14 August 2010

છાત્ર શક્તિને આતંક સામે લડવા નરેન્દ્ર મોદીનું આહવાન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


છાત્ર શક્તિને આતંક સામે લડવા નરેન્દ્ર મોદીનું આહવાન


રાજકોટમાં થતી ૧પમી ઓગસ્ટની વાઇબ્રન્ટ ઉજવણીના કાર્યક્રમોમાં મહાપાલિકા દ્વારા તૈયાર થયેલી આવાસ યોજનાનું મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે મોદીએ કહ્યું હતુ કે, ગરીબી અને સાક્ષરતાને આપણે રાજ્યવટો આપવો છે અને ગુજરાત સરકાર આ જ અભિગમથી વિકાસનો રાહ પકડી આગળ વધી રહી છે ત્યાંરે આજે આ આવાસ યોજનાની લોકાર્પણ વિધિ કર્યા બાદ સભામાં મોદીએ આવાસના લાભાર્થીઓ જોગ એવી અપિલ કરી હતી કે, આજે આવાસના બદલમાં હું માત્ર એટલી જ અપેક્ષા રાખી રહ્યો છું કે, તમે તમારા બાળકોને ભણાવવામાં કોઇ કચાશ ન રાખતા.મુખ્યમંત્રીએ સભાના પ્રારંભથી જ રાજ્યના વિકાસની ગાથા વર્ણવી હતી અને કહ્યું હતુ કે, ગુજરાતની ભાજપ સરકારનો માત્ર એક જ મંત્ર છે અને એ છે વિકાસ વિકાસ અને વિકાસ. અને આ વિકાસ સાથે જોડાયેલુ મહત્વનું પાસુ છે આવાસ. મારા રાજ્યમાં હર એક ગરીબને ઘરનું ઘર આપવાનું ભાજપનું સ્વપ્ન છે. રહેવા માટે છત્રછાયાં મળી જાય એટલે વિકાસ આપોઆપ આગળ વધે છે. મકાન મળ્યા પછી તેમા ફ્રીજ, ટીવી, પડધા, સોફા જેવી સુવિધા માટે આવાસમાં રહેનાર પરિવારને ઇચ્છા જાગૃત થાય છે. આ ઇચ્છા પૂરી કરવા માટે તેને વધુ કમાવવાની ઇચ્છા થાય છે અને આમ એક ઘર પૂરતો થતો વિકાસ ધીમે ધીમે રાજ્યનો અને સાથે દેશનો વિકાસ આગળ વધતો જાય છે. લોકાર્પણ સભામાં મુખ્યમંત્રીએ આવાસના ગરીબ લાભાર્થીઓ જોગ એક એવી જાહેર અપિલ કરી હતી કે, ગાંધીનગરથી અહીં રાજકોટ આવેલો આ મુખ્યમંત્રી આવાસના બદલમાં માત્ર એટલુ જ માગે છે કે, તમે તમારા બાળકોને ભણાવવામા કોઇ કચાશ ન રાખતા અને મને વિશ્વાસ છે કે, આ વચન તમે મને જરૂર આપશો.વધુમાં મુખ્યપ્રધાન મોદીએ કહ્યું હતુ કે, દરેક મુસીબતોની માત્ર એક જ દવા છે અને એ છે વિકાસ. વિકાસની એક તંદુરસ્ત હરીફાઇ હોવી જોઇએ. પણ કમનસીબે દેશ પાસે એવુ નેતૃત્વ નથી કે તંદુરસ્ત હરીફાઇ થઇ શકે. હું તો ભારત સરકારને પણ ખૂલ્લૂ આમંત્રણ આપુ છું કે, આવો, અમારી સાથે તંદુરસ્ત હરીફાઇ કરવા. સરખુ બજેટ ફાળવી અને પછી જુઓ કોનો વિકાસ આગળ વધી જાય છે. મારે કહેવાની જરૂર નથી કે, ગુજરાતનો જ વિકાસ ડંકો વગાડે. અલ્ટીમેટમ મારા ગુજરાતના વિકાસ સાથે મારા દેશનો જ વિકાસ થવાનો છે ને. સભાના અંતમાં મુખ્યમંત્રીએ રાજ્ય અને દેશના વિકાસના સૌ ખંભેખંભા મિલાવીને આગળ વધે એવી લાગણી સાથે સૌને સ્વાતંત્રય પર્વની શુભેચ્છા પાછવી હતી.


નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરારાજે સિંધિયાએ એવો મત વ્યક્ત કર્યો છેકે, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ માટે સીબીઆઇનો દુરૂપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.સિંધિયાએ એવો મત વ્યક્ત કર્યો હતોકે, સોહરાબુદ્દીન કેસમાં નરેન્દ્ર મોદીને ફસાવવામાં આવી રહ્યાં છે. વાસ્તવમાં યુપીએ સરકાર આતંકવાદ પ્રત્યે નરમાઈ દાખવી રહી છે. તેમના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકાર સોહરાબુદ્દીન જેવા આતંકવાદીઓને બચાવી રહી છે અને સીબીઆઇ તેને હીરો બનાવી રહી છે.રાજેએ એવો મત વ્યક્ત કર્યો હતોકે, સીબીઆઈના પગલાના કારણે નકારાત્મક સંદેશો વહેતો થયો છે. કારણકે, સીબીઆઈએ આતંકવાદી અને અપરાધીને નાયકરૂપે રજૂ કર્યા છે. જે ખોટું છે.


વિઝાના ઝટકા બાદ, ઓબામાના મસ્કા

વિઝા ફીનો વધારો કરીને ભારતીયો માટે મુશ્કેલી પેદા કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હવે ભારતીયોના જખ્મ પર મલમ લગાવ્યાં આવ્યાં છે. સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવવા માટે મોકલેલા પોતાના સંદેશમાં ઓબામાએ જણાવ્યું છે કે તે ભારતની સાથે વધારે સારા સબંધો વિકસાવવા માંગે છે.ઉલ્લેખનીય છે કે ઓબામા પ્રશાસને શુક્રવારે એક બીલને લીલી ઝંડી આપી હતી, જે અનુસાર ભારતીય લોકોએ અમેરિકા જવું આઠ ગણું મોંઘુ બનશે. આ ઉપરાંત અમેરિકાએ કાલે જ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે તેમનું ભારતમાં ફરવું જોખમકારક સાબિત થઇ શકે છે, કારણે ભારતમાં આતંકવાદી હુમલાનો ભય વર્તાઇ રહ્યો છે.ઓબામાના નિવેદનને તેમના આગામી ભારતના પ્રવાસ માટે ખુબ જ અગત્યનું માનવામાં આવે છે. સંદેશમાં ઓબામાએ નવેમ્બરમાં યોજાનારા પોતાના ભારત પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા 21મી સદીમાં ભારત સાથે મજબૂત ભાગીદારી ઇચ્છે છે.


હવે સરકાર નક્કી કરશે કલમાડીનું ભાવિ

કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને ચાલી રહેલા ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપોનો સામનો કરી રહેલા આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીના ભવિષ્યનો નિર્ણય હવે સરકાર કરશે. અહેવાલ છે કે રમતગમત મંત્રી એમએસ.ગીલ સાથે ચર્ચા કર્યા બાદ સરકાર નિર્ણય કરશે.વડાપ્રધાનના આવાસ ખાતે શુક્રવારના રોજ યોજાયેલી કોંગ્રેસ કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે કલમાડીના ભવિષ્યના સંબંધમાં નિર્ણય સરકાર પર છોડી દેવામાં આવે. કોર કમિટીની બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના સંબંધમાં ચર્ચા થઈ હતી.આ દરમિયાન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાઈકમાન્ડ તે નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે મીડિયા અહેવાલોને આધાર બનાવીને અધિકારીઓને બદલવાની જગ્યાએ સૌનું ધ્યાન રમતના સફળ આયોજન પર હોવું જોઈએ.કોમનવેલ્થ ગેમ્સ તૈયારીઓ પર રહેશે કેબિનેટ સચિવની નજર.કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં એક પછી એક ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા બાદ સરકારે એક કડક નિર્ણય લેવાની તૈયારીઓ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે સુરેશ કલમાડીને સાણસામાં લેતા ગેમ્સની તૈયારીઓની દેખરેખની જવાબદારી કેબિનેટ સચિન કે.એમ.ચંદ્રશેખરને સોંપી છે.


ગુજરાતમાં Kurl-onનું સૌપ્રથમ વખત રોકાણ

ગુજરાતમાં ઝઘડિયા ખાતે મેટ્રેસનું ઉત્પાદન કરતી કંપની Kurl-on લિમિટેડ પ્લાન્ટ નાંખવા જઇ રહી છે. આ કંપની સૌપ્રથમ વખત ગુજરાત ખાતે રોકાણ કરવા જઇ રહી છે. કંપની ઝઘડિયા ખાતે 80 કરોડના ખર્ચે મેટ્રેસનો પ્લાન્ટ સ્થાપીને રોજના 4000 મેટ્રેસ (ગાદલા-ગોદડાવાળી પથારી)નું ઉત્પાદન કરશે.હાલમાં કુર્લ-ઓન રોજના અંદાજે 10,000 મેટ્રેસનું ઉત્પાદન સાત પ્લાન્ટમાંથી કરી રહી છે. જેમાંથી બે પ્લાન્ટ બેંગ્લોર, બે તુમકુર, ભુવનેશ્વર, ગ્લવાલિયર અને ઉત્તરાંચલમાં આવેલ છે.કુર્લ ઓન લિમિટેડના ચેરમેન સુધાકર પાઇને કંપનીના વિસ્તરણ પ્લાન અંગે પૂછતા તેમણે જણાવ્યું કે અમે ગુજરાતમાં વિસ્તરણ યોજના અંતર્ગત 25 એકર જમીન ઝઘડિયા ખાતે ખરીદી છે. ત્યારે અમે 80 કરોડના ખર્ચે મેટ્રેસ પ્લાન્ટ સ્થાપીશું, અમે આ પ્રોજેક્ટ માટેનું કેટલુંક ફંડ પ્રાઇવેટ ઇક્વિટ દ્વારા મેળવીશું.દેશમાં કુર્લ ઓનના અંદાજે 5000થી વધુ ડિલરોનું નેટવર્ક છે અને વાર્ષિક ટર્નઓવર રૂ.417 કરોડનું છે. દેશમાં કંપનીની 45 ઓફિસ અને 50થી વધુ ગોડાઉનો છે. કંપની આઇપીઓ લાવવાનું પણ વિચારી રહી છે. પણ કંપની ક્યારે આઇપીઓ લઇને આવશે તે હજુ નક્કી કરાયું નથી તેમ પાઇએ વધુમાં કહ્યું હતું.



ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ સચિનની પસંદની ટીકા કરી

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ એસોસિયેશને વન ડેના નવા ફોર્મેટને ઘરેલૂ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લાગુ કરવાની વાતની આકરા શબ્દોમાં ટીકા કરી છે.આ નવા ફોર્મેટમાં એક ટીમ 50 ઓવરના બદલે 45 ઓવર રમશે અને તે પણ બે ભાગમાં. ટીમ 20 અને 25 ઓવરના એમ બે ભાગમાં રમશે. ઓસ્ટ્રેલિયા તેની ડોમેસ્ટિક સિઝનની 31 મેચમાં આ નવા ફોર્મેટનો અમલ કરવા જઈ રહ્યું છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ પ્રશંસકોની માંગ જોતા આ નવા ફોર્મેટને મંજૂરી આપી દીધી છે પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશને (એસીએ) કહ્યું છે કે આનાથી ખેલાડીઓ નિરાશ થયા છે.એસીએના ચિફ એક્ઝિક્યુટિવ પોલ માર્શે કહ્યું હતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓની સાથે ચર્ચા કર્યા પહેલા જ આ વર્ષે ડોમેસ્ટિક વન ડેમાં નવા ફોર્મેટને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ફોર્મેટને સમજવું સરળ નથી અને ખેલાડીઓ તેનાથી ઘણા જ નિરાશ થયા છે.ઉલ્લેખનીય છે કે ટી20 ક્રિકેટની લોકપ્રિયતાના કારણે વન ડેમાં લોકોનો રસ થોડો ઓછો થઈ ગયો હોવાની વાતો ચર્ચાઈ રહી છે. તેના કારણો વન ડેમાં પણ લોકોનો રસ જળવાઈ રહે તે માટે આ નવા ફોર્મેટને લાગુ કરવાની વિચારણા ચાલતી હતી. એટલું જ નહીં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ આ ફોર્મેટને સમર્થન આપ્યું હતું.


ચીનમાં યુવતીએ સતત ત્રણ દિવસ સુધી હાથથી જમીન ખોદી

ચીનમાં માત્ર અઢાર વર્ષની યુવતીએ સતત ત્રણ દિવસ સુધી પોતના હાથ વડે ખોદીને પોતાના કુટુંબીજનોને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. યુવતીના કુટુંબીજનો પૂરના કાદવમાં ફસાઇ ગયા હતા. રાહત કર્મચારીઓએ જણાવ્યું હતું કે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હોવા છતાં છેક સુધી પોતાના પરિવારને બચાવવાના પ્રયાસો ચાલુ રાખ્યાં હતા.ત્રણ દિવસ બાદ તેની કાકી તેને દવાખાને લઇ ગઇ હતી. હોસ્પિટલમાં યુવતીએ જણાવ્યું હતું કે તેના પરિવારજનોને જોવા માંગતી હતી પણ તેના પગમાં સખત દુખાવો થતો હતો.ચીનમાં આવેલા પૂરમાં યુવતીના માતા-પિતા અને ભાઇ માર્યા ગયા હતા, જ્યારે હોસ્પિટલમાં યુવતીના ડાબા પગ પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે કાદવ મારી પર આવ્યો તે પહેલા મારા પિતાએ મને જોરથી ધક્કો મારીને દૂર મોકલી દીધી હતી, જેના કારણે મારો જીવ બચી ગયો હતો.


લગ્નકંકોત્રી પર ‘શુભ વિવાહ’ને બદલે‘જયિંહદ’ લખાતું

પત્રિકા પર ભારતમાતા અને નેતાજીના ફોટા શોભતા હતા. આવતીકાલે દેશભરમાં જે સ્વાતંત્રય દિનની ઉજવણ થશે પરંતુ છ દાયકા પહેલા ભારતના લોકો દેશ આઝાદ કેમ થાય તે માટે કંઇ પણ કરી છુટવા તૈયાર હતા. દરેક સ્થળે અને પ્રંસગે માત્ર અને માત્ર દેશભકિત અને આઝાદીનીજ વાતો થતી હતી.એટલે સુધી કે લગ્નની કંકોત્રી પર પણ માભોમ(ભારતમાતા)નો ફોટો થાત નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોટા શોભતા હતા. જ્યારે પત્રિકા પર ‘શુભ વિવાહ’ ને બદલે ‘જય હિંન્દ’ લખેલું જોવા મળતું હતું.
૧૯૪૭માં પહેલી મે નારોજ યોજાનાર મુળ વિસનગરના પરંતુ મુંબઇમાં વસતા ભોજક પરિવારના બે પુત્રો ચંપકલાલ તથા વિમળકાંતના લગ્નની કંકોત્રી પર ભોજક પરિવાર દ્વારા અખંડ ભારતના ફોટા સાથે સુભાષચંદ્ર બોઝનો ફોટો છપાવ્યો હતો. જ્યારે શુભ વિવાહ’ને બદલે જય હિન્દ લખાવ્યું હતું.આ અંગે માહિતી આપતાં હાલ અમદાવાદ,બોપલ સ્થીત સ્ટર્લીગ સટીમાં રહેતા ભોજક પરિવાર રાજેશભાઇએ જણાવ્યું હતું કે તેમના પિતાજી કહેતા હતા કે તે વખતે કોઇપણ સમારંભમાં લોકો એકત્રિત થાય ત્યારે માત્ર દેશભિકતનીજ વાત થતી હતી.


કેટરિના-સલમાન દુરીયા મીટ રહી હૈ

સલમાન કેટરિનાનાં ચાહકો માટે હવે સારા સમાચાર છે. બોલિવૂડનાં આ જોડી છેલ્લા ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. પણ થોડા સમયથી એકબીજાથી દુર થઈ ગઈ હતી. પણ હવે તેમનાં વચ્ચે સુલેહ થઈ ગઈ છે.જોકે હાલમાં તો સલમાન તેની દિલરૂબાથી દુર છે. કરાણકે કેટરિના તેની આગામી ફિલ્મ 'ઝિંદગી મિલેગીનાં દોબારા'ની શૂટિંગ માટે સ્પેનમાં વ્યસ્ત છે. હાલમાં તો કોઈજ નથી જાણતું કે બન્ને કયા કારણે અલગ થયા હતાં પણ એ વાત સારી છે કે હવે તેઓ પાછા એક થઈ ગયા છે.હાલમાં તો ત્રણ-ચાર મહિનાનાં અબોલા બાદ બન્ને વાત કરતાં થઈ ગયા છે. કહેવાય છે કે સલમાને પહેલ કરી હતી અને કેટરિનાનાં જન્મદિવસે તેને વિશ કર્યુ હતું અને તે દિવસથી જ બન્ને ફોન દ્વારા એકબીજાનાં કોન્ટેક્ટમાં છે.બોલિવૂડમાં એવી વાત પણ વહેતી થઈ હતી કે કેટરિનાને સલમાન અન્ય અભિનેત્રીઓ સાથે વધુ પડતો ક્લોઝ થાય તે તેને પસંદ ન હતું અને કદાચ આ જ કારણ તેમનાં સંબંધોમાં તીરાડ પડી હતી.ચાલો અત્યારે ભલે બન્ને વચ્ચે ફ્ક્ત દોસ્તી થઈ ગઈ છે પણ આશા રાખીએ કે કેટરિનાનાં મુંબઈ પાછા ફર્યા બાદ બન્નેએક થઈ જાય


નેનો બુકિંગ વગર મળશે

ટાટા મોટર્સ દ્વારા રજૂ કરાયેલ દુનિયાની સૌથી સસ્તી કાર નેનો લોકોના દિલોદિમાગમાં છવાયેલ છે. નેનો ખરીદવા માટે હજુ પણ કેટલાંય લોકો આતુર જણાય છે. ત્યારે ટાટા મોટર્સે જણાવ્યું છે કે હવે થોડાંક સમય બાદ નેનો કારની ખરીદી માટે બુકિંગ કરાવવું પડશે નહિં, હાથો હાથ તરત જ મળી જશે. ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે નેનો કાર ખરીદવા માટે અગાઉ બુકિંગ કરાવું પડે છે.
તાજેતરમાં જ નેનો કારનો પ્લાન્ટ ગુજરાત ખાતે કાર્યરત થઇ ગયો છે. નેનો કારના પ્લાન્ટને લઇને થયેલ વિવાદ અને તેના લીધે પ્રોડક્શનમાં વિલંબ થતાં કંપની હાલ અગાઉના બુકિંગ ઓર્ડરો પૂરા કરી રહી છે. પરંતુ ટૂંક સમયમાં જ કંપની બુકિંગ કારો પૂરી પાડી દેશે. ત્યારબાદ બુકિંગ વગર જ સીધે સીધી નેનો મળતી થઇ જશે તેમ ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યું હતું. નેનો બુકિંગ કરાયા વગર ક્યા દિવસથી હાથો હાથ મળતી થશે તે અંગંની હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી.ટાટા મોટર્સે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં રેકર્ડ બ્રેક સૌથી ઊંચો નફો નોંધાવ્યો છે. તેમજ ગઇકાલે એટલે કે શુક્રવારે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ટાટા મોટર્સને ક્રેડિટ રેટિંગ પોઝિટિવ આપ્યું છે.કંપનીએ ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ અને જૂલાઇ મહિનામાં 23,779 નેનોનું વેચાણ કર્યું છે. હાલમાં કંપનીએ 1.5 લાખ નેનો બુક થયા બાદ હાલ બુકિંગ બંધ કરી દીધું છે.


હરાબુદ્દીન અને કૌશરના નિકાહ કરાવ્યા હતા

સોહરાબુદ્દીન અને કૌશરે લગ્ન કર્યા હતાં કે કેમ? અથવા તેઓ લગ્ન વગર જ સાથે રહેતા હતા તેવા ઘણા સવાલોનો જવાબ સીબીઆઇને ઉદયપુરની કહલે સાત મસ્જીદના ઇમામએ આપેલા નિવેદનથી મળી જાય છે. ઇમામ મન્નાને સીબીઆઇને જણાવ્યું હતું કે તેણેજ સોરહાબુદ્દીન તથા કૌશરના નિકાહ ૨૦૦૪માં કરાવ્યા હતા.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે ઘણાં બધાનાં નિવેદનો લીધાં છે. જેમાં કૌસરબી તથા સોહરાબુદ્દીનનાં નિકાહ કરાવનાર કાજી અબ્દુલ મન્નાનની પણ પૂછપરછ કરી હતી.સીબીઆઇ સમક્ષ અબ્દુલ મન્નાને પોતાન નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઉદયપુરની કહલે સાત મિસ્જદમાં ઇમામ તરીકે ફરજ બજાવે છે તથા ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. ઉપરાંત એ ધાર્મિક વિધિ મુજબ શાદી પણ કરાવે છે.તેણે જણાવ્યું હતું કે, તેના મહોલ્લામાં રહેતા આસીફ નામના યુવકના બોલાવવાથી તેના ઘરે ગયો હતો અને ત્યાં આસફિના મિત્ર સોહરાબુદ્દીન તથા કૌસરબીનાં નિકાહ કરાવ્યાં હતાં. અને તેમના નિકાહની રજીસ્ટરમાં નોંધણી પણ કરી હતી. અને ત્યારબાદ ક્યારેય સોહરાબુદ્દીન કૌસરબીને જોયાં જ નથી.


કર્મચારીઓનું લોહી ચૂસે છે ઇન્ફોસીસ: અમેરિકા

આઉટસોર્સિંગ કરતી કંપનીઓની ટીકા કરતાં અમેરિકન સેનેટર ચાર્લ્સ સ્કુમેરે ભારતની આઇટી કંપની ઇન્ફોસીસને પહેલાં 'ચોપ શોપ' કહી હતી, હવે તે કહે છે કે ઇન્ફોસીસ 'ચોપ શોપ' નહિં પણ 'બોડી શોપ' છે. ચોપ શોપ એટલે જ્યાં ચોકાયેલ કારને ભાંગી તોડીને તેના વિવિધ પાર્ટ્સને અલગ કરીને વેચવામાં આવે છે, જ્યારે બોડી શોપ એટલે કામદારોનું શોષણ કરવું તેવો અર્થ થાય છે.ડેમોક્રેટિક પક્ષના ન્યૂયોર્કના સેનેટર ચાર્લ્સ સ્કુમેરે ગઇકાલે સેનેટર ફ્લોર પરથી આ નિવેદન વીઝા ફીમાં વધારો કરવામાં આવ્યો હતો, તેને સંલગ્ન કર્યું હતું. તેમણે કહ્યું કે હું મારા અગાઉના નિવેદનમાં ફેરફાર કરીને કહેવા માંગું છું કે ઇન્ફોસીસ કબાડીની દુકાન નહિં પણ કામદારોનું શોષણ કરતી કંપની છે.ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તાજેતરમાં જ એલ વન અને એચ વનબી વીઝા ફીમાં વધારો જાહેર કર્યો છે, તેની સીધી અસર સૌથી વધુ ભારતીય આઇટી કંપનીઓને પડી રહી છે. આથી આઇટી કંપનીઓએ તેનો વિરોધ નોંધાવ્યો હતો.


ત્યારે લગ્નકંકોત્રી પર ‘શુભ વિવાહ’ને બદલે‘જયિંહદ’ લખાતું

પત્રિકા પર ભારતમાતા અને નેતાજીના ફોટા શોભતા હતા. આવતીકાલે દેશભરમાં જે સ્વાતંત્રય દિનની ઉજવણ થશે પરંતુ છ દાયકા પહેલા ભારતના લોકો દેશ આઝાદ કેમ થાય તે માટે કંઇ પણ કરી છુટવા તૈયાર હતા. દરેક સ્થળે અને પ્રંસગે માત્ર અને માત્ર દેશભકિત અને આઝાદીનીજ વાતો થતી હતી.એટલે સુધી કે લગ્નની કંકોત્રી પર પણ માભોમ(ભારતમાતા)નો ફોટો થાત નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોટા શોભતા હતા. જ્યારે પત્રિકા પર ‘શુભ વિવાહ’ ને બદલે ‘જય હિંન્દ’ લખેલું જોવા મળતું હતું.૧૯૪૭માં પહેલી મે નારોજ યોજાનાર મુળ વિસનગરના પરંતુ મુંબઇમાં વસતા ભોજક પરિવારના બે પુત્રો ચંપકલાલ તથા વિમળકાંતના લગ્નની કંકોત્રી પર ભોજક પરિવાર દ્વારા અખંડ ભારતના ફોટા સાથે સુભાષચંદ્ર બોઝનો ફોટો છપાવ્યો હતો. જ્યારે શુભ વિવાહ’ને બદલે જય હિન્દ લખાવ્યું હતું.આ અંગે માહિતી આપતાં હાલ અમદાવાદ,બોપલ સ્થીત સ્ટર્લીગ સટીમાં રહેતા ભોજક પરિવાર રાજેશભાઇએ જણાવ્યું હતું કે તેમના પિતાજી કહેતા હતા કે તે વખતે કોઇપણ સમારંભમાં લોકો એકત્રિત થાય ત્યારે માત્ર દેશભિકતનીજ વાત થતી હતી.કોઇ પણ પત્રિકા પર પણ દેશદાઝ અંકીત થતી જોવા મળતી હતી માટે લગ્ન પત્રિકા દ્વારા લગ્નના આમંત્રણની સાથે આઝાદા માટેનો પણ મેસેજ મોકલવાનો પ્રયાસ કરવા માટે કંકોત્રી પર પર દેશપ્રેમના વાક્યો કે ભારતમાતાના ફોટા જોવા મળતા હતા. માટે લગ્નની કંકોત્રી પર તેમણે અખંડભારત અને સુભાષચંદ્ર બોઝનો ફોટો છાપ્યો હતો.


પાલિતાણામાં દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સોને જ દવાની જરૂર

પાલિતાણા શહેરમાં દસ જેટલી એમ્બ્યુલન્સ છે પરંતુ આમાથી અપવાદરૂપ એક-બેને બાદ કરતા કોઇ એમ્બ્યુલન્સ ક્યારેય કોઇપણ સ્થળે સમયસર પહોંચતી જ નથી અને સંસ્થાઓ કે ટ્રસ્ટોની એમ્બ્યુલન્સ તો સંસ્થાનાં જ કામમાં રોકાયેલી રહે છે. જેથી લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તો છે પરંતુ તે ખુદ ઘણાં સમયથી બિમાર હોવાથી બંધ હાલતમાં પડી છે. અગાઉ પણ બંધ પડેલ આ એમ્બ્યુલન્સ રીપેરિંગનાં વાંકે ઘણો સમય બંધ રહેલ બાદમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રીપેરિંગ કરવામાં આવેલ ત્યારબાદ થોડા સમય પહેલા દર્દીને ભાવનગર લઇ જતી વખતે અકસ્માત થતાં હાલમાં આ એમ્બ્યુલન્સ મૃતપાય હાલતમાં છે.વર્તુળોનાં જણાવ્યા પ્રમાણે ઘણી એમ્બ્યુલન્સ તો શાકભાજી અને માલસામાનની હેર-ફેર કરતી જ જોવા મળે છે અને ટ્રસ્ટોની કે સંસ્થાઓની એમ્બ્યુલન્સ અંગત કામમાં જ રોકાયેલી હોય છે. જેથી લોકો અકસ્માતની જાણકર્યા પછી રાહમાં રહે છે પણ સમયસર એમ્બ્યુલન્સ આવતી ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.હાલે ૧૦૮ એમ્બ્યુલન્સ વધારેમાં વધારે કેસમાં પહોંચી જાય છે. પણ ક્યારેક અન્ય કેસોમાં રોકાયેલી હોય અને સમય લાગે તેમ હોય ત્યારે આવી સંસ્થાઓ ટ્રસ્ટોની એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતી હોય છે. પણ સમયસર ચાલતી ન હોય લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે.


ઇભલા શેઠને મારવાના કેસમાં કુલદીપ શર્માને કોર્ટનો સમન્સ

કચ્છના નકલી એન્કાઉન્ટર કેસમાં સપડાયેલા રાજ્યના એડશિનલ ડીજીપી ડૉ. કુલદીપ શર્મા સામે કચ્છનો એક ૨૬ વર્ષ જૂનો વધુ એક કેસ ઊભો થતાં તેમની મુસીબતમાં વધારો થયો છે. ઇભલા શેઠને મારવાના પ્રકરણમાં લાંબી કાનૂની હલચલ બાદ છેવટે સમગ્ર પ્રકરણ ભુજની ચીફ કોર્ટમાં આગામી ૨૭મી ઓગસ્ટે શરૂ થશે જેમાં કુલદીપ શર્મા સહિત અન્ય બે વ્યક્તિઓને પણ કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે.તા. ૫/૫/૧૯૮૪ના રોજ આ કેસના ફરિયાદી શંકર ગોવિંદજી જોષી તેમની સાથે કોઠારાના મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ (ઇભલા શેઠ) સાથે તત્કાલીન કચ્છના ડીએસપી કુલદીપ શર્મા સામે એક પોલીસ કેસની રજુઆત કરવા ગયા હતા. આ ડેલીગેશનમાં તે વખતના ધારાસભ્ય ખરાશંકર જોષી પણ સામે હતા. પ્રતિનિધિ મંડળમાં ઇભલા શેઠને જોતાં જ કુલદીપ શર્માનો મિજાજ છટકયો હતો અને ‘મારી ઓફિસમાં પગ કેમ મુકયો’ તેમ કહીને ઇભલા શેઠને ફટકાર્યા હતા. ત્યાર બાદ ફરિયાદી શંકર જોષી તેમજ ઇભલા શેઠે કુલદીપ શર્માના આ સરમુખત્યારશાહી અભિગમને કોર્ટમાં પડકારવાનું નક્કી કરીને ભુજની ચીફ કોર્ટમાં કેસ કર્યો હતો. જેની સામે કુલદીપ શર્માએ આ ફરિયાદની ગુજરાત હાઇકોર્ટ સુધી પડકારી હતી અને છેવટે તા. ૭/૨/૧૯૮૬ના રોજ હાઇકોર્ટે પણ એવો ચુકાદો આપ્યો હતો કે ઇભલા શેઠ અને શંકર જોષીની ફરિયાદને ગ્રાહ્ય રાખી કેસ તાત્કાલિક ચલાવો.ત્યાર બાદ પણ કુલદીપ શર્માએ આ પ્રકરણમાં કેસ ચલાવવા માટે સરકારની મંજુરી લેવી પડે તેમ જણાવીને ખોટી તકરાર ઉભી કરી હતી અને છેવટે શર્માએ ફરીથી ભુજની સેશન કોર્ટમાં આ અંગે રિવિઝન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી તા. ૧૨/૧૨/૧૯૮૪ સુધી લંબાવાઇ હતી અને બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે છેવટે કુલદીપ શર્માની અરજીમાં કોઇપણ જાતનું તથ્ય ન હોવાનું જણાવીને આ કેસમાં સરકારની મંજુરી લેવાની કોઇ જરૂર નથી તેવો ચુકાદો આપ્યો હતો.ત્યાર બાદ પણ શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં ફરીથી એપ્લિકેશન કરી હતી. કુલદીપ શર્મા કાયદાની પરિસ્થિતિના સારા જાણકાર હોવાથી યેનકેન પ્રકારે તેઓ હાઇકોર્ટમાં પણ દલીલો કર્યા વગર સમય કાઢી નાખવામાં સફળ રહ્યા હતા. છેવટે શર્માએ છેલ્લે પોતે જ એવી રજુઆત કરી કે ફાઇલમાં કેસ ચલાવવા માટે સરકારી પરવાનગીની જરૂરત પડે તેવી કોઇ હકીકત આ રેકોર્ડમાંથી નીકળી આવતી નથી, પરંતુ તેમને જો હકીકત ધ્યાનમાં આવશે તો કેસમાં લાવીશું અને જરૂર પડ્યું એના માટે અરજી પણ કરીશું તેમ કહીને અરજી પાછી ખેંચી લીધી હતી.જેને કારણે કેસનો સ્ટે ઉઠી જતાં સમગ્ર મામલો ફરી એક વાર તા.૧૦/૮/૨૦૧૦ના રોજ ભુજની ચીફ કોર્ટમાં આવ્યો હતો. જેમાં ફરિયાદી શંકર ગોવિંદજી જોષી તરફથી જાણીતા વકીલ એમ. બી. સરદારે આ કેસની કાર્યવાહી કરવાની અરજી કરવા અંગે રજુઆત કર્યા બાદ કોર્ટે આગામી ૨૭/૮/૨૦૧૦ના રોજ રાજ્યના વરિષ્ઠ આઇપી અધિકારી કુલદીપ શર્મા અને અન્ય બે વ્યક્તિઓને ભુજની ચીફ કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ કર્યો છે. આ કેસની સમગ્ર કામગીરી દરમિયાન વકીલ એમ. બી. સરદારની સાથે તેમના આસિસ્ટન્ટ આર. એસ. ગઢવી અને આર.આર. ચૌધરી હાજર રહ્યા હતા.


કાશ્મીરને સ્વાયત્તતા, આખા દેશને બરબાદ કરશે: ઠાકરે

‘જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા આપવાથી દેશ બરબાદ થઈ જશે. આ પ્રકારનો વિચાર તીવ્ર ટીકાને પાત્ર છે અને એવી વાતો કરવા બદલ કોંગ્રેસે સત્તા છોડી દેવી જોઈએ,’’ એમ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ જણાવ્યું હતું.વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ‘બંધારણની મર્યાદામાં રહીને કાશ્મીરની સ્વાયત્તતા અંગે કેન્દ્ર સરકારની વિચારણા’ના કરેલા નિવેદન સામે ઠાકરેએ આકરા પ્રત્યાઘાત વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘‘પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કાશ્મીરને સ્વાયત્ત દરજજો આપીને શેખ અબદુલ્લાને તેના વડા પ્રધાન બનાવવાની વાત કરી ત્યારે આખા દેશ અને તમામ સંસદસભ્યોએ તેની સામે વિરોધ કર્યો હતો. તેથી નેહરુએ એ બાબતમાં પારોઠનાં પગલાં ભરવા પડ્યાં હતાં.’’ઠાકરેએ તેમની બેફામ શૈલીમાં જણાવ્યું હતું કે ‘‘સંસદસભ્યોના જોરદાર વિરોધને કારણે નેહરુની ટાલ પરના થોડા છુટાછવાયા વાળ પણ ખરી પડ્યા હતા અને કાશ્મીરને સ્વાયત્તતા આપવાનો વિચાર તેમણે પડતો મૂકવો પડયો હતો. હવે શેખ અબદુલ્લાના વંશજો ફારુક અને ઉમર પણ સ્વાયત્ત દરજજાની તરફેણ કરે છે. પરંતુ એ નહીં બને. જો એવું બનશે તો આખું ભારત તેનો વિરોધ કરશે.’’સ્વાયત્તતાની દિશામાં ગતિવિધિનું સ્વાગત કરતાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને કેન્દ્રના પ્રધાન ફારુક અબદુલ્લાના નિવેદનનો ઉલ્લેખ કરતાં તેમણે આ ટીકાત્મક લેખ પ્રગટ કર્યો હતો.

No comments:

Post a Comment