13 August 2010

જેટલી, રાજનાથ સિંહ અને નાયડુ ગુજરાતમાં

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


જેટલી, રાજનાથ સિંહ અને નાયડુ ગુજરાતમાં

સીબીઆઈ દુરુપયોગના વિરોધમાં આજે અમદાવાદ, વડોદરા અને સુરતમાં અલગ અલગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં અરુણ જેટલી, વડોદરામાં રાજનાથ સિંહ જ્યારે સુરતમાં વેંકૈયા નાયડુ સભા હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત આગામી સપ્તાહ દરમ્યાન વધુ આક્રમક આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું પણ વિચારાયું હોવાના સંકેત મળી રહ્યાં છે. વેંકૈયા નાયડુ સુરતમાં આવી પહોંચ્યો છે જ્યાં તેઓએ પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતો. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે મારો કોંગ્રેસ પર સીધો આરોપ છે કે તે સીબીઆઈનો દુરોપયોગ કરી રહ્યો છે.
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની ધરપકડને પગલે ભાજપે કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના આક્ષેપ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જેના ભાગરૂપે હવે અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપના સિનિયર રાષ્ટ્રીય આગેવાનોની હાજરીમાં સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં સેમિનારો યોજવાનું નક્કી કર્યું છે.રાજ્યમાં કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં આ સેમિનારનું આયોજન કરાયું છે.એવી જ રીતે શુક્રવારે જ વડોદરા અને સુરત ખાતે પણ આવા જ સેમિનારો યોજાશે.વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય આગેવાન રાજનાથ સિંહ અને સુરતમાં યોજાનારા સેમિનારમાં વેકૈંયાનાયડુ ખાસ સંબોધન કરશે.નોંધનીય છે કે અમિતશાહની ધરપકડ બાદ ભાજપ દ્વારા સીબીઆઈના દુરુપયોગનો આક્ષેપ કરીને આ બાબતને શેરીઓમાં લઈ જવાની ચિમકી આપાઈ હતી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.ફળદુ તથા અન્ય આગેવાનોના નેતૃત્વમાં અમદાવાદ સહિતના મહાનગરોમાં મૌન રેલીઓ યોજી હતી તથા તે પછી આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું નક્કી કરાયું હતું પરંતુ તે પછી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી.


ગૂગલ-સ્કાઈપ પર પણ લાગી શકે પ્રતિબંધ!

બ્લેકબેરીને 31 ઓગસ્ટનો અલ્ટિમેટમ બાદ હવે ભારતમાં ગૂગલ અને સ્કાઈપ પર પણ પ્રતિબંધ. મોબાઈલ ફોન સર્વિસ બ્લેકબેરી પર ભારતમાં સુરક્ષા કારણે લટકતી તલવાર છે. પરંતુ હવે ભારત સરકારે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ ઈન્ટરેનેટ ટેલિફોન સર્વિસ પુરી પાડનાર ફર્મ સ્કાઈપ સુધી પહોંચી ગઈ છે. સુરક્ષા કારણે કેન્દ્ર સરકારે બ્લેકબેરીને ચેતવણી આપી છે કે જો 31 ઓગસ્ટ સુધી સુરક્ષા શરતોને પુરી નહિ કરી તો ભારતમાં તેની સેવાઓ બંધ કરી દેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહમંત્રાલયમાં ટેલિકોમ અને ઈન્ટરનેટ સર્વિસ આપનાર કંપનીઓની સાથે બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે ઈન્ટરનેટના આધારે આપવામાં આવી રહેલ બધી સંચાર સેવાઓના ડેટા સુધી પહોંચી અને તેની નિયમિત મોનીટરીંગ ઈચ્છે છે. દૂરસંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતની સુરક્ષા ચિંતાઓ બ્લેકબેરી, સ્કાઈપ અને ગૂગલને લઈને છે. પરંતુ સરકાર તેની શરૂઆત બ્લેકબેરીથી કરી રહી છે.ગૃહમંત્રાલયે બ્લેકબેરી સેવાઓને 31 ઓગસ્ટ સુધીનો અલ્ટીમેટમ આપ્યો છે. આ સિવાય સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને હવે ભારતમાં ગૂગલ અને સ્કાઈપ પર પણ બેન લગાવી શકે તેવી સંભાવના છે. તે આ બન્ને ઈન્ટરનેટ આધારિત સંદેશ સેવાઓને પણ બંધ કરી શકે છે.પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય દૂરસંચાર અધિકારીઓ અને ઓપરેટર સંઘોની ગુરૂવારે થયેલ બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે ઈન્ટરનેટના આધારે આપવામાં આવી રહેલ બધી સંચાર સેવાઓના ડેટા સુધી પહોંચી અને તેની સતત દેખરેખ ઈચ્છે છે.આ વિષે દુરસંચાર મંત્રાલય પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતની સુરક્ષા ચિંતા ફક્ત બ્લેકબેરી જ નહીં પરંતુ સ્કાઈપ અને ગૂગલને લઈને પણ છે. પરંચુ સરકારી સ્તર પર આની શરૂઆત બ્લેકબેરીથી થઈ રહી છે.સરકારે બ્લેકબેરી ફોનની ઘણી સેવાઓને રોકવા માટેનો નિર્ણય ટાળીને બ્લેકબેરીને 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મંત્રાયલે દુરસંચાર વિભાગે તેની જાણકારી આપી છે. ગૃહમંત્રાલયે ભારતીય નિયમોને ધ્યાનમાં રાખીને ફોન કંપનીને 31 ઓગસ્ટ સુધી અલ્ટિમેટમ આપ્યો છે.


કડક સુરક્ષા સાથે અમિનને કોર્ટમાં લવાયા

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરકેસમાં તાજના સાક્ષી બની પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપવા માટે કોર્ટમાં અરજી કરનાર ડો. નરેન્દ્ર અમીનને કડક સુરક્ષાની સાથે કોર્ટમાં હાજર કરાયા છે. સોહરાબુદ્દી કેસના 11 આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યાં છે. યશપાલ ચુડાસમાના આગોતરા જામીનની સુનાવણી 18મી તારીખે રાખવામાં આવી છે. વણઝારા સહિત 11 ઓરોપીઓને આજે ચાર્જશીટની નકલ આપી છે. સીબીઆઈ કોર્ટે 11 આરોપીઓને ચાર્જશીટની નકલ આપી છે.સોહરાબુદ્દી કેસના 11 આરોપીઓને લાવવાના હોવાથી કોર્ટ બિલ્ડિંગમાં કડક સુરક્ષા મુકવામાં આવી છે. મેટલ ડિટેક્ટર લગાવવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત તૈનાત કરાયો છે. સીબીઆઈ કોર્ટ રૂમની બહાર પણ પોલીસ મુકવામાં આવી છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટરકેસમાં તાજના સાક્ષી બની પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપવા માટે કોર્ટમાં અરજી કરનાર ડૉ. નરેન્દ્ર અમીનને કોર્ટ સવાલ કરશએ કે તમારે તાજના સાક્ષી બનવું છે કે કેમ? અને તમે સ્વેચ્છાએ સાક્ષી બનવા માગો છો કે તમારા ઉપર કોઇનું દબાણ છે?કદાચ તમારું નિવેદન તમારા માટે પણ સજાનું કારણ બની શકે છે. જોકે આ સવાલો બાદ પણ અમીન તાજના સાક્ષી બનવાની તૈયારી બતાવશે તો જેના કારણે તેમને કોર્ટ દ્વારા તા.૧૮મી ઓગસ્ટ સુધી આ મુદ્દે વિચારણા કરવાનો સમય આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ તેમનું સીઆરપીસી ૧૬૪ મુજબ અદાલતમાં બંધબારણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવશે.


મુંબઇમાં 11 કરોડમાં ફ્લેટ વેચાયો

મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં એક ફ્લેટ 11.3 કરોડમાં વેચાયો છે. અપ્પા સાહેબ મરાઠા માર્ગ પર બનેલા એક એપાર્ટમેન્ટમાં ફ્લેટનો વિસ્તાર અંદાજે 2300 સ્કવેર ફીટ છે. તે હિસાબે પ્રતિ સ્કવેર ફીટ વિસ્તાર અંદાજે 49,000 રૂપિયાનો પડ્યો. સામાન્ય રીતે લોઅર પરેલ વિસ્તારમાં પ્રતિ સ્કવેર ફીટ વિસ્તારની કિંમત 18,000 રૂપિયાથી 30,000 રૂપિયા પ્રતિ સ્કવેર ફીટની વચ્ચે છે.
જો કે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં હાઇ એન્ડ ફ્લેટ્સની માંગ ઝડપથી વધી રહી છે. તેના લીધે કિંમતોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. છેલ્લાં ત્રણ મહિના દરમ્યાન જ લોઅર પરેલ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ 23 ટકા સુધી વધે છે. મોંઘી પ્રપોર્ટીની માંગમાં આવેલ તેજીને જોતા બિલ્ડર્સ પણ લકઝરી ફ્લેટ્સ બનાવા પર વધુ જોર આપી રહ્યા છે. વીતેલા 6 મહિનાઓ દરમ્યાન તમામ મોટા બિલ્‍ડર્સે લોઅર પરેલ વિસ્તારમાં પોતાની પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યો છે. અને જાણકારોની માનીએ તો આવનારા દિવસોમાં અહિં પ્રોપર્ટીમાં વધુ ઉછાળો આવશે.


આવતા સપ્તાહથી સાંસદોને બખ્ખાં!

મોંઘવારીના આ દોરમાં સામાન્ય વર્ગના લોકો માટે ધર ખર્ચ કાઢવો મુશ્કેલ થઇ રહ્યો છે. પરંતુ આપણા સાંસદોના પગારમાં જલ્દીથી ભારે ભરખમ વધારો થવાનો છે. આવતા સપ્તાહે સંસદમાં તેની સાથે જોડાયેલ વિધેયક પસાર થઇ શકે છે. સાંસદોનો પગાર મહિનાનો રૂપિયા 16000 થી વધીને રૂ.80,000 થવાનો છે. તેની સાથે જ ખાનગી સચિવોની સેલેરીને પણ માસિક રૂ.14,000 થી વધીને રૂ.30,000 કરવાનો પ્રસ્તાવ છે.એટલું જ નહિં સંસદ સત્ર દરમ્યાન સાંસદોના દરરોજ મળનાર ભથ્થાને પણ રૂ.1,000 થી વધારીને રૂ.2000 કરવાનું છે. તેમના માટે વાર્ષિક વિમાની મુસાફરીની સંખ્યા 34 થી વધારીને 50 કરવાની છે. આ સિવાય સાંસદોને કાર ખરીદવા માટે મળનાર વ્યાજ વગરની લોન રૂપિયા 1 લાખથી વધારીને 5 લાખ કરી દેવાશે.પરંતુ આ આખા મામલામાં પૂર્વ સાસંદોનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. પૂર્વ સાંસદો માટે પેન્શન માસિક રૂપિયા 8,000 થી વધારીને રૂ.16,000નો પ્રસ્તાવ પણ છે. આ પ્રસ્તાવોને મંજૂરી મળ્યા બાદ સાંસદોના પગાર અંદાજે માસિક રૂ.1.25 લાખ થઇ જશે.


ડભોઇના તરસાણા ગામે મહિલાનાં કપડાં ફાડી આબરૂ લેવાની કોશિશ

ડભોઇના તરસાણા ગામે રહેતા જયંતી રાઠોડિયાની પત્ની સુમિત્રા ગત ૨૦ મી જુલાઇએ ઘરમાં બાળકો સાથે સૂઇ ગઇ હતી. મધરાતે ગામનાં લાલા ચીમન રાઠોડિયાએ ઘરમાં પ્રવેશ કરી મહિલાની આબરૂ લેવાની કોશિશ કરી હતી. તેણે મહિલાના કપડાં પણ ફાડી નાખતાં મહિલાએ બૂમરાણ મચાવ્યું હતું. જેથી લાલા રાઠોડિયા ભાગી છુટ્યો હતો. મહિલાએ પતિને જાણ કરતાં બીજા દિવસે ઘરે આવી તારા ઘરવાળાને કેમ કહ્યું તેમ કહી મહિલાના વાળ પકડી માથું થાંભલામાં પછાડ્યું હતું. મહિલાએ ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


દુનિયાનું સૌથી મોટું 3D LED ટીવી રજૂ

કોરિયાની કંપની સેમસંગે ટેલિવિઝનની દુનિયામાં વધુ એક હંગામો કર્યો છે. અમેરિકામાં કંપનીએ સી 8000 સીરીજના સૌથી મોટું 3D LED ટીવી રજૂ કર્યું છે. તેની સ્ક્રીન બિલકુલ ફ્લેટ છે અને 65 ઇંચનું છે. આ ટીવી ખૂબ જ પાતળું છે અને તેને જોવા માટે કંપની ખાસ પ્રકારના ચશ્મા આપી રહી છે. તેની કિંમત અમેરિકામાં 6000 ડોલર એટલે કે રૂપિયા 2,80,000 છે. આ ટીવીને એનર્જી સ્ટાર 4નો દરજ્જો મળ્યો છે. તેમાં વધુ વીજળીનો ખર્ચ થતો નથી. તેની સાથે કંપની કેટલીક એવા મુવીઝ આપી રહી છે જે 3D માં જ બન્યા છે.આ વર્ષે ગરમીના લીધે કોરિયાની જ કંપની એલજીએ 84 ઇંચનું એક UHD 3 D ટીવી રજૂ કર્યું હતું. પરંતુ તે બજારમાં ઉતાર્યું નથી. કંપની એવા ટીવી પર કામ કરી રહી છે જેને જોવા માટે ચશ્મા પહેરવા પડશે નહિં.


બ્રિટનના સરળ વિઝા થકી ભારતીય પ્રવાસીને આકર્ષશે

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોને ગુરુવારે જણાવ્યું હતું કે બ્રિટનના પ્રવાસ ઉદ્યોગને વેગ આપવા ભારતીયો માટે વિઝા નિયંત્રણોમાં ખાસ છૂટછાટ આપવામાં આવશે. ધનવાન ભારતીય મુલાકાતીઓ વેસ્ટ એન્ડમાં પહોંચીને મબલક ખરીદી કરતાં જોવા મળતાં સરકારે આ નિર્ણય લીધો છે.બ્રિટનનો પ્રવાસન ઉદ્યોગ રોજગારી અને આવક ઊભી કરીને અર્થતંત્રમાં મહત્વનું પ્રદાન કરી રહ્યો છે. વાર્ષિક અર્થતંત્રમાં આ ક્ષેત્રનું વાર્ષિક પ્રદાન ૧૧૫ અબજ પાઉન્ડનું પ્રદાન રહે છે. ભારત અને ચીનના મુલાકાતીઓને વિઝિટર્સ વિઝા આપવાની પ્રક્રિયાને સરળ બનાવીને આ વર્ષે બ્રિટિશ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા પગલાં લેવાશે.વડાપ્રધાને જણાવ્યું હતું કે પ્રવાસીઓને બ્રિટન આવતાં અવરોધોને દૂર કરવા સરકાર પગલાં લેશે. આ હેતુસર ભારત અને ચીન જેવા દેશમાં વિઝા ડિલિવરી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ઓનલાઇન વિઝા અરજીની સંખ્યા વધારવા પગલાં લેવામાં આવશે.વર્ષ ૨૦૧૧ સુધીમાં કુલ પૈકી ૭૫ ટકા વિઝા અરજીઓ ઓનલાઇન મળી શકે અને વર્ષ ૨૦૧૪ સુધીમાં તો ૧૦૦ ટકા અરજી ઓનલાઇન મળી શકે તેવી માળખાકીય વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સ્થાનિક સત્તાવાળાને વધુ સત્તા આપવા અને નાના ધંધારોજગારને નિરુત્સાહ કરતા અધિકારીઓને પદ પરથી દૂર કરવા વિચારણા થઇ રહી છે.


બ્લેકબેરી 'ટસની મસ' થવા તૈયાર નહિં

દેશમાં સરકાર સિક્યોરિટીની ચિંતા વ્યક્ત કરતાં બ્લેકબેરી બનાવતી કંપની કેનેડાની રિસર્ચ ઇન મોશન એટલે કે રિમ પાસે ડિકોડ માંગ્યું છે. છતાં પણ હજુ બ્લેકબેરી ટસની મસ થવા માટે તૈયાર નથી. રિમે કહ્યું કે જો અમને ભારતની કોર્ટનો આદેશ હશે તો અમે તેમને જોઇતી માહિતી પૂરી પાડીશું. પણ આ રિમ કંપનીએ ડિકોડ આપવાની વાતનો હજુ ઉચ્ચાર સુદ્ધાં કર્યો નથી.ગઇકાલે ગૃહમંત્રાલયની બ્લેકબેરીના વિવાદને લઇને બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં ભારત સરકારે બ્લેકબેરીને 31મી ઓગ્સટ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકારે રિમને સિક્યોરિટી એજન્સીને ટેકનોલોજી પૂરી પાડવા માટેની વાત કરી છે.ઉલ્લેખનીય છે કે બ્લેકબેરીની સુરક્ષાને લઇને ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં પણ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. બ્લેકબેરી ફોન પર આવતા એસએમએસ અને ઈ-મેલ પર નજર રાખવાની તેઓ સુરક્ષા એજન્સીઓને મંજુરી આપવાની ના પાડે છે. કંપની કહે છે કે તેમના સર્વરમાં ડેટાની સુરક્ષા વ્યવસ્થા એટલી હદે ચુસ્ત રાખવામાં આવી છે કે ગ્રાહક સિવાય ખુદ કંપની પણ તેને ચકાસી શકે તેમ નથી. અગાઉ સરકારે કંપનીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો બ્લેકબેરી પર આવતા સંદેશાના ડેટા પર સુરક્ષા એજન્સીઓને નજર રાખવાની મંજુરી નહીં અપાય તો નાછૂટકે ભારતમાં તેમની સેવાઓ બંધ કરવાનો આદેશ આપવો પડશે પણ સરકારે આવું કંઇ કર્યું નહિં અને 31મી ઓગસ્ટનું અલ્ટીમેટમ આપી દીધું.


શિક્ષકે વિદ્યાર્થીનું માથું બેન્ચ પર પછાળ્યું

વાલીએ ફરિયાદ કર્યા બાદ પ્રિન્સિપાલે ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો,વલસાડની આવાંબાઇ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીને ફટકારવાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વધુ એક ઘટના વલસાડ શહેરને અડીને આવેલા પારડીસાંઢપોરની ઇંગ્લીશ મીડિયમ સ્વામીનારાયણ વિદ્યાધામમાં પ્રકાશમાં આવી છે.આ શાળાના કોમ્પ્યુટર ઇન્સ્ટ્રકટર તરીકે ઓળખાતા શિક્ષકે નજીવી બાબતમાં ધો-પાંચના એક વિદ્યાર્થીનુ બેન્ચ સાથે માથુ અફાડી માર માર્યો હતો. જે અંગેની જાણ વાલીને થતા તેઓએ ભારે આક્રોશ સાથે આચાર્યને રજૂઆત કરી હતી. વલસાડની શાળાઓમાં એક સપ્તાહમાં વિદ્યાર્થીને ફટકારવાનો બીજો બનાવ બનતા વાલીઓ ચિંતિત બન્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોમ્પ્યુટરના પિરિયડ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા. પરંતુ ઇન્સ્ટ્રકટર (શિક્ષક) અમીજની નજર મોહિત ભરતભાઇ રાજપૂરોહિત પર પડતા શિક્ષકે બાળકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. બાળક ધ્રૂસકે ધ્રૂસકે રડી પડતા આ અંગેની જાણ શાળાના આચાર્યને કર્યા વિના જ અન્ય વિદ્યાર્થીઓ મારફત મોહિતને તેના ઘરે રવાના કરી દીધો હતો. ત્યારબાદ કોઇ ઘટના બની જ ન હોય એમ અમીન પોતાના ઘરે ચાલી નિકળ્યો હતો. બીજીતરફ બાળક ઘરે પહોંચ્યા બાદ તેને ચક્કર આવતા હોવાનુ અને ઉલટી કરતો હોવાનુ માતા આશાબેનને નજરે ચઢયુ હતુ. જેથી તેમણે શું થયુ એ અંગે પૂછપરછ કરતા મોહિતે જણાવ્યું હતું કે, અન્ય કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા. પરંતુ શિક્ષક અમીનને પોતે મસ્તી કરતો હોવાનુ જણાતા તેમણે પોતાને માથાના ભાગે અને પેટના ભાગે માર માર્યો હતો.પુત્રને થયેલી ઇજાને પગલે પિતા ભરતભાઇ તાત્કાલિક શાળા ઉપર પહોંચી જઇ આચાર્ય મનોજ રાઉતને ફરિયાદ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટીચર અમીન ઘરે પહોંચી ગયો હતો.


જેટલી, રાજનાથ સિંહ અને નાયડુ ગુજરાતમાં

સીબીઆઈ દુરુપયોગના વિરોધમાં આજે અમદાવાદ, વડોદરા અને સુરતમાં અલગ અલગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં અરુણ જેટલી, વડોદરામાં રાજનાથ સિંહ જ્યારે સુરતમાં વેંકૈયા નાયડુ સભા હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત આગામી સપ્તાહ દરમ્યાન વધુ આક્રમક આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું પણ વિચારાયું હોવાના સંકેત મળી રહ્યાં છે. વેંકૈયા નાયડુ સુરતમાં આવી પહોંચ્યો છે જ્યાં તેઓએ પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતો. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે મારો કોંગ્રેસ પર સીધો આરોપ છે કે તે સીબીઆઈનો દુરોપયોગ કરી રહ્યો છે.
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની ધરપકડને પગલે ભાજપે કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના આક્ષેપ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જેના ભાગરૂપે હવે અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપના સિનિયર રાષ્ટ્રીય આગેવાનોની હાજરીમાં સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં સેમિનારો યોજવાનું નક્કી કર્યું છે.રાજ્યમાં કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં આ સેમિનારનું આયોજન કરાયું છે.એવી જ રીતે શુક્રવારે જ વડોદરા અને સુરત ખાતે પણ આવા જ સેમિનારો યોજાશે.વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય આગેવાન રાજનાથ સિંહ અને સુરતમાં યોજાનારા સેમિનારમાં વેકૈંયાનાયડુ ખાસ સંબોધન કરશે.નોંધનીય છે કે અમિતશાહની ધરપકડ બાદ ભાજપ દ્વારા સીબીઆઈના દુરુપયોગનો આક્ષેપ કરીને આ બાબતને શેરીઓમાં લઈ જવાની ચિમકી આપાઈ હતી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.ફળદુ તથા અન્ય આગેવાનોના નેતૃત્વમાં અમદાવાદ સહિતના મહાનગરોમાં મૌન રેલીઓ યોજી હતી તથા તે પછી આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું નક્કી કરાયું હતું પરંતુ તે પછી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી.હવે આજે પ્રદેશ ભાજપ દ્વારા એકાએક ભાજપના રાષ્ટ્રીય આગેવાનોની હાજરીમાં ત્રણ મહાનગરોમાં સેમિનારો યોજવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી સપ્તાહમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો ઘડાશે એવા નિર્દેશ આપવામાં આવ્યા છે.


સાહેબ, સુરક્ષાકર્મી હટાવી લો મારી પુત્રીને

સાહેબ મારા ઘરેથી પોલીસ સુરક્ષા હટાવી લો. મારી પુત્રીને સુરક્ષાકર્મીની કોઈ જરૂરીયાત નથી. અમે બે ટકનું ખાવાનું અમે મહા મુશ્કેલીથી મેળવીએ છીએ ત્યારે આ પોલીસકર્મીને ક્યાંથી ખવડાવીએ. આ આજીજી ઘરેથી ભાગીને કથિત પ્રેમલગ્ન કરનાર યુવતીના વૃદ્ધ માતા-પિતાએ અદાલતમાં કરી છે. તેઓએ નાયાધીશને એક અરજી આપીને આ સુરક્ષા હટાવી લેવાની માંગ કરી છે. યુવતીનો પ્રેમી જેલમાં છે અને તે પોતાના માતા પિતા પાસે રહે છે. હાઈકોર્ટના આદેશથી તેને સુરક્ષા આપવામાં આવી છે.
હરિયાણાના ભૂનાના ફતેહાબાદ રોડ સ્થિત ઢક્કી વિસ્તારમાં રહેતા અદલ સિંહની 18 વર્ષની પુત્રી અનિતા 28 જૂનના રોજ ઘરેથી ગૂમ થઈ ગઈ હતી. યુવતીના પરિવારજનોએ તેમની પાડોશમાં રહેતા દિનેશ નામના યુવાન સામે કેસ કર્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે લલચાવી-ફોસલાવીને યુવતીને ઉપાડી ગયો છે. 30 જૂનના રોજ પોલીસે બન્નેને ઉકલાના રેલવે સ્ટેશન પર પકડી લીધા જ્યાં દિનેશે જણાવ્યું કે બન્નેએ કોર્ટમાં લગ્ન કરી લીધા છે અને સુરક્ષાની માગણીની અરજી પણ કરી છે. આ દરમિયાન તે લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરી શક્યો ન હતો.બીજા દિવસે બન્નેને ફતેહાબાદ કોર્ટમાં રજૂ કરવમાં આવ્યાં જ્યાં યુવતીએ જે જુબાની આપી તેનાથી સમગ્ર કહાની પલટી ગઈ હતી. અનિતાએ આરોપ લગાવ્યો કે દિનેશ તેને નશીલી દવા પીવડાવી ઘરેથી ભગાડી ગયો હતો. ત્યાર બાદ પણ તે તેને નશો આપી રહ્યો હતો. પોતાના બચાવમાં આરોપીએ તેની સાથે આર્ય સમાજના મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ તે તેને ઘાક ઘમકી આપીને હાઈકોર્ટમાં લઈ ગયો હતો. અનિતાનું કહેવું છે કે દિનેશે તેની સાથે બળજબરી પૂર્વક લગ્ન કર્યા છે. યુવતીની જુબાનીના આધારે દિનેશને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.બીજી તરફ યુવતીને તેની ઈચ્છા અનુસાર તેના પરિવાર સાથે મોકલી આપવમાં આવી છે. યુવતીનું કહેવું હતું કે તેની જાનને જોખમ છે આથી તેને સુરક્ષાકર્મી આપવમાં આવ્યો છે જે યુવતીના ઘરમાં રહે છે. હવે યુવતીના માતા પિતાએ આ સુરક્ષાકર્મીને હટાવવાની માગ કરી છે અને કહે છે કે તેઓ મજૂરીકામ કરે છે. તેઓને ખાવાના ફાફા છે ત્યા આ સુરક્ષાકર્મીને શું ખવડાવે, મજૂરીકામ કરીને તેઓ તેના પરિવારનું ભરણપોષણ કરે છે. કોર્ટમાં કરાયેલી આ અરજીમાં યુવતીનું પણ સમર્થન છે.

એશ-અભિને કોઈ લેવા નથી માંગતું

મણિરત્નમની ફિલ્મ ગુરૂમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી હતી. આ ફિલ્મ ઘણી જ હિટ રહી હતી અને લોકોને ગમી હતી. આ જ કારણોસર મણિ રત્નમે ફિલ્મ રાવણમાં આ જોડીને લીધી હતી. જો કે આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.હવે, મણિ રત્નમ પોતાની આગામી ફિલ્મમાં એશ-અભિ નહિ પરંતુ વિદ્યા અને માધવનને લઈને એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ જોડી ફિલ્મ ગુરૂમાં જોવા મળી હતી.મણિની આ ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત હશે. વિદ્યા અને માધવનની કેમેસ્ટ્રી કમાલની છે. માધવન અને વિદ્યાએ સાથે કામ કર્યુ ત્યારથી જ તેઓ અન્ય ફિલ્મોમાં સાથે કામ કરવા માંગતા હતા. લાગે છે કે, હવે મણિને એશ-અભિની જોડી પર વિશ્વાસ નથી.


સ્વપ્નમાં સાપ એટલે કાલસર્પ દોષ નિશાની

સપનામાં અનેક ઘટનાઓ ફિલ્મની જેમ દેખાતી હોય છે. સપનામાં દેખાનારી ઘટનાઓ આવનારા ભવિષ્યના સંકેતો છે. જે રીતે ફિલ્મોમાં દર્શક અને નાયક કોઈ પણ એક વ્યક્તિ હોય છે એ જ રીતે આપણા સ્વપ્ન પણ ક્યારેક ડરાણમા અને ભયભીત કરનારા હોય છે.જો સપનામાં સાપ દેખાય તો એનો મતલબ છે કે તમારી કુંડળીમાં કાલસર્પ દોષ છે. તો જાણીએ કેટલાક એવા સંકેતોને જેના દ્વારા આપણે આપણી કુંડળીની અને જન્માક્ષરમાં કયો રોગ છે તેની જાણકારી મેળવી શકીએ.- સૂતેલા સાપને શરીર તરફ આવતો જોઈને ક્યારેય ન ગભરાવવું.- પાણી પર તરતો સાપ જોવો.- સાપની જોડી હાથમાં લપેટાયેલી જોવી. સપનામાં અસંખ્ય સાપ જોવા.સપનામાં ઉડતો સાપ જોવો.- સાપની જાડી હાથ અને પગમાં લપેટાયેલી જોવી.- સપનામાં અસંખ્ય સાપ જોવા.આ રીતે કોઈ પણ સાપ સ્વપ્નમાં દેખાય તો આપણા જીવનમાં કાલસર્પ દોષ હોવાના સંકેતો મળે છે અને જો આ પ્રકારના સાપ વારંવાર સપનામાં જોવા મળે તો કાલસર્પદોષની પૂજા અવશ્ય કરાવવી. એનાથી કાલસર્પ દોષ શાંતિ મળશે અને માનસિક શાંતિ પણ મળશે. આ સાથે જ તમને સાપના સ્વપ્ન દેખાતા બંધ થઈ જશે.


સપ્ટેમ્બરમાં લોન્ચ થશે 'નવી i10'!

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયા લિમિટેડ પોતાની પોપ્યુલર કાર, i10ને નવા અંદાજમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો સપ્ટેમ્બર મહિનામાં i10ને નવા લુક સાથે લોન્ચ કરી દેવામાં આવશે. જો કે તેના બેઝિક લુકમાં ખાસ ફેરફાર કરવામાં આવશે નહિં. પરંતુ નવી i10માં તમને પહેલાંની સરખામણીમાં વધુ ફીચર્સ મળશે. અને તેનું ઇન્ટિરિયર પણ પહેલાં કરતાં ઘણું સારૂં જોવા મળશે. એટલું જ નહિં નવી i10માં ઇન્ટિરિયર સ્પેસ પણ વધુ હશે.નવી i10ને હ્યુન્ડાઇના પોપ્યુલર કાપા એન્જિનની સાથે પણ લોન્ચ કરાશે. પરંતુ જૂની i10ની સરખામણી માટે 10,000 રૂપિયા સુધી વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. હાલ દિલ્હીમાં ' i10 કાપા'ની એક્સ શોરૂમમાં કિંમત 4.10 લાખ રૂપિયા છે. એટલે કે નવી i10 કાપા માટે તમને અંદાજે 4.40 લઆખ રૂપિયા ચૂકવવા પડશે. ત્યારે i10ના 'ઇરા મોડલ'ની દિલ્હીમાં કિંમત હાલ 3.83 લાખ રૂપિયા છે. તે હિસાબથી નવી i10 ઇરા તમને 3.93 લાખ રૂપિયામાં મળશે.હ્યુન્ડાઇ ભારતમાં પોતાની સૌથી પોપ્યુલર સેન્ટ્રોને પણ નવા અંદાજમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેને જલ્દીથી 800 સીસીના એન્જિનની સાથે લોન્ચ કરાશે. હજુ હાલમાં જ મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ પણ પોતાની સૌથી વધુ વેચાનાર કાર અલ્ટોને એક નવા રંગરૂપમાં લોન્ચ કરી છે.



ટીવી અભિનેત્રીની અશ્લિલ સીડી બનાવાઈ'

એક ટીવી અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવતાં પોતાના શોષણની દર્દ ભરી કહાની સંભળાવી છે. આ અભિનેત્રી પર આરોપ લગાવ્યો હતો કે કેવી રીતે એક વ્યક્તિ તેને પ્રોડ્યુસર બનીને મળ્યો અને પછી ફિલ્મ બનાવવાના નામે તેની સાથે યૌન શોષણ કર્યું હતું.ઘણી ટીવી સીરયલોમાં કામ કરી ચુકેલ અભિનેત્રીએ કહ્યું હતું કે સૈયદ અમીન નામના એક વ્યક્તિ તેને પ્રોડ્યુસર બનીને મળ્યો હતો અને પછી ફિલ્મ બનાવવાના નામે તેની સાથે યૌન શોષણ કરતો રહ્યો હતો. અમીને પોતાના સાથી ઉમેશ રમેશવાલાની સાથે મળીને 6 મહિના સુધી અભિનેત્રીની સાથે શોષણ કર્યું હતું. અમીને અભિનેત્રીને ફ્લેટ અને કાર આપવાનું પણ સપનું બતાવ્યું હતું.એક દિવસ અમીને તેને સીડી આપીને કહ્યું કે આમાં તારા નવા ઘરનો નકશો છે. પરંતુ તે સીડીમાં અભિનેત્રીની જ અશ્લિલ ફિલ્મ હતી. અમીનને ઉમેશની સાથે મળીને છોકરીની સાથે સેક્સ કરતાં સીડી બનાવી હતી અને આ સીડીના આધારે તે અન્ય લોકોની સાથે પણ સેક્સ કરાવવા માટે બ્લેકમેલ કરવા લાગ્યો હતો.ઈજાગ્રસ્ત અભિનેત્રીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અમીન અને ઉમેશની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી પરંતુ બાદમાં તે બન્નેએ તેના માટે વધારે મુશ્કેલી ઉભી કરવાની શરૂઆત કરી દીધી હતી. અભિનેત્રીને કેસ પાછો ખેંચવા માટે ધમકીઓ પણ આપવામાં આવી હતી અને પૈસાની પણ ઓફર કરવામાં આવી હતી.અત્યારે અભિનેત્રીએ આરોપીઓના ડરથી ઘર બદલી નાખ્યું છે અને તે આ મુદ્દે કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનના આટાફેરા કરી રહી છે.


પોલીસને નવી હેલ્પલાઇન શરૂ કરવી પડી...!

શહેરીજનોનાં ગળામાંથી સોના-ચાંદીના દાગીનાં આંચકી આંખનાં પલકારામાં નાસી છુટતા ચેઇન સ્નેચરોથી પોલીસ પણ ત્રાહીમામ પોકારી ઉઠી છે. આવા બાઇક સવારોને ઝડપી પાડવા પોલીસને ના છુટકે વધુ એક હેલ્પલાઇન શરૂ કરવાની ફરજ પડી છે. પોલીસે પણ આ ૧૦૯૫ નંબરની શરૂ કરેલી નવી ટોલફ્રી સર્વીસનો ઉપયોગ ચેઇન સ્નેચિંગ જેવા કિસ્સામાં તાત્કાલીક કરવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે.પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, આપણા દેશમાં કોઇ પણ વ્યક્તિને, કોઇ પણ જગ્યાએ મુસીબતનાં સમયમાં જ્યારે પોલીસની મદદની જરૂર પડે ત્યારે તે પોલીસ કંટ્રોલ રૂમનાં ટોલફ્રી નંબર ૧૦૦ પર ફોન કરીને પોલીસની મદદ માંગી શકતી હતી. જો કે દિવસેને દિવસે વિકસતા અમદાવામાં પોલીસ કંટ્રોલ રૂમ સતત વ્યસ્ત રહેવા લાગ્યો છે.બીજી તરફ ધોળા દિવસે ખાસ કરીને મહિલાઓના ગળામાંથી ધૂમ સ્ટાઇલે બાઇક પર આવતા લૂંટારૂઓ ચેઇન ખેંચીને નાસી છુટતા હોવાની ઘટનાઓ વધવા લાગી છે. જો કે આવા લૂંટારૂઓને પકડી પાડવામાં નીષ્ફળ પોલીસ ઘટના સમયે ભોગ બનનાર વ્યક્તિ તાત્કાલીક પોલીસને જાણ ન કરતી હોવાનો લુલો બચાવ કરી રહી છે.


જોધપુરની હોટલમાં વિદેશી મહિલાની લાશ મળી

જોધપુરની એક વિદેશી મહિલાની લાશ મળી આવી છે. જેના કારણે, આ વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ છે.મળતી માહિતી પ્રમાણે, હોટલના સ્ટાફને શંકા ગઇ હતી. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, વિદેશી મહિલા સાથે રહેલો શખ્સ હાલ ફરાર છે. જેના આધારે પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટીએ તેની ઉપર શંકા સેવવામાં આવી રહી છે.આ અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રેમ, સેક્સ તથા નાણા સહિતના એંગ્લો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

No comments:

Post a Comment