22 January 2010

રાજકોટમાં પ્રેમી યુગલનો આપઘાત

શહેરના ચુનારાવાડમાં રહેતા કોળી યુવાન અને રત્નદીપ સોસાયટીની પ્રજાપતિ યુવતીએ ન્યારી ડેમ નજીક જલદ એસિડ ગટગટાવી સજોડે આપઘાત કરી લીધો હતો. દોઢ વર્ષ પૂર્વે જ્ઞાતિની યુવતી સાથે સગાઇ થયા પછી કોળી યુવાનને પ્રજાપતિ યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. પરિવાર આ સંબંધને સ્વીકૃતિ નહીં આપે તેવા ડરથી પ્રેમી યુગલે બુધવારે એસિડ ભેળવેલું ઠંડુ પીણું ગટગટાવી એક-મેકની બાહોમાં સમાઇ મોતની ચાદર ઓઢી લીધી હતી. લોધિકાના પી.એસ.આઇ. વી. એસ. ઠાકર, મદદનીશ પ્રવીણભાઇએ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કર્યા હતા. ખિસ્સામાંથી મળી આવેલા લાઇસન્સ પરથી ચુનારાવાડના રાવણ ચોકમાં રહેતા કિશોર ખીમજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬) નો મૃત દેહ હોવાનું સ્પષ્ટ થયું હતું. ન્યારી ડેમના ચોકીદાર કાળુભાઇ સવારે રાઉન્ડમાં નીકળ્યા ત્યારે વડવાજડી ગામના સીમાડા તરફ બાવળની ઝાડીમાં બે મૃતદેહ નજરે ચડયા હતા. ચોકીદારે આ અંગે લોધિકા પોલીસ અને તાલુકા પોલીસને જાણ કરી હતી. લોધિકાના પીએસઆઇ વી. એસ. ઠાકર, મદદનીશ પ્રવીણભાઇએ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. યુવકના ખિસ્સામાંથી મળી આવેલા લાઇસન્સ પરથી મૃતદેહ ચુનારાવાડના રાવણ ચોકમાં રહેતા કિશોર ખીમજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬) નો હોવાનું સ્પષ્ટ થયું હતું. સ્થળ પર આવેલા રમેશભાઇએ નાના ભાઇની લાશ ઓળખી બતાવી હતી. જયારે બીજો મૃતદેહ પેડક રોડ પર રત્નદીપ સોસાયટીમાં રહેતી માધવી લાલજીભાઇ બોપરિયા (ઉ.વ.૨૧) નો હોવાની માહિતી મળતા તેણીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. સ્થળ પરથી લુના મોપેડ અને એસિડ ભેળવેલું પીણું ભરેલી પ્લાસ્ટિકની બોટલ મળી હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ સોની બજારમાં ચાંદી કામ કરતો કિશોર ચૌહાણ બુધવારે સવારે ૭ વાગ્યે રાબેતા મુજબ લુના મોપેડ લઇને કામે ચાલ્યો ગયો હતો. બપોર સુધી કામે નહીં પહોંચતા તેને શેઠે ઘરે ફોન કરતાં ચિંતાતુર પરિવારજનોએ પુત્રની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ માધવી પણ પગમાં દુ:ખાવો હોવાથી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા જવાનું કહીને બુધવારે સવારે ૧૦ વાગ્યે ગયા પછી લાપતા બની ગઇ હતી. બે ભાઇ એક બહેનમાં સૌથી નાના કિશોરની સગાઇ દોઢ વર્ષ પહેલાં ભવાની નગરમાં રહેતી શિલ્પા નામની યુવતી સાથે થઇ હતી. જયારે પાંચ બહેન એક ભાઇમાં બીજા નંબરની માધવી કુંવારી હતી. કિશોરને સગાઇ થયા પછી માધવી સાથે પ્રેમ થઇ ગયો હતો. બન્ને એક થઇ નહીં શકે તેવા વિચારથી આપઘાત કરવાનો નિર્ણય કરી ન્યારી ડેમ પહોંચ્યા હતા. કિશોરે સોની કામ માટે ઉપયોગમાં લેવાતું જલદ એસિડ પેપ્સીની બોટલમાં ભેળવી દીધું હતું. બન્નેએ એસિડ ભેળવેલ પીણું ગટગટાવી એકમેકને બાથભરી જીવનનો અંત આણી દીધો હતો. મંગેતર પ્રેમિકા સાથે આપઘાત કર્યાની જાણ થતાં શિલ્પા હતપ્રભ બની ગઇ હતી.

No comments:

Post a Comment