17 July 2010

આઇફોન-4 માટે મફતમાં [સુરક્ષા કવર] સિક્યોરિટી મળશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આઇફોન-4 માટે મફતમાં [સુરક્ષા કવર] સિક્યોરિટી મળશે

કંપનીએ આ નવો ફોન તાજેતરમાં જ બજારમાં ઉતાર્યો છે. તેમાં કેટલીક ટેકનિકલી ખામીઓ છે.આ ખામીઓના લીધે લોકોને આ આઇફોન-4 ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રહાકો કહી રહ્યા છે કે આ ફોનને એક ખાસ રીતે પકડવામાં આવે તો કોલ વચ્ચેથી જ કપાઇ જાય છે.મોટી સંખ્યામાં જ્યારે ગ્રાહકો આ પ્રકારની ફરિયાદ લઇને શોરૂમ પર પહોંચવા લાગ્યા તો કંપનીએ આનન ફાનનમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને સીઇઓ સ્ટીવ જોબ્સે મફતમાં તમામને સુરક્ષા કવર આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે અત્યારસુધીમાં જેટલા પણ ફોન ખરીદ્યા છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં જે લોકો ફોન ખરીદશે તેમણે સુરક્ષા કવર મફતમાં અપાશે.જોબ્સે કહ્યું કે કવર લગાવ્યા બાદ પણ જે લોકોના ફોનમાં મુશ્કેલી આવે છે તો તેમને નાણાં પરત કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે ફોનના બહારના એન્ટિનામાં કેટલીક મુશ્કેલી છે.એપ્પલે 24મી જૂનના રોજ આઇફોન-4 બજારમાં ઉતાર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 30 લાખ ફોન વેચાઇ ચૂકયા છે. આ કંપનીની સૌથી ઝડપથી વેચાનાર પ્રોડક્ટ બની ચૂકી છે. અત્યાર સુધી કંપની ફોનમાં આવી રહેલ સમસ્યાને ખાસ ગંભીરતાથી લેતી ન હતી. પહેલાં તેમણે કહ્યું હતું કે આ તો સોફટવેરની સમસ્યા છે. પરંતુ જ્યારે કેટલાંય ગ્રાહકોના સંગઠનોએ આ ફોનનો ટેસ્ટ કર્યો તો ખબર પડી કે એન્ટીનામાં પ્રોબ્લેમ છે.સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીના ચીફ એન્ટિના એન્જિનિયરે ફોન બજારમાં આવ્યો તેના મહિનાઓ પહેલાં જ આ સમસ્યા અંગે ચેતાવણી આપી હતી, પરંતુ સ્ટીવ જોબ્સે તેના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું


ઝારખંડ : નશામાં ઘૂત એક જવાને સાત સાથી જવાનોને મોતને ઘાટ ઉતાર્યા

ઝારખંડના સરાયકેલા-ખરસાંવા જિલ્લામાં સીઆરપીએફ કેમ્પમાં નશામાં ઘૂત એક જવાને પોતાના સાત સાથીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. નશામાં ઘૂત હરવિંદરસિંહ નામનો આ જવાન અમૃતસરનો રહેવાશી છે. આ ગાળીબારમાં સીઆરપીએફના એક જવાનની હાલત ગંભીર છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. સરાયકેલરા-ખરસાંવા જિલ્લાના અધિકારીએ ઘટનાની પુષ્ટિ આપી મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના ગત્ રાત્રી દરમિયાનની છે. જેની જાણકારી લોકોને આજે સવારી મળી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ઉમરે ચિદમ્બરમ્ સાથે કાશ્મીરની સ્થિતીની ચર્ચા કરી

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત બાદ ઉમરે પત્રકારોને કહ્યું હતું કે તેમણે જમ્મુ-કાશ્મીરની તાજેતરની પરિસ્થિતિ પર ચર્ચા કરી છે. મુલાકાત દરમિયાન એ વાત પર ચર્ચા કરવામાં આવી હતી કે પોલીસ અને અર્ધ લશ્કરી દળોને એના માટે યોગ્ય બનાવી શકાય કે ભીડ પર કાબૂ મેળવી શકે અને નિર્દોષોના જીવ પણ ન જાય.તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી સાથે આ મુલાકાતમાં આગળના પગલાંની પણ ચર્ચા કરવામાં આવી છે કે જેથી કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે શાંતિ બહાલ કરી શકાય ઉમર અબ્દુલ્લા સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીને મળે તેવી સંભાવના પણ છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા કાશ્મીર ખીણમાં સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે ઘણી હિંસક ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં 14 લોકોના જીવ ગયા છે.


ઈન્દૌર : વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ

મધ્યપ્રદેશના ઈન્દૌરના એરપોર્ટ પર દિલ્હી માટે ઉડેલા એક વિમાન સાથે શનિવાર સવારે એક પક્ષી ટકરાતા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.અહીંના દેવી અહલ્યાબાઈ એરપોર્ટના નિદેશક વિવેક ઉપાધ્યાયે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વિમાન ગો એરવેઝનું હતું. તેણે સવારે 7-45 કલાકે ઈન્દૌરના એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. ઉડાણ ભર્યાની 15 મિનિટમાં તેની સાથે પક્ષી ટકરાતાં તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું.વિમાનની તપાસ કરવા માટે મુંબઈથી એન્જીનિયર પહોંચી રહ્યાં છે. ઉડાણોના રદ્દ થવાની કે ન હોવાની હાલ પૂરતી કોઈ માહિતી નથી.


‘ઈરાની પરમાણુ વૈજ્ઞાનિક શાહરામ અમીરી અમેરિકાના જાસૂસ’

અમેરિકાના એજન્ટો પર અપહરણનો આરોપ લગાવનાર ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિક શાહરામ અમીરી અમેરિકાની જાસૂસી એજન્સી(સીઆઈએ) માટે જાસૂસી કામ કરતા હતાં.‘ન્યૂયોર્ક ટાઈમ્સે’ અમેરિકાના અધિકારીઓના હવાલેથી લખ્યું છે કે અમીરી સીઆઈએને ગુપ્ત માહિતી આપતા હતાં. ગુરુવારે તહેરાન પાછા ફરેલા અમીરીએ જણાવ્યું હતું કે ઈરાની પરમાણુ કાર્યક્રમ અંગે ખોટું બોલવા માટે તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ અમેરિકાએ તેના અપહરણની વાતનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે ઈરાનના વૈજ્ઞાનિક પર અમેરિકામાં કોઈ દબાણ કરવામાં આવ્યં ન હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકે અમેરિકાના ગુપ્તચર અધિકારીઓને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તહેરાનની એક યુનિવર્સિટીને પરમાણુ કાર્યક્રમ માટે મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવી છે. સમાચાર પત્રના જણાવ્યા પ્રમાણે અમીરીએ તેના દેશના પરમાણુ કાર્યક્રમની ગુપ્ત માહિતી પણ સીઆઈએને આપી હતી.અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમીરી જ્યારે ગુપ્તચરના રૂપમાં સુચનાઓ આપવાનું કામ કરતા હતાં ત્યારે તેઓ સાઉદી આરબ પણ ગયા હતાં. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે અમીરી અમેરિકાના એરિઝોના વિસ્તારમાં રહેતા હતાં. જો કે તેમણે પોતાની પત્ની અને બાળકોને પણ અહીં લાવવા માટેના પ્રયાસો કર્યા હતાં કે નહીં તે અંગે જાણી શકાયું નથીનોંધનીય છે કે અમેરિકા એવું કહી રહ્યું છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવા માટે પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. જ્યારે ઈરાનનું કહેવું છે કે તે પરમાણુ શક્તિનો ઉપયોગ ફક્ત શાંતિપૂર્ણ રીતે ઉદેશ્યો પાર પાડવા માટે કરી રહ્યું છે.

ભારત-પાકિસ્તાન મંત્રણા નિષ્ફળ

પાક. કાશ્મીરને અને ભારત ત્રાસવાદને વળગી રહેતાં મામલો બગડ્યો. ભારત-પાકિસ્તાન વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવવા નવેસરથી થયેલી પહેલને ફટકો પડ્યો છે. પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને ઉઠાવતાં બન્ને દેશના વિદેશમંત્રી વચ્ચેની ભારત-પાક. મંત્રણા પડી ભાંગી છે. મંત્રણા નિષ્ફળ રહેતાં બન્ને પક્ષે એકબીજા પ્રત્યે આરોપ-પ્રતિઆરોપનો દોર ચાલ્યો હતો. અલબત્ત, પાકિસ્તાનની આ કૂટનીતિ અંગે ભારતના વિરોધ પક્ષોએ ઘેરા પ્રત્યાઘાત આપ્યા છે અને વાટાઘાટો કાયમને માટે બંધ કરી દેવાનો આગ્રહ રાખ્યો છે.મંત્રણા નિષ્ફળ રહેવા માટે પાક. વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ ભારત પર આરોપ મૂક્યો છે કે તેનું વલણ ‘પસંદગી’નું હતું. જ્યારે ભારતીય વિદેશમંત્રી એસએમ કૃષ્ણા નવી દિલ્હીના ઇશારે વર્તી રહ્યા હતા. તેમણે ગૃહસચિવ પિલ્લાઇના હાફિઝ સઇદ અંગેના નિવેદન અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો. આ આરોપને કૃષ્ણાએ નકાર્યા છે. મુખ્ય મુદ્દો એ છે કે શુક્રવારની મંત્રણા દરમિયાન પાકિસ્તાને કાશ્મીર મુદ્દા વગર ચર્ચા નહિ કરવા અડોડાઇ કરી હતી. જ્યારે ભારત મોટાભાગે ત્રાસવાદના મુદ્દા પર વધુ ભાર મૂકવા ઇચ્છતું હતું.ભારતીય વિદેશમંત્રી કૃષ્ણાએ જણાવ્યું હતું કે ભારત તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા તૈયાર નહોતું, તેવા કુરેશીના દાવામાં કોઇ સત્ય નથી. અમે સંપૂર્ણપણે તૈયાર હતા. પ્રતિનિધિ પાસે સર્વાધિકાર હતા. દિલ્હી સાથે વાત કરવાની કોઇ જરૂર નહોતી. તમામ મહત્વપૂર્ણ અને જવલંત મુદ્દાઓ અંગે ચર્ચા થઇ. વિશ્વાસની દરારને ઘટાડવાના ઉપાયો અંગે પણ ચર્ચા થઇ. કૃષ્ણાએ શુક્રવારે ઇસ્લામાબાદથી પાછા ફર્યા બાદ આ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.મંત્રણા દરમિયાન ટેલિફોન પર દિલ્હી સાથે સતત વાત કરવાના કુરેશીના આરોપને તેમણે ખોટા ગણાવ્યા. તેમણે જણાવ્યું હતું કે વાર્તાલાપ દરમિયાન મેં ફોનનો ઉપયોગ કર્યો જ નથી. ભારત સાથે કોઇ સંપર્ક નહોતો. કેમ કે, જે જવાબદારી અને અધિકાર મને અપાયા હતા તે એકદમ સ્પષ્ટ હતા. દિલ્હીથી કોઇ વધારાના નિર્દેશ લેવાની જરૂર નહોતી.કૃષ્ણાએ ઉમેર્યું હતું કે તે ઉપરાંત જો ટેલિફોન પર કોઇ વાત થઇ હોય તો કૂટનીતિ અનુસાર તે કાંઇ ખોટું નથી. કેમ કે, મુખ્યાલય સાથે સંપર્કમાં રહેવું એ કોઇ ખોટી બાબત નથી. હું હંમેશા મુખ્યાલય સાથે સંપર્કમાં રહેતો હોઉં છું.કાશ્મીર જેવા મુદ્દાઓ અંગે તીવ્ર મતભેદથી ભારત-પાક. વાર્તાલાપ પડી ભાંગ્યા બાદ દિલ્હી પાછા ફરેલા વિદેશમંત્રી કૃષ્ણાએ વડાપ્રધાન મનમોહનસિંઘને પાકિસ્તાનમાં થયેલી મંત્રણા અંગે માહિતી આપી હતી. બન્ને વચ્ચે લગભગ ૧૦ મિનિટ સુધી વાતચીત થઇ હતી. જોકે, આ સંબંધમાં પત્રકારોને વિગતો આપવાનો કૃષ્ણાએ ઇનકાર કર્યો હતો.વિદેશમંત્રીઓ વચ્ચેની વાતચીત નિષ્ફળ રહેવા બદલ પાકિસ્તાને દોષનો ટોપલો ભારત પર ઢોળ્યો હતો. પાકિસ્તાની વિદેશમંત્રી કુરેશીએ જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દાને સામેલ કર્યા વગર મંત્રણા આગળ ન વધી શકે. વિદેશમંત્રી કૃષ્ણા અહીં ભારતીય પ્રતિનિધિમંડળના નેતા હતા, પણ તેઓને સતત દિલ્હીથી નિર્દેશો મળતા રહ્યા. એવું લાગે છે કે ભારત ભવિષ્ય માટે કોઇ વાયદો નથી કરવા માગતું.
કૃષ્ણાએ હજુ ઇસ્લામાબાદ છોડ્યું પણ નહોતું, ત્યાં જ કુરેશીએ પત્રકારોને જણાવ્યું હતું કે કાશ્મીર જેવા મહત્વપૂર્ણ મુદ્દાને પડતો મૂકીને વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો અંગે વાતચીત કરવાનો કોઇ અર્થ નથી. તેવું કહેવાયું છે કે પાકિસ્તાનીઓ અને કાશ્મીરીઓને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સાથે કોઇ મતલબ ન હોવો જોઇએ, પણ આ વાત સંભવ નથી. ત્યાં માસૂમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સેના ગોઠવાઇ છે. કેટલાય વિસ્તારોમાં કરફ્યૂ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન તેનાથી અલગ કેવી રીતે રહી શકે?કુરેશીએ જણાવ્યું હતું કે કેટલાક પસંદગીના મુદ્દે કેવી રીતે વાતચીત થઇ શકે. તમામ વિષયોને એક્સાથે લઇને આગળ વધીએ ત્યારે જ સફળતા મળી શકે. માત્ર ભારતની રુચિના મુદ્દા પર વાતચીત કેવી રીતે સંભવ છે. પાકિસ્તાનનાં હિતોનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યું બુધવાર રાતે ડિનર દરમિયાન કૃષ્ણા સાથે સારી વાતચીત થઇ, પણ શુક્રવારે બધું જ બદલાઇ ગયું. કૃષ્ણા ફોન સાંભળવા ઊભા થઇને બહાર જતા હતા એટલું જ નહિ પણ સતત દિલ્હીથી તેમને નિર્દેશો મળતા હતા.
પાકિસ્તાની વિદેશમંત્રી કુરેશીનાં નિવેદનોની ઝાટકણી કાઢીને ભાજપે, પાકિસ્તાન સાથે વાટાઘાટો બંધ કરવી જોઇએ તેવી માગણી કરી હતી. કેમ કે, દેશ વારંવાર અપમાન સહન ન કરી શકે. ભાજપે જણાવ્યું હતું કે પાકિસ્તાની વિદેશમંત્રી ડિપ્લોમ્સીની એબીસી પણ જાણતા નથી. અગાઉ પણ પાકિસ્તાને આવું વર્તન કર્યું છે માટે હવે વાટાઘાટો બંધ કરો. વપિક્ષી નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે કુરેશીને કુટનીતિનો કખગ પણ આવડતો નથી.જ્યારે યશવંતસિંહાએ તો કુરેશીની કાબેલિયત સામે સવાલ ઊભો કરી દીધો હતો. તેમણે જણાવ્યું કે પાક. વિદેશ મંત્રી તો કોઈ પણ એલચી કચેરીના સેકન્ડ સેક્રેટરી બનવાને પણ યોગ્ય નથી. પક્ષના પ્રવકતા રવિશંકર પ્રસાદે એ વાતે અફસોસ વ્યક્ત કર્યો હતો કે વિદેશ મંત્રી કૃષ્ણાએ કુરેશીના વાંધાજનક નિવેદનોનો યોગ્ય જવાબ કેમ ના આપ્યો. તેમણે કૃષ્ણાની પણ આકરી ઝાટકણી કાઢી હતી.પાક. વિદેશ મંત્રી શાહમહેમૂદ કુરેશીએ ગૃહસચિવ જી.કે. પિલ્લાઇ દ્વારા કરાયેલા નિવેદનનું બહાનું કાઢી સમગ્ર વાટાઘાટ પ્રક્રિયાને તોડી પાડી હતી. પિલ્લાઇએ એક મુલાકાતમાં એવું જણાવ્યું હતું કે લશ્કર-એ- તોઇબાના ત્રાસવાદી ડેવિડ હેડલીએ તાજેતરમાં એનઆઈએની પૂછપરછમાં જણાવ્યું હતું કે મુંબઈ હુમલામાં પ્રારંભથી અંત સુધી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સામેલ હતી. બસ આ મુદ્દે કુરેશી અડી ગયા હતા.તેમણે પિલ્લાઇની સરખામણી જમાત-ઉદ-દાવા અને મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ ગણાતા હાફિઝ સાથે કરી દીધી હતી. હાફઝિ સઇદને નિવેદનબાજી કરતા પાકિસ્તાન રોકી શકે નહીં તેમ પાક. અગાઉ જણાવી ચૂક્યું છે અને પિલ્લાઇના નિવેદનને પણ તેમણે હાફિઝ સઇદના નિવેદન જેવું જ ગણાવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે કુરેશીએ વાટાઘાટના પ્રથમ દિવસે આ મુદ્દો ઉપસ્થિત કર્યો ન હતો.


અમેરિકા : આવી ગઈ ટોઈલેટ કાર!

અમેરિકાના એક પરિવારે મુસાફરી દરમિયાન થતી ટોઈલેટની સમસ્યાથી છૂટકારો મેળવવાનો સરળ રસ્તો શોધી કાઢ્યો છે. આ પરિવારે ટોઈલેટ સિટવાળી એક અનોખી કાર બનાવી છે. એટલે કે હવે મુસાફરી દરમિયાન ટોઈલેટ લાગે તો આજુબાજુ જોવાની ઝંઝટમાંથી મુક્તી.પરિવારના અગ્રણી ડેવ હર્શને આ કાર બનાવતા ચાર વર્ષ લાગ્યા હતાં. આ પહેલા તેણે કારના ત્રણ નમૂના તૈયાર કરવા પડ્યાં હતાં ત્યારે જઈને તેની પરફેક્ટ કાર તૈયાર થઈ હતી. ડેવે પોતાના બાળકોની રમકડાની કારની નકલ કરીને આ કાર તૈયાર કરી હતી.આ કારમાં 6.5 હોર્સપાવરનું એન્જીન લાગેલું છે. તેમજ બે લોકો આ કારને આરામથી 30 માઈલ પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકે છે. આ કારમાં છ ટોયલેટ રોલ પણ છે. ડેવે જણાવ્યું હતું કે મારી પહેલી કારનો નમૂનો કંઈ ખાસ ન હતો. તેમાં સાદી રીતે એક કારની ઉપર ટોઈલેટ સીટ લગાવી દેવામાં આવી હતી. આ કાર થોડું જ ચાલી હતી કે ટોઈલેટ સીટ કારમાંથી નીચે પડેને ભાંગી ગઈ હતી.ત્યાર બાદ બીજી કારમાં ટોઈલેટની એક જ સીટ લગાવવામાં આવી હતી. આ કાર પણ એક પ્રવાસ પુરો કરી શકી ન હતી. મારો મિત્ર જેવો જ ટોઈલેટ પર બેઠો કે તેની સીટ તૂટી ગઈ હતી. પરંતુ હવે મે ટોઈલેટ સુવિધાવાળી પરફેક્ટ કાર તૈયાર કરી લીધી છે. આ કાર બધી જ પરિક્ષાઓમાંથી પસાર થઈ ગઈ છે. તેમજ લોકોને મારી કાર એટલી પસંદ પડી ગઈ છે કે તે તેનો ફોટોગ્રાફ્સ પણ લઈ રહ્યા છે.


ગાયત્રીની દસ ભુજાઓનું રહસ્ય

વૈજ્ઞાનિક શોધ સંશોધન બાદ દેવી દેવતાઓની સ્થાપ્નાનો ઈતિહાસ રચાયો છે. આજકાલના ભણેલા લોકો દેવી દેવતાઓની પૌરાણિક વાર્તાઓને અંધવિશ્વાસમાં ગણાવે છે.પરંતુ આ રીતે દેવી દેવતાઓ વિશેની પૌરાણિક વાતોને અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા ના ગણવી જોઈએ. પરંતુ તેમનું આ રીતે વિચારવું અધૂરા જ્ઞાનની નિશાની છે. ચિત્રોમાં અને મૂર્તિઓમાં દેવી દેવતાઓને એકથી વધુ ભુજાઓવાળા અને અનેક મુખોવાળા દર્શાવવામાં આવે છે.પરંતુ મનમાં થાય કે આ રીતે દેવી દેવતાઓને જુદા સ્વરુપમાં રજુ કરવાનો વાસ્તવિક અર્થ શું છે? આ પ્રકારના અનેક પ્રશ્નો અને જિજ્ઞાસાઓને સમાધાન સ્વરુપે વિશેષ ઉત્તર સ્વરુપે સ્વીકારવા જોઈએ. ઈશ્વરના વિવિધ સ્વરુપ વિશે જાણતા આપણે ગાયત્રીની દસ ભુજાઓના અર્થ વિશે જાણીએ.મનુષ્યના જીવનમાં દસ શૂળ એટલે કે દસ કષ્ટ છે- દોષયુક્ત દ્રષ્ટિ, પરાવલંબન (બીજા પર નિર્ભર રહેવું) ભય, ક્ષુદ્રતા , અસાવધાની, ક્રોધ, સ્વાર્થ, અવિવેક, આળસ અને તૃષ્ણા. ગાયત્રીની દસ ભુજાઓ આ દસ કષ્ટોનો નષ્ટ કરે છે. ગાયત્રીની ડાબી પાંચ ભુજાઓ મનુષ્યના જીવનમાં પાંચ આત્મિક લાભ આપનારી છે. આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મ-અનુભવ અને આત્મ કલ્યાણ આપનારી છે તથા ગાયત્રીની જમણી બાજુની પાંચ ભુજાઓ પાંચ સાંસારિક લાભ, સ્વાસ્થય, ધન ,વિદ્યા, ચાતુર્ય અને બીજાને સહયોગ આપનારી છે.આ દસેય ભુજાઓ પ્રમાણે ગાયત્રીનું ચિત્રણ તેના અલૌકિક સ્વરુપ પ્રમાણે કરવામાં આવે છે. આ દસેય ભુજાઓ આપણા જીવનના વિકાસની દસ દિશાઓ છે.ગાયત્રીના માતાના દસ હાથ સાધકને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરનારા છે. ગાયત્રીને સહસ્ત્ર નેત્રો, સહસ્ત્ર કર્ણો, સહસ્ત્ર ચરણો પણ કહેવામાં આવે છે. તેની ગતિ સર્વત્ર છે.

No comments:

Post a Comment