31 July 2010

શાહની વધુ પુછપરછ માટે CBI કોર્ટમાં અરજી કરે તેવી શક્યતા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

શાહની વધુ પુછપરછ માટે CBI કોર્ટમાં અરજી કરે તેવી શક્યતા

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રાકરણમાં મુખ્ય આરોપી તરીકે સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલા માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની સીબીઆઇએ ત્રણ દિવસ સુધી સાબરમતી જેલમાં ઓન કેમેરા પુછપરછ કરી હતી જે પુછપરછ ગઇકાલે પુરી થઇ હતી પરંતુ પુછપરછમાં શાહે સીબીઆઇને પુરતો સહકાર આપ્યો નહિ હોવાનું સીબીઆઇ જણાવી રહી છે.ત્રણ દિવસ ચાલેલી પુછપરછમાં સીબીઆઇને શાહ પાસેથી કોઇજ માહિતી નહિ મળતા સીબીઆઇ દ્વારા આજે મીરઝાપુર સ્થીતી ગ્રામ્ય અદાલત ખાતે આવેલી સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં શાહની વધુ પુછપરછ માટે ની મંજુરી માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.જોકે બીજી તરફ આ કેસની તપાસ ગુજરાત બહાર કરવામાં આવે તેવા પણ ચક્રો ગતીમાન થયા છે.


અમદાવાદ : દિલ્હીમાં બેઠેલા ગુજરાતને દેશનો હિસ્સો ગણે છે કે નહીં?

અમદાવાદમાં આજે વૃક્ષારોપણ પ્રસંગે આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સોહરાબુદ્દીન મુદ્દે કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાત સાથે દુશ્મન દેશ સાથે કરવામાં આવતો હોય તેવો વ્યવહાર કરી રહી છે.
મોદીએ કેન્દ્ર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે જે રાજ્યની પોલીસ તેમજ ન્યાયતંત્રને આટલું બદનામ કરવામાં આવે છે તેણે જ ગુજરાતમાં થયેલા આતંકવાદી કૃત્યોના આરોપીઓને સજા આપી છે જે બીજા રાજ્યમા હજુસુધી શક્ય નથી બન્યું. મુખ્યમંત્રીએ જમ્મુના રઘુનાથ મંદિર, મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટનો દાખલો આપતા કહ્યું હતું કે આ હુમલાના આરોપીઓ હજુસુધી નથી પકડાયા જ્યારે ગુજરાતમાં અક્ષરધામ મંદિરના હુમલા, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને ગુજરાત પોલીસે જ પકડીને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા.રાજ્યના કેટલાક કેસોને ગુજરાત બહાર ખસેડવા અંગે કેન્દ્ર સરકાર પર ફટકાર લગાવતા તેમણે કહ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી મને, સરકારને પોલીસને બદનામ કરવા પ્રયાસો કરી રહી છે અને હવે તેણે રાજ્યની ન્યાય પાલિકાને બદનામ કરવાનું શરૂ કર્યું છે.સોહરાબ કેસમાં પોલીસની ખરડાયેલી છબી પર તેમણે કહ્યું હતું કે રાજ્યની પોલીસે અત્યારસુધી રાજ્યમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં 400 જેટલા લોકોની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ હાજર કર્યા છે, ગુજરાતમાં દેશના અન્ય કોઈપણ રાજ્યની સરખામણીએ ઓછા આતંકવાદી હુમલા ઓછા થયા છે, રાજ્યનો નાગરિક શાંતિભર્યા વાતાવરણમાં જીવી રહ્યો છે અને તે ગુજરાત પોલીસને આભારી છે. રાજ્યમાં શાંતિ બનાવી રાખવા પોલીસે આતંકવાદીઓ સામે જે કાર્યવાહી કરી તેજ પોલીસનો ગુનો છે?


બ્રિટન : કેમરોનના નિવેદન બાદ ઝરદારી બ્રિટન નહીં જાય!

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોન દ્વારા પાકિસ્તાનને આતંકવાદીઓની નિકાસને પ્રોત્સાહન આપવા પર પ્રતિબંધ લગાવવાની આપવામાં આવેલી ચેતવણીની અસર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર પડી છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી બ્રિટનની પોતાની યાત્રા રદ કરી શકે છે.પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય ઝરદારીને આવું કરવા માટે આગ્રહ કરી શકે તેવી સંભાવના છે. કેમરોને જણાવ્યું હતું કે પાકિસ્તાને એવા સમૂહો સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જે અફઘાનિસ્તાન અને ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.ભારત યાત્રા દરમિયાન કેમરોન દ્વારા કરવામાં આવેલા નિવેદન અંગે પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય ખૂબ નારાજ છે. જો કો ઝરદારી આવતા મહિને બ્રિટનની યાત્રા પર જવા માગે છે. વિદેશ વિભાગના પ્રવક્તા અબ્દુલ બસિતે જણાવ્યું હતું કે ઝરદારીની બ્રિટન યાત્રા હાલમાં નક્કી છે, તેમજ યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે.


કોમનવેલ્થ ગેમ્સની ઉચાપાતના તાર બ્રિટન સુધી

કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલ યોજનાઓ ફરી એક વખત વિવાદોમાં ઘેરાઇ છે. હવે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, આયોજન સમિતિએ બ્રિટનની એક કંપનીમાં મોટા માત્રામાં રકમ ટ્રાન્સફર કરી છે. જે અંગે બ્રિટિશ ટેક્સ ઓથોરિટીએ તપાસ કરવા નિયામકમંડળને જણાવ્યું છે.આયોજન સમિતિ દ્વારા ઓક્ટોબર 2009માં લંડન ખાતે યોજાયેલા ક્વિન્સ બેન્ટોન રિલે ફક્શન દરમિયાન એક ખાનગી ક્ષેત્રની કંપની એએમ ફિલ્મ્સમાં 1.68 કરોડ રૂ. ટ્રાન્સફર કર્યા હતા. આ કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ ઉપસ્થિત રહ્યાં હતા.બ્રિટિશ રેવન્યુ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ્સ વિભાગે ભારતીય હાઇ કમિશનને લખેલા એક પત્રના હવાલાથી ચેનલે જણાવ્યું છે કે, કોમનવેલ્થ ગેમ્સ અને એએમ ફિલ્મસ વચ્ચે કોઇ લેખિત કરાર કરાયો નથી. અને કોઇ ટેન્ડર પ્રક્રિયાનો ઉપયોગ પણ કરવા આવી નથી.સૂત્રોએ કહ્યું કે, બ્રિટનના અધિકારીઓએ એએમ ફિલ્મસ સાથે જોડાયેલ બાબત અંગે અમને માહિતગાર કર્યા હતા. અમે આ સુચનાઓ ભારત સરકારને મોકલી દીધી છે. આ મામલો હવે ભારત સરકાર પાસે છે.જો કે, બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સે તેમના પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા ઠેરવ્યા છે.


રતન ટાટાનું પેઇન ભૂલવવા શેમ્પેઇન

ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટા એક કાર્યક્રમમાં પેઇન ભૂલવવા માટે શેમ્પેઇન કરતાં જોવા મળ્યા. ગઇકાલે મુંબઇ ખાતે 'ટાટા-ધી ઇવોલ્યુશન ઓફ અ કોર્પોરેટ બ્રાન્ડ' નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રતન ટાટા આખો દિવસ વ્યસ્ત રહ્યા હતા, ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આખા દિવસનો થાક દૂર કરવા માટે રતન ટાટા શેમ્પેઇનની કશ મારતા જોવા મળ્યા છે.ગઇકાલે મુંબઇ ખાતે લેખક મોર્ગન વિટ્ઝલ દ્વારા લખાયેલ પુસ્તક 'ટાટા-ધી ઇવોલ્યુશન ઓફ અ કોર્પોરેટ બ્રાન્ડ'ના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં રતન ટાટાની સાથો સાથ સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ફોર્મર ડિરેકટર આર.એમ.લાલા અને લેખક મોર્ગન વિટ્ઝલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકમાં ટાટા એન્ટપ્રાઇઝ, ટાટાની પ્રતિષ્ઠા અને ઇમેજ સહિત ટાટાની વેલ્યુએબલ અને પાવરફૂલ બ્રાન્ડ વગેરેની માહિતી દર્શાવવામાં આવી છે.


શું ગુજરાતની અદાલતોને તાળાં મારી દઈએ?

ગુજરાતના ના કેસોને રાજ્યની બહાર ખસેડવા અંગે અમદાવાદમાં બોલતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ ઘટનાને કેન્દ્ર સરકારના કાવતરાનો કરાર આપતા કહ્યું હતું કે જે રીતે એકપછી એક કેસ ગુજરાતની બહાર ખસેડવામાં આવી રહ્યા છે તે ગુજરાતની ન્યાયપાલિકાનું અપમાન છે.તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં પહેલા બાળક જન્મતું ત્યારે તે મમ્મી-પપ્પા પછી બોલતા શિખતું અને પહેલા કર્ફ્યુ શબ્દ બોલતા શીખતું. આ શહેરમાં આજની જનરેશનને કર્ફ્યુ શબ્દ ખબર નથી. અને રાજ્યમાં પ્રવર્તતી શાંતી, પ્રગતિ, વિકાસમાં રાજ્યની પોલીસ અને ન્યાયતંત્રને પણ આભારી છે.જો ગુજરાતમાંથી કેસો આ રીતેજ બહાર લઈ જવા હોય તો શું ગુજરાતની અદાલતો ને તાળાં મારી દેવા? ગુજરાતની લો કોલેજ, લો યુનિવર્સિટીને બંધ કરી દેવી? આ વ્યવસાય સાથે સંકળાયેલા વકિલોને બેકાર બનાવી દેવા?તેમણે કહ્યું હતું કે હું મારી પર ગમે તેવા આક્ષેપો થાય તેનો સામનો કરીશ, અપમાનો પણ સહન કરીશ પરંતુ જો ગુજરાતની અદાલતો, ન્યાયાધિશોનું અપમાન ક્યારેય સાંખી નહીં લઉં.


એક પૈસાથી પણ સસ્તામાં વાત કરો

મોબાઇલ કોલ દરોની જંગ ખૂબ જ તેજ બની ગઇ છે. તમામ કંપનીઓ ઓછામાં ઓછા દરે કોલ સેવા આપવા માટે નીતનવા ગતકડા કરી રહી છે. તેના ભાગરૂપે જયુનિનૉરે એક પૈસા પ્રતિ સેકન્ડથી પણ સસ્તા દર પર વાત કરાવવાનો પ્લાન રજૂ કર્યો છે. રિઅલ એસ્ટેટ ફર્મ યુનિટેક અને નોર્વેની ટેલિકોમ કંપની ટેલીનૉરના સંયુકત ઉપક્રમે યુનિનૉરની તરફથી કોલ દરોમાં રિયાયત જગ્યા અને કોલના સમયના હિસાબથી મળશે.આ યોજના અંતર્ગત લોકલ અને એસટીડીનો કોલ દર 0.4 પૈસા પ્રતિ સેકન્ડથી નીચલી સપાટી સુધી આવી જશે. મોબાઇલ કંપનીઓની આવક પર આ પ્રકારની નવી રજૂઆતથી વધુ દબાણ વધશે, જ્યારે મોબાઇલ ગ્રાહકો ફાયદામાં રહેશે.કંપનીએ પોતાની નવી કોલ દર યોજનાને 'ડાયનામિક પ્રાઇસિંગ'નું નામ આપ્યું છે. આ સુવિધા 26 રૂપિયાના રિચાર્જ પર મળશે અને તેની સમયમર્યાદા ત્રણ મહિના માટે હશે. કંપની દ્વારા આપવામાં આવતી અધિકતમ છૂટથી આ નવી યોજના અંતર્ગત એક મિનિટના કોલ પર ઓછામાં ઓછો 24 પૈસા ચાર્જ લાગશે. હાલ પ્રતિ સેકન્ડ સ્કીમ પર ઓરપેરટરોના નીચલા દર એક મિનિટના કોલ પર 60 પૈસા છે. યુનિનૉર ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત 13 સર્કલોમાં મોબાઇલ સર્વિસ આપી રહી છે.


મુકેશ અંબાણી ખેડૂતોના પ્રોફેસર બનશે

દેશના ખેડૂતોની ખેતી કરવાની પદ્ધતિમાં સુધાર-વધારા કરી નવી પધ્ધતિથી ખેતી કરી શકે તેના માટે વડાપ્રધાન મનમોહન સિંહે એક માર્ગદર્શક ટીમ તૈયાર કરી છે. જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, જમશેદ ગોદરેજ અને એમએસ બંગા જેવી હસ્તીઓનો સમાવેશ કરાયો છે. હવે આ લોકો ખેડૂતોના પ્રોફેસર બનીને ખેતી કંઇ રીતે કરવી તે શીખવશે.સરકાર આ ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવતા મંતવ્યોના આધાર પર ખાદ્ય સુરક્ષાની સાથો સા ખેડૂતોની આવક વધારવાની કોશિશ કરશે. કૃષિ મંત્રાલયમાં શુક્રવારે આયોજિત બેઠકમાં વડાપ્રધાનની ઉપ સમિતિના આ સભ્યોએ ભાગ લીધો.તેમણે પોતાની પહેલી બેઠકમાં કેટલાંક મંતવ્યો આપવાની જગ્યાએ કૃષિ મંત્રાલયની સ્થિતિ જાણવાની કોશિશ કરી. ઉપસમિતિના સભ્યોમાં જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, જમશેદ, બંગા અને ડૉ. અશોક ગાંગુલી મુખ્ય છે. કૃષિ સચિવ પી.કે.બસુ ઉપ સમિતિના સંયોજક છે. ખેડૂતોની આવકમાં વધારો કરીને સ્થિતિમાં સુધારો કરવો, ખાદ્ય સુરક્ષા અને કૃષિ પ્રોડક્ટનું યોગ્ય માર્કેટિંગ કરવા જેવા વિષય પક તેમના મંતવ્યો જાણવાનો ઉદ્દેશ છે.ષિ મંત્રાલયની તરફથી બેઠકમાં એ ક્ષેત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં ખાનગી રોકાણની સખ્ત જરૂરિયાત મહેસૂસ કરવામાં આવી રહી છે. તેમાં પૂર્વી રાજ્યોમાં જ્યાં પૂરતું પાણી છે, પરંતુ સિંચાઇની સગવડતા નથી. પાણીની વ્યવસ્થા નહિં હોવાથી ત્યાં પૂર એક મોટી સમસ્યા બની ગઇ છે. ચીનના તર્જ પર અનાજની ઉત્પાદકતા વધારવાના રસ્તે હાઇબ્રીડ બીજોની ખૂબ જ અછત છે. ખેતીમાં નવી ટેકનિકનો અભાવ છે, જેને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.


આવતા મહિને મારૂતિ ધમાકો કરશે!

ભારતીય કાર બજારની સૌથી મોટી ખેલાડી મારૂતિ ઓગસ્ટ મહિનામાં ધમાકો કરવાની તૈયારી કરી રહ્યું છે. વાત એમ છે કે મારૂતિ એક સાથે પોતાની 5 પોપ્યુલર કારોના સીએનજી મોડલ બજારમાં ઉતારી શકે છે. આ કાર છે અલ્ટો, અસ્ટિલો, વૈગન આર, ઇકો અને એસએક્સ 4. જો કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં છેલ્લાં કેટલાંક સમયથી જોરદાર ભાવ વધારો થયો છે. જેના લીધે કારોની 'રનિંગ' કોસ્ટ ઘણી વધી ગઇ છે. એવામાં મારૂતિ પોતાના ગ્રાહકોને સસ્તામાં કારની સવારીનું ઓપ્શન આપવા માંગે છે.પરંતુ આ લોન્ચિંગનો બીજો એક હેતુ પણ છે. જૂન મહિનામાં પૂર્ણ થયેલ ત્રિમાસિક દરમ્યાન ભારતીય કાર બજારમાં મારૂતિનો હિસ્સો 50 ટકાથી નીચે આવી ગયો છે. ઇતિહાસમાં સૌપ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે ભારતમાં કારોના કુલ વેચાણમાં મારૂતિનો હિસ્સો 50 ટકાથી નીચે આવ્યો છે. એવામાં મારૂતિ આ મોટા ધમાકાની સાથે ફરી એકવખત નંબર વનની ખુરશી પર બેસવા માંગે છે. આ તમામ કારોના સીએનજી મોડલ ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં બજારમાં લોન્ચ કરાશે તેવી આશા છે.


આજે અમદાવાદ તોડશે વર્લ્ડ રેકોર્ડ

મેગાસિટી અમદાવાદ આજે એક વર્લ્ડ રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે. આ રેકોર્ડ છે એકજ દિવસમાં સૌથી વધુ રોપાં રોપવાનો રેકોર્ડ. સતત વિકસી રહેલું અમદાવાદ ગ્રીન સિટી બનવા તરફ ડગ માંડી રહ્યું હોય તેમ આજે શહેરમાં આઠ લાખથી વધુ રોપા રોપવામાં આવશે. આ રોપાઓ પ્રદુષણની સમસ્યાથી ત્રસ્ત અમદાવાદના કુદરતી ફેફસા બનીને તેને શુદ્ધ હવા પુરીપાડશે.
હાલમાં સૌથી વધુ રોપા રોપવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે જેમાં એકજ દિવસમાં 5.41 લાખ રોપા રોપવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર આજે આ રેકોર્ડને તોડવા માટે આઠ લાખ જેટલા રોપા રોપવાનું આયોજન કરી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર આઇ.પી. ગૌતમે આપેલી માહિતી પ્રમાણે આ માટે કોર્પોરેશન તેમજ વનવિભાગના પ્રયાસથી આઠ લાખ જેટલા રોપાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તેમજ છ લાખ જેટલા ખાડા પણ કરી દેવાયા છે.આ પ્રસંગે એક હજાર વોલેન્ટિયરો સહિત 10000 લોકો જોડાય તેવી શક્યતા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના સહયારા પ્રયાસથી આ ભગિરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.



દિલ્હીમાં બેઠેલા ગુજરાતને દેશનો હિસ્સો ગણે છે કે નહીં?

અમદાવાદમાં આજે વૃક્ષારોપણ પ્રસંગે આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સોહરાબુદ્દીન મુદ્દે કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાત સાથે દુશ્મન દેશ સાથે કરવામાં આવતો હોય તેવો વ્યવહાર કરી રહી છે.
મોદીએ કેન્દ્ર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે જે રાજ્યની પોલીસ તેમજ ન્યાયતંત્રને આટલું બદનામ કરવામાં આવે છે તેણે જ ગુજરાતમાં થયેલા આતંકવાદી કૃત્યોના આરોપીઓને સજા આપી છે જે બીજા રાજ્યમા હજુસુધી શક્ય નથી બન્યું. મુખ્યમંત્રીએ જમ્મુના રઘુનાથ મંદિર, મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટનો દાખલો આપતા કહ્યું હતું કે આ હુમલાના આરોપીઓ હજુસુધી નથી પકડાયા જ્યારે ગુજરાતમાં અક્ષરધામ મંદિરના હુમલા, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને ગુજરાત પોલીસે જ પકડીને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા.રાજ્યના કેટલાક કેસોને ગુજરાત બહાર ખસેડવા અંગે કેન્દ્ર સરકાર પર ફટકાર લગાવતા તેમણે કહ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી મને, સરકારને પોલીસને બદનામ કરવા પ્રયાસો કરી રહી છે અને હવે તેણે રાજ્યની ન્યાય પાલિકાને બદનામ કરવાનું શરૂ કર્યું છે.સોહરાબ કેસમાં પોલીસની ખરડાયેલી છબી પર તેમણે કહ્યું હતું કે રાજ્યની પોલીસે અત્યારસુધી રાજ્યમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં 400 જેટલા લોકોની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ હાજર કર્યા છે, ગુજરાતમાં દેશના અન્ય કોઈપણ રાજ્યની સરખામણીએ ઓછા આતંકવાદી હુમલા ઓછા થયા છે, રાજ્યનો નાગરિક શાંતિભર્યા વાતાવરણમાં જીવી રહ્યો છે અને તે ગુજરાત પોલીસને આભારી છે. રાજ્યમાં શાંતિ બનાવી રાખવા પોલીસે આતંકવાદીઓ સામે જે કાર્યવાહી કરી તેજ પોલીસનો ગુનો છે?


આકરી અભિવ્યક્તિ

સયાજી હોસ્પિટલ સામે આવેલા અભિવ્યક્તિ સાંસ્કૃતિક સ્થળ બહાર છેડતી કરનાર રોમિયોને યુવતીએ મેથીપાક આપી પાઠ ભણાવ્યો હતો. બનાવને પગલે લોકોનાં ટોળાં જામ્યાં હતાં.આવી હિંમત છેડતી થનારી દરેક મહિલા કરે તો રોડ રોમિયોની છેડતી કરવાની હિંમત તૂટી જાય તેમ છે. જો કે પોલીસે પણ રોડ રોમિયોથી મહિલાઓના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ.


૧૩૦૦ વિદ્યાર્થી માટે ૪ વર્ગ

એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી વધુ એક વખત વિવાદમાં ઘેરાઇ છે. ફેકલ્ટીના સત્તાધીશોએ એફ.વાય.બી.એ.નાં ૧૩૦૦ વિદ્યાર્થીઓને બેસાડવા માટે માત્ર ૪ જ વર્ગખંડની વ્યવસ્થા ઊભી કરતાં વિદ્યાર્થીઆલમમાં ભારે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.
પ્રાપ્તવિગતો મુજબ, ચાલુ વર્ષે આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોએ એફ.વાય.બી.એ.ના ૧૧૦૦ વિદ્યાર્થીઓ માટે માત્ર ૪ જ વર્ગખંડની વ્યવસ્થા ઊભી કરી હતી. ૧૧૦૦ વિદ્યાર્થીઓને બેસાડવા માટે સામાન્ય રીતે ૮ વર્ગખંડની જરૂર પડતી હોય છે. તેની સામે માત્ર ૪ જ વર્ગખંડની વ્યવસ્થા કરતાં યુવા શક્તિ ગ્રૂપના વિદ્યાર્થી રોનક સોલંકીની આગેવાનીમાં ભારે વિરોધ કરીને ડીન સમક્ષ વધુ વર્ગો વધારવાની માગણી કરાઇ હતી. આ માંગણી પર કામ ચાલુ થાય તે પહેલાં જ ધો.૧૨માં એક વિષયમાં નાપાસ થયેલાં અને હાલમાં જ પાસ થયેલાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને એફ.વાય.બી.એ.માં પ્રવેશ અપાતાં સમસ્યા વધુ ગંભીર બની છે. આવતીકાલે હજુ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આમ એફ.વાય.બી.એ.માં ચાલુ વર્ષે કુલ ૧૩૦૦ વિદ્યાર્થીઓની સંખ્યા થશે. ૧૩૦૦ વિદ્યાર્થીઓ સામે માત્ર ૪ વર્ગો હોવાથી એક વર્ગખંડમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવાની નોબત આવશે. વિદ્યાર્થીઓને ભારે ભીડમાં બેસવું પડશે અને અનેક અડચણોનો સામનો કરવો પડશે. યુવા શક્તિ ગ્રૂપ સોમવારથી આ મુદ્દા પર કોમર્સ ફેકલ્ટી ડીનને ઘેરીને ફેકલ્ટીમાં આંદોલનના શ્રીગણેશ કરશે.


સયાજી : મારું નામ મોત છે અને હું સ્મશાનમાં રહું છું...!
દર્દીને સાઇક્રીએટ્રિકને સોંપી દેવાયો

સયાજીના તાત્કાલિક વિભાગમાં દર્દીએ ‘મારું નામ મોત છે.’ કહી ધાંધલ મચાવી હતી. અંતે આ દર્દીને સાઇક્રિએટ્રિકને સોંપાયો હતો.ગુરુવારે રાતે સાડા નવ વાગે એક દર્દી સયાજીના તાત્કાલિક સારવારના મેડિસીન વિભાગમાં ચેકઅપ માટે આવ્યો હતો. તબીબે તેને લાઇનમાં આવવાનું કહેતાં આ દર્દી ગુસ્સે થયો હતો અને દરવાજામાં સૂઇ જઈ બૂમો પાડવા લાગ્યો હતો. તબીબે સિકયુરિટીને બોલાવી તેને સાઇડમાં લઇ જઇ તેને પૂછ્યું કે તારું નામ શું છે? તો એણે જવાબ આપ્યો કે, મારું નામ મોત છે. અને હું સ્મશાનમાં રહું છું. પછી તબીબે પૂછ્યુ કે તને શું થયું છે? તો એણે કહ્યું કે હું અડધો જીવું છું અને અડધો મરી ગયો છું.આખરે તેને સિકયુરિટીવાળા ગેટની બહાર મૂકવા ગયા ત્યારે તેણે જાતે જ ગળું દબાવીને કહ્યું કે, જો મને હેરાન કરશો તો મારો આત્મા તને હેરાન કરશે. તેને ફરી હોસ્પિટલમાં લવાતા નામ લક્ષ્મણ કોહલી, રહે.રાજસ્થાન જણાવ્યું હતું. આખરે દર્દીને સાઇક્રિએટ્રિકને સોંપાયો હતો.


સુરત : 70 બાળકોને ફૂડ પોઈઝનિંગ

સુરત શહેરના કામરેજમાં આવેલા વાત્સલ્યધામ (અનાથઆશ્રમ)માં આજે 70 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં તમામને હાલમાં દિનબંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી ઘટનાની વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકી નહોતી


સ્વાઇન ફ્લૂથી વધુ એક યુવકનું મોત

સ્વાઇન ફ્લૂના કારણે શહેરના વધુ એક આશાસ્પદ યુવાનનું સ્મીમેર હોસ્પિટલમાં મોત થયું છે. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમાં કુલ ૨૯ વ્યક્તિ સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ પામી છે. અત્યાર સુધીમાં ૯૩૧ કેસ શંકાસ્પદ આવ્યા છે, જેમાં ૧૬૫નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ગોડાદરા નહેર પાસે ભાવનાપાર્ક સોસાયટીમાં રહેતા વિક્કી મહેશભાઈ ખત્રી (૨૮)ને સ્વાઇન ફ્લૂના કારણે તા. ૨૯મીએ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન તા. ૩૦મીએ વહેલી સવારે પોણા છ વાગ્યે તેમનું મોત થયું હતું. ફેફસાંની બીમારીથી કાયમી ધોરણે પીડાતા આ યુવાનને તા. ૨૫મીએ સારવાર માટે હલીમા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી તેમની તબિયત વધુ લથડતાં તા. ૨૯મીએ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું છે.


એઇડ્સને પણ જાતિવાદનો વાયરસ

એઈડ્સ જેવા જીવલેણ રોગના દર્દીઓમાં પણ રાજ્ય સરકારે જાતિવાદ પેસાડી માનવતા નેવે મૂકી દીધી છે. એક વર્ષ પહેલા એઈડ્સના દર્દીઓને દવાદારૂ માટે દર મહિને રૂ. ૫૦૦ ચૂકવવા માટેની યોજના તો સરકારે જાહેર કરી પણ તેમાં સ્પષ્ટ કન્ડિશન મૂકી દેવાય કે આ સહાય માત્રને માત્ર બક્ષીપંચમાં આવતા દર્દીઓને જ ચૂકવવાનું ફરમાન સામાજિક અને કલ્યાણ વિભાગને કરવામાં આવ્યું છે જ્યારે, એસએસી, એસટી અને શ્રવણોને આ સહાય મેળવવા માટે રોજબરોજ આજીજી સાથે કચેરીના ધક્કા ખાઈ રહ્યાં છે અને અધિકારીઓ આવા દર્દીઓને જવાબ આપતા ઠાકી ગયા છે.રાજ્ય સરકાર દ્વારા બક્ષીપંચમાં આવતા એઈડ્સના દર્દીઓને માસિક સહાય ચૂકવવાની ઘોષણા કરાતા જુજ લોકો જ તેનો લાભ લઈ શકે છે. સુરતની જ વાત કરીએ તો અહીં એઈડ્સથી પીડાતા પાંચ હજાર જેટલા દર્દીઓ છે. તેમાંથી મોટાભાગના દર્દીઓ પરપ્રાંતી અને પછાત જાતિના છે જ્યારે એસસી અને એસટી જાતિના દર્દીઓ આદિજાતિ અને તકેદારી વિભાગમાં આવે છે તેમાં એઇડ્સના દર્દીઓ માટે આવી કોઈ સ્કીમ ઘોષિત કરવામાં આવી નથી. એક અંદાજ પ્રમાણે બક્ષીપંચમાં આવતા દર્દીઓ શહેરમાં માત્ર ૧૦ ટકા જ છે જેથી, તેઓ જ સરકારની યોજનાનો લાભ લઈ શકે છે. જ્યારે અને જાતિમાં આવતા બાકીના ૯૦ ટકા લોકો આ અટપટી યોજનાનો લાભ લઈ શકતા નથી.


લોકોની ખમીરીને કારણે કચ્છ ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ

કચ્છી લોકોની મહેનત અને કપરા સંજોગોમાં પણ ટકી રહીને વિકસતા રહેવાની ખમીરાઇને કારણે આજે આ સરહદી જિલ્લો સમગ્ર રાજ્યમાં ઉદ્યોગ અને રોજગારી ક્ષેત્રે પ્રથમ છે એવું મંતવ્ય રાજ્યના નાણાંમંત્રી વજુભાઇ વાળાએ આદિપુર ખાતે ગાંધીધામ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં લાભાથીgઓને સહાય વિતરણ કરતાં જણાવ્યું હતું.નાણાંમંત્રીએ વધુમાં કહયું કે, ગરીબોને અપાતી સહાયના સાચા પુણ્યશાળી તેમણે કરદાતાઓને ગણાવ્યા હતા. રાજ્યમંત્રી વાસણભાઇએ કહયું કે, વર્તમાન સરકારે અનેકવિધ યોજનાઓ શરૂ કરી અનેક લોકોને પગભર કરવાનો પ્રયાસ કર્યો છે.જિલ્લા ભાજપાના પ્રમુખ જયંતીભાઇ ભાનુશાળી ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યે જીવાભાઇ આહિર, ધનજીભાઇ સેંઘાણી, રમેશભાઇ મહેશ્ચરી, મુકેશભાઇ ઝવેરી, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, ગોપાલભાઇ ધુઆ, પંકજભાઇ મહેતા, અરજણ રબારી, વસંત કોડરાણી, જિલ્લા કલેક્ટર એમ.થેન્નારસન, જિલ્લા વિકાસ અધિકારી રાજકુમાર બેનિવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


કાંડાગરામાં નવી પાણી યોજના શરૂ કરાશે

મુન્દ્રાના કાંડાગરામાં જિલ્લાના સાંસદની ગ્રાન્ટમાંથી નિર્માણ પામનારા બોરનું ખાતમુહૂર્ત કરાયું હતું. કચ્છના સાંસદ પૂનમબેન જાટની રૂ. પ લાખની ગ્રાન્ટમાંથી નવી નિર્માણ થનારી પાણી યોજનાના બોરનું ભૂમિ પૂજન સર્વ સેવા સંઘ ભુજના પ્રમુખ તારાચંદભાઇ છેડાના હસ્તે કરાયું હતું.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નેમજીભાઇ ગંગર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગિરીશભાઇ છેડાએ રાજ્ય સરકાર તથા જિલ્લા પંચાયત, ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી અને સાંસદના પ્રયાસોથી થઇ રહેલા વિકાસના કાર્યોની વિગતો આપી સોને આવકાર્યા હતા. તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું કે, કાંડાગરાની આજુબાજુમાં આવેલા ઉદ્યોગોને કારણે ગામની વસતી દિવસો દિવસ વધતી જાય છે ત્યારે આ નવી પાણી યોજના શરૂ થવાથી સમગ્ર ગામને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાશે.સરપંચ રાજુભાઇ ગાલા, ઉપસરપંચ જયંતીભાઇ દાતણિયા, દેવચંદભાઇ ગાલા, દામજીભાઇ ગાલા, પતુભા જાડેજા, કરશનભાઇ મહેશ્વરી, ભગવાનજીભાઇ વેલુભા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરવિંદભાઇ ડોરૂ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


ભાવનગર એસ.ટી. ના ૪૦ ટકા સિડ્યુઅલ ખોરંભે પડ્યા

ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા મથકોએ ગરીબ કલ્યાણ મેળા યોજવાના લક્ષ્યાંકોમાં ગરીબ મુસાફરોની ખો નિકળી જાય તેવી પરિસ્થિતિ ઉદ્દભવી હતી. પાલીતાણા ખાતેના ગરીબ કલ્યાણ મેળો યોજવાના પગલે ભાવનગર એસ.ટી. ડિવિઝનના જ ૪૦ ટકા સિડ્યુલ્ડ ખોરવાયા હતા.મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પાલીતાણા ખાતે યોજાયેલા પાવક વનના લોકાર્પણ કાર્યક્રમમાં મેદની એકઠી કરવા ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા ૩૫૦ બસનું સંચાલન કરાયું હતું. જેમાં ૨૨૦ એસ.ટી. બસ અન્ય ડિવીઝનમાંથી મંગાવાઈ હતી. જ્યારે બાકીની ભાવનગર ડેપોની ૩૫ તેમજ જિલ્લાનાં અન્ય ડેપોમાંથી મળીને ૧૩૦ બસ ભાવનગર ડિવીઝન દ્વારા વ્યવસ્થા ઊભી કરાઈ હતી.એસ.ટી. તંત્ર દ્વારા કરાયેલી આ વ્યવસ્થાના પગલે ૪૦ ટકા ભાવનગરના સિડ્યુઅલ ખોરંભાયા હતા. જોકે, આ સુવિધા અંગે સરકારે એડવાન્સ નિગમમાં રૂ.૧૦ લાખ જમા કરાવ્યા હોવાનું એસ.ટી.ના વર્તુળોએ જણાવ્યું હતું. દરમિયાનમાં આ સુવિધાથી કુલ રૂપિયા ૨૫ લાખથી વધુ આવક થવાની શક્યતા એસ.ટી.ના સુત્રોએ વ્યક્ત કરી હતી.નિગમ ઉપરાંત આર.ટી.ઓ દ્વારા પણ પરિવહન સુવિધા ઊભી કરવા લક્ષ્યાંક અપાયો હતો. જેથી ૧૫૦ મીની અને મોટી ખાનગી બસની વ્યવસ્થા આર.ટી.ઓ. ડિપાર્ટમેન્ટ દ્વારા સગવડતા ઊભી કરાઈ હતી.ગરીબ કલ્યાણ મેળામાં લોકોનો સમુહ એકઠો કરવા તંત્ર ધંધે લાગ્યું હતું. જેની સામે પરિવહન સુવિધા ખોરવાઈ જવાથી મુસાફરો રજળી પડ્યા હતા.


અલંગ શિપબ્રેકિંગમાં લોડિંગ કામકાજ ઠપ્પ કરી દેવાયું

સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા અલંગ-સોસિયાના શિપબ્રેકિંગ ઉદ્યોગ અંગે એકાએક રજૂ કરવામાં આવેલા નીતિનિયમોના જોરદાર વિરોધરૂપે આજે તમામ શિપબ્રેકરોએ લોડિઁગ કામ ઠપ્પ કરી દેતા ઉહાપોહ મચી ગયો છે.‘સૌરાષ્ટ્ર સમાચાર’ માં એક્સાઇઝના નવા નિયમો અંગેનો વિસ્તૃત હેવાલ આજે પ્રસિદ્ધ થતા જ આખો દિવસ શિપબ્રેકરોમાં અલગ અલગ જગ્યાએ મીટિંગોના દોર ચાલુ રહ્યા હતા, દરેક જગ્યાએ હવે શું?ની ચર્ચા થતી હતી.ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજજુ ગણાતા શિપબ્રેકિંગ ઉદ્યોગ અવારનવાર અનેક સંકટોનો સામનો કરતું આવ્યું છે, અન્યાયની આ પરંપરામાં એક્સાઇઝ દ્વારા અવ્યવહારૂ નિયમો લાદવામાં આવતા હરક્તમાં આવેલા શિપબ્રેકરોએ આજે સવારે શિવશક્તિ હોલ ખાતે આપાતકાલીન બેઠક યોજી હતી અને લાદવામાં આવેલા નિયમો કોઇપણ સંજોગોમાં સ્વીકાર્ય નહીં હોવાનું જાહેર કર્યું હતું.હાલ શિપબ્રેકર્સ એસોસિએશનની એક સમિતિ તેના કાનુની અભિપ્રાય પણ મેળવી રહી છે. દરમિયાન અલંગ અને સોસિયાના તમામ પ્લોટ ધારકોએ ડિલિવરી અને લોડિઁગ કામ બંધ રાખ્યું હતુ, જો કે કટિંગ કામગીરી નિયતક્રમ મુજબ આખો દિવસ ચાલુ રહી હતી.તત્કાળ મળી ગયેલી મીટિંગમાં શિપબ્રેકરોએ લોખંડના ભાવ સતત વધઘટ થતા રહેતા હોવાથી એકજ દિવસમાં ઇન્વોઇસની અંદર જુદા જુદા ભાવ લગાવવામાં ખાતાકીય વિસંગતતાઓ ઉભી થવા, એક શિપનો માલ સંપૂર્ણપણે વેચાયો ન હોય ત્યાં બીજા જહાજનું કામ શરૂ થઇ જતું હોય તેવા સંજોગોમાં શિપના એલડીટી અને બનાવેલ બિલના વજનનો હિસાબ આપવો અશક્ય છે


કોંગ્રેસ દ્વારા સફેદ પટ્ટી બાંધી નિકળશે મૌન રેલી

સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસ સંદર્ભે ભાજપ દ્વારા કાયદેસરની પ્રક્રિયામાં અવરોધ ઉભા કરવા બાબતે વિરોધ દર્શાવવા શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા.૩૧ના રોજ મૌનરેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાશે જોકે ભાજપે મૌન રેલીમાં મોઢે કાળી પટ્ટી બાંધી હતી જ્યારે કોંગ્રેસ દ્વારા મૌન રેલીમાં મોઢે સફેદ પટ્ટી બાંધવામાં આવશે.સોહરાબુદ્દીન એનકાઉન્ટરનો મુદ્દો રાજકીય બનીગયો હોય તેમ પૂર્વગ્રહ મંત્રી અમીત શાહની ધરપકડ અને કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈના દુરૂપયોગ બાબતે ભાજપ દ્વારા તાજેતરમાં મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર સોહરાબુદ્દીન એનકાઉન્ટરની સીબીઆઈ દ્વારા ચાલી રહેલી તપાસમાં સુપ્રિમના થઈ રહેલા અપમાન અને રાજ્ય મશીનરીનો દુરૂપયોગ બંધ કરાવવા ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા.૩૧મી જુલાઈને શનિવારે સાંજે ૩-૩૦ કલાકે મોતીબાગ ટાઉનહોલ પાસૈથી મૌન રેલીનું આયોજન કર્યું છે.જે રેલી ઘોઘાગેટ ચોક, એમ.જી. રોડ, આંબાચોક, શેલારશા ચોક, દરબારીકોઠાર, જશોનાથ સર્કલ, મોતીબાગ થઈ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવશે. રેલીમાં કાર્યકરો અને આગેવાનો સફેદ વસ્ત્રમાં મોઢા પર સફેદ રૂમાલ બાંધીને સાથે જોડાશે. કોંગ્રેસની રેલી દક્ષિણા વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થશે.


મુઢ્ઢી વાળીને હાથ ઊંચા કરો, પંજો ના દેખાવો જોઇએ

સતલાસણાની કે.એમ. કોઠારી હાઇસ્કૂલ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં જંગી જનમેદનીનું અભિવાદન કરતાં મહેસુલમંત્રી આંનદીબહેન પટેલે મુઢ્ઢી વાળીને હાથ ઉંચા કરો, પંજો ના દેખાવો જોઇએ તેમ કહી મોંઘવારીનો મુદ્દો છેડતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આ પ્રસંગે સતલાસણાના ૮૦૩૪ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજના અંર્તગત ૮ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.સતલાસણાની કે.એમ. કોઠારી હાઇસ્કૂલ ખાતે શુક્રવારે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મહેસુલ મંત્રી આનંદીબહેન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોંઘવારીનો મુદ્દો છેડતાં કહ્યું હતુ કે ૧૯૪૭થી કોંગ્રેસ ગરીબોને આપેલાં વચનોનું પાલન કરતો નથી. કોંગ્રેસે અસહ્ય ભાવ વધારો કરી ગરીબોની બે પૈસા બચત પણ છીનવી લીધી છે. જગન્નાથજીની ૧૩૩મી રથયાત્રાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતુ કે છેલ્લા એક દાયકાથી રથયાત્રા ટાણે કરફ્યુ લગાવાતો નથી.
અક્ષરધામ પરનો હૂમલો હોય કે પછી સુરતના બોંમ્બ વિસ્ફોટ હોય, ગુજરાતના મુખ્યમંત્રીએ ૪૦૦ જેટલા આતંકીઓને શોધી જેલને હવાલે કર્યા છે. તેમણે સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે સ્વર્ણિમ ટાઉનશીપ અંર્તગત જિલ્લાનાં ૨૫ ગામોમાં ૧૫૦૦ આવાસનું નિર્માણ કરાશે અને આ કાર્ય છ મહિનામાં પૂર્ણ કરી દેવાશે.


કડીમાંથી ૮૨ બોટલ વિદેશી દારૂ ઝડપાયો : બે શખ્સ ફરાર

શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ કસાઇ વાડા નજીક વિદેશી દારૂનો વેપાર ચાલતો હોવાની પૂર્વ બાતમી મળતાં કડી પોલીસે શુક્રવારે રેડ કરી રૂ.૩૦,૬૦૦ની કિંમતની ૮૨ નંગ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જ્યારે બે શખ્સો પોલીસને થાપ આપી ફરાર થઇ ગયા હતા.શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ કસાઇવાડા નજીકની મિસ્જદ પાસે રહેતા હનીફભાઇ કાદરભાઇ કસાઇ અને ઇસ્માઇલભાઇ રહેમાનભાઇ નામના વેપારીના ઘરમાં વિદેશી દારૂનો મોટાપાયે વેપાર થઇ રહ્યો હોવાની પૂર્વ બાતમી મહેસાણા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એફ.એસ.પઠાણને મળી હતી. જેમની સૂચનાથી કડી પોલીસ મથકના પી. આઇ. એમ.જે.પરમાર તથા પી.એસ.આઇ એસ.ડી.ડામોર સહિત પોલીસ સ્ટાફના માણસોએ શુક્રવારે ૫ વાગ્યાના અરસામાં ઉપરોકત સ્થળએ ઓંચિતી રેડ કરી હતી.રેડ દરમિયાન ડેલા (મકાન)માંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની રૂ.૩૦,૬૦૦ ની કિંમતની ૮૨ નંગ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે હનીફભાઇ કાદરભાઇ કસાઇ અને ઇસ્માઇલભાઇ રહેમાનzભાઇ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. કડી પોલીસે રૂ.૩૦,૬૦૦ ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી નાસી છુટેલા બે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


આણંદ : વિદ્યાનગરની કોલેજો સજ્જડ બંધ

રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટની સ્વનિર્ભર કોલેજોમાં રૂ.૧૬ હજાર સુધીનો ફી વધારાના પ્રશ્ને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યવ્યાપી કોલેજ બંધનું શુક્રવારે એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે આણંદ - વિદ્યાનગરની મોટાભાગની કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ઠપ રહેવા પામ્યું હતું.જો કે, વિધાનગરમાં કેટલીક કોલેજ ચાલુ રહેતા એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ બંધ કરાવી હતી. વિધાર્થીઓના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા પર જોડાતાં રાજકીય હોબાળો મચી ગયો હતો અને વિદ્યાર્થીઓના આંદોલનમાં રાજકીય હસ્તક્ષેપ બાબતે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.કોલેજોમાં ફી વધારાના મુદ્દે એનએસયુઆઈ દ્વારા શુક્રવારે રાજ્ય બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે આણંદ જિલ્લાની તમામ કોલેજો, એસપી યુનિ.ના ડિપાર્ટમેન્ટ, શાળાઓ સજ્જડ બંધ રહી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીથી શરૂ થયેલા આજના આંદોલનમાં વિદ્યાર્થીઓએ બુટ પોલીશ, ભીખ માંગી, દાઢી કરી, કાર સાફ કરીને મોંઘીદાટ ફીનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સ્વનિર્ભર કોલેજોના આચાર્યો, ટ્રસ્ટીઓને ગુલાબનાં પુષ્પો આપી વિદ્યાર્થી હિતમાં પગલાં ભરવા ગાંધીગીરીરૂપી અરજ કરવામાં આવી હતી. આ અંગે એનએસયુઆઈએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકાર ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોના કલ્યાણની વાતો કરે છે, તો વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસથી પોતાના કલ્યાણ માટે આંદોલન ચલાવી રહ્યાં છે. તો રાજ્ય સરકારની કેમ ઉંઘ નથી ઉડતી ?મહેતા કમિટિ, જીટીયુ મેનેજમેન્ટ અને સરકાર શું વિદ્યાર્થીઓની ઉઘાડી લુંટ કરવા બેઠી છે ? તેવો વેધક પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. જો કે, વિદ્યાનગરના માનવ વિદ્યાભવન અને ફિઝીકસ વિભાગ ચાલુ રહ્યાં હતાં. આજના એનએસયુઆઈના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા જોડાતાં રાજકીય રીતે પણ ઘેરા પડઘા પડ્યાં હતાં.આ ઉપરાંત શિક્ષણનગરીમાં કોંગ્રેસના ધારાસભ્ય, જિલ્લા એનએસયુઆઈના હાર્દિક પટેલ સહિત અન્ય કાર્યકરો સાથે નીકળેલી રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી.


રાહુલ મહાજને નવી પત્ની ડિમ્પીને પણ મારી

ભાજપના સ્વ. વરિષ્ઠ નેતા પ્રમોદ મહાજનનો પુત્ર રાહુલ ફરી વિવાદમાં ઘેરાયો છે. પિતાના અવસાન બાદ તુરત ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલા રાહુલે એરહોસ્ટેસ શ્વેતાસિંહ સાથે લગ્ન કર્યા હતા પણ શ્વેતાએ તેના પર મારઝૂડનો આક્ષેપ કર્યો હતો અને છેવટે બંને છુટા પડી ગયા હતા. ત્યાર બાદ રાહુલે એક ટીવી ચેનલના રિયાલિટી શો મારફતે સ્વયંવર દ્વારા કોલકાતાની મોડેલ ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા પણ હવે રાહુલ ડિમ્પીની પણ મારઝૂડ કરતો હોવાની વાત પહાર આવી છે.પતિ, રાહુલ મહાજન મારઝૂડ કરીને ત્રાસ આપતો હોવાની ફરિયાદ સાથે જાહેર માધ્યમો સમક્ષ રોક્કળ બાદ શુક્રવારની સાંજ સુધીમાં મોડેલ ડિમ્પી ગાંગુલીની ઘણી બધી વાતો ફેરવાઈ ગઈ હતી. ગુરુવારે પરોઢિયે પિતા સાથે પિયર ભણી નીકળેલી ડિમ્પી કહે છે કે પછીથી નણંદ પૂનમને ઘરે રહી હતી અને ત્યાંથી શુક્રવારે મોડી સાંજે ફરી રાહુલને ઘરે પહોંચી ગઈ હતી.S


બેસ્ટ બેકરી કેસના દોષીઓને વડોદરા ખસેડવા ચાલતા પ્રયાસો

હાઈકોર્ટે આઈજી (પ્રઝિન્સ)ને દોષીઓને વડોદરા ખસેડવાનો મુદ્દો ઉપાડી લેવાની તાકીદ કરી: ગુજરાત પ્રઝિનના સત્તાવાળાઓએ જરૂર પ્રમાણે દોષીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી લેવા જણાવ્યું. મુંબઈ વડી અદાલતે ગુરુવારે સ્ટેટ ઇન્સપેક્ટર જનરલ (આઈજી) (પ્રઝિન્સ)ને ગુજરાત સરકાર સાથે બેસ્ટ બેકરી કેસના આઠ દોષીઓને વડોદરા જેલમાં ખસેડવા સબબ ચર્ચા કરવાનો આદેશ આપ્યો હતો.આ દોષીઓએ ચુકાદા સામે કરેલી અપીલ હાઈકોર્ટે ગુરુવારે દાખલ કરી હતી. આ દોષીઓ ફેબ્રુઆરી ૨૦૦૭થી કોલ્હાપુરની જેલમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ખટલો મહારાષ્ટ્રમાં ખસેડવામાં આવ્યો હતો.દોષીઓએ અદાલતને એવી જાણ કરતો પત્ર લખ્યો હતો કે, ‘અમે અમારી પત્ની, બાળકો અને માતાપિતા સહિતનાં કુટુંબથી દૂર છીએ. એ લોકોએ અમને મળવું હોય તો એમણે બહુ લાંબા અંતર સુધી આવવું પડે છે, જે એમને માટે બહુ મોંઘું પડે છે. અમારા મોટા ભાગનાં કુટુંબો નાણાકીય રીતે તંગીમાં છે એટલે આખરે તે લોકો અમને મળવા આવી શકતાં નથી.’એ લોકોએ એમ પણ કહ્યું હતું કે, તેમના કોઈ પણ સંબંધીનું મહારાષ્ટ્રમાં કાયમી સરનામું નથી, જે તે લોકો માટે શ્યોરિટી આપી શકે. આથી તે લોકો લાંબી મુદતની રજા પણ લઈ શકતા નથી.જસ્ટિસ બી. એચ. માલૉપલ્લેએ કહ્યું હતું કે, ‘અમારી એકમાત્ર ફિકર એવી છે કે આરોપીઓ ફરાર થઈ જશે.’ અદાલતે કહ્યું હતું કે, ગુજરાતના જેલની સત્તાવાળાઓએ અપીલના આ દોષીઓને જ્યારે અને જેમ જરૂર પડે તે મુજબ હાઈકોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી લેવી જ જોઈશે

No comments:

Post a Comment