22 January 2010

રાજકોટ: પતિના મિત્રએ બળાત્કાર ગુજારી બદનામ કરતા મહિલા સળગી મરી

ઘાંચી વાડમાં રહેતી પૂર્વી મુકેશભાઇ મુછડિયા નામની પરિણીતા ઉપર પતિના મિત્રએ ચાર માસ પહેલાં બળાત્કાર ગુજાર્યો હતો. બે દિવસ પહેલાં આરોપીએ તેના પતિને ચારિત્ર્ય વિશે એલફેલ કહેતા અગ્નિ સ્નાન કરી લેનાર પૂર્વીનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નીપજયું હતું. મરણોન્મુખ નિવેદનના આધારે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. આપઘાત માટે મજબૂર કરવાની કલમ ઉમેરાશે. ધરપકડથી બચવા આરોપી પરિવાર સાથે નાસી ગયાનું પોલીસે જણાવ્યું હતું.
કડિયા જ્ઞાતિની પૂર્વી છગનભાઇ અજાગિયાને ઘાંચી વાડના મુકેશ ચકાભાઇ મુછડિયા નામના કલર કામ કરતા વણકર યુવાન સાથે પાંચ વર્ષ પૂર્વ પ્રેમ થઇ જતા લગ્ન કરી લીધા હતા અને સંતાનમાં ત્રણ વર્ષની એક પુત્રી છે. બુધવારે રાત્રે ઘર નજીક રહેતા કલાભાઇના પ્રસંગમાં પતિના મિત્ર બકુલે તેણીના ચરિત્ર્ય વિશે શંકા વ્યકત કરતા ઘરે જઇને અગ્નિ સ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પૂર્વીએ ફોજદાર ટી.એન. વણોલ સમક્ષ મરણોન્મુખ નિવેદનમાં જણાવ્યા મુજબ, નવયુગ પરામાં રહેતા બકુલ વીરા મકવાણાએ તા. ૯/૧૧ના રોજ કપડાં સિવડાવવાના બહાને ઘરે બોલાવી હતી. તે ઘરે ગઇ ત્યારે બકુલની પત્ની કે પુત્ર હાજર ન હતા. તે રૂમમાં દાખલ થઇ તે સાથે જ બકુલે રૂમના દરવાજા બંધ કરી બળજબરીથી વાસના સંતોષી હતી. ડરના કારણે તેણે પતિથી આ વાત છૂપાવી હતી. દરમિયાન બુધવારે રાત્રે લગ્ન પ્રસંગમાં આરોપી બકુલે ચાર મહિના પહેલાં આચરેલા કુકર્મની પતિ મુકેશને જાણ કરી દેતા લગ્ન જીવન તૂટી જશે તેવા ભયથી તેણ જાત જલાવી લીધી હતી. જો કે, મુકેશે તેની પત્ની ઉપર મિત્રએ બળાત્કાર કર્યાની વાતનો ઇનકાર કરી માત્ર છેડતી થયાનું જણાવ્યું હતું. પોલીસે મરણોન્મુખ નિવેદન પરથી બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો.
આપઘાત માટે મજબૂર કરવાની કલમ ઉમેરાશે. પોલીસે વણકર પરિણીતાની ફરિયાદ પરથી આરોપી વિરુઘ્ધ બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બપોરે તેણીનું મોત નીપજતા પરિણીતાને આપઘાતની ફરજ પાડવા અંગેની કલમ ૩૦૬નો ઉમેરો કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

No comments:

Post a Comment