14 August 2010

કોંગ્રેસ આંતકી છે: નરેન્દ્ર મોદી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કોંગ્રેસ આંતકી છે: નરેન્દ્ર મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એકવાર ફરીથી કોંગ્રેસ પર નિશાનો તાક્યો છે. રાજકોટમાં આયેજિત એક સમારોહ દરમિયાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તુલના આંતકવાદીઓની સાથે કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આઝાદીના અવસર પર હાજરી નઆપીને કોંગ્રેસે આંતકીઓ જેવો વ્યવહાર કર્યો છે. કોંગ્રેસે સ્વતંત્રતા દિવસનું અપમાન કર્યું છે અને આ માટે દેશની જનતા તેમને ક્યારેય માફ કરશે નહીં.ઉલ્લેખનીય છે કે આઝાદીના 64મી વર્ષગાંઠ પર રાજકોટમાં બે દિવસીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સિવાય ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસે મોદીના આ આયોજિત સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓના સમારોહમાં હાજર નહીં રહેનાર પર મોદીને નિશાનો તાકવાની વધુ એક તક મળી હતી. મોદીએ રાજકોટમાં કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે આ કોઈ લગ્ન સમારોહ નથી, પરંતુ રાષ્ટ્રીય પર્વ છે. આઝાદીના આ અવસર પર કોંગ્રેસીએ રાષ્ટ્રીય પર્વનું અપમાન કર્યું છે.રાજકોટમા સૌરાષ્ટ્ર યુનિર્વસીટી ખાતે ફોરેન્સીક લેબ સંકુલ અને સ્ટુડન્ટ કન્વેન્શન સેન્ટરના લોકાર્પણના કાર્યક્રમમાં છાત્ર શકિતને સંબોધતા મુખ્યમંત્રી મોદીએ કહ્યું હતું કે યુવાનો દેશનું ભવિષ્ય છે અને આતંકવાદ સામે લડવા માટે તેમનો સહયોગ અત્યંત જરૂરી છે.યુવાનો બુલેટ (ગોળી) બનશે તો પોતાની પાસે આતંકવાદ સામે લડવાનું જીગર હોવાનું કહીને વિદ્યાર્થીઓને જોમ ચડાવ્યું હતું. સમગ્ર ભારત દેશમા ગુજરાત રાજ્યએ ફોરેન્સીક યુનિર્વસીટી સ્થાપવાની પહેલ કરી હોવાનું કહીને તેઓએ ઉમેર્યું હતું કે ગુજરાતની પોલીસ હવે અત્યંત પેચીદા કેસ પણ આસાનીથી ઉકેલી શકસે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.સૌરાષ્ટ્ર યુનિર્વસીટી દ્વારા સમગ્ર વિશ્વમા નામના પામેલા કાઠીયાવાડી અશ્વોની માવજત લેવાનું જે ભગીરથ કાર્ય શરૂ કરવામા આવ્યું છે તેની સરાહના કરી હતી. છેલ્લા દસ વર્ષના શાસનમા ગુજરાતમાંથી કફર્યું દેશવટો આપી દેવાયો હોવાની વાત જણાવીને રાજ્યમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી નિયંત્રણમા હોવાનું પણ કહ્યું હતુ.


સ્વાતંત્ર્યદિન આવ્યો, પાછી દહેશત લાવ્યો

ભારતનો સ્વાતંત્રય દિન હોય ને ત્રાસવાદી હુમલાની ધમકી ન હોય એવું છેલ્લા થોડા દાયકાઓમાં કદી બન્યું છે ખરું? આ વખતનો ૬૩મો સ્વાતંત્ર્યદિન પણ આવી જ ધમકીઓ- દહેશતોની ઝોળીઓ ભરીને આવ્યો છે. એક તરફ પેલી મોંઘવારી ડાકણ બેફામ બનેલી છે. યુપીએ સરકારનું કારભારું પ્રતિદિન ભાવવધારાને અસહ્ય બનાવતું જઈ રહ્યું છે.સામાન્ય માણસ માટે કપરા દિવસ આવ્યા છે. ત્રાસવાદ, અલગતાવાદ, નકસલવાદ, માઓવાદનાં ભૂતડાં ય ધૂણી રહ્યાં છે. પાકપ્રેરિત આઈએસઆઈ બ્રાન્ડ ત્રાસવાદમાં જૈશ-લશ્કરની સાથે તાલિબાનો અને અલ-કાયદા પણ ભળવા બેઠા છે. કર્ણાટક પોલીસે પકડેલા કાવતરા મુજબ માઓવાદીઓની આઈએસઆઈ અને અન્ડર વર્લ્ડ સાથેની લિન્ક પકડાઈ છે. કાશ્મીરની ગલીઓમાં રોજેરોજ અલગતાવાદના પથ્થરમારા ચાલે છે. દેશમાં આંતરિક સલામતી ચિંતાજનક રીતે જોખમાઈ રહી છે.વિશ્વભરમાં પોલીસગીરી કરતું અમેરિકા પાછું શાણું થઈને ચેતવે છે કે ત્રાસવાદીઓ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. અત્યાર લગી તેની આવી ચેતવણી ભારત માટે હતી, હવે (ફોમૉલિટી ખાતર પાક અને મિડલઇસ્ટનાં નામ પણ એ ઉમેરી રહ્યું છે.) આને ચેતવણી ગણવી કે ચીમકી? આઝાદદિન ટાણે ભારતને ફફડતું રાખવાનો કીમિયો ખતરનાક છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી છ હજાર ટન દારૂગોળો ભરેલી ૬૧ ટ્રકો ગુમ થયાની ઘટના ધ્રુજારી લાવનારી છે. પોલીસને દહેશત છે કે બીજા રાજ્યોમાં આ દારૂગોળો વેચાઈ ગયો છે. એ કોને વેચાયો હશે?
ત્રાસવાદીઓ જોડે ભાઈબંધી ધરાવનારા પેલા નકસલવાદીઓને? એ દારૂગોળો હવે ક્યાં ફૂટશે? દહેશતોના ડુંગરા ખડકાઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સની પછવાડે કરોડોના ભ્રષ્ટાચારોની ફરિયાદોના ગંજ ખડકાય છે. અલગતાવાદના વાવાઝોડામાં ફરીથી કાશ્મીરમાં સળગેલું છે ત્યારે એને હિલિંગ ટચ આપવાને બદલે વડાપ્રધાન મનમોહનસિંહ રઘવાયા થઈને ફારુક ઉમરના ઇશારે ‘સ્વાયત્ત’ વાદનાં ગાણાં ગાઈ રહ્યાં છે.સરકાર સામે ચાલીને કાશ્મીરનું ડોકું તાસક પર મુકવા જઈ રહ્યાંનું લાગે છે. આઝાદ દિન ટાણે દેશ અનેક પરેશાનીઓ, કઠણાઈઓ અને પડકારોમાં ઘેરાયો છે. શાસક પક્ષ-ગઠબંધન ચૂંટણીલક્ષી વેતરણમાં છે. વામણો વપિક્ષ તરતો રહેવા તરણાં ઝાલી રહ્યો છે. કોઈ ઉમંગ, ઉત્સાહ વગર દહેશતો વચ્ચે સ્વાતંત્રયદિન આવ્યો છે ત્યારે સારે જહાં સે અચ્છા... કહેવડાવવાની જાણે હોડ જામી છે.



આજે મોદીનું રાજકોટમાં આગમન : ભરચક્ક કાર્યક્રમો

હોર્ડિંગ્સ વિવાદ, ઉઘરાણા અને પ્રજાની અગવડતા વચ્ચે સ્વાતંત્રય પર્વની ઉજવણીની ચકાચૌંધ. આવતીકાલે મોદી ત્રિરંગો લહેરાવશે : ચાર લોકાર્પણ, ત્રણ સ્થળે મોદીની જાહેર સભા.દેશના ૬૪મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની પંદર દિવસથી શહેરમાં ચાલી રહેલી ઉજવણીના અંતિમ તબક્કામાં આજથી બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. શનિવારે આખો દિવસ ભરચક્ક કાર્યક્રમો યોજાશે અને રવિવારે સવારે ધ્વજવંદન તેમ જ પરેડ થશે. જિલ્લા વહીવટી તંત્રે આ આયોજનને આજે આખરી ઓપ આપ્યો હતો. શહેરની સરકારી ઇમારતોને કરાયેલી રોશની અને વિવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા વિશેષ માહોલ ઊભો કરવાના પ્રયાસ તંત્રે કર્યા છે.છેલ્લા પંદર દિવસથી સમગ્ર તંત્ર ઉજવણીની તૈયારીમાં લાગી ગયું છે. એ દરમિયાન મોદીની તસવીરોવાળા હોર્ડિંગ્સના અતિરેકને કારણે તથા સ્વાતંત્રય પર્વમાં લોકભાગીદારીના નામે તંત્ર દ્વારા કરવામાં આવેલા ઉઘરાણા તેમજ મોદી જે સ્થળેથી પસાર થવાના છે એ સિવાયના રાજકોટમાં કાંઇ જ કામ ન થવાના મુદ્દે લોકરોષ વચ્ચે આ વર્ષે આ પર્વ વિવાદમાં સપડાઇ ગયું છે.આવતીકાલે શનિવારે સવારથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શહેરમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ ઉપરાંત સરકારના વિવિધ વિભાગો સતત કાર્યરત છે. રવિવાર બપોર સુધી સ્વતંત્રતા પર્વના જુદા જુદા કાર્યક્રમો થશે. આવતીકાલે સવારે વિરાણી હાઇસ્કૂલ ખાતેથી ‘વાંચે ગુજરાત’અભિયાન અંતર્ગત જ્ઞાન પ્રબોધિની રેલી યોજાશે જેને મુખ્યમંત્રી સંબોધશે. ત્યાર બાદ ફોરેન્સિક લેબોરેટરીનું લોકાર્પણ થશે, અને ત્યાંથી મુખ્યમંત્રી સીધા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બે શિક્ષણ ભવનના લોકાર્પણ માટે પહોંચશે. સવારે ૧૧-૧૫ કલાકે આવાસયોજનાનું લોકાર્પણ કરશે અને ૧૨-૩૦ કલાકે માધાપર પાસેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. આ બન્ને કાર્યક્રમો માટે સંયુક્ત જાહેરસભા ૧૫૦ ફૂટ રિંગરોડ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે યોજાશે.બપોરે ૧-૧૫ વાગ્યે મહાનગરપાલિકા નિર્મિત પ્રધ્યુમનપાર્ક વિધિવત રીતે ખુલ્લું મુકાશે, સાંજે પાંચ વાગ્યે રેસકોર્સમાં ફૂટબોલ મેદાનમાં એટહોમ કાર્યક્રમ યોજાશે જેમાં શહેર-રાજ્યના નામાંકિત મહાનુભાવોને નિમંત્રિત કરાયા છે. સાંજે સાત પંદરે રેસકોર્સમાં ફન વર્લ્ડની બાજુના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રવિવારે તા.૧૫ મી ઓગસ્ટે સવારે ૯ વાગ્યે ધ્વજવંદન થશે, તે સમયે એરફોર્સના હેલિકોપ્ટરો પણ ધ્વજને સલામી આપશે, પુષ્પવૃષ્ટિ કરશે. પરેડ પણ યોજાશે. સ્વતંત્રતા દિવસનો રાજ્ય મહોત્સવ અહીં ઉજવાઇ રહ્યો છે ત્યારે રાજ્યના આગેવાનો વિવિધ ક્ષેત્રના લોકો, પૂર્વ ધારાસભ્યો, સચિવો અહીં આવ્યા છે.ધન્ય ધરા સૌરાષ્ટ્ર જોવા માટે પ્રેમ મંદિર, પીડીએમ, આજીડેમ ચોકડી, મઢી, ગાંધીગ્રામ, મોરબી રોડથી વિનામૂલ્યે સિટી બસની વ્યવસ્થા લોકો માટે તંત્રએ કરી છે.


કાલે ઢેબર ચોકમાં કોંગીની સત્ય ઉજાગર સભા યોજાશે

સોહરાબુદ્દીન પ્રકરણથી ગુજરાતના રાજકારણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારનો જંગ શરૂ થયો છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં સત્ય ઉજાગર શીર્ષક હેઠળ સભા સહિતના કાર્યક્રમો શરૂ કર્યા છે. તે સંદર્ભે તા. ૧પમી ઓગસ્ટે બપોરે ૨ વાગ્યે ઢેબર ચોકમાં જંગી જાહેરસભા યોજાવાની છે. જેમાં કોંગ્રેસના તેજતોખાર નેતા શંકરસિંહ વાઘેલા, વિધાનસભાના વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, નરહરી અમીન સહિતના નેતાઓ સભા ગજાવશે.કોંગ્રેસે મોદી સરકાર સામે એવા ચાબખા માર્યા છે કે, ગુજરાતમાં જ્યારથી મોદી સરકારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે કાયદો કાનૂન ખાડે ગયા છે. ખૂદ રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ ખંડણીખોરી અને નકલી એન્કાઉન્ટર જેવા ષડયંત્રના મુખ્ય સૂત્રધારના આરોપમાં જેલવાસ ભોગવતા હોય તેનાથી મોટી કમનસીબી બીજી શું હોઇ શકે? આ જ તો છે મોદી સરકારનો અસલી ચહેરો.વધુમાં જણાવ્યા મુજબ મોદીએ હર હંમેશ પોતાની પ્રસિધ્ધિ પાછળ પ્રજાના પૈસાનો બેફામ દુરૂપયોગ કર્યો છે. સરકારી તિજોરી ઉપર ભારણ નખાતું આવ્યું છે.જુદા જુદા મેળાના નામે ખર્ચ દેખાડી જબરો વહીવટ થઇ રહ્યો છે. તેની સામે માત્રને માત્ર રાજ્યના વિકાસની ભ્રામક વાતો થઇ રહી છે. ગુજરાતમાં જે કંઇ પણ મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે તે મોટાભાગના કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી જ થાય છે અને આવા કામોને મોદી ભાજપના નામે ચડાવી દઇ પ્રજાને મૂર્ખ બનાવે છે.મોદી સરકારના રાજમાં કેવા કેવા ખેલ ખેલાય છે તેને રાજ્યભરમાં ખુલ્લા પાડવા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. રાજ્યના વિવિધ મહાનગરોમાં સભા સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં તા. ૧પમીએ બપોરે ૨ વાગે ઢેબર ચોકમાં જંગી જાહેર સભા યોજાવાની છે.સભામાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, પૂર્વ કેન્દ્રિય મંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન, સાંસદ કુંવરજી બાવિળયા, વિટ્ઠલ રાદડિયા સભા ગજાવશે. સભામાં જશવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મનપાના વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર અશોક ડાંગર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ રાણપરિયા, મહેશ રાજપૂત, જીતુભાઇ ભટ્ટ, કાશ્મીરાબેન નથવાણી, પિયુષ મહેતા, અશોકસિંહ વાઘેલા, શાંતાબેન ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.


ધ્વજવંદન બાદ અને આજે સાંજે દર્શનીય સાંસ્કૃતિક કાર્યક્રમો

સ્વતંત્રતા પર્વ નિમિત્તે લોકાર્પણો અને ભૂમિપૂજનોના સરકારી કાર્યક્રમો ઉપરાંત લોકોને ગમે તેવા કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. દસ દિવસથી જુદા જુદા ઝોનમાં યોજાયેલા કાર્યક્રમ બાદ હવે બે દિવસ મુખ્યમંત્રી અને રાજ્યપાલની હાજરીમાં કાર્યક્રમ થશે.શનિવારે સવારે ૮-૪૦એ વિરાણી હાઇસ્કૂલથી વાંચે ગુજરાતની જ્ઞાન પ્રબોધિની રેલી નીકળશે તે પૂર્વે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો ૫૦૦૦ પુસ્તકો તરતાં મુકશે. આ યાત્રામાં ગુજરાતના સાહિત્ય વારસાની ઝાંખી આપતા ૩૦ ફ્લોટ્સ શહેરના માર્ગો પર ફરશે. સાંજે ૭-૩૦ કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ‘ધન્ય ધરા સૌરાષ્ટ્ર’કાર્યક્રમ યોજાશે જેમાં ગરબા, હુડો,તલવાર રાસ જેવા લોકનૃત્યો ઉપરાંત સૌરાષ્ટ્રની લોકકથાઓનું મંચન, ઐતિહાસિક પ્રસંગોની રજુઆત થશે.
આ તમામ કાર્યકમોનું જીવંત -પ્રસારણ સ્થળ પર ૨૧ એલઇડી સ્ક્રીન દ્વારા થશે.રવિવારે સવારે ધ્વજવંદન સમયે હેલિકોપ્ટર પુષ્પવૃષ્ટ કરશે, ત્યાર બાદ પરેડની સલામી મુખ્યમંત્રી ઝીલશે અને એ સમયે શાળાનાં બાળકો દ્વારા સામુહિક યોગાસનો રજુ થશે. આજે પણ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.રિહર્સલનો ધમધમાટ - સ્વાતંત્રય પર્વ નિમિત્તે થનારા ધ્વજવંદનનું રિહર્સલ ત્રણ દિવસથી થાય છે આવતીકાલે પણ થશે ઉપરાંત આજે એરફોર્સના ત્રણ હેલિકોપ્ટરોએ રાજકોટને ચક્કર લગાવ્યાં ત્યારે લોકોમાં કૂતુહલ જાગ્યું હતું.બે દિવસથી રેસકોર્સ-એરપોર્ટ વચ્ચે અને જ્યાં જ્યાં મોદી જવાના છે ત્યાં તેમના કોન્વેયનું રિહર્સલ પણ થયું હતું.


આજે રાજ્યપાલ સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલ ડૉ.શ્રીમતી કમલા બેનિવાલ આજે સાંજે ૫-૪૫ વાગ્યે દિલ વિધાઉટ બીલ નામે જાણીતી શ્રી સત્ય સાઈ હોસ્પિટલની મુલાકાત લેશે.તાજેતરમાં સત્ય સાઈ હોસ્પિટલે તેના સેવાયજ્ઞનો એક દાયકો પૂર્ણ કર્યો છે. આ તબક્કે શ્રી સત્ય સાઈ હોસ્પિટલ તેના સેવાયજ્ઞને વધુ વ્યાપક બનાવવા જઈ રહી છે.ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૪,૫૦૦ દર્દીઓનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાંઆવ્યું છે તથા એક લાખ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા છે. આ તબક્કે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના આ સેવાયજ્ઞને આશીર્વાદ પાઠવવા આજે સાંજે ૫-૩૦ કલાકે ગુજરાતના રાજ્યપાલ ઉપસ્થિત રહેશે.



રાજકોટમાં મોદીનાં પોસ્ટરો પર કીલ લગાડી તોડફોડ કરાઇ

રાજકોટમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્રય ખર્ચની ઉજવણી નિમિત્તે શહેરમાં ઠેર ઠેર લગાડવામાં આવેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટરોમાં તોડફોડ કરવાનું હીન કૃત્ય અજાણ્યા તત્વોએ આચરતાં શહેરીજનોમાં નારાજગીની લાગણી ફેલાઇ છે.
સ્વાતંત્રય ખર્ચ ઉપર રોડ ડીવાઇડરો ઉપર તથા અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં મોદીની તસવીરોવાળા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવતાં ભારે વિવાદ થયો હતો. લોકરોષને ઠંડો પાડવા તંત્ર દ્વારા બાદમાં શહીદોના કેટલાક હોર્ડિંગ્સ લાગવવામાં આવ્યા હતા અને સાથે જ મોદીના કેટલાક પોસ્ટરો ઉતારી લેવામાં આવ્યા હતા.દરમિયાનમાં ગત રાત્રે વિરાણી હાઇસ્કૂલ પાસે કોઇ અજાણ્યા શખ્સોએ એક હોર્ડિંગ્સમાં મોદીના ચહેરા ઉપર કીલ કે કાદવ જેવો કાળો પદાર્થ લગાડી દીધો હતો. એટલું જ નહીં, જેનું મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે એ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવાસ યોજના નજીક લગાવાયેલ વિશાળકાય હોર્ડિંગ્સને તોફાની તત્વોએ ફાડી નાંખી ચીંથરેહાલ કરી દીધું હતું.આટલું ઓછુ હોય તેમ શહેર મધ્યે કિસાનપરા ચોકમાં જ મોદીની તસ્વીરવાળા એક વિશાળકાય હોર્ડિંગ્સને આગ ચાંપી દેતાં અડધુ હોર્ડિંગ્સ સળગી ગયું હતું. આ પ્રકારની ઘટનાઓના સમાચાર મળતાં તંત્ર દોડધામમાં મુકાઇ ગયું હતું અને નુકસાનગ્રસ્ત તમામ પોસ્ટરોને ઉતારી લેવાયા હતા.આ બનાવથી સમજુ અને પ્રબુધ્ધ નાગરિકોમાં નારાજગીની લાગણી ફેલાઇ હતી. મોદીની તસ્વીરોવાળા હોર્ડિંગ્સ લગાવવામાં તંત્રે કાયદાનો ભંગ કર્યો છે એ સાચું પણ તેનો વિરોધ અહિંસક રીતે અને લોકશાહી પધ્ધતિથી કરવો જોઇએ.


રાજકોટ : સતત ધાર્મિકવૃત્તિથી માનસિક સંતુલન ગુમાવતા આપઘાત કર્યો’તો

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ગુલમહોર એપાર્ટમેન્ટના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેનાર અજાણ્યો યુવાન મવડી પ્લોટના ઉદયનગરનો રાજુ રતિભાઇ સિતાપરા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.ગુરુવારે બપોરે ગુલમહોર એપાર્ટમેન્ટના સાતમા માળેથી અજાણ્યા યુવાને નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મૃતકની ઓળખ નહીં મળતા પોલીસ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. દરમિયાન આજે સવારે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી આવેલા ઉદયનગરના મગનભાઇ સિતાપરાએ આ મૃતક યુવાન તેમનો ભત્રીજો રાજુ હોવાનું જણાવ્યું હતું.રતિભાઇના બે પુત્રો પૈકી નાનો રાજુ મિસ્ત્રી કામ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી રાજુ સતત ધાર્મિકની વાતો કર્યા કરતો હોય જેને કારણે તે માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. આ કારણથી તેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી.ઘરેથી બપોરે કીધા વગર નીકળી ગયા બાદ રાત સુધી પરત નહીં ફરતા પોલીસમાં જાણ પણ કરી હતી. પરંતુ સવારે અખબારમાં રાજુનો ફોટો નજરે પડતા ખબર પડી હતી. રાજુના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેની પત્ની હાલ માવતરે આણુ વાળવા ગઇ છે.


રાજકોટનો સૌરભ રમવાની ઉંમરે સરસ રમકડાં બનાવે છે

રમકડું-ટોય અને બાળક વચ્ચે તો કેવો અતૂટ સંબંધ હોય!અરે રાત્રે ઊંઘતી વખતે પણ બાર્બીડોલ કે ડીઅર ડીઅર ટેડીબીઅર સાથે જ હોય.પરંતુ રમકડાંથી રમવાની ઉંમરે કોઇ બાળક રમકડાં બનાવતો હોય તો એ તો કેટલું વિશેષ કહેવાય? રાજકોટમાં રહેતો સૌરભ ચૌહાણ એક એવો બાળક છે જેની ઉંમર તો હજી રમવાની છે પરંતુ કુદરતે તેને સર્જનાત્મકતા ભેટમાં આપી છે તેથી તે કલે એટલે કે અલગ પ્રકારની માટીના રમકડાં બનાવે છે.અને ગેરસમજ ન કરતા એ માત્ર તેનો શોખ છે જરૂરત નથી.
સૌરભ ચૌહાણ સેન્ટ્રલ સ્કૂલમાં ભણે છે.તેના પિતા રાજકુમાર કોલેજમાં ફરજ બજાવે છે અને માતા સખીમંડળમાં છે.પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા સૌરભને માટીના રમકડાં બનાવવાનો શોખ છે અને પિતા હર્ષદભાઇ તથા મમ્મી શારદાબેન તેનો આ શોખ પોષે છે. સૌરભ માટીમાંથી કાચબા, ગાય,હરણ,સિંહજેવા નાના નાના રમકડાં બનાવે છે,ક્યારેક હેલિકોપ્ટર ક્યારેક વહાણ પણ બને.એક નાનું રમકડું બનાવતાં તેને દસ મિનિટ તો માંડ થાય!ખાસ તો એ છે કે સૌરભ જે કાંઇ પણ બનાવે તે આબેહુબ બનાવે છે,રંગ,આકાર એવાં હોય કે જોનારા થોડી વાર તો છેતરાઇ જાય! જવાહરલાલ નેહરુ તેના પ્રિય નેતા છે.તે માણસની પ્રતિકૃતિ પણ બનાવી શકે છે.તે ત્રીજા ધોરણમાં હતો ત્યારથી આ ઋચિ કેળવાઇ અને અત્યારે તો તેમાં માસ્ટરી છે.મોતીના દાણા જેવા અક્ષરથી લખી શકતો સૌરભ કહે છે,મમ્મી-પપ્પા મારા આદર્શ છે,મદદ ઇચ્છતા વ્યક્તિઓને મદદ કરવી તેવું વાલીઓએ શિખવ્યું છે.મોટા થઇને મારે એવી સ્કૂલ ખોલવી છે કે જેમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કરી શકું.રમકડાં ઉપરાંત તે ઇલેક્ટ્રિક વાયરોથી રમકડાં બનાવવાનો પણ પ્રયોગ કરે છે.

No comments:

Post a Comment