25 January 2010

લગ્ન બાદ પણ કન્યાની જાતિ બદલાતી નથી: મુંબઈ હાઇકોર્ટ

ર્લગ્ન બાદ છોકરીઓએ છોકરાના પરિવારના સંસ્કાર-સંસ્કૃતિ સાથે એકરૂપ થવું પડે છે. ‘‘અનુસૂચિત જાતિ-જનજાતિમાં જન્મેલી કોઈ યુવતી, ઊચી જાતિના યુવક સાથે લગ્ન કરે અને દાંપત્યને ઘણાં વર્ષો પસાર થઈ જાય તો પણ એ લગ્ન પૂર્વેની જાતિની જ ગણાય.’’ એવો ચુકાદો મુંબઈ વડી અદાલતે આપ્યો હતો. અદાલતની પૂર્ણ પીઠે જણાવ્યું કે ‘આપણા સમાજની વ્યવસ્થા અત્યંત વિશિષ્ટ, વિચિત્ર અને ચમત્કારી છે. આપણે જે કુટુંબમાં જન્મ લઈએ તેની જાતિ આખું જીવન આપણને ચોંટી રહે છે. આ નિયમમાં છોકરીઓ પણ અપવાદ હોતી નથી. લગ્ન બાદ છોકરીઓએ છોકરાના પરિવારના સંસ્કાર-સંસ્કતિ સાથે એકરૂપ થવું પડે છે. પણ તેની જાતિ બદલાતી નથી.’
રાજેન્દ્ર શ્રીવાસ્તવે તેની પત્નીના દહેજ માગણી અને પછાત જાતિ પર અત્યાચારના કેસમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પત્નીનો કેસ ખોટો હોવાનો શ્રાવાસ્તવનો દાવો હતો.
‘લગ્ન પછી પત્ની પછાત વર્ગની નથી, એ ઉરચ વર્ણની થઈ હોય તો પછી પછાત વર્ગો પર ફરિયાદ કેવી રીતે કરી શકે?’એમ રાજેન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે કોઈ બ્રાહ્મણ યુવતી પછાત વર્ગના યુવક સાથે લગ્ન કર્યા બાદ પણ બ્રાહ્મણ જ રહે છે. એ મહિલા લગ્ન પછી પછાત વર્ગના લાભો માગે તો એ તેને ન મળી શકે.’’

No comments:

Post a Comment