક ખાસ મુલાકાત સમયે જણાવ્યું હતું કે,મારી અ સફળતા અને ખુશખુશાલ જીવનમાં તેનાં પરિવારનો હાથ બહુ મોટો છે શાહરૂખે જણાવ્યું હતું કે, મને લાગે છે ઉપરવાળો સાચેમાં મારા પર મહેરબાન છે.તે મારો પરિવાચ છે જેમનાં વગર હું આજે જે છું તે ક્યારેય ન હોત. તેમણે મારા માટે ઘણો ત્યાગ કર્યો છે અને તે જ કારણ છે મને ઘરે પાછા ફરવાની આટલી ઉતાવળ હોય છે. મારા મતે સફળતા ઘણી જરૂરી છે પણ સફળ હોવાની સાથે સાથે એક સુંદર કુંટુંબ પણ હોવુ જરૂરી છે.તમે તમારી સફળતા તમારા ફેમીલી સાથે વહેચવાં ઈચ્છો છો કારણ કે તમે જે કરો છો તે ફ્ક્ત તમારા પુરતું જ સિમીત નથી પણ તમારી સાથે સંકળાયેલાં બધા માટે છે. જ્યારે હું મારી પત્ની બાળકોનાં મોઢે સ્મિત જોઉ છું તો મને અંતરથી શાંતી મળ છે.શાહરૂખે તેમ પણ જણાવ્યું હતું કે, તેની પત્ની ગૌરી તેની શક્તિ છે. ''હું ગૌરી વગર એક દિવસ પણ રહી શકુ તેવી કલ્પના પણ કરી શકતો નથી. મારું કામકાજ શિડ્યુલ ઘણુ જ વ્યસ્ત હોય છે. અને ગૌરી જ છે જે મારા ઘર બાળકો અને મારી કાળજી રાખતી હોય છે. હું મારા દરેક કામ માટે ગૌરી પર નિર્ભર હોઉ છું. એક એજ છે જે જાણે છે મારે શું જોઈએ છે. તેનાં કારણે જ મારો પરિવાર એક ખુશખુશાલ અને તંદુરસ્ત પરિવાર છે. તે એક સારી માતા પણ છે તેણે અમારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન પણ કર્યુ છે.''પોતાની વાત આગળ વધારતાં એસઆરકે એ જણાવ્યું હતુંકે, ''મારુ માનવું છે કે માતા-પિતા બનવું દુનિયામાં સૌથી અઘરું કામ છે. કારણકે એ માતા-પિતા જ છે જે નક્કી કરે છે કે તેમનાં બાળકોની ઉછેર કેવી રીતે થશે તેમા પણ એખ માતાની ભૂમિકા મુખ્ય હોય છે. કારણકે તે બાળકોની સૌથી નજીક હોય છે.''


કેલેન્ડર ગર્લમાં નગ્ન જેનિફર

જેનિફર એલીસને પાંચ મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો અને હવે તે કેલેન્ડર ગર્લ્સ માટે નગ્ન થવાની છે. મંગળવારના રોજ અભિનેત્રી જેનિફરે કેલેન્ડરના પ્રોડક્શન માટેનું કામ શરૂ કર્યુ હતું. 27 વર્ષીય જેનિફર કેલી બ્રૂક, જેમ્મા અને જેરી હોલની હરોળમાં આવી ગઈ છે. જેનિફરે ન્યૂડ ફોટોશૂટ માટે પોતાનું વજન પણ ઉતાર્યુ છે. જેનિફરે હેલ કિચન શોમાં પણ ભાગ લીધો હતો. આ શોમાં તે પોતાના પુત્ર બોબીને લઈને જતી હતી. આ માટે તેણે વિવિધ દેશોમાં બે મહિના સુધી પ્રવાસ પણ કર્યો હતો. જેનિફરે કેલેન્ડર ગર્લ્સ અંગે કહ્યું હતું કે, તે ફોટોશુટને લઈને ઘણી જ ઉત્સાહિત છે.



ગુજરાતમાં સોહરાબુદ્દીન કેસની ટ્રાયલ અશક્ય

સીબીઆઇ દ્વારા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રત કરી દેવામાં આવ્યો છે. સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપનામામાં સાત પોલીસ કર્મચારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં ભૂતપૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમિત શાહ કરતા વધુ કેટલીક વ્યક્તિઓની પૂછપરછ થઇ શકે છે.સીબીઆઇના વકીલોએ એવી દલીલો રજૂ કરી હતીકે, આ કેસમાં અનેક મોટા રાજકીય માથા સંડોવાયેલા હોવાથી તપાસને અસર થઇ શકે છે. આથી તેમણે ગુજરાતની બહાર આ કેસને ખસેડવાની માગ કરી હતી.તુલસી પ્રજાપતિ કેસ સંદર્ભે અમિત શાહનું નામ દાખલ કરવામાં નથી આવ્યું. જોકે, તુલસી પ્રજાપતિ કેસમાં પણ સીબીઆઇને તપાસ કરવા દેવામાં આવે તેવી અરજ સીબીઆઇ તરફથી ઉચ્ચતમ કોર્ટમાં હાજર રહેલા વકીલોએ કરી હતી.





મોદી કેટલું જાણતા હતા?

એક સમયે દિગ્ગજ નેતા વાજપેયીએ મોદીને રાજધર્મનું પાલન કરવાની શીખ આપવી પડી હતી. આજે ફરી એવો સમય આવ્યો છે કે મોદી રાજકીય ધર્મ અને રાજધર્મ વચ્ચે અટવાઈ ગયા હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. મોદીની મરજી વગર રાજ્યના વહીવટી તંત્રમાં પાંદડું પણ હલતું નથી, ત્યારે આખાયે સોહરાબુદ્દીનકાંડથી મોદી અજાણ હોય તેવું માની શકાતું નથી. કદાચ આજે સવાલ એ નથી કે મોદી અજાણ હતા ? સવાલ એ છે કે મોદી કેટલું જાણતા હતા ? આ સવાલોનો સીબીઆઈ અને અદાલતો જે જવાબ આપે તે, પણ સત્ય કાતિલ જ હશે તે એક હકીકત છે.સોહરાબકાંડમાં પોલીસ ઓફિસરોની બદલીઓ, તપાસના બદલાતા અધિકારીઓ, ગૃહવિભાગમાં આવતા પરિવર્તનો તેમજ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની લેખિત કે મૌખિક સૂચનાઓથી મોદી અજાણ છે કે તેઓ બધું જાણે છે તે તપાસવા તેમની પૂછપરછ થઇ શકે છે. સીબીઆઇની તપાસમાં આ મુદ્દાને છોડી શકાય તેવો નથી, કારણ કે સીબીઆઇનાં સૂત્રો આ દિશામાં આગળ વધવાનું વિચારી રહ્યાં છે.આ તબક્કે અધિકારીઓ મોદીની પૂછપરછ નહીં થાય તેવો સીધો ઇનકાર કે સમર્થન પણ કરતાં નથી. નવી દિલ્હી જતાં પહેલાં ટેલિફોનિક વાતચીતમાં તપાસ અધિકારીને પૂછવામાં આવતા તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે આ કેસમાં અમારી તપાસ હજી ચાલી રહી છે. અમારે કોની પૂછપરછ કરવી અને કોની નહીં તે અત્યારે કહી શકાય નહીં.સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસમાં મીસિંગ લિંક (ખૂટતી કડીઓ) શોધવા મોદીની પૂછપરછ માટે સીબીઆઇના ડાયરેક્ટર અશ્વિનીકુમારની મંજુરી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.


મોદીએ જ બદલીઓ પર મહોર લગાવી હતી

સોહરાબુદ્દીનના બોગસ એન્કાઉન્ટરથી માંડીને તેના સાગરીત તુલસી પ્રજાપતિને બનાવટી એન્કાઉન્ટરમાં ઢાળી દેવા સુધીમાં ડી.જી. વણઝારા સહિતના અધિકારીઓની કરાયેલી ટ્રાન્સફરે પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહોર લગાવી હોવાનું સીબીઆઇનાં સૂત્રોએ જણાવ્યું છે.તેમણે કહ્યું છે કે ક્રાઇમબ્રાન્ચના ડીએસપી અભય ચુડાસમાની ધરપકડ પૂર્વે સીબીઆઇએ ૧૪મી એપ્રિલ ૨૦૧૦ના રોજ અભય ચુડાસમા અને અમિત શાહની ધરપકડની દરખાસ્ત તૈયાર કરી ઉપરી અધિકારીઓની મંજુરી માટે મોકલી હતી.આ દરખાસ્તમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અધિકારીઓની થયેલી બદલી પર નરેન્દ્ર મોદીએ આખરી મહોર લગાવી છે, પરંતુ શું તેઓ તે બદલીના હેતુથી વાકેફ હતા કે નહીં તે જાણી શકાયું નથી. સૂત્રોએ ત્યાં સુધી જણાવ્યું છે કે ૩૦મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં રજુ થનારા સીબીઆઇના રિપોર્ટમાં તે દરખાસ્તનું ટાંચણ કરવામાં આવ્યું છે.આઇપીએસ અધિકારીની બદલીની પ્રક્રિયાઆઇપીએસ અધિકારીની બદલીની દરખાસ્ત બી-બ્રાન્ચમાં તૈયાર થાય છે. ત્યારબાદ બ્રાન્ચના અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રિપોર્ટ તૈયાર કરીને ગૃહવિભાગને મોકલી આપે છે. ગૃહવિભાગમાંથી આ દરખાસ્ત ગૃહમંત્રી પાસે જાય છે. તેમની મંજુરી બાદ આખરી મંજુરી માટે મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચે છે.

No comments:

Post a Comment