14 August 2010

રાજકોટમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોર્ડિંગ્સ યુધ્ધ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોર્ડિંગ્સ યુધ્ધ

હાલ વાઇબ્રન્ટ ઉજવણીમાં પ્રજાના પૈસે ચારેકોર મુખ્યમંત્રી મોદીના જ મોડેલીંગ ફોટાવાળા હોર્ડિંગ્સ-બેનરો ખડકી દેવાતા તેની સામે કોંગ્રેસે પણ હોર્ડિંગ્સ યુધ્ધ છેડ્યું છે. કોંગ્રેસે સીધા જ મોદીને નિશાન બનાવતા ધગધગતા કટાક્ષો સાથેના બેનરો ઊભા કર્યા છે.મુખ્યમંત્રી મોદીનું એક જૂનું અને જાણીતું સૂત્ર છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી! આ સૂત્રને હોર્ડિંગ્સના માધ્યમ દ્વારા કટાક્ષના અંદાજમાં પ્રજા સામે કોંગ્રેસે છડેચોક દેખાય એ રીતે મૂકર્યું છે. હોર્ડિંગ્સમાં ભ્રષ્ટાચારના ધગધગતા આક્ષેપોની જડી વરસાવવામાં આવી છે.રાષ્ટ્રીય પર્વમાં શહીદો અને સ્વાતંત્રય સેનાનીઓના બદલે મોદીના ફોટા ખડકી દેવાયાના આ મામલે લોકોમાં જબરો રોષ ફાટી નીકળ્યા બાદ મોદીના બેનરો ઓછા કરી સ્વાતંત્રય સેનાનીઓના ફોટાવાળા બેનરો મુકવાની ફરજ પડી છે. આમછતાં હજુપણ પોણાભાગના હોર્ડિંગ્સમાં માત્ર મોદીનો જ પ્રચાર થયેલો છે ત્યાંરે તેની સામે કોંગ્રેસે પણ હોર્ડિંગ્સ રૂપી જ શસ્ત્ર ઉગામ્યુ છે.સીધા જ મોદીને નિશાન બનાવતા કટાક્ષો સાથે પ્રદેશ કક્ષાએથી તોતીંગ બેનરો આવ્યા છે અને આજે રાતોરાત આ હોર્ડિંગ્સ શહેરના મુખ્ય ચોકમાં લગાવવાની કવાયત શરૂ કરી દેવામા આવી હતી. શહેરના જિલ્લા પંચાયત ચોક, ત્રિકોણબાગ, કે.કે.વી. સર્કલ, રૈયા ચોકડી તેમજ ઉપલાકાંઠાના વિસ્તારો સહિત તમામ મુખ્ય ચોકમાં આ હોર્ડિંગ્સ મૂકવામા આવનાર છે.


ગુજરાત યુનિવર્સિટી ખાતે ધ્વજ વંદન

ભારતના ૬૪માં પ્રજાસત્તાકદિન પર્વ નિમિત્તે રવિવારે સવારે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિ ડો. પરિમલ ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવનાર છે. તે પછી દેશ ભિકતના ગીતોનું ગાન કરવામાં આવનાર છે. ઉપરાંત ગત વર્ષે રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તર પર ઝળકેલા રમતવીરોનું રોકડ રકમના પુરસ્કારથી સન્માન કરવામાં આવનાર છે.ગુજરાત યુનિવર્સિટી ટાવર પાસેના વિશાળ ચોકમાં રવિવારે સવારે નવથી દશ દરમ્યાન આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેના ભાગરૂપે કુલપિતના હસ્તે ધ્વજવંદન કરાયા પછી દેશ ભિકતના ગીતોના ગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.ડ્રાઈવઈન વિસ્તારની જે. જી. કોલેજ ઓફ પફોgમીંગ આર્ટસ અને નવરંગપુરા વિસ્તારની એચ.એલ. કોલેજના વિદ્યાર્થીઓ દેશ ભિકતના ગીતોનું ગાન કરશે. ત્યાર બાદ ગયા વર્ષે રાષ્ટ્રીય સ્તર પર રમતની સ્પર્ધામાં ઝળકેલા યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા રમતવીરોનું કુલપતિના હસ્તે સન્માન કરાશે છે.ગુ.યુનિના યુથ વેલ્ફેર- કલ્ચર વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર વી.કે.ચાવડાએ જણાવ્યું છે કે,‘દેશભિકતની ભાવનાનો વ્યાપ વધે તે હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપરાંત વિવિધ કોલેજોના એનસીસી- એનએસસ- કલ્ચરલ -રમત-ગમત વિભાગના આશરે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે.બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં પણ સ્વાતંત્રય પર્વ નિમિત્તેધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શહેરના લાલ દરવાજા વિસ્તારની સીટી આર્ટસ કોલેજ,આશ્રમરોડ વિસ્તારની એચ.કે. આર્ટસ કોલેજ, ડ્રાઈવઈન વિસ્તારમાં આવેલ જે.જી કોલેજ સહિતની વિવિધ કોલેજોમાં સ્વાતંત્રય દિન પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિત દેશભિકતના વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા છે.સીટી આર્ટસ કોલેજમાં એમ.એન. નાણાવટી, સદગુણા આર્ટસ, બી.ડી આર્ટસ કોલેજ માટે સહિયારા સ્વાતંત્રય પર્વનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સીટી આર્ટસ કોલેજના કેમ્પસમાં ગુજરાત લો સોસાયટીના એક્ઝિકયુટિવ વાઈસ પ્રેસિડેન્ટ સુધીર નાણાંવટીના હસ્ત ધ્વજવંદન કાર્યક્રમ રખાયો છે.આશ્રમરોડ વિસ્તારની એચ.કે. આર્ટસ કોલેજમાં સવારે પ્રો.દિનેશ શુકલના હસ્તે ધ્વજવંદનનું આયોજન કરાયુંછે. ત્યાર બાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભિકતના ગીતોનું ગાન- ભારત દર્શન આધારિત નૃત્યો પ્રસ્તુત કરવામાં આવનાર છે.


પોલીસે આઝમની સાથે તેની પત્ની-બાળકીને જેલમાં ગોંધી રાખ્યાં હતાં

પોલીસે આઝમની સાથે તેની પત્ની તથા બાળકીને પણ જેલમાં ગોંધી રાખ્યાં હતાં. સીબીઆઇ સમક્ષના નિવેદનમાં સોહરાબુદ્દીનના સાથી આઝમખાનની પત્ની રિઝવાનાએ જણાવ્યું હતું કે, હમીદલાલા મર્ડરકેસમાં પોલીસ આઝમને શોધતી હતી માટે અમે મોડાસામાં રહેતા એક સ્વજનના ઘરે ચાલ્યા ગયા હતા.જ્યાંથી પોલીસે અમને પકડી લઈ રાજસ્થાન મોકલ્યાં હતાં, જયાં પોલીસે આઝમની સાથે મને તથા અમારી નાનકડી પુત્રીને પણ કસ્ટડીમાં જ ગોંધી રાખ્યાં હતાં અને આઝમને ખૂબ મારો માર્યો હતો. જ્યાં ૧૦-૧૨ દિવસ પછી આ બાબતે આઝમની માતા હુસેનાને જાણ થતાં તેમણે આ બાબતે કોર્ટમાં રજુઆત કરતાં મારો તથા મારી નાનકડી દીકરીનો છુટકારો થયો હોવાનું રિઝવાનાએ સીબીઆઇ સમક્ષ જણાવ્યું હતું.આઝમની માતાએ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવા પોલીસે તેના પગ પકડ્યા હતાં. આઝમનાં માતા હુસેનાબાનુએ પોતાના નિવેદમાં સીબીઆઇને જણાવ્યું હતું કે પોલીસે આઝમની સાથે તેની પત્ની તથા પુત્રીને પણ ગેરકાયદે રીતે ગોંધી રાખ્યાં હોવાનું જાણી આ મુદ્દે તેમણે કોર્ટમાં અરજી કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.આઝમની પત્ની તથા પુત્રીને મુકત કરી દીધાં હતાં તથા કોર્ટમાં પોલીસ વિરુદ્ધ કરેલી અરજી પાછી ખેંચવા પોલીસે હુસેનાના પગ પકડી લીધા હતા.


ઇસ્ટ ઇન્ડિયા કંપની પર ભારતીયનું રાજ

પંદરમી ઓગ્સટે જ્યાં દેશવાસીઓ સ્વતંત્રતા દિવસનો જશ્ન મનાવી રહ્યા હશે ત્યારે બજારમાં ઉતરી રહેલ લંડનની એક કંપની પણ 15મી ઓગસ્ટના રોજ જશ્ન મનાવાની તૈયારી કરી રહ્યું છે.આ કોઇ મામૂલી કંપની નથી - 15મી ઓગસ્ટના રોજ ઐતિહાસિક ઇસ્ટ ઇન્ડિયા કંપની ફરીથી બજારમાં ઉતરી રહી છે અને ખાસ વાત એ છે કે આ લંડનમાં રહેનાર ભારતીય મૂળના સંજીવ મહેતાએ ખરીદી છે. આવતા વર્ષએ ભારતમાં લાવવાની પણ યોજના છે.આ એ જ ઇસ્ટિ ઇન્ડિયા છે જે અંગ્રેજોના રોજ દરમ્યાન ક્યારેક 18મી અને 19મી સદીમાં ભારત પર હકુમત ચલાવી હતી અને વિશ્વમાં અંદાજે 50 ટકા વેપાર પર તેનો કબ્જો હતો.મુંબઇમાં જન્મેલા, ઉછરેલા અને હવે લંડનમાં રહેતા સંજીવ મહેતા આ કંપનીના માલિક છે. ગુમનામીમાં ખોવાઇ ચૂકેલ આ કંપનીને ખરીદવા અને બજારમાં લાવવાનો નિર્ણય આખરે સંજીવ મહેતાએ કંઇ રીતે કર્યો.સંજીવ મહેતાએ કહ્યું કે ઇસ્ટિ ઇન્ડિયા કંપનીને બ્રિટાની સામ્રાજ્યએ 1874માં પૂરી રીતે પોતાની આધીન કરી લીધી હતી. 80ના દાયકામાં લંડનમાં કેટલાંક 30-40 લોકોને લાગ્યું કે ઇસ્ટ ઇન્ડિય કંપની બહુ જ શક્તિશાળી બ્રાન્ડ છે. તે લોકોએ તેને ખરીદી લીધી અને ફરીથી બિઝનેસ શરૂ કર્યો. તેમણે ઘણા નાણાં પણ લગાવ્યા. પરંતુ મેં જોયું કે તેમનો કંપની સાથે કોઇ ભાવનાત્મક સંબંધ ન હતો. માલિકોમાં કોઇ ભારતીય ન હતું. પરંતુ હું ભારતીય હોવાથી મને આ કંપનીનું મહત્વ અને ભાવનાત્મક જવાબદારી સમજાતી હતી. મેં કંપની ખરીદવાનો નિર્ણય લીધો. મેં થોડાંક વર્ષ પહેલાં આ લોકોનો સંપર્ક કર્યો અને છેલ્લાં છ વર્ષમાં તેમની પાસેથી પૂરી કંપની ખરીદી લીધી.


વડોદરામાં રાત્રિ બજારનું ખાતમુહુર્ત કરાયું

સ્વાતંત્રય દિન પર્વની ઉજવણી અંતર્ગત આજે વડોદરા શહેરમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલના હસ્તે સેવાસદન દ્વારા બનાવવામાં આવનાર રાત્રિ બજારનું ખાતમુહુર્ત કરાયું હતું. આ ઉપરાંત નવનિર્મિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સેન્ટ્રલ લાઇટિંગનું લોકાર્પણ કરાયું હતું. સાથેસાથે સ્વર્ણિમ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.વડોદરા મહાનગર સેવાસદનના ઉપક્રમે સ્વાતંત્રય દિન પર્વની ઉજવણી અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રાજ્યના શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલ, સંસદીય સચિવ યોગેશ પટેલ, મેયર-સાંસદ બાળકૃષ્ણ શુકલ અને ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલે રૂ.૬.૯૨ કરોડના ખર્ચે કલ્યાણનગર પાસે બનાવાયેલા અત્યાધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૮૫ લાખ લિટર ગંદા પાણીનું દુગઁધ રહિત શુિદ્ધકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે શહેરના જુદાજુદા ૧૦ માર્ગો ઉપર રૂ.૨.૬૦ કરોડના ખર્ચે ઊભી કરાયેલી સેન્ટ્રલ લાઇટિંગની સુવિધા જનતાને અર્પણ કરી હતી.આ ઉપરાંત મંત્રીના હસ્તે કારેલીબાગ વિસ્તારમાં એલ.એન્ડ ટી. સર્કલ પાસે સેવાસદન દ્વારા દોઢ લાક ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવનાર રાત્રિ બજારનું ખાતમુહુર્ત કરાયું હતું. જ્યારે સ્વર્ણિમ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં ૧.૬૧ લાખ વૃક્ષો ઉછેરવા માટેની ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઝુંબેશ શરૂ થતાં જ વન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આજથી જ તરુપ્રસાદમ્ વિતરણ અંતર્ગત જુદાજુદા રોપાઓ શહેરીજનોને નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા.


પાદરામાં વડોદરાનું સ્વાતંત્રય પર્વ મનાવાશે

વડોદરા જિલ્લાના પાદરા નગરમાં આવતીકાલે ૬૪ માં સ્વાતંત્રય પર્વની ઉજવણીનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રાજ્યના પંચાયત મંત્રી નરોત્તમભાઇ પટેલ ત્રિરંગો લહેરાવશે.પાદરા નગરમાં આવેલી પી.પી.શ્રોફ હાઇસ્કૂલના મેદાનમાં સવારે ૯ વાગે જિલ્લા કક્ષાનો સ્વાતંત્રય દિન પર્વનો મુખ્ય ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. રાજ્યના પંચાયત મંત્રી નરોત્તમભાઇ પટેલ જિલ્લાના સ્વાતંત્રય સેનાનીઓ, સાંસદો, ધારાસભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વાતંત્રય દિન પરેડનું નિરીક્ષણ કર્યા બાદ ધ્વજ વંદન કરી રાષ્ટધ્વજને સલામી આપશે.સ્વાતંત્રય દિનની ઉજવણી પ્રસંગે પાદરા નગરના રહેણાંક વિસ્તારોમાં રાજ્ય સરકારની ગ્રાંટમાંથી બનાવાયેલા આર.સી.સી. ના રોડનું લોકાર્પણ કરાશે. તેમજ અન્ય નવા બનાવવામાં આવનારા રોડ માટે ખાતમુહુર્ત વિધિ યોજાશે. સ્વાતંત્રય દિનની પૂર્વ સંધ્યાએ પાદરા નગરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગીત-સંગીત, નૃત્ય, મિમક્રિીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.રાજ્યના પંચાયત મંત્રી નરોત્તમભાઇ પટેલની મુલાકાત દરમિયાન પાદરાના ધારાસભ્ય દિનેશભાઇ પટેલ(દિનુ મામા) દ્વારા પાદરામાં તાલુકા કક્ષાનું સરકારી ગેસ્ટ હાઉસ બનાવવા માટે રજુઆત કરાશે તેમ જાણવા મળ્યું છે.


ચેમ્બુરમાં દિલધડક એન્કાઉન્ટરમાં રવિ પુજારીનો ગુર્ગો ઠાર

શુક્રવારે સવારે ચેમ્બુર સ્થિત ડાયમંડ ગાર્ડનની નજીક કાવેરી સોસાયટીમાં રહેતા બિલ્ડરના ઘરમાં ખંડણી માગવા ગયેલા રવિ પૂજારી ગેંગના ગુંડા આનંદ ડેંગરેનું પોલીસ એન્કાઉન્ટરમાં ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. લગભગ બે કલાક સુધી શ્વાસ થંભાવી દે તે રીતે ઓપરેશન ચાલ્યું હતું અને આખરે ડેંગરેને ઠાર મારવામાં આવ્યો હતો. આ વર્ષે વર્સોવા નજીક હરીશ મારોલિયાનું પોલીસે કરેલા એન્કાઉન્ટરનું યાદ તાજી કરાવી ગયું હતું.ચેમ્બુરના બિલ્ડર વિજય ભતીજા અને તેનો પરિવાર બહાર ગયો હતો ત્યારે ડેંગરે કાવેરી સોસાયટીમાં રહેતા ભતીજાના ઘરે આવ્યો હતો. સોસાયટીના વોચમેનને તેણે પોતે ટેલિફોન કંપનીમાંથી આવ્યો હોવાનું કહ્યું હતું અને તે ભતીજાના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં ગયો હતો. ભતીજાના ઘરમાં કામ કરતી નોકરાણીને તેણે તેના માલિક વિશે પૂછ્યું હતું. તેણે ભતીજા બહાર ગયા હોવાનું કહ્યું હતું ત્યારે ડેંગરેએ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢીને તેને ફ્લેટની અંદર ધકેલી હતી અને કપડાં વડે તેના હાથ-પગ બાંધી દીધા હતા. ત્યાર બાદ તેણે ભતીજાને ફોન કર્યો હતો.‘ડેંગરેનો ફોન આવતાં ભતીજા તરત જ પત્ની સાથે ઘરે પહોંચ્યાં હતાં. ઘરે પહોંચ્યા ત્યાં ડંગરેએ બંદૂકની ધાકે તેને, તેની પત્ની પ્રાચી અને નોકરાણીને બેડરૂમમાં બંધ કરી દીધાં હતાં. ત્યાર બાદ તેણે ભતીજા પાસેથી રૂ. ૨૫ લાખની માગણી કરી હતી અને જો તે નહીં આપે તો તેની પત્ની અને નોકરાણીને ખતમ કરી દેશે એવી ધમકી આપી હતી. આટલી મોટી રકમ તેની પાસે ન હોવાનું ભતીજાએ ડેંગરેને કહીને પૈસાની સગવડ કરવા માટે સમય માગ્યો હતો. ડેંગરેએ ત્યાર બાદ ભતીજાને ફ્લેટની બહાર ધકેલી દઈને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો, જ્યારે ઘરમાં નોકરાણી અને તેની પત્નીને બંધક બનાવી હતી.ભતીજાએ તક મળતાં પોલીસને જાણ કરી હતી. તાબડતોબ એક પોલીસ ટુકડી તેમ જ વિભાગીય કોમ્બેટ વેન અને વિભાગીય િકવક રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યાં હતાં.


કેમેરામેન શુટિંગ કરતા રહ્યા ને યુવાન સળગ્યો

ઊંઝાના કામલી ગામના યુવાને શુક્રવારે ઊંઝા પોલીસમથકે શરીરે કેરોસીન છાંટયા બાદ આગ ચાંપી દીધી હતી. જોકે પોલીસે આગ ઠારીને મહેસાણા સિવિલમાં ખસેડતાં થોડા જ સમયમાં યુવાનનું મોત થયું હતું.કામલીનો કલ્પેશ ગણપતભાઈ મિસ્ત્રી (ઉં.વ.૨૯) શુક્રવારે બપોરે ૧.૩૦ વાગ્યા આસપાસ બાઇક પર ઊંઝા પોલીસમથકે પહોંચ્યો હતો. અહીં કલ્પેશે શરીરે બોટલમાંથી પ્રવાહી છાંટવાની શરૂઆત કરતાં લોકો એકત્ર થયા હતા. આ હાલતમાં કલ્પેશ પોલીસમથકમાં પહોંચ્યો હતો. ત્યારબાદ દીવાસળી સળગાવતાં જ તે આગની જવાળામાં લપેટાયો હતો. હાજર લોકોએ કોથળા અને ગાદલાની મદદથી આગ ઓલવી હતી. કલ્પેશને પોલીસની જીપમાં ઊંઝા કોટેજ હોસ્પિટલે ખસેડ્યા બાદ તેને મહેસાણા ખસેડાયો હતો. જેમાં ગણતરીના કલાકોમાં જ તેનું મોત થયું હતું.કલ્પેશ મિસ્ત્રીએ સિવિલમાં મહેસાણા નાયબ મામલતદાર તથા ઊંઝા પોલીસ સમક્ષ મરણોન્મુખ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેની માતાએ ખોટી ફરિયાદ દાખલ કરાવીને જેલમાં પૂરાવી દેતાં લાગી આવતાં આત્મહત્યાનું પગલું ભર્યું છે. અમદાવાદમાં રહેતી કલ્પેશની સાવકી માતાએ થોડા દિવસ પહેલાં ઊંઝા પોલીસમથકે હેરાનગતિ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બે દિવસ પહેલાં કલ્પેશની અટકાયત કરી હતી. જોકે ગુરુવારે સાંજે તેને જામીન પર મુક્ત કર્યો હતો.


ઓબામાએ મસ્જિદ નિર્માણનું સમર્થન કર્યુ

બરાક ઓબામાએ ન્યૂયોર્કમાં 11મી સપ્ટેમ્બર 2001ના દિવસે આતંકવાદી હુમલાનું નિશાન બનેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજીક ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્ર અને મસ્જિદ બનાવવાની યોજનાનું સમર્થન કર્યુ છે. રમઝાન મહિના નિમિતે વ્હાઇટ હાઉલમાં આપવામાં આવેલી ઇફ્તાર પાર્ટીના અવસર પર ઓબામાએ જણાવ્યું હતું કે મુસલમાનોને પણ બીજા અમેરિકાનોની જેમ ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક છે.ઓબામાએ જણાવ્યું હતું કે એક વર્ગ આ યોજનાનો એટલા માટે વિરોધ કરી રહ્યો છે કે તેમનું માનવુ છે કે આ જગ્યા પર 3000 લોકોના મૃત્યું નિપજ્યાં હતા અને આ સ્થળે મસ્જિદનું નિર્માણ મૃતકોનું અપમાન અને અસંવેદનશીલતા વ્યક્ત કરે છે.ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્કની એક મુસ્લિમ સેવા સંસ્થા કોરડોબા ઇસ્ટિટ્યુયે આ યોજના બનાવી છે. આ સંસ્થા જુદા જુદા ધર્મોમાં માનનારા લોકો અને મુસલમાનોની વચ્ચે વધારે સારા સબંધો વિકસાવવા માટે કામ કરે છે.આ પહેલા રાષ્ટ્રપતિએ આ બાબતે કોઇ નિવેદન કર્યુ નહોતું પરંતુ વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીના અવસર પર ઓબામાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે એક નાગરિકની અને રાષ્ટ્રપતિની જેમ હું માનું છું કે મુસલમાનોને પણ પોતાનો ધર્મ પાળવાનો અધિકારી છે, જેવી રીતે દેશના અન્ય નાગરિક છે. તેમણે જણાવ્યું કે હુમલો કરનારા આતંકવાદીઓની સાથે સામાન્ય મુસલમાનોને જોડવા તે મોટી ભૂલ ગણાશે. ઓબામાએ અલકાયદાને ઇસ્લામનું વિકૃત રૂપ ગણાવ્યું હતું.બરાક ઓબામાએ આ ઇફ્તાર પાર્ટીમાં મુસ્લિમ સમુદાયના સો જેટલા ખાસ મહેમાનોને આમંત્રિત કર્યા હતા. જેમાં સાઉદી અરબ અને ઇન્ડોનેશિયાના જેવા કેટલાક ઇસ્લામિક દેશોના રાજદૂત અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.રાષ્ટ્રપતિ ઓબામા જાણતા હતા કે આ વાત સમગ્ર દુનિયાના સમાચાર પત્રોની સાથે સાથે અમેરિકાના મુસ્લિમ સમુદાયમાં પણ પહોંચશે. બની શકે કે આ મુદ્દાથી અમેરિકામાં થનારા દ્રીવાર્ષિક ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો મળી જાય. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાં બાદ ઓબામા દુનિયાના મુસ્લિમ સમુદાય સાથે સબંધો સુધારવાના પ્રયાસોમાં લાગ્યા છે.


ચીન ગૂગલને ટક્કર આપશે!

થોડાંક સમય પહેલાં જ ગૂગલનું લાઇસન્સ રિન્યૂ કર્યા બાદ ચીન સરકારે એક નવું સર્ચ એન્જિન લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે, જે ગૂગલને પણ ટક્કર આપી શકે છે. નવા સર્ચ એન્જિનને તૈયાર કરવાની જવાબદારી ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆ ને આપવામાં આવી છે. પ્રસ્તાવિત સર્ચ એન્જિન ગૂગલ અને સ્થાનિક પોર્ટલ બાયડૂને જોરદાર ટક્કર આપશે.શિન્હુઆના વાઇસ પ્રેસિડન્ટ જૂ જિસંગે કહ્યું કે સર્ચ એન્જિનને તૈયાર કરવા માટે શિન્હુઆની સાથે દુનિયાની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની ચાઇના મોબાઇલ કોમ્યુનિકેશન કોર્પોરેશન પણ સહયોગ કરશે. નવા સર્ચ એન્જિન બનાવનાર કંપનીને "સર્ચ એન્જિન ન્યૂ મીડિયા ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન કંપની"નું નામ આપવામાં આવ્યું છે. આ કંપની સર્ચ એન્જિન સિવાય ઇન્ટરનેટ, એડવર્ટાઇઝિંગ અને પિંકટ મીડિયાના ક્ષેત્રમાં નવા બિઝનેસ શરૂ કરશે.નવા સર્ચ એન્જિનમાં સંચાર ટેકનિકની ભરપૂર ક્ષમતા હશે અને તે લોકો સુધી માહિતી પહોંચાડવા માટે અને પબ્લિક ઓપિનિયન લેવામાં મદદગાર સાબિત થશે. ચીનની આ તૈયારીથી ગૂગલને જોરદાર ટક્કર મળી શકે છે. આ પહેલાં ચીન સરકારે ગૂગલની કોઇ લિંક પર સર્ચ રિઝલ્ટને સરકાર દ્વારા સેન્સર કરાવા માટે ગૂગલને આગ્રહ કર્યો હતો પરંતુ કંપનીએ સરકારનો આ આદેશ માનવાનો ઇન્કાર કરી દીધો હતો જેના લીધે ગૂગલના લાઇસન્સને રદ કરી દેવામાં આવ્યું હતું. જોકે પાછળથી ગૂગલનું લાઇસન્સ ફરીથી રિન્યૂ કરી દેવામાં આવ્યું હતું.


રાજકોટ : પાંદડાં ચાવો, રોગ હટાવો

વનસ્પતિના પાંદડાંઓમાં અગણિત ગુણ છે. જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો હિઠલા અને જીવલેણ રોગોમાં પણ એ ચમત્કારિક પરિણામ આપી શકે છે. છેલ્લા ઘણા સમયથી પર્ણ ચિકિત્સાનું મહત્વ વધ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના લોકોને એ પધ્ધતિનો લાભ મળે એ હેતુથી રાજકોટ ખાતે આગામી તા.૧૮ અને ૧૯ ઓગસ્ટના રોજ મુંબઈના પ્રખ્યાત નેચરોપેથી ડૉ. રાજ મર્ચન્ટનો બે દિવસીય નિ:શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે.ડૉ.મર્ચન્ટ મૂળ કચ્છના છે. નાસિકથી નેચરોપેથીમાં એમ.ડી. થયા બાદ વર્ષોથી તેઓ મુંબઈમાં પર્ણ ચિકિત્સા કરે છે. નેચરોપેથી અને પર્ણચિકિત્સાના ક્ષેત્રે તેઓ સન્માનનીય ખ્યાતિ ધરાવે છે. તેમના જણાવ્યા મુજબ આયુર્વેદમાં ઔષધો પર અનેક પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે.જ્યારે પર્ણ (હર્બલ) ચિકિત્સામાં વનસ્પતિનો નૈસગિઁક સ્વરૂપે ઉપયોગ થતો હોવાથી તે વધુ અસરકારક સાબિત થાય છે. ચાર દાયકાનો અનુભવ ધરાવતા ડૉ.મર્ચન્ટ કહે છે કે કેન્સર, થાઈરોઈડથી માંડીને ડાયાબિટીશ અને માઈગ્રેન જેવા હિઠલા રોગો મટી શકે છે.એક પણ બીમારી એવી નથી જેનો ઉકેલ પર્ણ ચિકિત્સામાં ન હોય. રાજકોટમાં આ કેમ્પ ૧૪, મનહર પ્લોટ, ડૉ. મોઢાની હોસ્પિટલ પાછળ આવેલ સત્યમ સારવાર કેન્દ્ર ખાતે યોજાશે. દર્દીઓ પોતાની ફાઈલ તથા રિપોર્ટ અગાઉથી આપી જાય તેવો અનુરોધ કરાયો છે.

No comments:

Post a Comment