22 January 2010

હળવદ : ભગવા ત્યજી દઇ સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામીએ શિક્ષિકા સાથે સંસાર માંડ્યો...!

અમુક સાધુઓને લીધે સ્વામી નારાયણ સંપ્રદાય સતત વિવાદમાં જ રહે છે ત્યારે મૂળ વઢવાણ તાલુકાના અને હળવદ તાલુકાના ચરાડવામાં રહેતા એક સાધુ મોરબીમાં એક શિક્ષિકા સાથે ખાનગીમાં ફેરા ફરી લગ્ન કરી લેતા ચકચાર ફેલાઇ છે. આ બનાવ સમગ્ર પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
હળવદ પંથકમાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના પૂર્વ સ્વામીએ કિંમતી જમીનના દસ્તાવેજો સાથે ગોટાળો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં લાંબા સમય જેલમાં રહ્યાં બાદ આ સ્વામી જેલમાંથી છૂટ્યા હતા. ત્યારે આ સ્વામીએ બુધવારે મોરબી પંથકમાં એક શિક્ષિકા સાથે લગ્ન કરી લેતા ચકચાર ફેલાઇ છે. વઢવાણ એંસી ફૂટ રોડ પર આવેલી એક સોસાયટીમાંથી આ સ્વામીની જાન મોરબી ગઇ હતી. આ સ્વામી હળવદ પંથકની એક શિક્ષિકા સાથે બુધવારે ખાનગી રીતે લગ્ન સંમારંભ યોજીને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ લગ્નનો દેકારો ન થાય તે માટે સનાડા રોડ પર યોજાયેલા લગ્ન સમાંરભમાં માત્ર નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સ્વામી વઢવાણ તાલુકાના એક ગામમાં રહીને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સ્વામી નારાયણ સંપ્રદાયમાં દિક્ષા લઇ હળવદ તાલુકામાં ગુરુકુળનું સંચાલન કર્યું હતું. આ દરમિયાન આ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આ સ્વામીએ મોરબી ખાતે લગ્ન કરી લેતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.

અગાઉ પણ એક સ્વામી ઘોડે ચડ્યા હતા

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અને હળવદ તાલુકામાં રહેતા ગુરુકુળના સ્વામીએ ચાર ફેરા ફરી લેતા ચકચાર ફેલાઇ છે ત્યારે અગાઉ પણ એક સ્વામીએ ભગવા ત્યજી લગ્ન કર્યાનો બનાવ નોંધાયો છે. આ સ્વામી પણ વઢવાણ તાલુકાના એક ગામના હતા. આમ વઢવાણ તાલુકાના બે સ્વામીએ ભગવા ત્યજી ઘોડે ચડતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ચકચાર ફેલાઇ છે.

No comments:

Post a Comment