22 January 2010

ગુજરાતમાં નક્સલ વાદનો પગ પેસારો આંધ્રનો ખૂંખાર નકસલ સૂર્ય દેવરા ગુજરાતમાં દસ વર્ષ સુધી રોકાયો, ગુપ્તચર વિભાગનો શ્વાસ અઘ્ધર : નક્સલ વાદનું વાંધા જનક સાહિત્ય જપ્ત, સુરતના પાવર લૂમ્સમાં કામ કરતા કેટલાક પર-પ્રાંતીય કારીગરોને નક્સલ વાદના પાઠ ભણાવતો હતો

ગુજરાતમાં નક્સલ વાદનો પગ પેસારો
આંધ્રનો ખૂંખાર નકસલ સૂર્ય દેવરા ગુજરાતમાં દસ વર્ષ સુધી રોકાયો, ગુપ્તચર વિભાગનો શ્વાસ અઘ્ધર :
નક્સલ વાદનું વાંધા જનક સાહિત્ય જપ્ત, સુરતના પાવર લૂમ્સમાં કામ કરતા કેટલાક
પર-પ્રાંતીય કારીગરોને નક્સલ વાદના પાઠ ભણાવતો હતો

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના પાવર લૂમના અસંગડિત કારીગરોમાં નક્સલ વાદ પ્રસરી ચૂકયો છે. ગુજરાતમાં નક્સલ વાદ ફેલાવવા ૧૦ વર્ષ પહેલાં કુખ્યાત નક્સલ વાદી સૂર્ય દેવરા પ્રભાકરે મુંબઈ એ.ટી.એસ. સમક્ષ કરેલી સ્ફોટક કબૂલાતમાં આ પર્દાફાશ થયો છે. આ કબૂલાતના કારણે ગુજરાત પોલીસના હોશ-કોશ ઊડી ગયા છે. મુંબઈના કાંજુર માર્ગ વિસ્તારમાંથી એ.ટી.એસ.ના હાથે ઝડપાયેલો સૂર્યા દેવરા પ્રભાકર ઉર્ફે સુધીર ઉર્ફે જનાર્દન ઉર્ફે મનોજ ઉર્ફે ભરત રમણ ગાંધી (૬૦) ગુજરાતના સુરત તથા પંચ મહાલ-દાહોદના આદિ વાસી વિસ્તારોને ધમરોળતો રહ્યો હોવાની માહિતી બહાર આવી છે. એક દાયકામાં તેણે નક્સલ વાદ અને માઓ વાદ ફેલાવવા માટે કોને ટ્રેનિંગ આપી તેની પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાત પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રથમ એવો બનાવ છે કે જેમાં ગુજરાતમાં નકસલ વાદીઓએ બેઝ બનાવ્યો હોવાની પુષ્ટિ થાય છે. એટલું જ નહીં, પરંતુ પીપલ્સ વોર ગ્રૂપ અને માઓ વાદીઓ સાથે સંકળાયેલા સૂર્ય દેવરા સુરતના પાવર લૂમ્સમાં કામ કરતા કેટલાક પર-પ્રાંતીય કારીગરો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભરતીનું કામ કરતો હોવાની શંકાના આધારે ગુપ્તચર વિભાગે તપાસનો દોર આરંભી દીધો છે..! તેની પાસેથી નકસલ વાદને લાગતું ગુપ્ત સાહિત્ય પણ કબજે લેવામાં આવ્યું છે. મુંબઈ એ.ટી.એસ.ના સિનિયર ઇન્સ્પેકટર રવીન્દ્ર ડોઈફોડેએ જણાવ્યું કે સૂર્ય દેવરા મૂળ આંધ્રના વારંગલનો વતની છે. ૧૯૭૮માં નકસલ વાદમાં જોડાયો હતો અને ૪ વર્ષ સુધી આંધ્ર પ્રદેશમાં કામ કર્યા બાદ તેને ગુજરાતના અદિવાસી વિસ્તારોમાં નકસલ વાદના પાઠ ભણાવવા તથા તાલીમ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આશરે દસ વર્ષ સુધી ગુજરાતમાં તે આદિવાસીઓને નકસલ વાદના પાઠ ભણાવતો રહ્યો હતો. બાદમાં તેના કામથી પ્રભાવિત થઈને તેને મુંબઈનું કામ સોંપ્યું હતું. મુંબઈમાં તે દહિસર, માનખુર્દ, જોગેશ્વરી અને કાંજુર માર્ગ વિસ્તારોમાં નામ બદલીને રહેતો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દાહોદના લીમખેડા વિસ્તારમાં પોલીસ હેડકવાર્ટરની આર્મરીમાંથી હથિયારો અને કારતૂસો લૂંટી લેવામાં આવ્યાં હોવાની ઘટનાએ પણ રાજયમાં નકસલ વાદ પગપસારો કરી રહ્યો હોવાના સંકેત આપ્યા હતા. આ બાબતે દાહોદ જિલ્લાના પોલીસ વડા વિપુલ અગ્રવાલને પૂછતાં તેમણે જણાવ્યું કે લીમખેડા લૂંટમાં નકસલ વાદની છાંટ જણાતી નથી, પરંતુ મુંબઈ એ.ટી.એસ. દ્વારા પકડાયેલા સૂર્ય દેવરાની માહિતી મેળવવા માટે તેઓ અચૂક પ્રયાસ કરશે.
પગપેસારા વિષે એલર્ટ અપાયેલું

થોડા સમય પહેલાં ગુપ્ત ચર વિભાગે એક પરિ-પત્ર જારી કરીને પાકિસ્તાની તથા નક્સલ વાદીઓ ગુજરાતમાં પગ પેસારો કરશે તેવી દહેશત વ્યકત કરી હતી. સૂર્ય દેવરા પત્ની અંજલિને રિપોર્ટિંગ કરતો હતો સૂર્ય દેવરાનું ગુજરાતમાં કામ એટલું સારું હતું કે તેને મુંબઈ યુનિટના સ્ટેટ કમિશનની પદવી આપવામાં આવી હતી. તે આ કમિશનના સચિવ મિલિંદ પાસે કામ કરતો હતો. મુંબઈ દળની સચિવ એવી પોતાની પત્ની અંજલિને રિપોર્ટિંગ કરતો હતો.
સૂર્યદેવરાએ ઇલેકશન કાર્ડ પણ કઢાવ્યું હતું
ગાંધીના નામ હેઠળ સૂર્ય દેવરાએ મુંબઈમાં ઇલેકશન કાર્ડ કઢાવી લીધું હતું. તેની પાસે મઘ્ય રેલવેનો પાસ પણ હતો. મુંબઈમાં તે દહીસર, માનખુર્દ, જોગેશ્વરી અને કાંજુર માર્ગ વિસ્તારમાં નામ બદલીને પણ રહ્યો હોવાના અહેવાલ છે.
પાંચ ભાષા, કમ્પ્યૂટર પર પ્રભુત્વ હતું

સૂર્ય દેવરાને પાંચ ભાષાઓ ઉપર પ્રભુત્વ હતું અને તે મુંબઈમાં ઐક સાયબર કાફેમાં નોકરી કરતો હોવાથી કમ્પ્યૂટર ઉપર પણ સારું પ્રભુત્વ હતું.

No comments:

Post a Comment