16 August 2010

રાજકોટમાં ટ્રેનમાંથી ૩૩.૭ કિલો ગાંજો મળ્યો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં ટ્રેનમાંથી ૩૩.૭ કિલો ગાંજો મળ્યો

સ્વાતંત્રય પર્વના બે દિવસ પૂર્વે જ મધ્ય પ્રદેશથી રાજસ્થાન જવા રવાના થયેલા વિસ્ફોટકો ભરેલા ૬૧ ટ્રક ગુમ થઇ જતાં દેશના તમામ હાઇ-વે અને રેલ-વે સ્ટેશન, બસ સ્ટેશનો પર સઘન ચેકÃગની સૂચના આપવામાં આવી હતી. જે સંદર્ભે રાજકોટ રેલ-વે સ્ટેશન પર પોલીસને જોઇ સકિંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહેલા શખસો ગાંજાનો જથ્થો ભરેલા ત્રણ થેલા અને એક સૂટકેશ બિનવારસી હાલતમાં મૂકીને નાસી ગયા હતા. પોલીસે એક લાખની કિંમતનો ૩૩ કિલો ૭૦૦ ગ્રામ ગાંજો કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.રાજકોટ રેલ-વેના ઇન્સ્પેકટર પી.પી. પિરોજીયા ૧પ ઓગષ્ટની રાતે ૧૦ વાગે પ્લેટફોર્મ પર આવેલી સકિંદરાબાદ ટ્રેનામાં સ્ટાફ સાથે ચેકÃગમાં ગયા હતા. ટ્રેનના પાછળના જનરલ ડબ્બામાં એક સીટ નીચેથી ત્રણ મોટા થેલા અને એક સૂટકેશ રેઢી મળી આવતા કબજે કરી હતી. થેલામાંથી નશીલા પદાર્થની ગંધ આવતી હોવાથી એફ.એસ.એલ. અધિકારીને સાથે રાખી સામાન ખોલતા અંદરથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેનિય છેકે, સકિંદરાબાદ ટ્રેનનું છેલ્લુ સ્ટોપ રાજકોટ હોવાથી ગાંજો રાજકોટમાં જ સપ્લાય કરવા આવ્યા હોવાની પોલીસને શંકા છે.ગાંજાનો જથ્થો તેલુગુ ભાષના અખબારમાં વિટેલો હતો. નવેનવા થેલા અને સૂટકેશમાંથી મળી આવેલો ગાંજાનો જથ્થો અખબારના કાગળમાં વિટેલા હતો. અને એ અખબાર તેલુગુ ભાષાના હોવાથી ગાંજો એ રાજ્યમાંથી જ ગુજરાતમાં લવાયો હોવાનુ પોલીસનું અનુમાન છે.


નેહરાએ દેખાડ્યો સંગાકારાને પેવેલીયનનો રસ્તો

રાંગિરી દામ્બુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આજે યજમાન શ્રીલંકાએ ભારતની વિરુદ્ધ ત્રીકોણીય શ્રેણીમાં પોતાની બીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત માટે આ મુખ્ય મેચમાં ઓલ રાઉન્ડર યુવરાજ સિંહ રમી રહ્યો નથી. યુવરાજના સ્થાને વિરાટ કોહલી અને અભિમન્યુ મિશુનના સ્થાને ઈશાંત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યાં છે. જ્યારે શ્રીલંકાની ટીમમાં બે ખેલાડીઓને બદલાવ લાવ્યાં છે. મેન્ડિસ અને હેરાથના સ્થાને રાંદિવ અને ફર્નાડાને તક આપવામાં આવી છે. ભારત માટે આ મેચ મહત્વપૂર્ણ છે.શ્રીલંકાની પ્રથમ વિકેટ શૂન્ય રન પર પડી ગઈ છે. થરંગા શૂન્ય રન પર પ્રવીણ કુમારની ઓવરમાં આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી છે.શ્રેણીની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડની સામે ભારતનો પરાજય થયો હતો. પહેલી મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 200 રનથી પરાજય આપ્યો હતો. તે મેચમાં ભારતીય ટીમ 88 રન પર ઓલ આઉટ થઈ હ


આઈ.પી.એલ. માટે ફિટ અને દેશ માટે અનફિટ!

ભારતીય ક્રિકેટ ટીમ ઈજાગ્રસ્ત અને થાકથી જોડાયેલી છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સતત ખેલાડીઓને આરામ આપવાનો અને રોટેશન પોલિસીની પ્રયગ કરી રહ્યાં છે. પરંતુ આ ખેલાડીઓ આઈપીએલમાં આવું વિચારતા નથી. કે શું તે સમયે તેને પૈસા વધારે ગમે છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ સતત બે મહિના સુધી રમાય છે. આમાં દરરોજ મેચ રમાય છે. આટલું જ નહિ પરંતુ દરેક ખેલાડી બાદમાં પાર્ટીની પણ મજા માણે છે. જ્યારે ખેલાડી આનાથી થાકતા નથી તો દેશ માટે રમવામાં તેમને મુશ્કેલી શેની હોય છે.ઝહિર ખાન, સચિન તેંડુલકર અને ઘણા ખેલાડી આઈપીએલમાં તો સતત રમતા રહે છે પરંતુ દેશ માટે યોજાનારી ટૂર્નામેન્ટ માટે તો તે ઈજાગ્રસ્ત થઈ જાય છે અથવા તેમને આરામની જરૂર હોય છે. તો આવું કેમ? અન્ય દેશોના કાર્યક્રમ પણ ટીમ ઈન્ડિયાની જેમ જ વ્યસ્ત હોય છે. પરંતુ તેમના ખેલાડી ક્યારેય રજુઆત કરતાં નથી. આઈસીસી ટેસ્ટ ટીમ રેકિંગમાં ટોચ પર રહેવા માટે બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ટીમોને બોર્ડને વન-ડેની સાથે ટેસ્ટ સીરિઝ પણ રમવાનું કહ્યું હતું.આ ખેલાડીઓને ક્યારેય પણ આઈપીએલ દરમિયાન વ્યસ્તતાની વાત કરી હતી. આઈપીએલ દરમિયાન જો ખેલાડી ઈજાગ્ર સ્થ પણ થઈ જાય છે જ્યારે જ ફિટ થઈને મેદાન પર પરત ફરવા આતુર હોય છે.


ખુશ્બૂ ગુજરાત કી : બિગ બી અમદાવાદમાં

અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે ખુજબ મોટી સંખ્યામાં તેમના ફેન આવી પહોંચ્યા હતા.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસનને વિકસાવવા માટે બોલીવુડના શહેનશાહ અને મેઘાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. જેન અનુસંધાનમાં બચ્ચન ગુજરાતના પ્રચલીત સ્થળો પર શુંટીગ કર રહ્યા છે.આજથી શુટિંગનો બીજો રાઉન્ડ શરૂ થતો હોઇ આજે સવારે સાડા અગિયારા વાગ્યે બીગ બી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બીગ બી ની એક ઝલક જોવા માટેતેમના પ્રશંશકોએ પડાપડી કરી મુકી હતી. અને ખુબજ મોટી સંખ્યામાં તેમના પ્રસંશકો એરપોર્ટ પર પહોંચી ગયા હતા.બચ્ચનને એરપોર્ટથી તાજ હોટલમાં લઇ જવામાં આવ્યા હતા જયાં તેઓ પોતાનું ભોજન લીધા બાદ બપોર પછી ગાંધી આશ્રમમાં શુટિંગ માટે જવાના હોઇ ત્યાં પણ ખુબજ મોટી સંખ્યામાં બચ્ચનના ચાહકો ઉમટી પડ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. ગાંધી આશ્રમમાં બચ્ચન લગભક બેએક કલાક શુટિંગ કરશે. આજે અમદાવાદમાં શુટિંગ પુરુ કર્યા બાદ બચ્ચન ગુજરાતની પ્રખ્યાત હડપ્પા સંસ્કૃતિની નગરી લોથલમાં પણ શુટિંગ કરી ગાંધીજીની જન્મભુમી પોરબંદર તરફ પ્રયાસ કરશે તેવું જાણી શકાયું હતું. જોકે બચ્ચને શુટિંગના પહેલા રાઉન્ડમાં ગીર તથા કચ્છમાં શુટિંગ કર્યું હતું જ્યારે બીજા રાઉન્ડમાં પોરબંદર તથા દ્વારકા સહિતના વિસ્તારોમાં શુટિંગ કરશે.


ભારતના વિઝા નિયમોમાં વંશીય ભેદભાવ ?

લંડનમાં કિંગ કોલેજના માનવ અધિકારીના કાયદાના પ્રોફેસર રોબર્ટ વિન્ટેમ્યુટે ભારતના વિઝા નિયમોને વંશીય ભેદભાવ યુક્ત ગણાવ્યાં છે અને તેમાં તાત્કાલિક સુધારાની માંગણી કરી છે.ભારતના હાઇ કમિશને 2008માં મુંબઇમાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ વિઝા પોલિસીમાં મોટાપાય ફેરફાર કર્યા હતા, જેના કારણે બ્રિટનના નાગરિકોને ભારતના વિઝા લેવા માટે બે થી ત્રણ દિવસની રાહ જોવી પડતી હતી. જોકે બ્રિટિશ કાર્યકરોએ વિઝા નિયમોમાં પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિકો પ્રત્યે રાખવામાં આવતા ભેદભાવનો વિરોધ વ્યક્ત કર્યો છે.ભારતીય હાઇ કમિશનની વેબસાઇટના જણાવ્યાં અનુસાર પાકિસ્તાની મૂળના કોઇ પણ વ્યક્તિની વિઝા પ્રક્રિયા પૂર્ણ થતા 7 થી 8 જેટલો લાંબો સમય લાગે છે, જેમાં પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થાય છે.રોફેસર રોબર્ટે જણાવ્યું હતું કે ભારત સરકારના કાયદામાં વંશીય ભેદભાવ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. ઉપરાંત પ્રોફેસરે ભારતીય કાયદાની સરખામણી નાઝીઓના કાયદા સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશ પાસપોર્ટની પાછળ જોઇને દરેક વ્યક્તિને અલગ અલગ રીતે વિઝા આપવામાં આવે છે. કોઇ વ્યક્તિના માતા-પિતા પાકિસ્તાનમાં જન્મેલા હોવાથી તેમને અન્ય નાગરિકોની સરખામણીએ ભેદભાવયુક્ત વર્તન કરવું તે બ્રિટન, યુરોપ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું હનન છે.


અમીત જેઠવાના હત્યારાઓ સુધી પહોંચી પોલીસ

આરટીઆઇ એક્ટિવસ્ટિ અમીત જેઠવાની હત્યાની તપાસ કરતાં કરતાં પોલીસ તેના હત્યારાઓની નજીક પહોંચી ગઈ છે. જેઠવાની સોપારી જેના દ્વારા આપવામાં આવી હતી તે પોલીસ કોન્સ્ટેબલને પોલીસે ઝડપી લીધો છે અને સૂત્રો એમ જણાવે છે કે પોલીસને હત્યામાં સાંસદ દીનુ સોલંકીની સોલંકીની સંડોવણીની બાતમી પણ મળી છે. એટલું જ નહીં આ હત્યામાં અન્ય કેટલાક રાજકીય નેતાઓ સંડોવાયા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પ્રાપ્તવિગતો અનુસાર, આરટીઆઇ એક્ટિવસ્ટિ અમીત જેઠવાની ગત મહિને ૨૦ જુલાઈના રોજ અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ સંકુલની સામે કેટલાક અજાણ્યા ઇસમોએ ગોળી મારી હત્યા કરી હતી. જેઠવા ગીરના જંગલમાં ગેરકાયદેસર ખનન સામે હાઇકોર્ટમાં કેસ લડી રહ્યા હતા અને આરટીઆઇ એકટ હેઠળ પણ તેમણે ખનન માફિયાઓને પરેશાન કરી મૂક્યા હતા.તેના કારણે શંકા એવી સેવવામાં આવી રહી હતી કે ખનન માફિયાઓ દ્વારા જ જેઠવાની હત્યાની સોપારી આપવામાં આવી હોય શકે. પોલીસે આ હત્યામાં સોપારી આપવામાં આવી હોવાની થિયરીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ગીરગઢડાના પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ દ્વારા હત્યારાઓને સોપારીના ૧૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પોલીસે બહાદુરસિંહની ધરપકડ કરી લીધી છે. એ ઉપરાંત આ હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવનારા જોશી અથવા પંડ્યા અટક ધરાવતાં વ્યક્તિની પણ ભાળ પોલીસને મળી છે.સૂત્રો એમ જણાવે છે કે આ આખી લીંક જુનાગઢના સાંસદ દીનુ સોલંકી સુધી નીકળે છે અને પોલીસ ટૂંક સમયમાં જ આ મામલો ઉકેલી નાંખે તેવી શક્યતા છે.


સવારથી જ અમદાવાદમાં વરસાદ શરૂ

આજે સવારથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઇ જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેને લીદે લોકોન પરેશાની વધી ગઇ હતી.સ્વતંત્રય દિવસનની રંગેચંગે ઊજણવી થઇ શકે તે માટે આ રાષ્ટ્રીય પર્વની મેઘરાજાએ પણ રજા રાખી હોય તેમ ગત રોજ મેઘરાજાએ આરામ કર્યા બાદ આજે સવારથીજ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગઇ હતી.અઠવાડીયા અગાઉ શનિવારની રાત્રે અમદાવાદમા શરૂ થયેલા મેઘતાંડવને લીધે શહેરમાં એકજ રાત્રિમાં ૧૨ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ઝીંકાયો હતો.જેને લીધે જાણેકે આખુ અમદાવાદ પાણીમાં હોય તેવો ઘાટ થયો હતો શહેરના તમામ અન્ડરપાસમાં પાણી ભરાઇ જતાં તમામ અન્ડરપાસ બંધ કરવાની નોબત ઉભી થઇ હતી.જોકે ત્યાબાદ લગભગ આખું અઠવાડીયું શહેરમાં છુટાછવાયા વરસાદ ને બાદ કરતાં કોરૂ ગયું હતું જેને લીધે શહેરમાં ભરાયેલા પાણી ઉતરી જતા જાહેરજીવન ફરીથી થાલે પડ્યું હતું.જોકે આ વીકએન્ડમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ કરતાં બનાસકાંઠાના બે તાલુકાઓ જળબંબાકાર થઇ ગયા હતા.જોકે ગઇકાલ સવારથીજ વાતવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાતો હતો અને મોડી સાજે વીજળીના કડાકા શરૂ થઇ ગયાહતા અને વાતાવરણ ઠંડુગાર થઇ ઠંડા પવનો ફુંકાવાની શરૂઆત થઇ ગઇ હતી. પરંતુ રાત્રે વરસાદ પડ્યો નહોતો અને વહેલી સવારથીજ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઇગયો હતો.


પપ્પુ યાદવની ગુડગાંવની હોસ્પિટલમાંથી ધરપકડ

બિહારના ભૂતપૂર્વ સાંસદ પપ્પૂ યાદવની સીબીઆઈએ ગુંડગાંવની એક હોસ્પિટલમાંથી ધરપકડ કરી છે. સીપીએમના નેતા અજીત સરકારની હત્યાના મામલામાં દોષિત ઠેરવાયેલા પપ્પુ યાદવને પેરોલ પર છોડવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પેરોલનો સમયગાળો પૂરો થવા છતાં હાજર થયા ન હતા. સુપ્રિમ કોર્ટે થોડા દિવસો પહેલા બિહાર પોલીસ અને સીબીઆઈને પપ્પુ યાદવની તાત્કાલિક ધરપકડ કરવા માટે કહ્યું હતું.


અલીગઢ મુદ્દા પર સંસદમાં હંગામો, કાર્યવાહી ફરી સ્થગિત

આજે સંસદમાં બંને ગૃહોમાં અલીગઢ ભૂમિ અધિગ્રહણ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો મુદ્દો ગુંજ્યો હતો. વિપક્ષે પ્રશ્નકાળ રદ્દ કરીને અલીગઢ મુદ્દા પર ચર્ચા કરાવવાની માગણી કરી હતી.વિપક્ષના હંગામા અને ભારતીય જનતા પાર્ટીના નેતા રાજનાથ સિંહની નોટિસને લોકસભા અધ્યક્ષ મીરા કુમાર દ્વારા નકારાયા બાદ લોકસભામાં હંગામો મચ્યો હતો. જેના કારણે લોકસભાના અધ્યક્ષ મીરા કુમારે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી હતી. રાજ્યસભામાં પણ અલીગઢ ભૂમિ અધિગ્રહણ અને ખેડૂતોના મોતનો મામલો ઉઠયો હતો. રાજ્યસભામાં પણ આ મુદ્દા પર હંગામો મચ્યો હતો.બપોરે 12 કલાકે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ, પરંતુ ફરી એક વખત સંસદમાં હંગામો થયો અને પ્રશ્નકાળ રદ્દ કરવાની માગણી કરવામાં આવી હતી. લોકસભાના સ્પીકર મીરા કુમારે હંગામાને કારણે ગૃહની કાર્યવાહી ફરી વખત સ્થગિત કરી દીધી હતી.

No comments:

Post a Comment