22 January 2010

જામનગર મહા નગર પાલિકાનો અંધેર વહીવટ : નળજોડાણ ન હોવા છતાં બિલ!

જા.મ્યુ.કો.નાં અંધેર વહીવટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તાર રહેતા જયેન્દ્ર વલ્લભદાસ દાવડા તથા પટેલ કોલોની વિસ્તારમાં દુકાન ધરાવતાં પુષ્પાબેન ગાંડુભાઇ બોરીચા નામના દુકાન ધારક નળ જોડાણ ન ધરાવતા હોવા છતાં છેલ્લા બે વર્ષથી સતત બીલ મોકલવવામાં આવી રહ્યા છે આ અંગે ગત વર્ષ પણ અરજી કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ભૂલનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. પાલિકાની વોટર વર્કસ શાખા અનેક મિલકત ધારકોને નળ કનેકશન ન હોવા છતાં દર વર્ષે બીલ મોકલી રહી છે અને તેવા મિલકત ધારકો તરફથી દર વર્ષે બીલ પરત કરવા માટે સાથે અરજી તૈયાર કરી આપવી પડે છે. આમ દર વર્ષે નળ કનેકશન ન હોવાની રજુઆત કરી બીલ પરત મોકલવામાં આવતું હોવા છતાં મ્યુ.ના અંધેર વહીવટે ફરી પાછુ ચાલુ વર્ષે વોટર ચાર્જના બીલો ફટકારેલ છે. આવા અનેક મિલકતધારકો પાલિકાની કચેરીએ ધકકા ખાઇ રહ્યા છે અને બીલ રદ કરાવવા હેરાન પરેશાન થઇ રહ્યા છે. મેયર માત્ર લોક દરબાર કરી રહ્યા છે ત્યારે આ બાબતે અંગત રસ દાખવી પ્રજા જનોને આ મુશ્કેલીમાંથી કાયમી છુટકારો અપાવી તેવું અસરકર્તા નગરજનો ઇચ્છી રહ્યા છે. તેમ જ નગરને ઘણા સમય બાદ કાર્યદક્ષ અને કુશળ યુવાન કમિશનર પ્રાપ્ત થયા છે ત્યારે વોટર વર્કસ શાખાનો કહેવાતો કોમ્પ્યુટરનો કાયમી ફોલ્ટ દુર કરવા અધિકારીને ડાયરેકશન આપવામાં આવે તે જરૂરી છે.

No comments:

Post a Comment