17 January 2010

જામજોધપુર પાસે સગા ભાઇ-બહેનને કાળ ભરખી ગયો : ભાણવડ નજીક ટ્રકે ત્રિપલ સવાર બાઇકને ફંગોળતા જુનાગઢના યુવાનનું મૃત્યુ

મકરસંક્રાંતિના દિવસે સર્જાયેલા બે અકસ્માતમાં સગર ભાઇ-બહેન સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા હતાં. ભાણવડ નજીક ખાનગી બસે મોટર સાયકલને ઠોકરે ચડાવતા પોરબંદર પથકના સગર ભાઇ-બહેનના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે જામજોધપુર નજીક ટ્રકની ઠોકરે જુનાગઢના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. ભાણવડ નજીક ભણગોર ગામના પાટીયા પાસે પુરઝડપે જે-રપડી-૩૨૧૫ નંબરના મોટર સાયકલને ઠોકરે ચડાવી ઘડાકાભેર અકસ્માત સર્જયો હતો. જેમાં મોટરસાયકલ સવાર વિનુભાઇ કરશનભાઇ કારેણા (ઉ.વ.ર૦) અને તેની બહેન જશુબેન (ઉ.વ.૧૧) ને ગંભીર ઇજા પહોચતા બન્નેના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં. પોરબંદરના અમરદળ ગામે રહેતો મૃતક સગર યુવાન અને તેની બહેન ભાણવડ તાલુકાના ગોવાણ ગામે રહેતા કાકા અરજનભાઇને ત્યાં આંટો મારી પરત ગામડે જઇ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતા નાના એવા અમરદડ ગામ અને સગર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવના પગલે લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતક નાશી છુટેલા બસ ચાલક સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી. જ્યારે જામજોધપુર નજીક ઉપલેટા રોડ પર જીજે-૧૦યુ-૫૨૪૯ નંબરના ટ્રકે જીજે-૧૧જેજે-ર૦૦૦ નંબરના મોટરસાયકલને ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં જુનાગઢના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા તુષાર દિલીપ હરીભાઇ દરજીનું મત્યુ નિપજ્યું હતું. જયારે બાઇક પાછળ બેઠેલા અરજણ પુંજાભાઇ (ઉ.વ.રર) અને સંજય બીજલભાઇ (ઉ.વ.ર૮) નામના રબારી યુવાનોને ઇજા પહોચતા ઉપલેટા હોસ્પિટલ ખસેડાયા હતાં. અતિ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે મોટર સાયકલને ડ્રાઇવીંગ સાઇડ પર ઠોકર મારી હતી. છતાં પણ બસની ગતિ ઓછી થઇ નહોતી અને મૃતક ભાઇ-બહેન પ૦ થી ૬૦ ફુટ દુર બસ સાથે ઢસડાયા હતાં.

No comments:

Post a Comment