17 January 2010

ચોટીલા : પેટા ચૂંટણીમાં મતદારો વૈકિલ્પક પૂરાવા રજૂ કરી મતદાન કરી શકશે : પ્રચાર ઉપર પ્રતિબંધ

વિધાન સભાની ચોટીલા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાનની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારો ફોટો ઓળખ પત્ર વગર મતદાન કરી શકે તે માટે વૈકિલ્પક પુરાવાની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ મૂકવા બાબતે જાહેરનામુ બહાર પાડયું છે. ચોટીલા વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન મતદાન મથક ઉપર મતદારે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ફોટો ઓળખ પત્ર રજૂ કરવાનું છે. પરંતુ ઓળખ પત્ર અપાયા નથી તેવા મતદારો અથવા ઓળખ પત્ર રજૂ ન કરી શકે તો કેટલાક દસ્તાવેજી પૂરાવાઓ પૈકી કોઇ પણ એક દસ્તાવેજી પૂરાવો રજૂ કરવા પંચે મંજૂરી આપી છે.
આ પૂરાવાઓમાં પાસ પોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્કમ ટેકસ પાન કાર્ડ, રાજય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો, સ્થાનિક સ્વ રાજયની સંસ્થા અથવા પબ્લિક લીમિટેડ કંપનીઓ તરફથી કર્મચારીઓને આપવામાં આવતા ફોટા સાથેના ઓળખ પત્ર, પબ્લિક સેક્ટર બેંકો અને પોસ્ટ ઓફિસો દ્વારા આપવામાં આવેલી ફોટા સાથેની પાસ બુક, સ્વતંત્રતા સૈનિકના સ-તસવીર ઓળખ પત્ર વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચની સૂચનાનુસાર ચૂંટણી અંગેના પ્રકાશનો, પોસ્ટરોના છાપ કામ માટેની જોગવાઇઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ જોગવાઇઓ મુજબ કોઇપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં.

No comments:

Post a Comment