22 January 2010

મુખ્ય મંત્રીની જાહેરાતો અંગે શ્વેત પત્ર બહાર પાડવા માંગ

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાનાં ગઢડા મુકામે સરકારી રાહતોનાં ચેકનું વિતરણ કરવાના સમારંભમાં આવી રહ્યા છે ત્યારે મુખ્ય મંત્રીએ અત્યાર સુધીમાં ભાવનગર શહેર અને જિલ્લાનાં વિકાસ માટે કરેલી જાહેરાતો અને તે અનુસંધાને લેવાયેલા પગલાઓ અને અમલવારી અંગે હકીકતો સ્પષ્ટ કરતુ શ્વેતપત્ર બહાર પાડવા ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવેલ છે. કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી જ્યારે-જ્યારે ભાવનગર શહેર-જિલ્લામાં આવ્યા છે ત્યારે વિવિધ વિસ્તારમાં વિકાસની અનેક જાહેરાતો કરેલ છે. પરંતુ તે પૈકીની એક પણ જાહેરાતોનો વાસ્તવિક અમલ થયો નથી ત્યારે શહેર-જિલ્લાના લોકોઐ માત્ર જાહેરાતથી સંતોષ માનવો પડે છે. રાજ્ય સ્થાપના દિન ઉજવણી પ્રસંગે ઘરે ઘરે પાઇપ લાઇન દ્વારા ગેસ પહોંચાડવાથી માંડીને વિકાસની અનેક જાહેરાતો કરી હતી. પરંતુ આ અંગે કોઇ પગલાઓ લીધા નથી ત્યારે હવે મુખ્ય મંત્રી કોઇ જાહેરાતો કરવાને બદલે તેમણે અગાઉ કરેલી જાહેરાતો મુજબ અમલવારી થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા કોંગ્રેસ સમિતિનાં અગ્રણીઓએ મુખ્યમંત્રીને અનુરોધ કરેલ છે.

No comments:

Post a Comment