22 January 2010

રાણાવાવ : તોતિંગ વીજ બિલ આવતાં આદિત્યાણાના પ્રૌઢનો આપઘાત

આદિત્યાણા ગામે રહેતા અને છુટક મજુરી કરતા લોહાણા પ્રૌઢ જમનાદાસ ગોરધનદાસ રાડીયા (ઉ.વ.પપ)ને વિજ ચોરી સબબ પી.જી.વી.સી.એલ. એ રૂપિયા દોઢ લાખનું બીલ ફટકાર્યા બાદ છેલ્લા બે મહિનાથી લોહાણા પ્રૌઢ સતત માનસીક તાણ અનુભવતા હોઇ અંતે આજે વહેલી સવારે ઝેરી દવાના ટીકડા ખાઇને આપઘાત કરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.
જો કે લોહાણા પ્રૌઢે વિજ બીલના કારણે કે અન્ય કોઇ કારણોસર આપઘાત કર્યો છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા જમનાદાસ ગોરધનદાસ રાડીયા (ઉ.વ.પપ) નામના લોહાણા પ્રૌઢના રહેણાંક મકાનમાં આજ થી બે માસ પહેલા પી.જી.વી.સી.એલ. એ વિજ ચોરી પકડીને રૂપિયા એક થી દોઢ લાખનું વીજ બીલ ફટકાર્યુ હતું ત્યાર બાદ જમનદાસભાઇ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. આટલી મોટી રકમનું વિજ બીલ કેમ ભરશે તે બાબતે સતત ટેન્શનમાં રહ્યા કરતા હતા અંતે તેઓએ આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. આજે વહેલી સવારે પોતાના જ ઘરે ઝેરી દવાના ટીકડા ખાઇ લીધા હતા. આ અંગેની જાણ તેમના પરિવાર જનોને થતા તેઓ તુરંત દોડી જઇને જમનાદારસભાઇને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જમનાદાસભાઇ એ વિજ બીલના કારણે કે અન્ય કોઇ કારણોસર આપઘાત કર્યો છે તે બાબત સ્પષ્ટ થઇ નથી. પરંતુ તેમના પરિવાર જનોના કહેવાનુસાર તોતીંગ વિજબીલ આવ્યા બાદ જમનાદાસભાઇ સતત મુંઝવણમાં રહેતા હોવાથી આપઘાત કર્યો છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વીજ બિલના કારણે આપઘાતનો ચાર દિવસમાં બીજો બનાવ

વીજ તંત્ર દ્વારા પકડાવી દેવાતા બીલ જીવણેલ સાબિત થઇ રહ્યા છે. હજુ ચાર દિવસ પહેલાં જ કાળીપાટના એક ખેડૂતે પણ રાક્ષસી વીજબીલના કારણે આપઘાત કર્યો હતો.

No comments:

Post a Comment